ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ રચનાંં….
.વિષય : સંતોષ – અસંતોષ.દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*NOG SS No : 0077*
*વિભાગ:ગદ્ય, મૌલિક*
*વિષય:સંતોષ -અસંતોષ*
*શીર્ષક: સંતોષ-અસંતોષની ભેદરેખા*
સંતોષ -અસંતોષ બંને એકબીજાને પરસ્પર જોડાયેલા છે એટલે જ એમનું મૂલ્ય છે.
બેમાંથી એક ના હોત તો બીજાનું અવમૂલ્યન જરૂર થાત.
સંતોષ એક ગુણધર્મ તરીકે તો વારસાઈમાં મળતો હશે.કારણકે જેમનાં વડવાઓ અસંતોષી અને વધુ તૃષ્ણા વાળા હોય એમને સંતોષનો ઓડકાર કે ધરવ જોવા મળતો જ નથી.કોઈ વાત, વ્યક્તિ કે વસ્તુમાં એમને કોઈને કોઇ રીતે ઉણપ વર્તાયા કરતી હોય છે.
ખાસ કરીને મારી દ્રષ્ટિએ અતિ લોભી અને લાલચુ લોકોની ગણના અસંતોષી જીવોમાં કરી શકાય.
એમને તમે ગમે તેટલું આપો કે કરો કોઈ જ કદર કે સંતોષની લાગણી ઉત્પન્ન થતી જ નથી.
એની સામે બીજો આખો એવો એક વર્ગ છે જે નાની નાની વાતોમાં સંતોષ વ્યક્ત કરે છે.કોઈને પાણી પીવડાવીને સંતોષ થાય, કોઈને જ્ઞાનનું આદાનપ્રદાન કરીને સંતોષ થાય, કોઈને દાન-ધરમ કરીને સંતોષ થાય,કોઈને રોટલો ખવડાવીને સંતોષ થાય , કોઈ પશુ-પક્ષીને ખવડાવીને સંતોષ માને તો કોઈને સ્વચ્છતા રાખીને કે રખાવીને સંતોષ થતો હોય.
આમ સંતોષ કરવો એ વ્યક્તિગત બાબત છે અને દરેક વ્યક્તિએ એની મહત્તા અને અભિવ્યક્તિ અલગ જ હોય છે.
આમ સંતોષનો ઓડકાર એ ખૂબ અંગત ગણાય એવી બાબત છે.
રોજબરોજમાં આપણે કેટલાય લોકો જોતાં હોઈએ છીએ કે જેઓ ઘણાં મોટાં મોટાં કાર્યો પાર પાડે તો પણ ઢોલ નથી પીટતાં , એમની કાર્ય પ્રત્યેની લગન અને ધગસ જ એમનાં સંતોષનું પાચન કરતી હોય છે.
એક્ટર સોનુ સુદ હાલમાં એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ભૂતકાળમાં શ્રી જલારામબાપા,શ્રી શિરડી સાંઈબાબા અને બીજા ઘણાંય સંતો અને શૂરાઓ સીધા કે આડકતરી રીતે પૂરા સંતોષ સાથે કામ કરી સમાજનું ભલું કરતાં હતાં.અને એને લીધે એમને અનુસરણ કરનાર એક આગવો વર્ગ ઉભો થયો છે..!
બાકી અસંતોષી લોકોએ સમાજનું પતન જ નોતર્યું છે, જેમાં ભ્રષ્ટાચાર, ચોરી ,લંપટગીરી,દાદાગીરી અને બીજી અસામાજીક અનૈતિક બદીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.કોરોના કાળમાંઆવા કાળા બજારીઆનો અસંતોષ આપણે બધાંએ જોયો ..!
સંતોષ દર્શાવતો બરાબર શબ્દ છે …
હાશ….!
આ હાશકારો એ ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવતો સંતોષકારક અભિગમ વ્યક્ત કરે છે..!
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*૦00
NOG SS No: 0079
***************
વિષય સંતોષ અસંતોષ
શીર્ષક મનની અવસ્થા
પ્રવિણા કડકિઆ
***************
સંતોષી નર સદા સુખી. આની પાછળનું સત્ય જાણે તો જીવનમાં અસંતોષ ડોકિયા ન કરે ! અસંતોષ જીવનને ચિતા સમાન બનાવે છે.
સંતોષ જીવનમાં શીતળતા ફેલાવે છે.
નીપા વિચારી રહી, આખી જિંદગી અસંતોષની આગમાં જલી અને કુટુંબમાં ક્યારેય શાંતિ ને આવવા ન દીધી. નિલેશે જાન પણ ગુમાવ્યો.
