GN_03-06-2022.
[6/2, 10:46 AM] Hemlatta Divecha.MeM: *NOG SS NO – 0037*
*વિષય – આવડત અણ આવડત.*
*શીર્ષક -માનવનું સર્જન*
*વિભાગ – પદ્ય.*
*તા.02/06/22*
*માનવ*
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન માનવ.
એકજ પિતાનાં સૌ સંતાન.
એક એકથી ચડિયાતી પ્રતિમાં.
અણઆવડતને અવકાશ નહીં.
જ્ઞાનનો મહાસાગર…..
આત્મ સ્વરૂપે પરમાતમાં બિરાજે.
હે, માનવ અંતર મનને ઝાંખ.
તું તારા દિવ્ય ચક્ષુ ખોલ.
કાયાને કંચન બનાવ.
સુષુપ્ત અવસ્થામાંથી નીકળ.
જાગ અને ખુદને જગાડ.
શક્તિઓનો ભંડાર તુજમાં.
તારી આવડત જ છે,
આંગળીનાં ટેરવે વિશ્વ રમે.
ધરા સાથે ચંદ્ર ઉપર ઘર કલ્પે.
આવડતથી જ માઈલોનાં,
અંતર સેકન્ડોમાં કાપ્યાં,
વિશ્વને રૂપે * માનવનું સર્જન*
અદ્ભૂત દિશે, જીવન ચક્ર.
હે,માનવ સમય પોકારે તુજ ને,
માનવ થઈ આવ્યો છો,
માનવ બની,
સૌના હૃદયમાં સ્થાન મેળવ.
હેમલતા દિવેચા ” હેમ ”
જૂનાગઢ
[6/2, 10:49 AM] Muktida Oza.MeM: NOG-106
NOG-સાહિત્ય સરિતા ગ્રુપ
શબ્દ:- 290
વિષય:-‘આવડત/અણઆવડત’
શીર્ષક:-
“MBA–(મને બધું આવડે)
————————
“મને બધું આવડે”???!!
‘કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય..
‘આવડત’ મહેનત/મજૂરી
“અણઆવડત”..ચાલશે ચાલતા હૈ.
अनपढ़ ढोंगी राज करें !
शिक्षित मांगे भीख!
‘આવડત’ એટલે લોકોને **મૂર્ખ બનાવવાની કળા?
** ‘જાતે’ ક્યારે મૂરખ બનવું તેની કળા.
**પોતાની જાતને “મહાન” સાબિત કરવાની કળા??
**પોતાની જાત ઉપર કાબુ??
**”આંખ આડા કાન કરવાની કળા??”
જે હોય તે— પણ-
***ડિગ્રીઓ આવડત છે?પોતાની હોશિયારીને જાણવી,તે હોશિયારી.
**કોઈની નકલ કરવી એ આવડત છે??
‘આવડત અણઆવડત’
– હકીકતમાં આવડત એટલે હુશિયારી(કુશળતા) અને અણઆવડત એટલે જે નથી આવડતું તે.
*જિંદગીને હાસ્યાસ્પદ ન બનાવવી તે આવડત.
**નવું શીખવાની ધગશથી અભ્યાસથી “આવડત” કેળવાય.
***કોઈ પણ કાર્યને મનથી/ધ્યાનથી,હિમ્મતથી કરવાની પ્રક્રિયા એટલે જ આવડત.
***જરૂર પડ્યે તલવાર ખેંચી ઝાંસીકી રાણી જેવી બની શકે! જરૂર પડ્યે માતા જિજાબાઈ જેમ”પ્રેમ ભર્યું હાલરડું” પણ ગાઈ શકે.
જન્મોજન્મના કર્મ પણ “આવડત” બનીને આવે છે.
**સ્વર્ગીય સંગીતજ્ઞશ્રી ઑમકારનાથ ગાતા,
“જોગી મત જા”..ની થાપ પડે ને રુંવાડાં ઊભાં થઈ જાય!
સ્વર્ગીય કથકનર્તક બીરજુ મહારાજ,
તબલા નવાજ ઝાકીરહુસેનના પિતા ઉસ્તાદશ્રી અલ્લારખ્ખા ખાં’સાહેબ,
મારા પિતા – બે હાથથી ચિત્ર દોરતા!
કહેવાય છે કે,
આવા ઉચ્ચના કલાકારો “યોગભ્રષ્ટ આત્માઓ”.. અધૂરી સાધના પૂરી કરવા, ફરીથી જન્મ લે.
‘આવડત’ જન્મોજન્મની હોઈ શકે.જન્મ પછી થોડા સમયમાં જળકી ઊઠે!
