NOG SS NO:-0115
વિષય…ધૂપ છાવ
શિર્ષક…માવતરનું જીવતર
નામ…વિધા વિશાલ કંસારા
સંતાનોની લાગણીની લેહરો માં
*લુંટાઈને….*
ખેડ્યું ખેતર *વૈશાખની બપોરમાં*
બાંધ્યો હિંડોળો લીમડાની *છાંયામાં*
પોઢાડયું પોઢણ *મમતાની કાયામાં*
હસેછે હૈયું અશ્રુઓની *ધારામાં…*
એક દિવસ બાંધીશ હિંડોળો
ચાંદને *સિતારામાં*
વેઠી છે ધૂપ તો કયારેક છાવ પણ હશે
*શતરંજની બાજીમાં કયારેક બાદશાહ પણ હશે*
*સમયનું વેહણ બદલાય છે….*
*સંતાનો સમયની સાંકળમા બંધાય* છે….
*બંધાયેલા સંતાનો માવતરથી* *તણાય છે….*
**ફરી માવતરનુ જીવતર ધૂપમાં ધવાય છે*
*વિધા વિશાલ કંસારા*
*સુરત*
*********************************
NOG SSN 0089
વિષય અખાત્રીજ
શીર્ષક શુભ દિન
પ્રવિણા
——
વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા હિંદુ ધર્મમાં ખૂબ પાવન માનવામાં આવે છે.
તેનું બીજું નામ ‘ પરશુરામ જયંતિ’ પણ છે. આ દિવસે થતા શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની જરુર નથી. શુભ કાર્ય જેવાકે લગ્ન, નવા ઘરમાં પ્રવેશ યા નવા ધંધાના ગણેશ આ દિવસે કરવાનું સહુ પસંદ કરે છે.
આજથી ૫૫ વર્ષ પહેલાં અખા ત્રીજના શુભ દિવસે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ દિવસે શુભારંભ
થયોલા કાર્યનું પરિણામ શુભ જ આવે તેવી માન્યતા
લોકોના મગજમાં ઘર કરી ગયો છે.
શુભ ઘડી, શુભ દિવસ , શુભ પ્રસંગ કશું વિચારવાનું નહી. ત્રેતા યુગનો આરંભ પણ આ દિવસે થયો હતો.
સુદામાજી તાંદુલની પોટલી લઈ મિત્રને આ શુભ દિવસે મળ્યા હતા. એ તાંદુલની મિઠાશ કૃષ્ણ એ ખૂબ પ્રેમથી માણી હતી.
હિંદુ પંચાગ પ્રમાણે આ દિવસનું મહાત્મય અપરંપાર છે. સત્ય કહીશ આ આસ્થા નો વિષય છે. જેમાં ચર્ચા યા વિવાદ કરવા
નિરર્થક છે.
જેનો ક્ષય નથી એ અક્ષય તૃતીયા . સહુનો મંગલ નીવડે. સહુનું શુભ થાય
********************************₹
NGO.S.S no:- 0032
વિષય:- ધૂપછાંવ
શીર્ષક:- સૂરજદેવ
હતી એ ધૂપ સવારની,
લાગતી થોડી મુલાયમ.
બપોરે એ ઘૂપ સળગતી,
રણની રેતીને કણસતી.
વૈશાખને એ બાળતી,
મનને એ ખાળતી.
અગનજાળે સળગતી,
સાંજ પડે ઠારતી.
આંબા ડાળે હીંચકા,
કોયલના મીઠાં ટહૂકા.
નથી જીવાતું પરિતાપમાં,
કાળજાળ ગરમીમાં.
સાંજ પડે સૂરજ આથમે,
છાવમાં ધીમા તપો.
ઠંડા પડો સૂરજદેવ
ઠંડા પડો સૂરજદેવ
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
***********************
6/5/2022
[5/6, 10:41 AM] Shila Patel.MeM.NOG: Nog SS :-0038
વિષય :-ધૂપ છાવ
વિભાગ :-પદ્ય
શીર્ષક :-, તું હતી મા
તારી છત્રછાયામાં જિંદગી ખુશખુશાલ હતી મા,
પાલવની છાયા મીઠીમધુરી સુખકારી હતી મા.
જોઈ તારો ચહેરો હરખથી દલડું મારુ નાચી ઉઠતું ,
સ્નેહની નદીમાં તપેલા કાળજાની ઠંડક હતી મા.
તારા છાંયડે બેસી જીવનના સઘળા પાથ શીખ્યા,
જિંદગીની કસોટી પાસ કરવાની હિંમત હતી મા.
હેતની હેલીથી ભીંજવી દેતી સદાય અમને મા તું
ધૂપ છાવમાં ડગલે ડગલે અમારી સાથે તું હતી મા.