કારણ કેટલું નજીવું હતું. પરણીને અમેરિકા આવી. હવે અહીં નોકર કે બાઈ તો મળે નહીં. મળે તો તેમને પૈસા ડોલરમાં આપવા ગમે નહિ. હવે આનો કોઈ ઈલાજ ખરો ? શું આપણા દેશમાં નોકરોને પગાર નથી આપતા ? પછી તો જેવો પગાર તેવું કામ ! સાદો ગણિતનો નિયમ છે.
મારા ભાઈને ત્યાં વર્ષોથી એકના એક માણસ કામ કરે છે. ભાઈ દરેકને
સહાય કરવામાં ક્યારેય પાછી પાની કરતો નથી. ભાભી તેમને ત્યાં કામ
કરતી બાઈનાં ટાણા સાચવે. બાળકોને ભણવાના ખર્ચમાં સહાય કરે.
શું કામ તો દિલ દઈને કામ ન કરે ?
નીપા બહેન કાયમ પોતાની જિંદગી ભારતમાં બહેનો સાથે સરખાવે. અંહી
ગમે નહી. નિલેશને ભારત જવું ન હતું. આમ આખો વખત અસંતોષના અગ્નિમાં સળગ્યા કરે. ન પોતે શાંતિથી જીવે ન ઘરનાં ને જીવવા દે. બીમારીનું બહાનું અને અસંતોષની જ્વાળા.
જુવાની કોઈની કાયમ ટકી નથી, નિલેશ ના શરીરમાં રોગ ઘર કરી ગયું.. ઘણાં
ઈલાજ કર્યા . જમ ઘર ભાળી ગયો હતો. નીપાનાં વ્યવહારને કારણે મનથી ભાંગી ગયો હતો. ડોક્ટરોની દવા કામ કરવામાં નિષ્ફળ રહી. જાન ગુમાવ્યો.
માનસિક તાણ અને અસંતોષની જ્વાળા જીવનમાં નીપા શું પામી ?
પ્રવિણા। કડકિઆ
******************************
: NOG SS NO,:/022
વિષય : સંતોષ-અસંતોષ
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : ભારતીય ક્રાંતિના જનક
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
“વાસુ, તું થોડો મોડો પડ્યો. તારી માતાએ હમણાં જ પ્રાણ ત્યાગી દીધાં.” રજા લઈને આવેલા વાસુદેવજી તરફ જોઈને એક વ્યક્તિએ કહ્યું.
વાસુદેવજીની આંખો આંસુથી ભીંજાવાને બદલે ક્રોધથી લાલ થઈ ગઈ. તેમને પોતાના ઉપરી અધિકારી ઉપર ક્રોધ આવ્યો હતો, પણ તે વ્યક્ત કરવાને બદલે તેમણે પોતાના હ્રદયમાં ધરબી દીધો જેથી તે સમય આવે જવાળામુખીની જેમ ફૂટી શકે. તેમણે પોતાની માતાનાં મૃત્યું ઉપર એક પણ આંસુ ન વહાવ્યું. તેમના ઉપર થયેલો આ આઘાત એ ઊંટની પીઠ ઉપર પડેલું છેલ્લું તણખલું હતો.
થોડા દિવસ તેમણે ચિંતનમાં વિતાવ્યાં અને જઈને પોતાના ગુરુ મહાદેવ ગોવિંદ રાનડેજીને મળ્યા. તેમણે પોતાની ચારે તરફ ઘોર ગરીબી અને ગોરી સરકાર તરફથી અન્યાય થતો જોયો હતો. દુકાળમાં પણ ગોરી સરકાર જુલમ વિતાવવાનું ચૂકી ન હતી.
અસંતોષનો જ્વાળામુખી તેમના હ્રદયમાં ધગધગી રહ્યો હતો. તેમણે સશસ્ત્ર ક્રાંતિ કરવાનો માર્ગ અપનાવ્યો અને તે માટે પોતાની જેમ આઝાદી ઝંખતા સમાજના છેવાડાના યુવકોને પોતાની સેનામાં સામેલ કર્યા. પોતાનું આ ભગીરથ કાર્ય પાર પાડવા માટે જરૂરી પૈસા માંગીને ભેગાં ન થતાં અંગ્રેજો અને તેમને સહાય કરનાર માલેતુજારોનાં ઘરે લૂંટ ચલાવવાનું શરૂ કર્યું. તે પોતાની સેના વધારતાં ગયાં અને દરેક યુવકને યુધ્ધની તાલીમ આપવા લાગ્યા. આ સેનાના જોર ઉપર થોડા દિવસ માટે પૂના શહેર પણ પોતાના કબ્જામાં લીધું. પણ અંગ્રેજોની મોટી સેના સામે તેમને હાર મળી.
