ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના તહેવારો” વિષયક રચનાઓ(૨૮-૮-૨૦૨૧)દિવસ – ૫
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:-એક અનોખું બંધન
‘ નથી એ માત્ર સુતરનો તાંતણો,
ઘણી પ્રાર્થનાઓને આશિષ એમાં ભળી છે.
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
નાની હોય તોય ભાઈને સહુથી બચાવે,
મોટી હોય તો મા-બાપની વઢ પોતે ખાઈને ભાઈને બચાવે.
એના મનમાં ભાઈ પ્રત્યે સ્નેહ અને કરુણા ભરી છે,
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
ભાઈ માટે મા, શિક્ષક ને દોસ્તની ભૂમિકા અદા કરતી,
દુનિયા આખી સામે ભાઈ માટે એ લઢતી.
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
ભાઈ માટે એ મા-બાપનું વ્હાલ કુરબાન કરતી,
એને ગમતી વસ્તુ પોતાની થાળીમાંથી ય દેતી.
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
ભાઈને કંઈ થાય તો ઘર આખું માથે લેતી,
બાધા-આખડીઓથી પ્રભુને મનાવતી.
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
ભાઈના ભવિષ્ય માટે,
પોતાનું ભાવિ કુરબાન કરતી,
એના સુખમાં જ પોતાનું સુખ નિહાળતી.
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
સંબંધોની આ વેલને ક્યારેય મુરઝાવા ના દેજો,
‘પારકી’ કહીને ખુદથી અળગી ના કરી દેજો કારણકે,
નસીબદાર છે એ ભાઈ,
જેને વિધાતા એ બહેન દીધી છે.
અલકા મહેતા
૨૨/૦૮/૨૧.
********************************
NOG SS No/0044
વિષય:-શ્રાવણનાં તહેવારો
વિભાગ:-પદ્ય (હાઈકુ)
શીર્ષક:- તહેવારો.
આવે શ્રાવણ
લાવે તહેવાર
આનંદાનંદ.
આવ્યો શ્રાવણ
ભક્તો કરતાં ભક્તિ
ઉલ્લાસભેર.
નાગ પાંચમ
પૂજન નાગ કેરાં
કરીએ પ્રેમે.
શેરી સાતમ
શીતળા માત કેરી
કરીએ પૂજા.
નોળિયા મામા
નોળિનેમે પૂજાય
વાડે વિદાય.
બ્રાહ્મણ રાજી
જનોઈ બદલાવી
નિભાવે ધર્મ.
રાખડી બાંધુ
વીરાની કલાઈએ
વીરાને ખમ્મા.
ખારવો જાય
સિંધુ ખેડવા આજ
ભાર્યા મુંજાય.
સ્વતંત્ર દિને
એ વીર શહીદોને
કરું નમન.
પારણું ઝુલાવે
શ્રાવણ મહિનામા
જન્માષ્ટમીએ.
શ્રાવણ માસે
ભક્તો રચે હિંડોળા
પ્રભુજી રાજી.
વિભૂતિ દેસાઈ,
ઘાસવાળા,બિલીમોરા.
******************†*†**********
NOG SS No 0081
પ્રકાર – ગદ્ય
શિર્ષક : બહેની આવી જ હોય છે!:::::
દિલનાં દર્દને દબાવતી,સદા મરકતી,
પાંપણની કિનારે અશ્રુ રોકતી,
બહેની આવી જ હોય છે !
મહિયરે થાય મનદુઃખ,
હૈયેથી ન આવે હોઠે,
મહિયરનાં માન અકરામ
જગમાં એ ગાતી ફરે.
બહેની આવી જ હોય છે!
સાસરિયે હોય મોટી મહેલાત,
પણ પિયરે જમે રોટલી દાળ પ્રેમે,
દે આશિષ ભાઈલાને ખોબલે
એનો સંસાર ફૂલે ,ફળે.
બહેની આવી જ હોય છે!
મોંઘા મોલની સાડી કે શેલા અકબંધ,
કબાટે એ ભલે રહ્યાં ઘડીબંધ,
બળેવની સાડી એનો હક્ક
લડી લે એ માટે વીરલા સંગ
બહેની આવી જ હોય છે!
લીધાં લગન જ્યારે તનય તનયાના,
હસતાં બોલતાં સૌની સંગ,
નજર માંડે દ્વાર તરફ,
વીરો કાં ન આવ્યો હજુ,
વિચારે ચઢે એનું હ્રદય ઋજુ.
બહેની આવી જ હોય છે!
આવ્યો વીરો ને નજર મળી,
પગ બન્યાં જાણે પવન પાવડી,
ભાઈનું મોસાળું , ભાભીનું વ્હાલ,
લાવે ઉરે એનાં નવો ઉમંગ.