દેહથી દૂર હોય,પણ નજીક છે એવો અહેસાસ રહે છે,
થાકીને બેસું તારી છાયામાં શિરે હાથ દેનાર તું હતી મા.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
*********************************#
[5/6, 12:58 PM] Muktida Oza.MeM: NOGSS-106
NOG- સાહિત્ય સરિતા ગ્રુપ.
વિષય:-“ધૂપ છાંવ”
પ્રકાર:-ગદ્ય
શબ્દ:-260
શીર્ષક:-“તેજ-તિમિર”
*********
કોઈને”હજામ” કહો તો? એને ખરાબ લાગી જાય!!
કોઈને “શિક્ષક”કહીએ તો ખરાબ લાગે??! “માસ્તર” old fationed word છે !
તો (મારા જેવા stylesh લોકોને)ન ગમે!
એ સ્વાભાવિક છે પણ…
“હજામ” કહીએ તો ‘હળાહળ-ખોટું લાગી જાય’!
આ ગુજરાતી બોલીની ખાસિયત.
એક વાર્તા..
‘ધનિયા હજામની.
***રાજા,પોતાનો મુગટ(પાઘડી) ન ઊતારે! હવે તો વાળ બહુજ મોટા થઈ ગયા!
ધનિયા હજામને બોલાવ્યો! કહ્યું -“જો મારા કાન મોટા છે ! આ વાત બહાર જાય નહિ!”
પ..ણ.. આ તો “હ..જા..મ..” એનાથી રહેવાય? એના પેટમાં વાત ના રહી. ..
આખાં ગામમાં ઢંઢેરો પીટાઈ ગયો..
“રાજા તો સૂપડકન્નો છે! અંતે …
ઢોલ-નગરાં-ત્રાંસાં પણ બોલવા લાગ્યાં –
(ઢોલ):”રાજા સૂપડ કન્નો- રાજા સૂપડ કન્નો”–(નગારું)તને કોણે કીધું- (ત્રાસું)તને કોણે કીધું (તબલાં)ધન્ ધન્ ધનિયા હજામે કીધું” ધન્ ધન્ ધનિયા હજામે..”
હજામ વગર હાલે નઈ!
મુંબઈમાં – જુદીજુદી જાતના “કેશ-કર્તનાલય” હોય છે.
**ઝૂંપડપટ્ટીમાં,ઝાડની નીચે,એક નાનો અરીસો/ ખુરશી મૂકી,’કેશકર્તન’ કરતા -વાળંદભાઈઓને જોયા છે?–
***આ જગ્યાને*** બંબિયાબોલીમાં
“ધૂપ/છાંવ”કહેવાય. ‘જાવેદહબીબ(બ્યુટીક)’પાસે વાળ કપાવ્યા પછી, “ઉપર છછૂંદર ફરી ગઈ હોય” એવા દેખાય તો,
લોકો પૂછે કે
ભાઈ “ધૂપ/છાંવ”માં વાળ કપાવ્યા કે શું?
—જે હોય તે—
‘પાપી પેટ કે ખાતિર’
દરેક જાતના કામ કરવાં જોઈએ. કરવાં પડે.
** રાજાને પણ પોતાનું પાપ છુપાવવું પડે.
જિંદગી છે!
તકલીફ તો આવે ને જાય.
***ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ, ભરતી,તેવી ઓટ છે,
ને ઓટ પછી જ જુવાળ!!
અટપટી જિંદગીના તાણાવાણામાં- ખોટાંકર્મબાંધી,
જનમોના-
અંધારા લખચોરાસીફેરામાં ફસાવા કરતાં,
સત્કર્મ-સદ્વિચાર-સત્સંગ-
સેવા-સંકીર્તન સાથે–
ઈશ્વર સમર્પણ કરી,
ઈશ્વર પાસે માગીએ
“ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા..
********************************
N. O..G. S.S. No 0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય. :- ધૂપ છાંવ.
પ્રકાર. :- ગદ્ય. વાર્તા.
શીર્ષક. ;- જીવન પરિવર્તન.
રચના:-
મનોજભાઈ ગામડામાં રહેતા હતા. તેની પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી .પોતાના જીવનનો ગુજારો કરી શકે તેવી હાલત ન હતી. તેને એક પુત્ર હતો મહેશ. ગામડાનું શિક્ષણ પૂરું કરી અને હવે તેને શહેરમાં ભણવા મોકલવાની ઈચ્છા હતી., પરંતુ તેની પાસે ત્યાં નો ખર્ચ ઉપાડવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મહેશને ભણવાનું છોડી દેવાનો વારો આવે એવી હાલત થઈ ગઈ હતી.
મનોજભાઈના ઓળખીતા સુરેશભાઈ શહેરમાં રહેતા હતા અને તેનો ધંધો સારો ચાલતો હતો. તેથી મનોજભાઈએ તેનો સંપર્ક સાધ્યો અને પોતાના પુત્રને હાઈસ્કૂલમાં ભણવા માટેની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું.