તે છતાં વાસુદેવજીએ હાર માની ન હતી. તેમણે હૈદરાબાદ તરફ કૂચ કરી અને આરબો તેમ જ રોહિલ્યાઓ પાસે મદદ માંગી, પણ નિઝામની સેવામાં રહેલ અબ્દુલ હક અને હેનરી ડેનિયલને લીધે પાછાં ફરવું પડ્યું.
૧૮૭૯ માં વિજાપૂર નજીક તેમની ધરપકડ થઈ અને પૂનામાં તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું. તેમના વકીલ ગણેશ વાસુદેવ જોશીની દલીલોને લીધે તેમની ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવાઈ. આ સજા ભોગવવા તેમને યેમેન દેશના એડન શહેરની જેલમાં મોકલવામાં આવ્યા, જ્યાં ભાગવાનો એક નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. ભારતના આ વીર સપૂત વાસુદેવ બળવંત ફડકેનું મૃત્યુ એડનમાં જ થયું.
વંદન છે ભારતીય સશસ્ત્ર ક્રાતિના જનકને.
જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા
**************************”*””
NOG SS No.0059.
વિષય : શબ્દ – સંતોષ અસંતોષ.
વિભાગ: ગદ્ય- લેખ.
શીર્ષક: ‘ પરમસુખ! સંતોષ’.
શબ્દો : ૨૮૦.
ગુજરાતી મૂળાક્ષરોમાં ‘અ’
અક્ષરની તાકાત તો જુઓ ?
કુસ્તીમાં જીત મેળવવા માટે હરીફને ચીત કરવાનો હોય છે.
‘અ’, શબ્દ,જેની સાથે જોડાઇ
જાય એટલે, સામેનો શબ્દ ચીત!
સંતોષ અસંતોષ
સત્ય અસત્ય
ન્યાય અન્યાય
જ્યારેં જ્યારે ‘અ’ અક્ષર સારામાં સારી ક્રિયા સાથે જોડાય છે ત્યારે ,તે કાર્યના ગુણધર્મમાં જબરજસ્ત
ફેરફાર કરે છે.
માનવને મળેલાં અમૃત જેવાં ‘સંતોષ’નેં….
‘અસંતોષ’ કડવા ઝેર જેવો બનાવી નાંખે છે.
સંતોષ અને અસંતોષ આજે
એક સિક્કાની બે બાજુ જેવાં બની ગયા છે.
આપણું મનગમતું કંઈક મળે,
આપણાં મનમાં સંતોષની સરવાણીઓ ફૂટી રહી હોય ત્યાંજ મનમાં અસંતોષના દાવાનળે પોતાનું તાંડવ નૃત્ય
શરૂ કરી દીધું હોય છે, જેમકે,
બસ ! આટલી મહેનત પછી ?
આટલું જ !
હજુ આનાથી સારું મળવાની
આશા હતી !
હવે ઠીક! મારાં જેવું હવે કોઈને
ન મળે તો બસ ! અન્ય પ્રત્યેનો ઈર્ષાભાવ જાગૃત થયોજ હોયછે, જે આપણને આનંદથી વંચિત
રાખેછે, કારણ ! સંતોષના સ્થાને
અસંતોષનું મનમાં આગમન !
સ્કૂલનું રીઝલ્ટ આવ્યું,મારાં મનીષને ૮૦%, પણ,સામેવાળા રમેશને ૮૫% ! ૮૦% નો સંતોષનો આનંદ પરિવાર સાથે માણવો નથી,પણ ૮૫% ના અસંતોષનું હાવીપણુ !
મને પુત્રવધૂ ગોરી-નમણી ને
વ્યવહારુ મળી, પરંતુ, રીટાબ્હેનને
તો, કમાણી લાવતી,નોકરી કરતી
વહુ મળી,હા ,થોડી જાડીને કાળી છે,તેમાં શું ?
અહીં આવકનો ઈર્ષાભાવ સુખ
માણવા દેતો નથી.
નટુકાકાનો નવીન ૧૨માં ક્રમાંકે
ક્રિકેટમાં કેટલું કમાય છે ! જ્યારે અમારો, આંતરરાષ્ટ્રીય કબડ્ડી કેપ્ટન કિરણ, રોજ પગ છોલીને,
લોહી નિંગળતા પગે ઘરે આવે છે.
સમજોને માનવીઓમાં ધન સાથે , અન્ય સાથેની સરખામણી કરવાની ખોટી આદતોજ દુ:ખનુ કારણછે.
