શરમ લાજ ઈજ્જત જેવી કોઈ ચીજ જો રાજકારણ થી પર માણસાઈ જેવું ડબલ એન્જિન સરકાર માં બચ્યું હોય તો ભરોસા ની સરકાર આ પુલ રીપેરીંગ બાબતે ની બેદરકારી ની જવાબદારી સ્વીકારી જવાબદાર સામે પગલાં લેવાનું પ્રજાને વચન આપે…
સાંભળો વિદ્વાન વડાપ્રધાન ને
યશસ્વી પ્રધાનમંત્રી ઉવાચ..ભલે હું એકતા નગર માં હોઉં.પણ મારું મન મોરબી છે..કેવડીયા થી મોદીજીની ભાષાકીય સંવેદના..મોત નો આંક ૧૯૦ પહોચ્યો.. ઓરેવા કોન્ટ્રાક્ટ માં ટીકીટ હતી તો ૧૦૦ ની કેપેસિટી માં વધુ ટિકિટ ફાડી ને જવા દેનાર કોન્ટ્રાકટર નીં બેદરકારી ના કહેવાય..? શું આમાં પણ ઓધવજી પરિવાર ને બચાવી લેવાશે..? તક્ષશિલા કાંડ હોય કે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના…મોટા મગરમચ્છ બચાવી લેવાય અને ગંદી.ક્રૂર રાજનીતિ થાય…..ભારત ના ભાવી ભૂલકાં ના નિર્દોષ જીવ જાય….પાપીઓ ને.કુદરત માફ નહિ કરે..
ભરોસા ની ભેંસ પાડો જણ્યો…કહેવત ડબલ એન્જિન સરકાર માં સાચી પડી….૧૪૨ વર્ષ નો જૂનો પુલ રિપેર કરવા સાત મહિનાથી બંધ હતો….. ઝૂલતો પુલ પાંચ દિવસ પહેલા ખુલ્લો મુકાયા બાદ તૂટી પડ્યો અને ૧૦૦ થી વધારે સરકારી કટકી ની લાલચ ની બેદરકારી ને કારણે નિર્દોષ નાગરિક ગુમાવ્યા.મળતીયાઓ ને કોન્ટ્રાક્ટ આપી માનવ પાપ સરકાર કરી રહી છે ..હજુ સરકાર જવાબદારી સ્વીકારી કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની વાત નથી કરતી…એક પણ ભગવો નેતા હજુ સુધી કોન્ટ્રાકટર ને પકડી ને જેલ માં નાખવાની બાહેધરી આપતો નથી…શું જોયા જાણ્યા વિના પુલ ખુલ્લો મૂકવાની ગંભીર બેદરકારી નથી..?
ભરોસા ની ભેંસ પાડો જણ્યો…કહેવત ડબલ એન્જિન સરકાર માં સાચી પડી….૧૪૨ વર્ષ નો પુલ રિપેર કરવા સાત મહિનાથી બંધ હતો….. ઝૂલતો પુલ પાંચ દિવસ પહેલા ખુલ્લો મુકાયા બાદ તૂટી પડ્યો અને ૧૦૦ થી વધારે સરકારી કટકી ની લાલચ ની બેદરકારી ને કારણે નિર્દોષ નાગરિક ગુમાવ્યા..હજુ સરકાર જવાબદારી સ્વીકારી કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની વાત નથી કરતી…
મોરબી દુર્ઘટના પર મોટો ઘટસ્ફોટ / પાલિકાના ચીફ ઓફિસરે કર્યો દાવો, મંજૂરી વિના ખુલ્લો મૂકાયો પુલ,
મંજુરી વગર ખુલ્લી મૂકવામાં આવેલા પુલ પર ચાર દિવસ સુધી આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા અને તંત્ર ને ખબર બી ન પડી… પગલાં તંત્ર વિરુદ્ધ લેવા જોઈએ…..
“ભાઈઓ બહેનો”ના ઉદઘોષક ગુજરાત માં હોય અને કહેવાતા ગુજરાત ના યશસ્વી પ્રધાનમંત્રી મૃત્યુ પામેલા માટે સંવેદના ના બે શબ્દો બોલી ના શકે..આ કેવી રાજનીતિ નું વરવું રૂપ..? આમ તો વિપક્ષ સામે બોલવાનું ક્યાંય ચૂકતા નથી. અન એકાએક આ ઘટના સાંભળ્યા બાદ જીભ સેવી લેવાનું કારણ શું..?