બહેની આવી જ હોય છે !
કરોડોની હોય ભલે એ આસામી,
રીસાવું ભાઈલાથી લેવા હકકની સાડી,
અનંતના પ્રવાસે નીસરવા ભાઈની જ સાડી.
બહેની આવી જ હોય છે!
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
***********†*******†***********
NOG. સાહિત્ય સરિતા
NOG no. – 0063
વિષય – શ્રાવણ માસનાં તહેવારો
વિભાગ – ગદ્ય(લેખ)
શીર્ષક – તહેવારો અને માનવજીવન
આપણી ભારતીય સંસ્કૃતિ એટલે તહેવારોની સંસ્કૃતિ. વર્ષો પહેલાં તો અહીં લોકો લગભગ દરેક દિવસ તહેવાર તરીકે ઉજવતા.દરેકનું પોતાનું આગવું મહત્વ હતું. વાવણીથી લઈને લણણી સુધી કે જન્મથી લઈ અમુક તબક્કે મૃત્યુને પણ ઉત્સવ ગણી ઉજવવો એ આપણી પરંપરા રહી છે.
સામાન્યતઃ મનુષ્ય જીવન એકસમાન ઢાળામાં ઢળેલું હોય છે. આ એકસરખી જિંદગીમાં ધીમે ધીમે આનંદ અને ઉત્સાહનું પ્રમાણ ઘટતું જાય છે. આજની આ દોડધામવાળી અને સ્પર્ધાત્મક જિંદગીમાં વ્યક્તિ એટલો નિસ્પૃહી બની ગયો છે કે ઘણી વાર એવું લાગે જાણે એને સુખ કે દુઃખ અસરકર્તા જ નથી રહ્યાં. આવાં સમયે તહેવારો મનુષ્ય જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે.
વ્યક્તિ પોતાનાં રોજિંદા જીવનમાંથી બહાર આવી સગાસંબંધીઓને મળે છે. બાળકો અને વડિલો સાથે સમય પસાર કરે છે. વડિલો દ્વારા બાળકોને ઉજવણીની સાથે સાથેે આપણી સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજો, ધર્મ, ફરજો વગેરેનું ગમ્મત સાથે જ્ઞાન મળે છે.
આપણા દેશમાં કહેવાય છે કે પહેલાં ત્રણસોથી ચારસો તહેવારો ઉજવાતા. જે હવે તો શક્ય જ નથી. પરંતુ, મહત્વનાં તહેવારો હજી પણ તેનાં ધાર્મિક મહત્વ સાથે ઉજવાય એ જોવાની દરેકની ફરજ છે. તો અને તોજ આપણી લાખો વર્ષ પુરાણી સંસ્કૃતિનું જતન થઈ શકશે.
આ તહેવારો અને ઉત્સવોમાં સૌથી મહત્વનો મહિનો એટલે ભોળાનાથનો પવિત્ર માસ શ્રાવણ માસ.
શ્રાવણ માસ એટલે તહેવારોની હારમાળા. આ મહિનો આખો દેશ કે પછી ગમે ત્યાં વસતાં ભારતીયો ભોળાભંડારીની ભક્તિમાં લીન થઈ જાય છે. કોઈ પણ નાનામાં નાનું ગામડું હોય કે વિકસિત શહેર, એની ભાગોળે શીવજીની દેરી તો હશે જ. અબાલ વૃધ્ધ બધાંય અહીં અચૂક માથું નમાવી ને જ નીકળે.
શ્રાવણ મહિનો ફક્ત ભોળાનાથનો જ નહીં તમામ પ્રકારની આસ્થા અને શ્રદ્ધાનો મહિનો છે. આ માસમાં કન્યાઓની આસ્થાનો તહેવાર ફૂલકાજળી, બહેન-ભાઈની પરસ્પર રક્ષા અને સુખાકારી માટે ઉજવાતો નિર્મળ પ્રેમનાં પ્રતીક સમ રક્ષાબંધન જ્યારે ભૂદેવો દ્વારા જનોઈ બદલવાનો દિવસ એટલે પણ આ શ્રાવણી પૂનમ, બોળચોથ, નાગપાંચમ, વિવિધ વ્યંજનો બનાવી ઉજવાતી રાંધણ છઠ, મા દ્વારા બાળકોની સુખાકારી માટે શિતળાસાતમ, બાળગોપાળનો જન્મોત્સવ એટલે કૃષ્ણજન્માષ્ટમી વગેરે અનેક તહેવારો લોકો અનેરાં ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે. વિવિધ મેળાઓના આયોજન થાય અને સૌ આનંદ કિલ્લોલ કરે છે.