થોડી માવજતમાં,વધુ લિજ્જત આપવા માંડે!!
અનુભવ અભ્યાસ તમારી રજુઆત એ”આવડત” છે
***દાળમાં નમક વધારે પડી ગયું!,ફરીથી
સ્વાદિષ્ટ એક ‘અભણ રસોઈઓ’ કરી શકે છે.
એણે દાળને સ્વાદિષ્ટ કેમ કરવા?થોથાં ઊથલાવવાં નથી પડતાં.
કલાકાર,કારીગર,રસોઈઓ પશુ,પ્રાણી સૌમાં આવડત હોય જ.
નવું શીખવાની ધગશથી, ‘અભ્યાસથી મેળવેલી આવડત હોય છે.
વસ્તુ,વિષયને
દુનિયા સામે,સરસ રીતે રજુ કરવાની કલા એટલે આવડત.
જુદાજુદા અભિનેતા/અભિનેત્રીઓ,
સરસ તૈયાર થઈને,દુનિયા સામે પોતાના સુંદર દેખાવની રજુઆત કરે.
‘એક નૂર આદમી હજાર નૂર કપડાં!!’
આજે તો “આવડત હોય કે ન હોય”,
દુનિયા સામે ‘જાકજમાળ’થી રજુઆત કરો છો?મહત્વનું.
‘phd’ની ડિગ્રી લીધેલાને વિષયનું ભાન ન હોય!! સાધારણ મજૂર,એ કામ બેસેકંડમાં કરી શકે!!**** પૈસાથી
ખરીદેલી ડિગ્રીઓ
“અણઆવડતને”છતી કરતી હોય છે…
[6/2, 11:22 AM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- આવડત અણઆવડત
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- પસ્તાવો
શબ્દો:- ૨૪૯
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
રોહનની પત્ની રીમા, ડગલેને પગલે, કોઈ જાતની આવડત નથી એવું કહી પતિનું અપમાન કરે રાખતી. તમારી સાથે નોકરી કરતાંનો પરિવાર જુઓ કેવાં મોજશોખ કરે છે અને તમારાંથી એક ગાડી પણ નથી લેવાતી.સારું છે કે હજુ સંતાન નથી નહીં તો એ પણ બિચારા બાપડા સામાન્ય જિંદગી જ જીવતા હોત.
કાન, ખોલીને સાંભળી લો,” આમ જ ચાલવાનું હોય તો મને છૂટાછેડા જોઈએ.” ત્રાસેલા રોહને છૂટાછેડા આપી દીધાં અને રીમા એની જિંદગીમાંથી જતાં જ રાહતનો દમ લીધો.
એક દિવસ વિચાર આવ્યો કે આટલી ઈમાનદારીથી નોકરી કરું તે અણઆવડત કહેવાય તો આવી નોકરીનું શું કામ વિચારી છોડી દીધી નોકરી.
સાંજના સમયે નદી કિનારે બેસી વિચારતો હતો હવે શું કરવું જોઈએ ત્યાં જ કોલેજમાં સાથે ભણતી સુધા આવી,થોડીવાર જોઈ રહી પછી ધીમે રહી પાસે આવી રોહનના ખભા પર હાથ મૂકતાં જ રોહને ચોંકીને જોયું તો સુધા. કોલેજ પત્યાં પછી ઘણા વર્ષે મળ્યાં ખૂબ વાતો કરી, એકબીજાનાં નંબર લીધાં.બીજે દિવસે ફરી મળવાનું નક્કી કરીને છૂટાં પડ્યાં.
ફરી મળ્યાં ત્યારે જાણ્યું કે બંને સમદુખિયા છે.બંનેએ સાથે મળીને કંઈક કરવાનું નક્કી કર્યું.ખૂબ વિચારને અંતે રોહને પોતાનો પત્રકારત્વના અનુભવનો ઉપયોગ કરીને પોતાનું છાપખાનું શરૂ કરીને છાપું પ્રસિધ્ધ કર્યું, નામ રાખ્યું, ‘સુધારો.’
ઈમાનદારીથી, હિંમતપૂર્વક અંધારી આલમનાં કારનામા, ભ્રષ્ટાચારીઓનાં ભ્રષ્ટાચાર બહાર પાડ્યા.પત્રકાર આલમમાં જાંબાઝ પત્રકાર તરીકે ખ્યાતનામ થયો.સરકારશ્રીએ એની નોંધ લીધી અને સરકાર તરફથી રહેઠાણ માટે સરકારી બંગલો આપ્યો.