ભરોસા ની સરકાર ના સુપ્રીમો ની તકવાદી ભાષા સાંભળો…કેટલો ઘમંડ તેમની ભાષા માં દેખાય છે..આ નકલી ડિગ્રી ની અસિક્ષીત ભાષા છે…આજે જ્યારે મોરબી હોનારત રૂપી ચૂંટણી સમયે પાણીનો રેલો ભાજપ ના પગ માં આવ્યો અને એકાએક મોદીજી ના રોડ શો અને વર્ચ્યુઅલ ૧૮૨ વિધાનસભા ના કાર્યક્રમ રદ થયા..આ શું બતાવે છે…? એક પછી એક નો વારો કુદરત લાવી ને ઘમંડી લોકો ની આંખો ખોલવા હજુ કેટકેટલા બલિદાનો દેવા પડશે આ ગુજરાત ની જનતા એ….એક હિ આગ ” જન ફરિયાદ ”
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક
*****************************
આપણું મોરબી આખુ હિબકે છે ..🥲
કેટલાય બાલુડાઓ નિશબ્દ બની ગયા અને કેટલાય પરીવાર ના માળા વિખાય ગયા..
ખુટી ગયા શબ્દો શ્રધ્ધાંજલી માટેના …
આપણા મોરબીના સ્મશાન પણ નાના પડવા લાગ્યા..
એ એમ્બયુલન્સ ના સાયરન જાણે કે ખુદ યમરાજ આવ્યા હોય તેવો થતો ભાસ..
અસંખ્ય લોકોનુ રૂદન જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેમનુ ..
તે દરેક પળમા જયારે રેસ્કયુ ઓપરેશન ચાલતુ હતુ ત્યારે લાચાર સ્વજનો પળેપળમા આશાએ હતા કે મારા સ્વજન બોલતા ચાલતા મળી જાય..
મોરબી ના આ બાળકો, યુવાનો, ભાઈબહેનો ના શ્વાસ બંધ જોઈ અમે પણ અમારી ધડકન ચુકી ગયા હતા અને જાણે કે સમય રોકાઇ ગયો હોય તેવુ ભાસતુ હતુ ત્યારે …
હે પ્રભુ ઝુલતાપુલ માં મૃત્યુ પામનાર દરેકના આત્માને તારા ચરણોમા વાસ આપજે અને તેમના પરીવાર ના લોકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપજે તેવી પ્રાથઁના…
🙏ઓમશાંતિ 🙏
https://youtube.com/shorts/pogXTmd-hZM?feature=share
મોરબીનો ઝુલતો પુલ એકાએક તૂટી જતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા.તાત્કાલિક મોરબી જવા રવાના..
*ખાસ અગત્ય ની પ્રેસ વિજ્ઞપતી*
*વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે*
*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો ” પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” હાલ મોકૂફ રાખવામાં આવેલ છે જેની દરેક પેજ સમિતિના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ નોંધ લેવા વિનંતી છે.*
ડો યજ્ઞેશ દવે
પ્રદેશ મીડિયા કન્વીનર ભાજપા
********************
*મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે*
*આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે*
*એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે*
*એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે*
તંત્રી : પ્રદીપ રાવલ
(9824653073)
આ અત્યારે પોર્ટલ ન્યુઝમાં લખાઈ રહ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ 142 લાશો મોરબી દુર્ઘટના ઝુલતો પુલ જે તૂટી ગયો અને પાણીમાં ગર્કાવ થઈ ગયેલા ને બચાવ ગામગીરી કરનારાઓએ શોધીને પરિવારને સોંપ્યા છે.
લોકોમાં રોષનો માહોલ છે મોરબી નગરપાલિકા ના અધિકારીના કહેવા મુજબ ફૂલ ચાલુ કરવાની મંજૂરી લીધી નહોતી અને પુલ ચાલુ કરી નાખવામાં આવ્યો હતો આવું ગોળ કૃત્ય કોના કહેવાથી અને કોના ઇશારે થયું તેની પણ લોકો જવાબની રાહ જોઈ રહ્યા છે તેઓ આક્રોશ સાંભળવા મળે છે.
