src=”http://janfariyadnews.com/wp-content/uploads/2021/12/Screenshot_20211212-132447_1.png” alt=”” width=”647″ height=”648″ class=”alignnone size-full wp-image-7329″ />
[1/6, 10:09 AM] Muktida Oza.MeM: NOG SS 2022 No.106
પ્રકાર: ગદ્ય
શીર્ષક: 2021’સાહિત્યનું સરવૈયું’
POG-106
2020/21ના વર્ષે એવું તો અંધારાંના કૂવામા ઘમરોળ્યા કે.. કે..”હવે શું થાશે”?
તે જ સમજાતું નહોતું! વિચાર કરવાની શક્તિઓ તો ખતમ જ થઈ ગયેલી.જ્યારે ‘કૉરોના’નું નામ પડે એટલે હાંજાં ઘઘડી જાય!
વ્યક્તિને જો હોસ્પિટલાઈઝ કરીએ,તો એ પાછી આવશે કે નહિ? એ તો ભગવાનની ઇચ્છા ઉપર જ છોડવું પડે.
મારું પિયરનું ઘર મોટું.મારા સાસરાનું ઘર પણ મોટું છે. મિત્ર વર્તુળ તો અસંખ્ય. અને ગામ-ગામમાં સગાંવહાલાં તો ખરાં જ.. એવા સંજોગોમાં કૉરોનાએ કેર વર્તાવ્યો.!
અમારા નજીકના સગાંવહાલાંમાં. બત્રીસવર્ષના જુવાનથી લઈને એકસોચારવર્ષના (મારાં દિલથી અતિ પ્રિય કાકીજી)ને ઘૂમાવ્યા!! પાડોશીને ઘૂમાવ્યા! મિત્રોને ઘૂમાવ્યા.
વ્યક્તિને ઘૂમાવીને એમના અંતિમ સંસ્કાર-અંતિમ સન્માન પણ નહિ!! બસ ખાલી હોસ્પિટલમાંથી ફોન આવે કે “પેશન્ટ” નથી રહ્યા હવે!!😭.
આ સંજોગોમાં સાહિત્ય તો બાજુએ જ રહી જાતું હતું. છત્તા મનને દુ:ખ-દર્દના અણગમતા વિચારોથી દૂર કરવા માટે સાહિત્યજગતે,ફેસબુક તથા ફેસબુક પરના જુદાંજુદાં માધ્યમોએ ખૂબ સારું કામ કર્યું. ઇલેક્ટ્રોનિક્સના સાધનોએ એમાં સાથ પૂરાવ્યો.જેને લઈને નવા નવા કવિઓ,વાર્તાકારો, કલાકારોનો જન્મ થયો. આ સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે આપણી સૌની ભાષા સુધરવા માંડી,શુદ્ધ થવા માંડી અને ‘સાહિત્યિક ભાષાનું મહત્વ’ આપણને સમજાવા માંડ્યું.
હું જે રીતે લખવા માંડી,એ વિષે તો અલગ વાર્તા લખી શકાય.
2021ના કૉરોનાએ મને લખતા શીખવ્યું.
મને “હરિફાઈ/ચંદ્રક “.. વગેરેનો શોખ નથી.હું ‘નિજાનંદ’માટે જ લખતી રહું છું. પણ જ્યારે પણ ફેસબુક પર મારું લખાણ કે કવિતા લખું તો..લોકોને બહુજ ગમે છે એતો એમના તરફથી આવેલા ‘લાઇક્સ’ પરથી જ મને ખુશી મળે છે.અને હું સફળ છું જ. (એવું મને લાગે છે).
*** એક વાત ચોક્કસ કહીશ કે,મારા લખવાની પ્રવૃત્તિઓએ મને ચિંતાથી દૂર કરી!**
હું હંમેશાં કોઈ પણ વિપરિત સંજોગોમાં પણ ખુશ રહું છું.
