GN_30-04-2022.
[4/27, 9:41 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
વિષય બિન્દાસ
પ્રકાર પદ્ય
શીર્ષક બિન્દાસ
નામ ઘનશ્યામ વ્યાસ.
જાતને શોધવા
બિન્દાસ બોલજો.
શબ્દોને શોધવા
બિન્દાસ બોલજો.
પ્રેમનો આભાસ કરવા
બિન્દાસ બોલજો.
શબ્દોને વાચા આપવા
બિન્દાસ બોલજો.
પ્રેમ આપી શકો તો
બિન્દાસ બોલજો.
હૃદય ખોલીને
બિન્દાસ બોલજો.
ઘરમાં ન બોલાય
તો બહાર આવીને
બિન્દાસ બોલજો.
મીઠાશના શબ્દો
બિન્દાસ બોલજો.
હું તમને જો મળું
અને કદાચ ન બોલું
પણ તમે મને જોઈને
બિન્દાસ બોલજો.
સાહિત્ય સરિતા
આપણી જ છે.
શુભ શુભ લખો
બિન્દાસ લખો.
ઘનશ્યામ વ્યાસ.
[4/28, 11:39 PM] Arti Merchant.MeM.NOG: NOG ss no.0007
પ્રકાર : ગદ્ય, લઘુ વાર્તા
વિષય : બિન્દાસ
શીર્ષક : વણઝારા
” વિદ્યા, આમ બધી વાતોને આટલી સરળતાથી નહીં લેવાની.થોડીક ગંભીર થા.તારો આ બેફીકરો અને બિન્ધાસ્ત સ્વભાવ તને કોઈ દિવસ મુસીબત માં મૂકી દેશે.”સુગંધાએ વિદ્યાને ખીજાઈને ક્હ્યું.વિદ્યા અને સુગંધા બંને જીગરજાન સખીઓ હતી.નાનપણથી સાથે જ ઉછરી હતી.વિદ્યા નાનપણથીજ બિન્ધાસ્ત,બેફીકરા સ્વભાવની હતી.કોઈનાથી ન ડરે.એ હંમેશા કહેતી,” જો ડર ગયા સો મર ગયા,જીના હૈ તો ખુલકે જીઓ.ઈશ્વરે એક જ તો જીંદગી આપી છે એને આમ ડરી ડરીને જીવ્યા તો શું જીવ્યા.બિન્દાસ્ત જીવવા માં જે મજા છે એની તને શું ખબર સુગંધા!” અને સુગંધા વિદ્યાના આ નાટકીય વાક્યો સાંભળીને હસી પડતી અને કહેતી, “તને કોઈ ન પહોંચે.”
આમ જ હસી મજાક કરતાં કરતાં એક દિવસ બંને સખીઓ કોલેજથી પરત ઘરે ફરી રહી હતી.ત્યારે રસ્તામાં એક વણઝારાઓનો કબીલો જઈ રહ્યો હતો.વિદ્યા એ કબીલાને જોઈને તાનમાં આવી ગઈ.સુગંધાની લાખ ના પાડવા છતાં એ સુગંધાને લઈને એ કબીલાના ટોળામાં ઘૂસી ગઈ અને ટોળાંની સ્ત્રીઓ સાથે વાતો કરવા લાગી.થોડીવાર થઈ કે કબીલો ત્યાંથી પસાર થઈ ગયો અને એ ટોળામાં એક જીગરજાન સખી પણ.એ વાતને પચ્ચીસ વર્ષ વીતી ગયાં. વિદ્યા પોતાનાં પરિવાર સાથે ગીરની તળેટીમાં ફરવા ગઈ હતી. ત્યાં એણે એક ચિરપરિચિત અવાજ સાંભળ્યો.”ગીટ્ટી તને કેટલીવાર કહ્યું આમ બધી વાતોને તું આટલી સરળતાથી નહીં લે.થોડીક ગંભીર થા.તારો આ બિન્ધાસ્ત, બેફીકરો સ્વભાવ કો’ક દિવસ કો’ક ને મુસીબતમાં મૂકી દેશે.જેમ હું………!”કહીને એક ડુસકાનો અવાજ ઝરણાં ના ખળ ખળ વહેતાં પાણીમાં વિલીન થઈ ગયો.વિદ્યાએ એ અવાજનો પીછો કર્યો.પરંતુ એ પડછાયો જંગલની ઘટાદાર વનરાઈઓમાં અલોપ થઈ ગયો.
લેખિકા : આરતી અઢીયા મરચંટ
મુંબઈ: કાંદિવલી
[4/29, 12:45 PM] Mahendra Panchal: NOG SS-0011
સાહિત્ય સરિતા
વિષય:- બિન્દાસ
પ્રકાર:- પદ્ય-મૌલિક રચના
શબ્દો:-૭૮
શીર્ષક:- વટ પડે….
મદમસ્ત એ બિન્દાસ છોરીનો વટ પડે,
નટખટ તોફાની તીખી છોરીનો વટ પડે…વટ પડે
કાળાં ચશ્માં પહેરે તો લાગે છે રૂપાળી,
હસે ગુલાબી હોઠમાં ને ગાલમાં ખાડા પડે…વટ પડે
રાતી બંગડીઓ ને રાતી ચૂંદડીઓ ઓઢે,
નવલી રાતે નવોઢાની એન્ટ્રી જબરી પડે…વટ પડે
લાલ લિપસ્ટીક ને મોટી કાનમાં કડીઓ,
આંગળીથી ઝુલ્ફોની વાંકીચૂકી ભાત પડે….વટ પડે
પરી આકાશની કે પહાડી જોગમાયા ફરે,
હવામાં ચોટલો ફેરવતી નાગકન્યાનો વટ પડે…વટ પડે
– મનોજકુમાર પંચાલ
“મન”
પાલનપુર
બાંહેધરી:-
આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે.