GN_20-04-2022.
[4/19, 1:56 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃ પડછાયો*
*પ્રકારઃપદ્ય*
*શબ્દોઃ૮૨*
*શીર્ષકઃ *બ્રહ્માંડ*
આભ કહે ઘરાને,
આ મેઘ આ દામિની
આ નેત્ર આ કામિની,
ક્યારેક કરે વાત છાની,
કરે વાત તારી મારી શાની?…આભ
ઘરા કહે આભને
તેઓ થકી મેઘધનુષ રચાય
બન્ને કરે વાત્યું ને નીર હર્ષાય
કંઈક તો જરૂર કાળુંઘોળું રંગાય,
જો! પેલા ક્ષિતિજ સંગ ભરમાય!…ઘરા
*બ્રહ્માંડ* કહે સૌને.
મળ્યાં જીવ જીવથી કેવા મીઠાં,
એકે રચ્યું મેઘધનુષ ,
બીજાએ રચ્યું ક્ષિતિજ ,
પકડવા હાથ ઉઠ્યાં ગળે વિંટાયાં..!
*ધરા નભ ઓગળ્યાં*
*ન મળ્યા ત્યાં પડછાયા!*
*જયશ્રી પટેલ*
*૧૯/૪/૨૨*
[4/19, 5:46 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No .0102.
નામ:- રતીલાલ વાયડા
વિષય:- પડછાયો.
પ્રકાર:- ગદ્ય . (મૌલિક લેખ.)
શીર્ષક:- વાત્સલ્ય.
રચના:-
આપણા જન્મથી શરૂ કરીઅને છેક યુવાન થાય અને શિક્ષણ પ્રાપ્ત કર્યા ત્યાં સુધી આપણો પડછાયો આપણા માતા-પિતા અને કુટુંબીજનો બને છે .તેઓની મદદ વિના આપણું જીવન શક્ય નથી.
માતા-પિતા દાદા-દાદી કુટુંબના વડીલો નો અને ભાઈઓ ,બહેનો અન્ય કુટુંબીજનો વગેરેના સાથ-સહકારથી આપણું જીવન આગળ વધે છે. તેઓનું માર્ગદર્શન તેઓની મદદ વગેરેથી આપણું જીવન વધારે સુશોભિત બને છે. તેઓ આપણા સાચા પડછાયા છે.
શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી સારી નોકરી અથવા ધંધામાં વ્યક્તિ જોડાઈ જાય .તેઓનું દાંપત્ય જીવન શરૂ થાય ,ત્યારે પત્ની તેનો પડછાયો બની અને સાથે રહે છે અને દરેક સુખ-દુઃખમાં ભાગ લેછે.
નોકરીમાં જો હોય તો ઉપરી અધિકારી ની મદદથી આપણે સારું માર્ગદર્શન અને આગળ વધવાની તક મળે છે .જ્યારે ધંધામાં પણ બીજા લોકોના સહકારથી ધંધાનો વિકાસ થઈ શકે છે.
આ ઉપરાંત આપણા મિત્રો ,સગા ,સંબંધીઓ, પડોશી પણ આપણો પડછાયો બનીને અને દરેક વખતે સુખ-દુઃખમાં તેઓ સાથ સહકાર આપે છે અને આપણી મુશ્કેલી હળવી કરે છે.
લગ્ન બાદ સંતાનનો ઉછેર તેઓનો શિક્ષણ વગેરેમાં પણ માતા પિતા બનીને આપણે તેનો પડછાયો બનતા રહ્યા છીએ ,અને તેઓ સફળતાના શિખરો શર કરે એ તેવી આપણી ઇચ્છા અને પ્રયત્નો હોય છે.
આમ જીવનના દરેક ક્ષેત્રમાં જુદી જુદી રીતે લોકો આપણો પડછાયો બને અને આપણે છાયા આપે છે મદદ કરે છે અને સુખ દુઃખમાં ભાગ લેછે તેથી આપણું જીવન આનંદથી વ્યતીત થઈ શકે છે .તેઓનું ઋણ પણ આપણે સમયે-સમયે અદા કરતા હોઈએ છીએ.
પડછાયા વિનાનું જીવન વેરાન લાગે છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૧૯/૪/૨૦૨૨.મંગળવાર.