જીવનમાં પરિવાર સાથે સુખ માણવું હોય,માનવ જીવન સાર્થક કરવું હોય તો !
“હરક્ષણે સંતોષને અપનાવો ને દાની દુશ્મન અસંતોષને દફનાવો”.
સંતોષ એજ જીવનનું અમૃતછે,
પ્યારે’ ,અમૃત પીવો ને પીવરાવો.
©️જયકાન્ત ઘેલાણી’પ્યારે’.
******************************
NOG. SS. NO .0095
વિષય :–સંતોષ અસંતોષ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :–” વીર ભામાશા”
મોગલ શહેનશાહ અકબરના સમયમાં મહારાણા પ્રતાપ મારવાડનાં વીર, પ્રતાપી અને શૂરવીર રાજવી હતો . બાદશાહ અકબર સાથેનાં યુદ્ધમાં તેણે બરાબરની ટક્કર ઝીલી હતી .એકવાર ભારે વરસાદની પરિસ્થિતિમાં એનું સૈન્ય સપડાયું અને અકબરના વિશાળ સૈન્ય સામે ટકી ના શક્યું .
રાણા પ્રતાપની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. આમ નિ:સહાય દશામાં બેસી રહેવું તેને પોષાય તેમ નહોતું. તે સમયે ત્યાંથી પસાર થતાં એક જૈન આચાર્ય ભગવંતે તેમને પાર્શ્વનાથ પ્રભુની આરાધના કરવાનું કહ્યું .રાણાએ કહ્યું કે હે ! ગુરુ ભગવંત ! મારી પાસે ધન નથી રહ્યું ને મારું સૈન્ય વેરવિખેર થઈ ગયું છે . આચાર્ય એ રાણાને સાચા હૃદયથી અને સાચા ભાવ અને ભક્તિ સાથે આરાધના કરવાનું કહ્યું. રાણાએ ત્રણ દિવસ સુધી સતત આરાધના કરી. સતત પાર્શ્વનાથ પ્રભુની ભાવવિભોર બનીને આરાધના કરતાં કરતાં એમની આંખોમાં આંસુ આવી ગયાં.
જે પ્રજાને પોતાનાં રાજાની પ્રજાવત્સલતા પર ગર્વ હતો એમની વહીવટ કુશળતાથી સમગ્ર મારવાડને સંપૂર્ણ સંતોષ હતો .એજ પ્રજાનું રક્ષણ કરવા માટે આજે મહારાણા પ્રતાપ લાચાર બનીને ભગવાન સમક્ષ ઊભો છે .અને ચોથા દિવસે જ્યારે રાણાજી જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે જ દાનવીર ભામાશા ધનનાં થેલા લઈને આવી પહોંચ્યાં.
દાનવીર ભામાશા પોતાની સમગ્ર સંપત્તિ રાણા પ્રતાપના ચરણોમાં ધરી દે છે. રાણાજી એ સંપત્તિ વીર ભામાશાની નીજી સંપત્તિ હોવાથી લેવાની ના પાડે છે.ત્યારે ભામાશા કહે છે કે આ સંપત્તિ મહારાજ આપની જ છે .જ્યારે હું આપનાં દરબારમાં હતો ત્યારે આપ મને પગાર પેટે જે રકમ આપતાં હતાં આ એજ સંપત્તિ છે.. ત્યાં રહેતો એટલે મારે બીજો કોઇ ખર્ચ થતો જ નહીં. તો આ સંપત્તિ પર મારો હક કેવી રીતે હોય ? આજે એ સંપત્તિ આપને પાછી સોંપતાં મને એક સંતોષની લાગણી નો અનુભવ થયો છે. આ દેશની ધરતી માટે કંઈક કરી છૂટવાનો સંપૂર્ણ સંતોષ.
રાણાજીનું મસ્તક પણ ગર્વથી ઊંચું થયું છે એમને પણ સંતોષ થયો હતો કે મારી પ્રજા અને મારાં જ દરબારનાં આ રત્નોને મારાથી સંતોષ છે. એમને અસંતોષ નથી. જો અસંતોષ હોત તો આજે આ સૈન્ય ભૂખ તરસ વેઠીને પણ મારી સાથે ઊભું ના હોત , અને ભામાશા જેવા વીર પોતાની સંપૂર્ણ સંપત્તિ ને રાજ્યની સંપત્તિ કહીને પ્રજાનાં હિત ખાતર મારાં ચરણે ના ધરી દેત !
ધન્ય છે એ ભામાશાની દેશભક્તિ ને અને વફાદારીને !
દીપિકા. ચાવડા. ‘ તાપસી ‘૦