ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૪ પધ રચનાંં….
.વિષય : સામાજિક પરિવાર ની હૂફ..દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
*NOG SS No:004*
*વિષય: *કોરોનામાં પરિવારની હૂંફ સાથેનું સામાજીક જીવન*
*પ્રકાર*: *મુક્તપંચિકા*પદ્ય*
*શીર્ષક:*લાગણી*
નિસ્તેજ મન
કરી રહ્યું તે,
મૂંગું આક્રંદ હતું,
ત્યાં અવાજ એ
લાગણી ભર..!
જીવવા બસ
મને મળી છે,
આશ સભર પળો,
નેત્ર ખોલતાં
મળી લાગણી..!
હે ઈશ! માંગું
તુજ જવળ,
ફરી આ જ સુતાઓ,
દે પુન: જન્મે ,
મૂર્તિ લાગણી..!
એ ઔષધિઓ
કરતા પણ,
શબ્દો તેણીઓ બોલી,
પાછા ફર્યા તે
દુ:ખ લાગણી…!
સુણી ઝીણી તે
પારેવડાની,
ઘૂંટરઘૂં મનડું ,
હર્ષાયું ફરી
જીવી લાગણી..!
હૂંફ મળીને
હાર્યા યમજી,
હૈયામાં હામ પૂર્ણ,
આંખોમાં આશ
ભરી લાગણી..!
પધારી ગૃહે,
લઈ નવીન
જિંદગીને સમીપ,
માંણ્યો દિન તે,
જન્મે લાગણી..!
ઈશ! ફરી ન
કરતો આવી
પરીક્ષા કોઈની તું,
મરે જીવે તે,
દેજે લાગણી…!
જયશ્રી પટેલ
(નિર્ણાયક)
૨૯/૫/૨૧
********************************
NOG SS NO : 0026
કોરોના કાળમાં
મારા વિચારો
શીર્ષક: તું ઘરમાં બેસ સમજીને..
ન ખોટી બહાદુરીને બતાવ, તું ઘરમાં બેસ સમજીને,
કે ભટકી રહ્યો એ તારો કાળ, તું ઘરમાં બેસ સમજીને..
ન ખોટી જીદને પંપાળ, તું ઘરમાં બેસ સમજીને,
થજે ના અવર તણો તું કાળ, તું ઘરમાં બેસ સમજીને..
છે ચેપી રોગ આ પ્યારે એ જાણીલે જો હો સમજુ?
ન કરજે ભૂલથી વિસ્તાર, તું ઘરમાં બેસ સમજીને..
અગર તું ના કરી શકતો મદદ આ રોગીની કોઇ,
ના ફેલાવી મદદ કરજે બનીને ઢાલ તું ઘરમાં બેસ સમજીને..
નથી આ કામ એક જણનું, જરૂરી છે બધાંનો સાથ,
ના દૌલત દઈ કરે સેવા, ફક્ત આ કર, તું ઘરમાં બેસ સમજીને..
અંજના ગાંધી “મૌનું”
વડોદરા
********************************
*નામ*- ડો. મનીષા વ્યાસ
*NOG SS NO-* 0088
*વિષય શબ્દ*- કોરોના કાળમાં સામાજિક અનુભવો, હૂંફ
*પ્રકાર*- પદ્ય
*શીર્ષક*- કેમ કરી જીવીએ!
******************************
કહો રે! રાજાજી કેમ કરી ધીરજ ધરીએ?
આ વટને અભિમાન આપને સોહિયે..
અમે રાંક રૈયત, તમે કહો તેમ કીજીએ..
પણ કહો રે! રાજાજી કેમ કરી જીવીએ?
આવ્યો, કપરો કાળ કોરોના તણો ને..
ગ્રહે ગ્રાસ કરી તે માનવી તણાં..
કુદરત રૂઠી અને હવા થઈ વિષૈલી..
પ્રાણ તડપે, પ્રાણવાયું રે પીવા..
કહો રે! રાજાજી કેમ કરી જીવીએ?
પહેલાં નકલી ધાન ખૂબ ખાધાં..
પડ્યાં પેટ ઝેર એ પચાવી લીધાં..
નકલી દવાઓ – ઇન્જેક્શનોની કાળાંબજારી..
લાચારીથી તે લઈને ખુંવાર થઈએ..
કહો રે! રાજાજી કેમ કરી જીવીએ?
ભાવનાઓ તૂટી, સંવેદનાઓ છૂટી..
ને માનવીય પ્રેમને, માનવતા ખૂટી..
ખર્ચી ખૂટીને, ખૂટ્યો પ્રાણવાયુ..
ખૂટ્યાં સંસાધન, રહ્યાં જેનાં આશરે
કહો રે! રાજાજી કેમ કરી જીવીએ?
આકાશે બેઠો ઈશ્, હિસાબ કરે પાક્કાં
કરે કર્મ જન્મનાં સઘળાં ઉધારાં..
હે કિરતાર! કર કરુણા ને ઉગાર!..
તારાં છીએ ને કાયમ થઈ રહીએ..
કહો રે! રાજાજી કેમ કરી જીવીએ?
*નામ -ડો. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
********************************
NOG SS No/0044
વિષય:-; સામાજીક પરિવારની હૂંફ કોરોના કાળમાં
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- સ્વર્ગ.
કોરોનાએ ભાઈ કરી કમાલ,
સાસુ વહુની દૂરી કરી દૂર.
લઈ એકબીજાનો સહકાર,
નવા ધંધાનો કર્યો વિચાર.
પાપડ વડી કેરાં હુન્નરનો,
જેનાં થકી થયાં બે પાંદડે.
ઝઘડાનું સ્થાન લીધું મિત્રતાએ,
શાંતિ થકી ઘર બન્યું સ્વર્ગ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.