ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રાગ – રાગીણી .દિવસ – ૧
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેકકરનાર :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS No : 0082
વિષય: રાગ, રાગિણી
શીર્ષક: પ્રેમ રાગ અને ખુશી
પ્રકાર: ગદ્ય
જીવનમાં સુખ,દુઃખ ,ચિંતા આધી, વ્યાધિ,ઉપાધિનો સમન્વય એ જિંદગીની હરેક મોડની રાહ અને વ્યવસ્થા છે.
દરેક વ્યક્તિનાં સમસ્ત જીવનમાં ઉતાર ચઢાવ એ એક સહજ સમસ્યા છે
સબંધોના તાલમેલમાં દરેક સંજોગોમાં માનવ પ્રેરિત રાગ અનુરાગ, વ્યથા, અનુકંપા, જીજીવિષા, વ્યક્તિગત
એષણાઓ, મિથ્યા હુંકાર,
આ બધું નિરંતર જોવા મળે છે.
સંગીતની સૂરાવલીમાં આરોહ, અવરોહ તાલ, જપતાલનું મહત્વ છે, તેવી રીતે આપણું જીવન પણ એક
રાગિણી સ્વરૂપ તાલબધ્ધ સૂર
મય અને સપ્ત સૂરોથી નિર્મિત
છે.
“મિલે સૂર મેરા તુમ્હારા
સૂર બને હમારા “
પંક્તિ આપણને જીવનમાં હરેક પ્રકારના મધુર રસો જીવવાની પ્રેરણા આપે છે,
“રાગ “મતલબ આત્માનો અવાજ
રાગ હશે તો જ રાગિણી બનશે.
સારા પ્રતિભાવંત કલાકાર પોતાની કલાની રજૂઆત કરતા હોય ત્યારે મન શબ્દથી આત્મસાત બની સૂર સુરાવલી
રાગને અભિભૂત થાય છે.
એકરાગ જીવનને ધન્ય બનાવે છે,
શહેનાઈની ગુંજ મીઠો રાગ છેડે,
તબલા વાદક તાલથી એકરસ બને,
તાનપુરો ઐક્ય સાધી શહેનાઈનાં સૂરોને વજન આપે
અંત સાર એજ કે જીવનમાં
એક રાગ હશે તો જ જીવન
મધુર બનશે
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
***†****†*††****************** ***********
*NOG SS No : 0077*
*વિભાગ:ગદ્ય ,લેખ*
*વિષય: રાગ,રાગિણી*
*શીર્ષક:રાગ -રાગિણી જુગલબંદી*
રાગ એ સૂરનાં આરોહ અવરોહનો એવો નિયમ છે જેનાંથી સંગીતની ખૂબ સુંદર રજુઆત કરી શકાય છે.
દરેક રાગનું એક ચોક્કસ રૂપ ,ચોક્કસ અંદાજ અને ચોક્કસ બંદીશ હોય છે એના આધારે જ વપરાતાં સૂર અને લય પર એ નિર્ભર રહે છે. સાત સૂરનાં આરોહ-અવરોહથી રાગ સંપૂર્ણ બને છે.
૧૯મી સદી સુધી રાગનો એક પરિવાર ગણાતો હતો.જેમકે ભૈરવ,કાફી,ભોપાલી,શ્રી,મેઘ,બસં ત,દિપક,માલકૌંસ, પંચમ,હિંડોલ અને નટનારાયણ.એટલેકે એ રાગનું એ પરિવારપર આધિપત્ય ગણાતું. સંગીતમાં ૩૦૦ ઉપરાંત રાગ છે એમ માનવામાં આવે છે.
કૃષ્ણ ભગવાનની વાંસળી, બૈજુબાવરા ,તાનસેન,તાનારીરી અને પંડિત ઓમકારનાથ ઠાકુર એ રાગ- રાગિણીનાં અખંડ ઉપાસકો ગણવામાં આવે છે.
રાગ એ પુરુષ રૂપે છે.જ્યારે રાગિણી એ રાગનું સ્ત્રી રૂપ છે.
જે રાગમાં વીર રસ,ભક્તિ રસ,સ્થિરતા અને અધ્યાત્મિકતાનો પ્રભાવ દેખાતો હોય એને રાગ કહેવાય.