ગઈકાલે સાંજે કમલમ ખાતે 6:15 વાગે જ્યારે સીઆર પાટીલ સાહેબની પ્રેસ કોન્ફરન્સ હતી અને તેમાં કહેવામાં આવ્યું કે પહેલી તારીખે મોદીજી મહાત્મા મંદિરથી 182 વિધાનસભામાં સીધો સંવાદ કરશે તે જ સમયે આ દુર્ઘટના મોરબીમાં થઈ હતી અને એકાએક એક કલાકમાં ભાજપના મીડિયા સેન્ટરથી બીજી પ્રેસ મળી કે મોદીજીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે.
મોરબી દુર્ઘટના બાબતે કોંગ્રેસના શ્રી શક્તિસિંહ ગોહિલે સરકારની બેદરકારી બાબતનો જવાબ તેમણે માગવા માટે પોતાની સંવેદના સાથે રોષ મીડિયા ની સમક્ષ ઠાલવ્યો હતો.
બીજી બાજુ આમ આદમી પાર્ટી ના કેજરીવાલ અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા પણ મોરબી દુર્ઘટના બાબતે રાજનીતિ જાણે કરતા હોય તેવી રીતે તાત્કાલિક અસરથી મોરબી દુર્ઘટના બાબતે પાર્ટીની એક ટીમની જાહેરાત કરીને રાજનીતિ શરૂ કરી છે.
ભરોસાની સરકારના સુપ્રીમો એવા યશસ્વી પ્રધાનમંત્રી આજકાલ ગુજરાતમાં છે અને છાશવારે પણ વિપક્ષને કહેવાનું કંઈ બાકી ન રાખે તેવા મોદીજી ગઈકાલની આ મોરબી દુર્ઘટના બન્યા પછી એકાએક મૌન સેવીને બેઠા છે અને ચૂંટણી બાબતની આચાર સહિતા નો સમય પણ કલાકોમાં આવી રહ્યો હોય આ બાબતે હાલના ગુજરાતના વાતાવરણમાં ચૂંટણી જાહેર કરવી કે કેમ અથવા તે બાબતે ચૂંટણી પંચને પણ કોઈ પણ વિનંતી કરીને તેમાં ફેરફારો કરાવવા કે કેમ તે બાબતે સૌ કોઈ અધિકારીઓ અને શાસક સરકારના રાજનેતાઓ દ્વિધામાં છે મીડિયા સમક્ષ કંઈ પણ બોલતા પહેલા તેઓ હાલમાં વિચાર કરી રહ્યા છે કેમકે મોરબી દુર્ઘટનાની અણધડ માહિતીઓ પ્રજા સમક્ષ પીરસાઈ નહીં તેનું પણ શાસક સરકાર ધ્યાન રાખી રહી છે તેવી રીતે સરકારના પ્રવક્તાઓ પણ જુદા જુદા જવાબો આપી રહ્યા છે
તંત્રી પ્રદીપ રાવલ જન ફરિયાદ ન્યુઝ ચેનલ ગાંધીનગર
https://youtu.be/_UYuXUTSi4c
(ભાજપની ગૌરવ યાત્રા જ્યારે વાંકાનેર પહોંચી હતી ત્યારે પ્રજા માંથી સાંસદ મોહન કુંડારીયા નો પુષ્કળ વિરોધ કરવામાં આવ્યો હતો)
મોરબી ઝુલતાપુલ તૂટી જવાની આટલી ગંભીર ઘટના બની હોય અને 141 લોકોએ પોતાના જાન સરકારની બેદરકારીથી ગુમાવ્યા હોય અને કહેવાતા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતમાં હોય અને સંવેદનાની વાતો કરતા હોય અને વિપક્ષોની ટીકા કરવામાં એક પણ ક્ષણ છોડતા ન હોય તેવા નિર્દય સ્વભાવના પ્રધાનમંત્રી આજે 31મી ઓક્ટોબરે કેવડિયા કોલોની ખાતેથી પોતાનો રાબેતા મુજબનો કાર્યક્રમ ચાલુ રાખીને આ ગુજરાતની જનતાને તેમની કઈ નવીન પ્રકારની રાજનીતિ બતાવવા માંગે છે તે સમજાતું નથી ભાજપના કાર્યકરો અને રાજનેતાઓ અને જે કોઈ લોકો ચૂંટણી લડવાના છે તે લોકોને પ્રજાની સમક્ષ જતા આકરા પાણીએ મગ ચડાવવા પડે તેવું ચર્ચા રહ્યું છે. હવે ચોક્કસપણે કહી શકાય કે સોળે શાંત વિશે વાન અને 60 એ જાય તે કહેવતને ભાજપના ભગવાન નેતાઓ સાચી પાડે તો નવાઈ નહીં હવે શું આ ભરોસાની સરકાર ઉપર ગુજરાતની જનતા કેટલો વિશ્વાસ મૂકશે..