સુરેશભાઈએ કહ્યું કે મારે નોકરની ખૂબ જરૂર છે .હું તમને કોઈ પગાર નહી આપું .પરંતુ તમારો છોકરો મારે ત્યાં રહે અને કામકાજ કરે એ વાત જો તમને મંજુર હોય તો ભલે આવતો.
મહેશે બધી શરતો સ્વીકારી અને શહેરમાં સુરેશભાઈને ત્યાં રહેવા માટે ચાલ્યો ગયો.
ભણવા માટે ધોરણ આઠમાં હાઈસ્કૂલમાં દાખલ થયો. ફી ભરવાના , યુનિફોર્મના પુસ્તકો ખરીદવાના પૈસા ન હતા .
મહેશે પોતાની હકીકત પ્રિન્સિપાલ સાહેબને જણાવી .પ્રિન્સિપાલ સાહેબે તેને તમામ પ્રકારની સુવિધા આપવાની મંજૂરી આપી અને મહેશનું શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું.
મહેશ સુરેશભાઈને ત્યાં સવારે પાંચ વાગ્યે ઊઠી અને રાત્રે અગ્યાર વાગવા સુધી તેના ધંધામાં સતત કાર્યશીલ રહે તો .તેને જરા પણ આરામ કરવાની ફુરસદ આપવામાં આવતી ન હતી. સુરેશભાઈ એ વાત ભૂલી ગયા કે મહેશ ભણવા માટે આવેલો છે. તેને કામમાં વારંવાર ટોક ટોક કરે ,ક્યારેક મારકૂટ કરે અને ક્યારે ખાવા પીવા ન આપે. કામને અંગે ઘણી વાર મહેશ હાઈસ્કૂલમાં મોડો પડતો ,લેસન ન કરી શકતો, સારો અભ્યાસ ન કરી શકતો અને તેને કારણે તેને શાળામાં વર્ગની અંદર સજા કરવામાં આવતી હતી. મોટા વિદ્યાર્થી મિત્રો ની વચ્ચે તે હાસ્યાસ્પદ બની રહેતો હતો. આ વાતનું તેને ખૂબ દુઃખ હતું.
મહેશને ભણવાની ખૂબ જ હોશ હોવાને કારણે રોજ રાત્રે મોડા સુધી સતત અભ્યાસ કરે રાખતો હતો.તેના પરિણામે છેક તે મેટ્રિક સુધી પહોંચી ગયો અને પ્રથમ પ્રયાસે પાસ થઈ ગયો.
ત્યાર પછી તે કોલેજમાં દાખલ થયો થોડી પ્રાઇવેટ નોકરી કરી અને કોલેજ નો ખર્ચ ઉપાડી લે તો. આ રીતે તે બી.એ .પાસ થયો ત્યાર પછી નોકરી કરતા એમ.એ પાસ થયો અને બેંકમાં નોકરી લાગી ગયો.
આજે તે બેંકમાં નોકરી કરી સારો પગાર કમાય છે .પોતાના માતા-પિતાને પાસે બોલાવી લીધા છે. પોતાનું કૌટુંબિક જીવન આનંદપૂર્વક વિતાવે છે.
આમ બચપણમાં ખૂબ તડકો જોયો ખૂબ મુશ્કેલી થઇ અને તેના પરિણામે આ જ તેને છાયામાં સુંદર અને સારું જીવન જીવવાની મહેનત કર્યા બાદ તક મળી. આમ માણસના જીવનમાં ધૂપ છાંવ આવ્યા જ રાખે છે. માણસે આવી સ્થિતિમાં મક્કમતા અને ધીરજથી આગળ વધવું જોઈએ.
રતીલાલ વાયડા
નવી મુંબઈ,
૬/૫/૨૦૨૨. શુક્રવાર.
********************************
NOG SS No.0081
પ્રકાર:પદ્ય
વિષય : ધૂપ છાંવ
શીર્ષક : જીવન એક ભેટ
ધૂપનું પ્રતીક એ જ સૂરજ,
છાંવ એટલે યાદ આવે જ વૃક્ષ.
જે તપે એ જ જાણે દામ છાંયડાના,
નરી શીતળતા નવ રૂચે તાપ જો હોય ના .
માનવ શીખે પાઠ ભાસ્કર પાસે,
ઊગવું,ટોચે પહોંચ્યા બાદ આથમવું.
સાફલ્ય ગાથા કદી નવ હોય સુષ્ઠુ સુષ્ઠુ,
કસોટીએ ચઢ્યાં વિના ક્યાં લેવાય છે સોનું.
ધૂપમાં તપે તવ આમ્રફળ રસ પામે,
અમૃતફળ અમથું કંઈ પદ પામે?
