JF_1-8-21
GN_01-8-21.
********************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચનાઓ
વિષય : સફળતા – નિષ્ફળતા,,સક્રિય – નિષ્ક્રિય ” વિષયક રચનાઓ. (૩૧-૭-૨૦૨૧) દિવસ – ૬
Jan fariyad & News of Gandhinagar daily
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
***********************************†******†*
NOG NO.SS 0081
પ્રકાર : ગદ્ય
શીર્ષક : સફળતાની સપ્તપદી
શબ્દો : ૩૪૫
સફળતાની ખોજ ના કરો, ક્ષમતાની ખોજ કરો. સફળતા તમારી આત્મશ્રદ્ધા અને આનંદ વધારે છે.સફળ વ્યક્તિના ચરિત્ર કરતાં તેમની નિષ્ફળતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો.
વ્રજલાલ સૌરાષ્ટ્રનાં એક ધનવાન જમીનદાર હતાં. આઝાદી બાદ વાવે તેની જમીનમાં એમણે ધીમે ધીમે સમૃદ્ધિ ગુમાવી.પહેલેથી જમીનદારી જ કરેલી એટલે બીજો કોઈ ધંધો કરવાની આવડત નહોતી. કોઈક ઘણા ધંધામાં હાથ અજમાવતાં એમાં પણ પૈસા ગુમાવ્યાં. થોડા વર્ષોમાં તેઓ પાયમાલ થઇ ગયાં . આ પછડાટથી શરીર અનેક વ્યાધિઓથી ઘેરાયું અને તેઓ અકાળે વૃદ્ધ બની ગયાં.
વ્રજલાલનો દીકરો કોઈક સગાંની મદદથી મુંબઈ ગયો. શેરબજારમાં સારું કમાયો.બીજાં ધંધામાં હાથ અજમાવ્યો ત્યાં પણ ખૂબ કમાયો. થોડાં વખતમાં જ અબજપતિ બની ગયો. મરવાના વાંકે જીવી રહેલાં વ્રજલાલને દીકરો મુંબઈ લઈ આવ્યો.
દીકરાની જાહોજલાલી જોઈ તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને આનંદિત બની ગયાં જ્યારે ગામનાં લોકો માનતાં હતાં કે એમનો સ્વર્ગવાસ થયો હશે. આમ દીકરાની સફળતા વ્રજલાલની તબિયત પર અસર કરી ગઈ. સફળતાથી શરીરમાં રાસાયણિક ફેરફારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે
પ્રશ્ન એ છે કે સફળતા મેળવનાર વ્યક્તિઓ માં શું ખાસ હોય છે જે અમને ટોચ પર પહોંચાડે છે! એમનામાં પણ સામાન્ય વ્યક્તિ જેવાં ગુણ હોય જે જુદી રીતે મૂલવાય.
૧ વિચારસરણી – વિકટ પરિસ્થિતિમાં સફળ વ્યક્તિ ઉજળી બાજુ જોવાની પ્રયત્ન કરે છે, જે હતાશા દૂર કરે છે. આનું ઉત્તમ ઉદાહરણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન.
૨. હોશિયારી-પોતાનાં ક્ષેત્રને લખતો તલસ્પર્શી અભ્યાસ કરીને તો વ્યવસ્થિત આયોજન કરે છે જેથી પદ્ધતિસર આગળ વધી શકાય.
૩. કાર્યદક્ષતા- હોશિયારી સાથે કાર્યદક્ષતા ખૂબ જરૂરી છે જેથી આયોજન પાર પાડી શકાય.ચોક્સાઇ વિના કરવાથી ધારી સફળતા મેળવી શકાતી નથી
૪ સ્વપ્નસેવી- મનને વધારે પડતું સંતુષ્ટ બનાવવાથી આગળ ન વધી શકાય.મનના પૃષ્ઠ પર એક નિશ્વિત લક્ષનું ચિત્રણ કરી વિવિધ રંગોથી રંગતા રહેવાથી સફળતાની નજીક પહોંચી જવાય છે.
૫.સાવધાની – સાવધાની વિના થતાં કામમાં ભૂલો થાય છે જેમાંથી શીખવું જરૂરી છે.ભૂલોનું પુનરાવર્તન કરતાં રહેવાથી સફળતાથી વિમુખ થઈ જવાય છે.
૬.ધીરજ- દરેક કાર્યનાં પરિણામ તરત જ નથી મળતાં.પ્રયાસ કરતાં રહી નિષ્ફળતાથી હતાશ થયાં વિના શાંત રહી ધીરજ કેળવવી જરૂરી છે.