*****************************
રાજકીય આમ આદમી પોસ્ટ..
*મોરબી દુર્ઘટના મોતનો તમાશો.*
લૂંટનો ભોગ બન્યાં.
*મોરબી પ્રશાસન સાથે ગુજરાતનું એન્જીન સાથે કેન્દ્રનું એન્જીન પણ 100% જવાબદાર.*
કારણ કે,લાખો કરોડોના ફંડ કેન્દ્રનાં એન્જીન નો પણ ભાગ રખાયો હોય છે.
શુ ધરપકડ કેન્દ્ર સુધી સંડોવાયેલા લોકોની પણ થશે?
પરિવર્તન જરૂરી.
*-આમ આદમી પાર્ટી.*
કચ્છ.
*ઓરેવા સાથે એગ્રીમેન્ટ મુજબ બાળકોના 10/- પણ ઉઘરાવતા હતાં.12/- તો 2/- ડબલ એન્જીન પાસે જતાં હોય તેમ.કહી. શકાય.જનતામાં ડબલ એન્જીન સરકાર પણ જવાબદાર હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું.*
*ફંડ ગોઠવવામાં એક જ માસ્ટર માઈન્ડ.*
-કૌભાંડી,ભ્રષ્ટચારી ભાજપ અને તેનાં નેતાઓ.
પરિવર્તન જરૂરી.
*જય હિંદ.*
*********************************
લોક મંતવ્ય મુજબ ની મળેલ પોસ્ટ..
મોદી
આને
મોત
સી,એમ, થયા
ત્યારે
ગોધરા કાંડ,ઉરી હુમલો,
અમરનાથ યાત્રા ઉપર હુમલો..
નકલી ૧૬ એન કાઉન્ટર..
હિંદુ મુસ્લિમ મર્યા
એમના બાપનું
શું
ગયું..
વડાપ્રધાન બન્યા..
પુલવામા
સૈનિકો ને
માર્યા
નોટબધી,
કોરોના
લોકડાઉન
લાખો હિન્દુ ઓ મરવા દિધા
કુષિ કાયદો વખતે
દિલ્હીમાં 750
ખેડૂતો મરવા દિધા..
પછી કાયદો પાછો ખેંચીયો..
લઠ્ઠા કાંડ માં પણ અનેક મોત થયા..
અનેક લંપટ ભાજપ માં દબંગ રાજકીય નેતાઓના ખેલ…જનતાએ જોયા..
લમપી રોઞ માં હજારો ગાયો મરવા દીધી પણ દવા ના કરાવી…ગુજરાત માં.ફરુ વેચનાર નો.વેપલો કરનાર ને જાહેર છૂટ…હપ્તા રાજ…
મીડિયા માં.એક પણ પ્રેસ પ્રતિનિધિ ને કોઈ પ્રશ્ન નો.જવાબ નહિ આપી ને આપખુદ શાહી.સરમુખત્યાર શાશન નું વરવું રૂપ બતાવ્યું..
અનેક તેમના જૂના વિડિયો માં.કરેલ બફાટ ના જુઠ્ઠાણાં સામે આવ્યા…તેમનું બોલેલું આજે તેમને નડી રહ્યું છે…વિપક્ષો ની ખરીદ દારી….મોઘવારી..
આ
અપશુકનિયાળ મોદી ના કહેવાય તો બીજું શું..?
જનતા લોક.આક્રોશ
*****************************
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ
પ્રેસ:૧૪૯૯ /૧૦/૨૦૨૨ તા:૩૧/૧૦/૨૦૨૨
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીના એકતાનગર ખાતે
રન ફોર યુનિટીના કાર્યક્રમમાં એક વિશાળ જનસભાને
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધી
—-
આજ હું અહિંયા રન ફોર યુનિટીના કાર્યક્રમમાં આવ્યો છું પરંતુ
મારૂ મન મોરબી બનેલ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ જનતાના પરિવારોમાં પોરાયેલ છે.