જેમાં રાગ ભૈરવ,માલકૌંસ,દરબારી,
મેઘમલ્હાર,બિલાવલ અને યમન રાગનો સમાવેશ થાય છે.
રાગિણીમાં પ્રેમ,શૃગાંર,ચંચળતા અને કોમળતા ભળે તેને રાગિણી કહે છે.જેમાં ખમાજ,કાફી,જોનપુરીઅને ઠુમરી મુખ્ય છે.
સંગીતમાં રાગ -રાગિણી ઘણાં જ મહત્વનાં છે. રાગ -રાગિણી સંગીતનો શ્વાસ અને પ્રાણ છે.
રાગનું વિભાજન ઘણી જગ્યાએ થાટથી થાય છે કર્ણાટક સંગીતમાં હજુ થાટથી જ રાગ નિર્ધારીત થાય છે.
રાગ એ ૠતુ અને પ્રહર આધારિત ગવાય છે.યોગ્ય પ્રહરમાં ગવાતો રાગ વધુ પ્રભાવશાળી નિવડે છે.
*રાગ* *ૠતુ* *પ્રહર*
ભૈરવ શિશિર સવારે
હિંડોલ વસંત પ્રથમ પ્રહર-દિન
દિપક ગ્રીષ્મ સાંજે.
શ્રી હેમંત સૂર્યાસ્ત સમયે
મેઘ વર્ષા
મલ્કાન શરદ
રાગ- રાગિણીનાં સૂર તાલ અને લયથી તો સમગ્ર પ્રકૃતિ, માનવજાત પશુ અને પક્ષીઓ પણ ડોલી ઉઠે છે.એ તો અનુભવ સિધ્ધ બાબત છે.હવે રોગની સારવાર પણ આનાથી કરવામાં આવે છે.
ગરમ અને સૂકી પ્રકૃતિનાં લોકોને આસારાગ, હ્રદય રોગમાં રાગ ભૈરવી, રક્ત સંબંધી રોગોમાં રાગ બસંત અને હતાશામાં-ડિપ્રેશનમાં રાગ સારંગ ઉપયોગી બને છે.
જો દર્દીની ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો રાગ -રાગિણી થકી સારવાર અવશ્ય સંભવી શકે છે. રાગ-રાગિણી આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે.કારણકે દરેક રાગ-રાગિણીમાં એમની એક ચોક્કસ ઉર્જા, લય અને ગતિ સંકળાયેલા હોય છે જે સમગ્ર બ્રહ્માંડને પ્રભાવિત કરવા માટે સક્ષમ છે.રાગ -રાગિણી આપણાં મન પર એક દિર્ઘ અસર છોડે છે એનું કારણ માતાનાં ઉદરમાંથી આપણે ઓમકારનો નાદ બ્રહ્મ આપણાં પૂર્વ જન્મની છાપ સાથે લઈને આવેલાં હોઈએ છીએ.એનો સ્ત્રોત કુદરત પણ છે.કુદરત પણ પવન,પાણી અને કલરવ સ્વરૂપે રાગ-રાગિણી છેડતી જ હોય છે.
રાગ-રાગિણી થકી ચોક્કસ મધુર સંગીત પ્રભાતથી સંધ્યાકાળ સુધી,
પ્રકૃતિ આપણાં સહુ સુધી કોઈને કોઈ સ્વરૂપે પહોંચાડી જબરજસ્ત અસર કરે છે એ અનુભવ સિધ્ધ અને સાબિત બાબત છે.
આ રાગ-રાગિણીની જુગલબંદી બ્રહ્માંડનો નાદ છે,ઓમકાર છે.
અસ્તુ .
-ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*
****************************** ***********
NOG SS NO: 0004
*વિષય: રાગ રાગીણી(રાગીની)*
*શીર્ષક:સૂરાવલી*
રોજ માલવનો રીયાઝ કરવાનો સમય, સવારે ઉષા તેના કિરણો સાથે રમતે ચઢે ને તે જ સમયે માલવ પણ
સિતાર લઈને રીયાઝ કરવા બેસે. સામેના બગીચામાં તે જ સમયે સરગમ બાગમાં ચાલવા આવે. તે બન્નેની આ પળ એટલે રાગ રાગિણીનું મિલન.. જેટલો સૂર સરગમનો મીઠો એટલી જ માલવની સિતારની સરવાણી મીઠી.