તહેવારો અને તેની ઉજવણી એ માત્ર પ્રતીક છે. ખરેખર, આ થોડાં સમય દરમ્યાન વ્યક્તિ પોતાના તમામ દુઃખ દર્દ ભૂલી જાય છે. એનાં જીવનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ ઊર્જા જ મનુષ્ય માટે એકવાર ફરી, નવેસરથી, જોમથી, જુસ્સાથી જિંદગી જીવવાની જડીબુટ્ટીનું કામ કરે છે.
આમ, કોઈપણ તહેવાર એ માત્રને માત્ર ઉજવણી માટે જ નથી. એ માનવજાત માટે પથદર્શક છે.
✍️ – રીટા ભાયાણી.
********************************
NOG SS.N0. 0098
विषय :- रक्षाबंधन
प्रकार:- गद्य
शीर्षक:- सामाजिक बेड़ियां
भाई-बहन के स्नेह का पवित्र पर्व है, रक्षाबंधन जो श्रावण मास की पूर्णिमा को मनाया जाता है।
दृष्टि परिवर्तन ।
उपनयन संस्कार।
व्यापारियों द्वारा दरिया की पूजा करना।
ये त्रिवेणी संगम यानी रक्षाबंधन। पर्व
से जुड़ी बहुत सी पौराणिक कथाएं भी हैं। रक्षाबंधन पर्व की हार्दिक शुभकामनाएं।🙏
सामाजिक बंधनों में बंधी कुछ बहनों का रक्षाबंधन पर्व इस प्रकार का भी…
बाबुल मोरा नईहर (पीहर)छूटो ही जाए
अम्मा से बात हो रही थी. बातों-बातों में बताया कि बुआ जी नहीं आती अब राखी पर. फूफा जी नहीं आने देते, कहते हैं कि अगर वो चली जाएगी तो उनकी माई की देखभाल कौन करेगा? खाना-पानी कौन बनाएगा?
बुआ जी को मायके आए महीनों हो जाते हैं. ससुराल के उस घर में सालों भर-महीनों दिन गुज़रता है. वो कहीं बाहर भी नहीं जातीं. उनकी दुनिया वो ससुराल का आंगन भर है. फूफा जी नहीं होते तो दरवाज़े पर बंधी गाय को सिर पर आंचल रख कर चारा डाल आती है. वो भी ये देख कर कि सामने वाली सड़क से कोई गुज़र न रहा हो.
पहले रक्षा बंधन पर बुआ जी आती थी. एक-दो दिन रहती भी थी. अपनी हथेली पर मेहंदी लगाती फिर हमारी हथेलियों पर भी. दफ़ालीन से हमें छोटे झुमकी और काँच की हरी चूड़ियाँ दिलवा देती थी. ये वो पैसे होते थे जो बुआ जी मुश्किल से बचा कर रखती थीं. कभी फूफा जी ने किसी काम के लिए दिये ,तो उसी में से दस-बीस रू. बचा लिए. उन्हीं बचे पैसे से समोसा भी ख़रीद देती थी. जाते वक़्त बीस-बीस रू. हमें हाथों में भी दे कर जाती थी।
उनकी सास जब भी चाहतीं है तो महीनों-महीनों के लिए अपने बाक़ी के बेटों के घर घूम आती हैं मगर मेरी बुआ तब भी उस घर की रखवाली के लिए ससुराल में ही होती है।
उनको हक़ ही नहीं है कहीं जाने का. किसी से सवाल करने का. घर में सबसे छोटी थी तो सबकी लाड़ली थी मगर ब्याह होते ही उन पर सिर्फ़ ससुराल वालों का हक़ हो गया। वो कभी भी किसी चीज़ के ख़िलाफ़ आवाज़ ही नहीं उठाती। मेरी जब भी बात होती है और मैं कहती हूँ स्टैंड लीजिए, तब सिर्फ़ यही जवाब देती है,
“दोनों कुल के इज़्ज़त अहि में है।”
…… अब राखी फूफा जी पहुँचा जाते हैं या किसी से भिजवा देते हैं. सावन अब नहीं आता घर पर. आँगन में मेहंदी नहीं पीसी जाती. चूड़ीहारिन चूड़ियाँ पहनाने घर नहीं आती. दूरा पर झूला भी नहीं पड़ता.
न जाने कुल की इज़्ज़त निभाने के नाम पर कितनी ही बेटियों का पीहर हमेशा के लिए छूट गया होगा. राखी पर अगर हो सके तो अपनी बहुओं को मायके जाने दीजिए. उनकी गलियाँ, उनकी भाईयों की सुनी कलाइयाँ उनकी राह देख रही होंगी.
✍️
लीना शर्मा
हालोल।