આ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ નાગરિકોને
મારી શ્રધ્ધાંજલી પાઠવું છું – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ગુજરાત રાજ્યમાં બનેલ આ ગોઝારા અકસ્માતમાં રાજ્ય સરકાર તેમના
કર્તવ્યપથ ઉપર કામે લાગી ગઇ છે અને આ ગોઝારા અકસ્માત બનવા પાછળ
શું કારણ છે તેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ગુજરાત સરકાર પુરી શક્તિથી ગઇકાલ સાંજથી રાહત અને બચાવ માટે કામ કરી રહી છે તો
કેન્દ્ર સરકાર પણ રાજય સરકારને પુરી મદદ કરી રહી છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ઘટનાની જાણકારી મળ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી રાત્રે મોરબી પહોંચ્યા હતા અને
રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યા છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—–
દેશમાં આજ એકતા દિવસ નિમિત્તે યોજવામાં આવેલ રન ફોર યુનિટીનો કાર્યક્રમ
યોજવામાં આવેલ છે અને તેમાં દેશનો જન જન
એકતાનો સંકલ્પ કરી રહ્યો છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
દેશનો ગુજરાતનો સપૂત અને લોહપુરૂષ સરદાર પટેલ ન હોત તો દેશનું શું થાત
તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
આજે આખો ભારત દેશ આપત્તિના સમયમાં નાત,જાત, ધર્મ ભુલીને
એકતાના દર્શન કરાવે છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ગઇકાલની મોરબીની હોનારત અને કોરોના મહામારીના કપરાકાળમાં
દેશનો દરેક નાગરિકો પિડીતોની પડખે આવીને ઉભા રહયાં છે.
આ એકતા જ ભારતના દુશ્મનોને ખટકે છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
આજે પણ દેશને તોડવા માટે વિદેશી તાકાતો અને દેશમાં રહી દેશ સાથે
ગદારી કરનાર તત્વો ગતિશીલ છે અને તેનાથી
આપણે સૌ એ બચવાનું છે. દેશને નબળો પાડવાની તાકાતને
આપણે સૌ એ એકતાથી તોડી પાડવાની છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ગુલામીના સમયમાં જે ઝહેર ઘોળવામાં આવ્યું હતું તે ઝહેરનું
પરિણામ આજ પણ ભોગવી રહ્યાં છીએ – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
દેશનો દરેક નાગરિક “સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ” ના મંત્રથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગ એક અખબારી યાદી જણાવે છે કે, ગઇ કાલે એરક્રાફ્ટ પ્લાન્ટનું ખાતમુર્હત કર્યા બાદ આજ દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એકતાનગર ખાતે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં એક વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજ હું અહિંયા રન ફોર યુનિટીના કાર્યક્રમમાં આવ્યો છું પરંતુ મારૂ મન મોરબી બનેલ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ જનતાના પરિવારોમાં પોરાયેલ છે. આ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામેલ નાગરિકોને મારી શ્રધ્ધાંજલી પાઠવું છું. ગુજરાત સરકાર પુરી શક્તિથી ગઇકાલ સાંજથી રાહત અને બચાવ માટે કામ કરી રહી છે તો કેન્દ્ર સરકાર પણ રાજય સરકારને પુરી મદદ કરી રહી છે. બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ સેવા અને વાયુ સેના બચાવ કાર્ય કરી રહી છે. જે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યા પણ કાર્ય ચાલી રહ્યુ છે. ઘટનાની જાણકારી મળ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી રાત્રે મોરબી પહોંચ્યા હતા અને રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યા છે. આ ઘટનાને લઇ એક કમિટિ બનાવી છે. હુ દેશના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છું કે રાહત અને બચાવના કાર્યમાં કોઇ કમી નહી આવે. આજે રાષ્ટ્રીય એકતા દિવસનો આ અવસર આપણને મુશ્કેલ સમયમાં એક જુટ્ટ થઇ તેનો સામનો કરી કર્તવ્ય પથ પર રહેવાની પ્રેરણા આપે છે.