બન્ને એકબીજાથી અજાણ હતાં. બન્ને કંઈક જગ સાથે લઢી રહ્યાં હતાં..રાગનું કેવું છે જાત જાતનાં રાગો ગવાય છે. મલ્હાર રાગ, ભૈરવી તો માલ્કોશ તો અગન રાગ.. ક્યાંય ન છેડાય તેવી દાહ. બૈજુ ને તાનસેનની આ મીઠી તકરારમાં મૂંગા પશુ પણ કેવા ખેંચાઈ આવ્યાં હતાં. રાજકુમારી માટે દાહ ભોગવી તાનસેને દીવા પ્રગટાવી દીધાં હતાં. યમન રાગથી પ્રભુને રીઝવી બૈજુએ આગ ઓલવી હતી, પત્થરને પાણી બનાવી દેવાયું હતું.
સંગીતની આ શક્તિથી અજાણ મદનશેઠ સાવકા દીકરાને યાતના પહોંચાડતા. તેના રીયઝનાં સમયે તેને હેરાન કરતાં, તે માને પણ કંઈજ કહી શકતો નહિ. જયારે સરગમને ત્યાં સરગમનાં સ્વરો નીકળતા કે આખું ઘર મંત્રમુગ્ધ થઈ સાતસૂરોમાં ડૂબી જતું.
આજે ટાઉનહોલ ખિચોખિચ ભરેલો , તેમાં દેશમાંથી અનેક સંગીતકાર ને ગીતકાર ભેગા થયાં હતા, એક પછી એક બધાંનો વારો આવી ગયો. સિતારવાદન પણ માલવનું પત્યું પણ સરગમનાં સંગીતકાર પહોંચ્યા જ નહોતા. માલવે આ જોયું તેણે..ચિંતાગ્રસ્ત સરગમને પૂછ્યું,” કંઈ મદદ કરી શકું?”
સરગમની આંખમાં આસું આવી ગયાં, તેણે કહ્યું,’મારા ગીતનાં સૂર કેવી રીતે રીયાઝ વગર આપ એકલી સિતાર પર છેડી સકશો?”
મિલાપે ગીત ગણગણવા કહ્યું. રાગ શરૂ થયો તો મિલાપે સિતાર પર રાગીણી છેડી.. સરગમ ધૂન સાંભળતા જ મિલાપને બધાંની વચ્ચે જ વળગી પડી.
કંઈક ખુલાસા બાકી હતાં. મંચ પર સરગમનું નામ જાહેર થયું ને મંજૂરી લઈ મિલાપે તેને સાથ આપ્યો.. કારણ રોજ સવારની કુદરતે ગોઠવેલી રીયાઝની વેળાએ આ જ સૂર ને સૂરાવલી સાંભળતા જ ઐક્ય બનેલી હૃદયની ધડકનને ઓળખની જરૂર ન પડી. લોકો મંત્રમુગ્ધ થઈ આ રાગ રાગીણીનાં મિલનને સાંભળતાં જ રહ્યાં.. વન્સમોર ને તાળીઓનો ગડગડાટ ને ચાર આંખોનો હર્ષ નવી દુનિયા રચતો ગયો.રાગ રગીણી એકમેકનાં થઈ ગયા પલભરમાં.
જયશ્રી પટેલ
૩૧/૩/૨૧
****†*†****†*†**************** *********
[NOG. SS NO :.0001
વિષય :– રાગ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :–રોગોમાં ઉપચારક ‘રાગ ‘.
રાગ એટલે શું ? તો એમ કહી શકાય કે જે મનને આનંદ આપે તેવી આરોહ અવરોહવાળી વાદી સંવાદી સહિતની નિયમબદ્ધ રચનાને રાગ કહે છે.
આપણે વાત કરીશું રોગનો ઉપચાર કરવા માટે કેવા કેવા રાગ ગવાતાં હોય છે. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે રાગમાં જ રોગની સારવાર છુપાઈ છે. અને પહેલાંના સમયમાં આ પદ્ધતિ ખૂબજ અસરકારક સાબિત પણ થયેલી છે.પણ કયા રોગમાં કયો રાગ ઉપચારક સાબિત થાય એની પણ સચોટ માહિતી હોવી ખૂબજ જરૂરી છે. જેમકે તણાવ માટે દરબારી રાગ તો માથાનાં દુખાવા માટે ભૈરવી રાગ ઉપયોગી છે. અલગ અલગ બિમારીઓ માટે અલગ અલગ રાગ ગવાતાં હોય છે.