૭ પ્રતિબદ્ધતા- સફળતા માટે આ ગુણ અગત્યનો છે.સ્વીકારેલી કે આવી પડેલી જવાબદારી
નિષ્ઠાથી પાર પાડવાથી સફળતા વરે છે.
આ સફળતાની સપ્તપદી છે જે તન અને મન બંનેને સાંકળી લે છે અને મનુષ્યને વેગળી પ્રતિભા અર્પે છે .
# માયા દેસાઈ
મુંબઈ ભારત .
********************************
NOG SS No/022
વિષય : સક્રિય, નિષ્ક્રિય, સફળતા, નિષ્ફળતા
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : સંશય
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
તન્મય ધીમે ધીમે પોતાના શરીરને ઘસડતો ગેસના બાટલા સુધી પહોંચ્યો. તેણે નળી કાઢી નાખી અને વાલ્વ ખોલ્યો. તેમાથી ફુસ……. અવાજ સાથે ગેસ બહારની તરફ ધસી આવ્યો. તેને પરસેવો વળવા લાગ્યો એટલે તેણે વાલ્વ બંધ કર્યો.
બહારથી શોરબકોર શરૂ હતો. તેની પત્ની અને બાળકો બહારથી તેને અવાજ લગાવી રહ્યાં હતાં, પણ આજે તે મક્કમ હતો આત્મહત્યા માટે.
એક વર્ષ પહેલાં આપઘાતમાં તન્મય પોતાના પગ અને આગળ કરેલી બચત ગુમાવી ચૂક્યો હતો. ઘરનું મરણાસન્ન થયેલું અર્થચક્ર પુનર્જીવિત કરવા તેની પત્ની શીતલે એક બિલ્ડર પાસે નોકરીએ જવાનું શરૂ કર્યું.
નિષ્ક્રિય થયેલા તન્મયનું મગજ જુદી દિશામાં દોડવા લાગ્યું. આર. બી. શાહ નામની વ્યક્તિના વારંવાર આવતા કોલથી તે વહેમાવા લાગ્યો. શીતલે સમજાવવાના પ્રયત્ન કર્યા પણ તન્મય ખોટા આળ મૂકવા લાગ્યો.
અંતે શીતલે તેને સમજાવવાનું પડતું મૂક્યું. તેણે બાળકોને મોટાં કરવાનાં હતાં. પોતાની ઘરમાં થઈ રહેલી અવગણના તન્મયથી સહન ન થઈ અને ઘરમાં પુરાઈ ગયો.
બહારથી શીતલ અને બાળકો વિનવણી કરી રહ્યાં હતાં. ઘરની અંદરથી તન્મય બૂમબરાડા સાથે શીતલને ગાળો દઈ રહ્યો હતો અને ન કહેવાનું કહી રહ્યો હતો.
બહાર આખી સોસાયટીના લોકો જમા થઈ ગયાં હતાં. તન્મયે નક્કી તો કર્યું પણ તેની હિંમત ન થઈ દિવાસળી સળગાવવાની.
“તન્મય, દરવાજો ખોલ હું આર. બી. શાહ.” તન્મયના કાનમાં આ અવાજ પડતાં જ તે સતર્ક થઈ ગયો. તેણે દરવાજો ખોલીને જાળીમાંથી અંદર જોઈ રહેલા તે ચહેરા તરફ જોયું. એક વૃદ્ધ લાકડીના ટેકે ઉભો હતો. તેણે કહ્યું,”શીતલ દીકરીએ મને વાત કરી હતી કે તું મારા વારંવાર આવતા કોલથી વહેમાયો છે. હું બિમાર હતો અને મારી સારવાર ચાલી રહી હતી એટલે દરેક સૂચના હું ફોન કરીને આપતો હતો. મેં વચ્ચે તને કોલ કર્યો હતો પણ તે ઉપાડ્યો નહીં. શીતલ તો મારી દીકરી જેવી છે.”
તન્મય ભાંગી પડ્યો. તે જીવનમાં દરેક જગ્યાએ નિષ્ફળ ગયો હતો. જીવનમાં પોતે નિષ્ફળ થયો, પત્નીનો આદર કરવામાં નિષ્ફળ ગયો હતો અને આત્મહત્યા કરવામાં પણ નિષ્ફળ ગયો. તેણે ધીમેથી જાળી ખોલી દીધી.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
********************************
NOG SS No – 80
વિષય – સક્રિય, નિષ્ક્રિય
શીર્ષક – મનની પરિસ્થિતિ (ગદ્ય )
માણસનું મન ખૂબ ચંચળ છે. એટલે જ
‘મન માંકડું ‘એવી યોગ્ય જ ઉપમા આપવામાં આવી છે. ઘણીવાર કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે મન – અંતરનું દ્વંદ્વ યુદ્વ ચાલતું હોય છે. મન કહેતું હોય કે તું એ કરી નાંખ..!પણ જયારે અંતર ના પાડતું હોય છે. પણ આવા સમયે અંતરાત્માનાં અવાજને જ સાંભળવો જોઈએ.