ગુજરાત રાજ્યમાં બનેલ આ ગોઝારા અકસ્માતમાં રાજ્ય સરકાર તેમના કર્તવ્યપથ ઉપર કામે લાગી ગઇ છે અને આ ગોઝારા અકસ્માત બનવા પાછળ શું કારણ છે તેની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં કારણે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં યોજવામાં આવેલ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે તે બદલ માફી માંગી હતી. દેશમાં આજ એકતા દિવસ નિમિત્તે યોજવામાં આવેલ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને તેમાં દેશનો જન જન એકતાનો સંકલ્પ કરી રહ્યોછે. દેશનો ગુજરાતનો સપૂત અને લોહપુરૂષ સરદાર પટેલ ન હોત તો દેશનું શું થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. દેશ આજે જે ગતિથી વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેની પાછળ દેશના જન જનની એક બીજા સાથે વિવિધ ધર્મોની એક બીજા સાથે રહેલી એકતા જવાબદાર છે. આજે આખો ભારત દેશ આપત્તિના સમયમાં નાત,જાત, ધર્મ ભુલીને એકતાના દર્શન કરાવે છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલની મોરબીની હોનારત અને કોરોના મહામારીના કપરાકાળમાં દેશનો દરેક નાગરિકો પિડીતોની પડખે આવીને ઉભા રહયાં છે. આ એકતા જ ભારતના દુશ્મનોને ખટકે છે. ગુલામીના સમયમાં પણ દેશનો નાગરિક એકતાથી ગુલામી સામે લડતો રહ્યો હતો અને તેના પરિણામે દેશ આઝાદી મેળવી શક્યો છે. ગુલામીના સમયમાં જે ઝહેર ઘોળવામાં આવ્યું હતું તે ઝહેરનું પરિણામ આજ પણ ભોગવી રહ્યાં છીએ. આજે પણ દેશને તોડવા માટે વિદેશી તાકાતો અને દેશમાં રહી દેશ સાથે ગદારી કરનાર તત્વો ગતિશીલ છે અને તેનાથી આપણે સૌ એ બચવાનું છે. દેશને નબળો પાડવાની તાકાતને આપણે સૌ એ એકતાથી તોડી પાડવાની છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, આજના એકતા દિવસ નિમિત્તે સરદાર સાહેબે સોંપેલ જવાબદારીને આગળ વધારવાની છે અને દેશનો દરેક નાગરિક એક બીજાથી વિખુટો ન પડે તે આપણે સૌ એ જોવાનું છે. દેશનો દરેક નાગરિક “સૌના સાથ સૌના વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસ” ના મંત્રથી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે દેશમાં જ બનતી વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનો થકી દેશમાં રોજગારીની તકો વધી છે. દેશમાં આજ દરેક યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે. દેશનો દરેક નાગરિક આજ સરદાર સાહેબના વિઝનને સાકાર થતુ જોઇ રહ્યો છે. દેશના નાગરિકોને તોડવા માટે દેશના ઇતિહાસને તોડી મરોડીને દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે દેશના નાગરિકની એકતા તૂટી છે. પરંતુ આવા તત્વોને આપણે એકતા સાથે એક હિન્દુસ્તાની તરીકે આપવાનો છે. દેશના દરેક નાગરિકોને વિવિધ સમાજના લોકોને પ્રાથમિકતા આપવાનું કામ ભારત સરકાર દ્વારા ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેની શરૂઆત આદિવાસી ભાઇઓના ગૌરવ માટે આદિવાસી ગૌરવ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ એકતાનગર એ દેશના વિકાસ મોડેલમાં સ્થાન લેવા જઇ રહ્યું છે. એકતાનગરમાં જે રાજ પરિવારોએ દેશની એકતા માટે ત્યાગ આપ્યો છે તેમના માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવનાર છે જેને આવનારી પેઢી તેમાંથી પ્રેરણા લઇ વિદેશી તાકાતો ભવિષ્યમાં દેશની એકતા તોડવાનું હિન કૃત્ય સામે પુરી તાકાતથી લડી શકે.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો વિડિયો તાત્કાલિક અમોને મોકલીને નિર્ભય રીતે અમારી ચેનલમાં પ્રસારિત કરવા અમને મોકલી આપો..તંત્રી :