આયખું ભર્યું અવનવી વાતો,પ્રસંગોથી,
અધધ કસોટી , કોઈ બનાવ દઝાડે ધૂપ જાણે.
વડીલોની હૂંફ, જીવનસાથી સંગાથે,
સંતાન પ્રેમથી હર જંગ છાંવ લાગે.
જીવનની ધૂપ છાંવ ભેટ છે ઈશ્વરની, પ્રેમે સ્વીકારી, કંઈ જુદું જ રચી જઈએ!
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
***********************************
NOG SS નંબર-0042
વિષય ધૂપ છાંવ
પ્રકાર -ગદ્ય
શીર્ષક-સુખ-દુઃખએ જીવનચક્ર
શબ્દ -૨૨૦
ધૂપ છાંવ એ દિવસનું અભિન્ન અંગ છે. એમ દુઃખરૂપી તડકો અને સુખરૂપી છાયો એ માનવ જીવનનું અભિન્ન અંગ કહેવાય. દુઃખનો તડકો વેઠે એને જ સુખના છાયાની કિંમત સમજાય ખરું ને?
દુઃખની ધૂપમાં સહનશીલતા કેળવી ધીરજ રાખી સમય પસાર કરી નાખવો એજ સાચી સમજદારી છે. કકળાટ કરવાથી કે દુઃખના રોદણાં રડવાથી દુઃખ ટળી જાય? ના..એવી કોઈ જાદુઈ લાકડી અસ્તિત્વમાં નથી આવી!બસ એને મનમાં ન લેવું એજ શ્રેષ્ઠ ઉપાય છે, ‘વિપત પડે ના વલખીએ,વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિએ,ઉદ્યમ વિપતને ખાય.’
એવી રીતે જ્યારે જીવનમાં સુખની છાંવ આવે ત્યારે છકી ન જવું સમતા રાખવી. દુઃખને જીરવતાં આવડે તો સુખને પચાવતાં પણ શીખવું પડે ખરું ને?
આમ માનવજીવન ધૂપ-છાંવની ધરી પર ફર્યા કરે છે. નથી આખો દિવસ ધૂપ રહેતી કે નથી આખો દિવસ છાયો રહેતો. જેમ ધૂપ અને છાંવ સ્વીકાર્ય છે, તેમ જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે તો ક્યારેક દુઃખરૂપી ઓટ આવે એ પણ એટલી સહજતાથી સ્વીકારવું જોઈએ. સુખ-દુઃખમાં કઈ રીતે જીવવું એ કળા આવડી જાય તો બેડોપાર થઈ જાય. જીવન પરિવર્તનશીલ છે,એ પણ સત્ય હકીકત છે. એ પરિવર્તન સ્વીકારવું એ મનુષ્યનો પરમધર્મ છે.
‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી છાંવ હૈ કભી,કભી હૈ ધૂપ જિંદગી હર પલ યહાં જી ભર જીઓ જો હૈ સમાં કલ હો ના હો.’
પૂજા(અલકા)કાનાણી
***********************************
[NOG No. S.S.0059
વિષય: શબ્દ- “ધૂપછાંવ “.
પ્રકાર: પદ્ય. કાવ્ય.
શીર્ષક: “હું તારો મિત્ર”.
શબ્દો: ૧૪૭.
જયકાન્ત ઘેલાણી -‘પ્યારે’.
છું શબ્દ ,પણ તારોજીવનસાથી ધૂપછાંવ,મેઘધનુષરૂપે છૂપાયો,
નવજીવન માટે હું જાતેજ લૂંટાયો
પ્યારે’ હું,વર્ષાનો મિત્ર કહેવાયો.
કહે તડકો-છાંયો,કહે ભરતી-ઓટ
કહે દિવસ-રાત,તો કહે સૂખ-દુ:ખ
કહે રાક-રંક, કહે સમય-સંજોગ
પ્યાર’,શબ્દોઅનેક, અર્થ એકજ.
કહે,ભરતી-ઓટ, ને તિમિર-પ્રકાશ
છે આઘટમાળ,આતારાજ કર્મની
કર્મ બંધને તૂં જીવનભર બંધાયો
પ્યારે’નાતો તૂજીવનસાથે જડાયો.
છે માનવજીવનની ઘટમાળ એવી
‘દુ:ખપ્રધાન,સુખઅલ્પ થકીભરેલી’
ધૂપછાવ ના અવનવા રંગે રંગેલીj
પ્યારે’જીવીજાણો આનંદ ભરેલી
આવે જીવનમા તડકા ને છાંયા
આવે ભરતી-ઓટ ના ઓછાયા
આવે કદી સૂખ-દુ:ખના પડછાયા
પ્યારે’જંગજીતી માણીલો જીંદગી.