લોકોની માનસિક હાલત જોઉં ત્યારે મનમાં થાય છે ખરું,કે
પત્થરનો ઘડીને બેસાડ્યો એવો પ્રભુ બનાવ્યો શામાટે???
જે (ભગવાન)બહુજ હોશિયાર છે. ભોલેનાથ છે! એ કબૂલ.પણ એ ભગવાન આપણી”પરીક્ષા” આકરી પરીક્ષા કરે છે જ. અને પછી આપણને સફળ બનાવે છે.
2021ના વર્ષે સાબિત કરી દીધું કે ભાઈ “made in China” બહુજ સસ્તું હોય!એની જિંદગી કેટલી હોય તે આપણે જાણીએ છીએ. પરંતુ આ..
મેઇડ-ઈન-ચાઈના -“કૉરોના”- નામક રોગતો ક્યારે ખતમ થાશે ખબર નથી!ત્યાં સુધી આપણે ઘરમાં બેસી લખ્યા કરો,વાંચ્યા કરો અને ખુશ રહી ખુશી વહાવ્યા કરો.
આ લખું છું ત્યારે એક વૉટ્સેપ મેસેજ વાંચ્યો સરસ છે. તમારા સૌ માટે મૂકું છું
*આ ફરી નવું આવ્યું હો!!!
શિયાળે…મેલેરીયા ભલો*.ને ઉનાળે*ટાઢીયો તાવ*..ચોમાહે..*ડેન્ગ્યુ.* ભલો
પણ…મારો…*કૉરોના બારેમાસ*..
———————–
શિયાળે….*શાલ ભલી*
ને…ઉનાળે…*સ્કાર્ફ*
ચોમાસે....છત્રી* ભલી ને
*માસ્ક*….બારેમાસ!!!!
[1/6, 12:37 PM] Shila Patel.MeM.NOG: NOG SS :-0038
વિષય :-2021….સાહિત્યનું સરવૈયું
વિભાગ :-ગદ્ય
આમતો કોઈ પણ વિષય ઉપર લખવું મને બહુ ગમે.
હું કોઈ મોટી સાહિત્યકાર નથી પણ મનમાં
આવતા વિચારોને શબ્દમાં ઢાળી શકું છું.
રોજ એકલી પડું ને એટલે કઈ ને કઈ લખતી હોઉં.
ગયા વર્ષમાં જો લખવા વિષે વાત કરું તો મારા જીવનમાં
બનેલી બે ઘટનાએ મને લખવાથી થોડો સમય દૂર રાખી હતી. ઘણીવાર કુદરતની મરજી સર્વોપરી હોય છે.
મને ગયા વર્ષે કોરોના થયો બધા કહેવા લાગ્યા ,તને
તો સરસ સમય પસાર થઈ જશે તું સારું સારું લખજે ચૌદ દિવસ આમ જતા રહશે….પણ મનમાં રહેલો ડર અને
પરિવારની ચિંતામાં હું કંઈજ લખી શકી નઈ.
બીજી ઘટના જેણે મારા કાળજાને કંપાવી દીધું.
મા સાથે બે વાગે મેં સરસ વાત કરીને ચાર વાગે મા મને
છોડીને સ્વર્ગે સિધાવી.મા સાથે મારે એક વધારાનો નાતો
હતો અને એ હતો પાક્કી સહેલીનો…ખૂબ આઘાત લાગ્યો
લખવાનું મન બિલકુલ ન થાય.જાણે બધું જ ખતમ થઈ ગયું.
NOG મા હું લખવામાં લગભગ રજા નથી પાડતી.
પણ મા ચાલી ગઈ તો હું લખી નહોતી શકતી. મા મારુ લખાણ વાંચી મારા પ્રેમભર્યા ખોટા વખાણ ઘણીવાર કરતી .હું જાણતી કે મા મારો ઉત્સાહ વધારે છે.