મન જેટલું સક્રિય રહે એટલું સારું. કેમકે કાર્યશીલ મન એ જીવનને હંમેશ તાજગીથી ભરપૂર રાખે છે. જયારે નિષ્ક્રિય મન શરીરમાં વિકૃતિ પેદા કરવાનું કામ કરે છે. સાજા સારા માણસને નિર્માલ્ય બનાવી દે છે. શરીરની ઘણી બીમારીઓ આવા નવરાં મનની જ નીપજ હોય છે.
માટે જ જીવનનાં અંતિમ તબક્કા સુધી, અંતિમ ક્ષણ સુધી સક્રિય રહેવાથી શરીર ઘરડું થાય પણ સક્રિય મન તો તાજગીથી તરબતર જ હોય..
વર્ષા જાની
ભાવનગર
*******************************
NOG SS No-0130
વિષય- સફળતા- નિષ્ફળતા
વિભાગ – ગધ
શબ્દ-૨૭૯
શીર્ષક-સફળતારૂપી તાળાંની ચાવી
સફળતા અને નિષ્ફળતા આપણાં મન દ્વારા પેદા થયેલાં આ બંને વિરોધી શબ્દોં છે, પણ જીવનમાં આ શબ્દોં સાથે જ જોડાયેલાં છે. બાળપણ નાસમજદારીમાં પૂરું થઇ જાય છે.યુવાની આવતાં જ જીવનરૂપી જગતમાં બનતી ઘટનાઓની સમજદારીથી આપણને સફળતા નિષ્ફળતાનાં ભેદની ખબર પડે છે.
વેપારમાં કરચોરીથી ધનની પ્રાપ્તિ કરવી, કુટિલતાથી કરેલ કાર્યમાં જીત મેળવવી, દુર્લભ વસ્તુને ભાગ્યથી સહજતાપૂર્વક મેળવવી.આ સફળતા પ્રાપ્ત થતાં જ એક નશીલો માદક નશો જે આપણને અહમ અને અભિમાનમાં રહેતાં શીખવે છે. આ એક વિવેકરૂપી જ્ઞાનથી વિમુક્ત રહેલો અવગુણ છે ,જે આપણને અવગુણોનાં ભંડારની ભેટ આપે છે. જેમાં મુખ્ય ક્રોધ અને ઘમંડ છે.
નિષ્ફળતા આપણને હતાશ કરે છે અને તેનાં પરિતાપથી આપણામાં ઇર્ષારૂપી અવગુણ આવતાં વિચારોમાં દ્વેષરૂપી ઝેર ફેલાઇ છે.
સફળતા અને નિષ્ફળતા- એટલે સુખ અને દુ:ખ .આ ખોટી સમજનું અજ્ઞાન જ આપણને કર્મ કરવાં પ્રેરિત કરે છે. કર્મ જમા થઇ સંચિત કર્મ બનતા આપણે જન્મ મરણનાં ચક્રવ્યૂહમાં ફસાતાં જઇએ છીએ.
રૂપની રાણી સરીખી અંબાને પરણી સીતાપુર ગામમાં આવી રહેલી જાનમાં ઘોડે ચડેલાં વરરાજા મગન હરખાતો વિચારે કે નગરશેઠની મેડીબંધ હવેલી , પણ પૂનમનાં ચાંદ જેવી સોહામણી મલ્લિકાને મારાં ઢોલિયાનો ચંદરવો બની ચમકાવી.
રૂપની રાણીનો માલિક બનવામાં સફળ રહેલાં મગન ઓહો !
રાગ- દ્વેષ , અભિમાન જેવાં અનેક અવગુણોનો માલિક , પણ બની ગયો.
વસ્તુ પરિસ્થિતિ અને વ્યક્તિ કોઇપણ સાથે મળેલી સફળતા લાંબા સમય કે સતત આપણાં સાથે રહી શકતી નથી.
