GN_01-12-21.
[11/30, 6:01 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષય:પ્રકૃતિ સાથેનો પ્રવાસ*
*શબ્દો:૩૫૦*
*શીર્ષક:વર્ષભરની તાજગી *
હું અને મારી સખી રીટા બન્ને આખુ વર્ષ શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલ તેથી હંમેશાં જૂન એક તારીખથી દસ તારીખ સુધી ની છુટ્ટી લઈ લઈએ. બન્ને પ્રકૃતિ પ્રેમી
તેથી નક્કી કર્યુ કે આ વર્ષે માથેરાન જઈએ.નેરુલ સુધી ટ્રેનમાં ગયાં. ત્યાંથી બન્ને જણાં માથેરાન રમકડાં ગાડીમાં
માથેરાન જવા બેઠાં.રમકડાં ગાડી એટલે કહું છું કે નાના નાના ડબ્બા રેલ્વે ટ્રેક પણ નાનો ને એન્જીન પણ નાનું ને
કોલસાથી ચાલે.. રીતસર છુકછુક ગાડી. આજુબાજુ સુંદર હરિયાળી ને ચાલતા જુવાનિયા ને યુવતીઓ તેમના
ચહેરા પર રખડવાનો આનંદ.
અમે પહોંચ્યા આનંદ રિસોર્ટમાં. ચાર રાત્રી અને પાંચ દિવસનો મુકામ હતો. નિર્ધાર હતો આ વખતે આખુ માથેરાન પગે ચાલી ખૂંદી નાખવું છે. બીજો નિર્ધાર કે પતિપરમેશ્વર સિવાય કોઈનો ફોન ન ઉપાડવો. ત્યારે તો મોબાઈલ જ ક્યાં હતાં? તેથી રિસોર્ટમાં રૂમ પર જ ફોન
આવે.કહી દીધું હતું કે સાંજે અમે જ સામેથી ફોન કરીશું.
લીલીછમ વનરાજી ચારે બાજુ તેથી મન પ્રફૂલ્લિત
થઈ ગયું. બે ત્રણ કલાક આરામ ફરમાવી બન્ને જણી નીકળી પડી જંગલ તરફ. બેટરી ભૂલી ગયાં. ને વાતો કરતાં કરતાં ક્યારે અંધારું થયું તે ન ખબર પડી અને પાછા ફરવા વિચાર્યુ તો તમસે અજગરની જેમ ભરડો લઈ
લીધો હતો ક્યાંય લાઈટ કે દીવાનો પ્રકાશ ન દેખાય. ભાન તો ત્યારે આવ્યું કે લીલીછમ વનરાજીએ પણ કાળાશ પકડી લીધી હતી. રસ્તામાં ભૂલા પડી ગયા.
રીસોર્ટ પર પહોંચતા પહોંચતા તો પસીનો છૂટી ગયો.
પહેલે દિવસે જ સાહસ ખેડી તેના એકત્રીસ પોઈન્ટમાથી ત્રણની પસંદગી કરી. પનોરમા પોઈન્ટ અને લ્યુઈશા પોઈન્ટ અને લોર્ડસ પોઈન્ટ . લુયઈશા ને લોર્ડસ પોઈન્ટ પર ચાલતા ગયા તેની ઉંચાઈ પરથી નીચેની વેલી જોઈ તો આંખો તો ચકાચૌંધ થઈ ગઈ. દૂર દૂર નાની સીડીઓ દેખાતી હતી.આદીવાસી પ્રજા તેના સહારે નીચે ઉપર કરી રહી હતી.ઝાડપાનનાં પ્રાણવાયુથી નવો સંચાર મળતો. આહ્લાદાયક મનોભાવ આનંદ આપતો હતો.
ત્રીજે દિવસે પનોરમા પોઈન્ટ પરથી સૂર્યોદય જોયો.
નીચે દરીમાંથી પસાર થતી વળાંકો પર વળાંક લેતી પેલી
ટોય ટ્રેન અદ્ભૂત દેખાતી હતી.
આમ હરિયાળી વચ્ચે ચાહ તો એવી હતી કે મુંબઈ જેવી સિમેન્ટ કોંન્ક્રેટ નગરી તરફ જઈએ જ નહિ.અહીં જ રહી જઈએ. પ્રકૃતિને ખોળે. હીલ સ્ટેશનનાં બજારો કરતાં મને તો ત્યાંના રહેવાસીઓ સાથે વાતો કરવી ખૂબ જ ગમે. તેથી મારી એ લોકોની સાથેની મુલાકાત ખૂબ જ રંગ લાવી.
ત્યાંના ગુલાબી મોઢા વાળા વાંદરા ને તેમનું માનવયુક્ત વર્તન આનંદદાયી રહ્યું ટેટ્રાપેકની ફ્રુટી જ્યારે
પોતાની જાતે સ્ટ્રો નાંખી પીતા મેં જોયા ત્યારે મને થયું કે હવે એવો સમય જરૂર આવશે કે માનવ વાંદરાઓને ટ્રેન કરી ઘરમાં રાખતા થઈ જશે.
અંતિમ દિને પાછા ફર્યા ત્યારે બન્ને સખીઓ વર્ષભરની સુંગંધ ને તાજગી લઈ ને પાછી ફરી.