છેવટે વિચાર્યું મા એકવર્ષ પહેલાજ” કૅસીઓ” વગાડતા શીખી હતી અને કહેતી માણસે છેક સુધી કંઈને કંઈ શીખવું જોઈએ ને પ્રવૃતિશીલ રહેવું જોઈએ, મા ના વિચારો યાદ કરી હું ફરીથી સાહિત્ય તરફ વળી શકી. 🙏🙏
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[1/6, 4:03 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S. S. No. 0102.
વિષય.:-૨૦૨૧માંસાહિત્યસ સર્જન.
શીર્ષક:- ૨૦૨૧ માં મારું સાહીત્ય સર્જન..
પ્રકાર.:- ગદ્ય.
૨૦૨૧થી મારો સંપર્ક ન્યુશ ઓફ
ગાંધીનગર સાહિત્ય સરિતા ગ્રુપ સાથે થયો.
આ ગ્રુપ સાથે મારું જોડાણ થવાથી મારામાં રહેલો સાહિત્યનો જીવ બહાર આવ્યો .
જેમ જેમ ગ્રુપ તરફથી વિષયો મળતા ગયા તેમ મારી કલમ ચાલતી રહી ,અને દર અઠવાડિયે જે તે વિષય આપવામાં આવતા તેના વિશે હું બને તેટલું સારું લખવાની કોશિશ કરતો.
સમય અનુસાર છપાતા મારા લેખો ની પ્રશંસા પણ થવા લાગી . એને કારણે મારો ઉત્સાહમાં પણ વધારો થયો .સાથે સાથે ગ્રુપના અન્ય લેખકો અને મિત્રો, શુભેચ્છકોની પણ પ્રસંશા મળવા લાગી અને તેને કારણે મને સારું લખવાની પ્રેરણા મળી.
ગ્રુપના એડમીન સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલ, મીનાક્ષી બેન ,જયશ્રીબેન દીદી ,માયાબેન, વિભૂતિ બેન ,જયંતભાઈ ઘેલાણી, અલકાબેન કાનાણી જેવા અનેક લોકોના તેમજ એડમીન ગ્રુપના તમામ સભ્યો અને સાથે સાથે તેની સાથે જોડાયેલો ટેકનિકલ સ્ટાફ નો મને પૂરતો સપોર્ટ મળતો રહ્યો છે .તેને કારણે મારા લેખનને વધુને વધુ વેગ મળ્યો .આ સૌ લોકોનો હું આજે આભાર વ્યક્ત કરું છું ,કે જેવો ને કારણે મને મારી જાત માં રહેલો સાહિત્ય જીવને આપ સમક્ષ પ્રગટ કરવાનો મોકો મળ્યો.
લખવાની આ પ્રવૃત્તિની આદતને કારણે મેં કેટલીક વાર્તાઓ અને લેખો પણ લખવાનો પ્રારંભ કર્યો અને તેને પણ મોકલી .અમેરિકા અને દુનિયાના બીજા દેશોમાં આ કૃતિઓ રજૂ થઇ. ત્યાંથી પણ તે લોકોને પ્રશંસા મને મળવા લાગી .તેને કારણે મારો લેખનનો ઉત્સાહ વધતો ગયો.
આ તકે મારા મિત્ર અમેરિકામાં રહેતા શ્રી જીતુભાઈ પાઢ ની પણ પ્રેરણા મળતી રહી .તેઓનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
દુનિયામાં રોજ હજારો અખબારો છપાય છે. તેમાં પણ news of ગાંધીનગર, જન ફરિયાદ ,સાહિત્ય સરિતા ,વગેરેનો ગુજરાત, ભારત દેશ ,અને દુનિયામાં દેશો તેનું ખુબ સારું વાંચન થાય છે . આ અખબારને હું મારી હ્રદયની સફળતાની કામના કરું છું. ધન્યવાદ પ્રદીપભાઈ.
રતીલાલ વાયડા.
૬/૧/૨૦૨૨ ગુરુવાર.
નવી મુંબઈ.