ઇશ્વર પ્રાપ્તિનું સાધન તરીકે મળેલ આ માનવદેહને અજ્ઞાનતારૂપી જીવનમાં જીવી નિષ્ફળ બનાવવાં કરતાં સત્સંગરૂપી અમોઘ શસ્ત્રથી આપણામાં રહેલાં અવગુણથી વિમુખકતા રાખી જીવેલું જીવન એ જ જીવનની સફળતા છે.
સતગુરુનાં સત્સંગથી મળેલ જ્ઞાનને આત્મસાત કરવો એ જ જીવનનનું લક્ષ્ય.
સત્કર્મરૂપી કર્મથી મળેલ સફળતારૂપી તાળાંની ચાવી ખુલતાં જ એક મહત્ ચૈતન્ય સાથે સંબંધ જોડી આપે છે.
નિલમ દોશી
મુંબઇ
*******************************
NOG NO. SS 0097
વિષય: સફળતા-નિષ્ફળતા,સક્રિય-
નિષ્ક્રિય
પ્રકાર : ગદ્ય
શીર્ષક : તાળી
સફળતાની તાળી દસ આંગળીઓથી પડે છે,પરંતુ નિષ્ફળતાના આંસુ એક
આંગળી લૂંછે છે.જે ગણી મૂલ્યવાન છે.
દરેક જગ્યાએ જાહેર સમારંભોમાં બે વર્ગ હોય છે.એક નાનો અને એક મોટો.
નાનો વર્ગ મોટા વર્ગ પર આધિપત્ય જમાવતો હોય છે.નાનો વર્ગ એટલે સમારંભ યોજનાર અને આમંત્રિત અતિથિઓ.મોટો વર્ગ એટલે તાળીઓ પાડીને સમારંભને સફળ બનાવનાર.સફળ એટલા માટે કે બોલનારની સફળતા સાંભળનારની સંખ્યા પર આધારીત છે.એવું આપણે સૌ માનીએ છીએ.એટલે જ આજે સમારંભોમાં આવનારા કરતાં લાવવામાં આવતા લોકો વધુ હોય છે.સ્વાભાવિક છે કે લાવવામાં આવનારાને અમૂકખાસ સુચનાઓ આપવામાં આવે છે, જેમકે-
ક્યારેતાળીઓપાળવી,બૂમોપાડવી, સીટી મારવી,ધાર્મિક પ્રોગ્રામ હોય તો
ઉભા થઈ ઘૂમીને હાથ ઉંચા કરીને તાળીઓ પાડવી.આ અણગમતું અને ઓછું નોંધાયેલ સત્ય સ્વીકારવાનું છે.
તાળી બે હાથથી પડે છે,દસ આંગળી ભેગી થાય ત્યારે પડે છે.આપણે નિર્દોષતાથી માની લઈએ કે
આ બધી જ,બધા જ પ્રકારની તાળીઓ
બોલનારની સફળતાનો આધાર સ્તંભ
છે.સફળતાની સૂચક છે.થોડીક ઝીણવટથી જોઈએ.હાથની ભેગી
થયેલી આંગળીઓ સફળતાનોમુખ્ય આધાર છે.
થોડી બીજી બાજુ નજર કરીએ.
આંગળીઓનું મહત્વ સમજીએ.કોઈ દુ:ખ કે સંકટમાં હોય એવી વ્યક્તિ આપણી પાસે આવે કે,આપણી નજરે પડે કે,વગર કહ્યે આપણી એનું દુ:ખ
કે મુશ્કેલી પામી જઈએ.માંગ્યા પછી કે
વગર માગયે માથા પર હાથ પસવારી
એના છુપાવવા મથતા છતાં ધસી આવતાં આંસુને એક આંગળીથી હળવેકથી લૂંછી લઈએ.એ હળવેકથી,
શાંતિથી, વગર અવાજે એક આંગળી પર ઝીલાયેલ આંસુની એ પળ કિંમતી
છે.લૂંછનારને એનો ખ્યાલ નથી.પરંતુ જેના આંસુ એ આંગળી પર ઝીલાય છે. એને એ સમયે જે હૂંફ અને સાંત્વન
મળે છે.એ અનુભવવનારને જ ખબર પડે.
આપણે કોઈ માટે તાળી ન પાડી
શકીએ.તો અફસોસ ના કરશો. એમને તાળી પાડનાર અને વાહ વાહ કરનાર ઘણા મળશે.પરંતુ આપણા ભોગે પણ બીજાના આંસુ લૂંછવા તત્પર રહેજો. એ આપણી જાહેર ન થયેલી સફળતા જ છે.👍
વર્ષાબેન દેસાઇ.એડવોકેટ .વડોદરા