*જયશ્રી પટેલ*
*૩૦/૧૧/૨૧*
[11/30, 6:01 PM] Jayshree Patel. Sahityakar: NOG.SS NO:0032
વિભાગ :- ગદ્ય (સત્ય ઘટના)
શીર્ષક :- *જીવનનું સંભારણું*
જીવનમાં સારાં નરસા પ્રસંગોનો નિચોડ એટલે પ્રવાસનો અનુભવ.મનુષ્યનો સ્વભાવ છે કે ઘરથી કંટાળીને કયારેક કુદરતનાં સાંનિધ્યમાં ફરવું ગમે છે. નાનપણથી જ મને પ્રવાસનો ખૂબજ શોખ. જેથી મને આજ પણ પ્રવાસથી કંટાળો આવતો નથી.પ્રવાસથી સૌંદર્ય દ્રષ્ટિ ખીલે છે. સહકારની ભાવના કેળવાય છે.પ્રવાસમાં ઘણી મુશ્કેલીઓ પણ આવે છે જે હસતાં હસતાં પાર કરવાની, તાલીમ મળે છે.
મને નાનપણથી જ રાધાજીનાં ગામ બરસાના જવાની ઈચ્છા હતી.જે ૨૦૧૭માં પૂરી થઈ. પ્રવાસનું ઓનલાઈન આયોજન થયું. મથુરા,ગોકુલ,વૃંદાવન,બરસાના, આગ્રા વિગેરે…….
૧૫ માર્ચ, વહેલી સવારે ટ્રેનમાં અમે મથુરા ગયાં.બીજે દિવસે બપોરે પહોંચ્યા.ડ્રાઇવર
બાબુભાઈ અમને ઇનોવા કાર લઇ લેવાં આવી ગયાં. “મિસ્ટીક પામ” નામની સુંદર હોટલમાં
ઉતર્યા.
હું ,મારા બંને મોટા ભાભી અને મારી નાનપણની સખી બીજે દિવસે બરસાના જવાં નીકળ્યા.
યાત્રાની સફર હવે ચાલુ થઈ.
૩૮કી.મી દૂર બરસાના પહોંચ્યાં. શરુઆત જ કંઈક એવી થઈ જે અમારા જીવનનું સંભારણું બની ગયું.અમારી સાથે એક ગાઈડ હતા. જે સ્થળની માહિતી આપતા હતા. એ *ગેહરકુંડ* અમારા માટે શાપરુપ બની ગયો. એ કુંડમાં વાંદરાનું નાનું બચ્ચું પાણીનાં ભરેલા કુંડમાં પડ્યું.
વાંદરાઓનાં ટોળામાં અફરાતફરી મચી ગઈ.એ ભાગદોડમાં બચ્ચાંની ‘મા’ ખૂબજ ધૂંધવાયેલી
હતી.એણે મારા સૌથી મોટા ભાભીને પગે બચકાં ભરી લીધાં લોહીની ધાર થઈ.અમે બહુજ ગભરાઈ ગયાં. બરસાના અમારા માટે અજાણ્યું હતુ.ત્યાં ઉભેલા ચાર બાઈકર અમને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા.અને તાત્કાલિક સારવાર મળી ગઈ. ભાભીને પગે ૬ ટાંકા આવ્યાં. મને થયું કે હવે અહીંથી જ પ્રવાસ ટૂંકાવી અમદાવાદ પરત થઈ જઈએ.પણ ભાભીની હિમંતને દાદ આપવી જોઈએ. એમણે આગળ પ્રવાસની સંમતિ આપી. બાઈક પર બેસી અમે રાધાજીનાં
દર્શન કરવા છેક ઉંચાઈ પર મંદિરે ગયાં.
બાઈકવાળા ભાઈઓએ અમને બરસાનામાં ઠેર ઠેર દર્શન કરાવ્યા.એ ભાઈઓ આજ પણ અમારી સાથે વ્હોટસાપથી જોડાયેલા છે.રોજ ગુડમોર્નીઁગ કરેછે.અમારા માટે તો એ ભગવાન સમાન છે. ત્યારબાદ અમે જતીપુરાની ગોવર્ધનની નવ કોશની રીક્ષામાં બેસી પરિક્રમા કરી.ત્યારબાદ અમે ગોકુલ, વૃંદાવન,મથુરા વિ. દર્શન કર્યા.
અંતમાં આગ્રાનોનો તાજમહેલ જોવા ગયા. દુનિયાની અજાયબી અમે અમારી આંખે નિહાળી. ખૂબજ આનંદ થયો. પાછા મથુરા ફરતા અમારા ડ્રાઇવર બાબુભાઈ ઘર રસ્તામાં આવતું હતુ. અમે એમને કહ્યું ચાલો આજે આપનાં ફેમીલીને મળી લઈએ અને આપને ઘેર ચા પાણી પીશું.
બાબુભાઈ થોડા ઢીલા પડી ગયાં.એમણે કહ્યું, સાચુ કહીશ તો તમે લોકો મારા ઘેર નહી આવો.અમે કહયુ બાબુભાઈ કેમ આમ બોલો છો? ત્યારે એમણે કહ્યું હું એક નાનો માણસ છું. મુસલમાન છુ.અરે…! કેમ મુસલમાન એ માણસ નથી? હવે તો અમે ખાસ આપનાં ઘેર આવશું. એમનાં ઘેર ભેંસોનાં તાજા દૂધ પીધાં.એમનાં પરિવારની અમારા માટેની સરભરા એક માનવતાનું ઉદાહરણ બની ગયું છે.
એક વાત જરુર કહીશ કે આ પ્રવાસથી એક સાચી માનવતા અને ઈશ્વરનાં દર્શન થયાં.
બીજુ અહીંયા એક વાતની ખાસ સાવચેતી રાખવી કે વાંદરાઓ આપણાં ચશ્મા કે ગોગલ્સ પણ ખેંચી જાય છે. પ્રવાસ દરમ્યાન ભગવાનનાં દર્શન ઉપરાંત ઠેર ઠેર માનવતાનાં દર્શન થયાં.
✍©️ મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
31/3/2021