સુધા સાથે ધામધૂમથી લગ્ન કર્યાં. દરેક છાપામાં,ટી.વી.માં એની નોંધ લેવામાં આવી.આ સમાચાર વાંચીને રીમાને પારાવાર પસ્તાવો થયો કે જેને હું આવડત વગરનો કહેતી હતી એ તો ‘ચીંથરે વિંટ્યું રતન નિકળ્યું.’
✍️ ©️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[6/2, 4:26 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No. 0102.
નામ :- રતીલાલ વાયડા
વિષય:- આવડત અનઆવડત.
પ્રકાર:-. ગદ્ય.( લેખ.)
શીર્ષક:- આવડત અનઆવડત.
રચના:-
આવડત એટલે કોઈ પણ કામનો અનુભવ અને તે અંગેનું જ્ઞાન.જ્યારે અનઆવડતએટલેકોઈપણ પ્રકારનું કામ નો અનુભવ કે જ્ઞાનનો અભાવ ,અને તે વ્યક્તિ જો કોઈ કામ કરે તો તે કામ બરોબર હોતું નથી.
ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જેમાં કોઈ આવડત હોતી નથી પરંતુ મિથ્યાભિમાન કરી અને પોતે ખૂબ સારું જાણે છે તેવો ડોળ કરી અને જ્યારે કામ નો આદર કરે છે ત્યારે તે કામ બગાડી નાખે છે.
આવડત વાળા લોકો પોતે કોઇ પણ કામ ખૂબ સારી રીતે કરી શકે છે .એ જરૂરી નથી કે આવડત વાળા લોકો ભણેલા હોય .લોકોને કોઈ પણ કામનો સારો અનુભવતો હોય છે ,અને તે અનુભવને આધારે ખૂબ કામ સારી રીતે કરતા હોય છે .દાખલા તરીકે સારા રસોઈયા ખૂબ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે .તેઓ કોઈપણ ઠેકાણે ભણવા ગયા નથી હોતા પરંતુ તેમને કામનો ખૂબ અનુભવ હોય છે .કેટલીક અઘરી મીઠાઈઓ જેમકે મેસૂબ ,માલપુવા ઘેવર ,જેવી મીઠાઈ બનાવી અઘરી છે પરંતુ તેઓ સારી રીતે કરી શકે છે.
ઘણા બધા આવડતવાળા લોકો શિક્ષિત અને અનુભવી હોતા હોય છે તેઓએ કામની ખુબ તાલીમ લીધેલી હોય છે.
એન્જીનીયરો અને કારીગરો મોટા મોટા કારખાનાઓ ચલાવી અને તેનું ઉત્પાદન લે છે. ડોક્ટર સારી દવાઓ આપે છે તેમજ ઓપરેશન કરી અને માનવીને નવું જીવન આપે છે.
આજે માનવીએ ખૂબ વૈજ્ઞાનિક પ્રગતિ કરી છે માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે અનેક પ્રકારના ઉત્પાદનો કરે છે રેલવે ,તાર-ટપાલ ,ટેલિફોન, વગેરેમાં કુશળ કારીગરી અને આવડત માંગી લેતું કામ છે અને આ કામ લોકો ખૂબ સારી રીતે નિભાવી અને ખૂબ મોટા તંત્રને ચાલુ રાખે છે.
દુનિયાનો કોઈ પણ કામ નાનું હોય કે મોટું હોય પરંતુ વ્યક્તિમાં કેટલીક ખાસ વિશેષ અને કુદરતે બક્ષેલી આવડત હોય છે.
લતા મંગેશકર પોતાના ગીત દ્વારા , બિસ્મિલ્લા ખાન શરણાઈ , અભિનેતાઓ પોતાના અભિનય દ્વારા લાખો લોકોને મનોરંજન કરાવે છે આ તેની વિશેષ આવડત કહેવાય.
આજના જમાનામાં વિજ્ઞાને ખૂબ વિકાસ કર્યો છે. અને મોટાભાગના કામ યંત્રો દ્વારા કરવામાં આવે છે ,એટલું જ નહીં પણ આમાં પણ નવું નવું સંશોધન થાય છે. અત્યારે રોબોટો ઘણું બધું માનવ જેવો જ કામ કરે છે . જે કામ ઘણું જોખમી હોય તેવું કામ પણ રોબોટો દ્વારા લેવામાં આવે છે અને માનવજીવનને સુરક્ષા પ્રદાન કરે છે.
આમ આવડતવાળા લોકો પોતાનું જીવન ખૂબ સારી રીતે જીવતા હોય છે જ્યારે અનઆવડત વાળા લોકો પોતાનું જીવન અણઘડ રીતે જીવતા હોય છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ,
૨/૬/૨૦૨૨. ગુરૂવાર.