માનસિક તણાવ ઓછો કરવા માટે રાગ કાફી તો મનની એકાગ્રતા વધારવા માટે રાગ યમન ગવાય છે. રાગ યમનથી મનની એકાગ્રતા તો વધે જ છે પણ સાથે સાથે રાગ યમન ઉત્સર્ગતંત્રનાં રોગોમાં પણ ફાયદાકારક છે. દરેક રાગનો પોતાનો એક ગુણધર્મ હોય છે. તેમાંથી નીકળતા સ્વર અને એમાંથી જે ભાવ ઉત્પન્ન થાય છે એનાથી શરીર અને મન પર એક આહલાદક (આહ્લાદક) વાતાવરણ બંધાય છે. અને એનાથી રોગ પર નિયંત્રણ આવે છે.
આ રાગ સાંભળવાથી મન શાંત થાય છે. અને તણાવ પણ દૂર થાય છે. પેટનાં રોગો થતાં અટકે છે. કોઈપણ રોગનાં ઈલાજ માટે ગવાતાં રાગ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મગજ સુધી પહોંચે છે અને એમાં એક સંવેદનાનો અનુભવ થાય છે એની અસર પણ મગજ સુધી પહોંચે છે એનાથી મગજ તાજગી અને શાંતિ અનુભવે છે. આમ એક દર્દીને આ રાગ સાંભળવાથી શાંતિ મળતાં પોતાનાં દર્દનો અહેસાસ ઓછો થતો જાય છે. અને એનામાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. પરિણામે દર્દીમાં રહેલાં તણાવનું પ્રમાણ ઘટે છે અને એની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આમ આ પરથી કહી શકીએ કે ‘ યમન ‘ રાગ મનની એકાગ્રતા વધારવા માટે ઉપયોગી છે તો કોઈપણ રાગ દર્દીઓને કોઈને કોઈ રીતે ઉપચારક નીવડે જ છે.
પ્રદિપ રાવલ . સંચાલક.
*************************†**** ************
NOG SS No ; 0055
વિષય : રાગ, રાગિણી
પ્રકાર : ગદ્ય
શીર્ષક : નવો રાગ
**********************
આજે સૌ કોઈ ખુશ હતાં , ખરેખર કોઈને જ કલ્પના નહોતી કે આવી રીતે મળીશું.
સૌ કોઈ અનુરાગની કોઠાસૂઝ વખાણી રહ્યાં હતાં આખરે કોલેજ છોડ્યાના પચ્ચીસ- પચ્ચીસ વર્ષો પછી સૌ મિત્રો ફરી મળ્યા હતાં, ફકત અને ફકત અનુરાગના દ્રઢ પ્રયત્નોના લીધે. સૌ કોઈ બદલાય ગયાં હતાં, પરાણે કાળા કરાયેલા વાળ તો કોઈને લબડી ગયેલું પેટ. કોઈ ગોલ્ડન ચશ્માની ફ્રેમ દ્વારા વધુ મોહક લાગતું હતું તો કોઈ ૪૫ અંશના ખૂણે વળી પણ ગયું હતું.
એકમાત્ર રાગિણી અકબંધ હતી , એવી ને એવી જ.. તેના કદ- કાઠી નહોતા બદલાયા. હા, આંખો શુષ્ક અને ચહેરો ફિક્કો ચોક્કસ લાગતાં પણ કોઈ જ નહોતું જાણતું કે વૈધવ્યનો ભાર તેને અંદરથી દઝાડી રહ્યો છે સિવાય અનુરાગ.
આજે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યા બાદ તે આતુર હતો પોતાના દિલની વાત કહેવા , જે તે વર્ષો પહેલાં નહોતો કહી શક્યો અને અચાનક જ તેની પ્રિયતમા તેની જિંદગીથી સરી ગઈ હતી….અને તે હજી પણ તેના વિરહમાં તપી રહ્યો હતો , ફકત એક “હા ” માટે
” રાગિણી, હજી પણ હું તને બહુ જ પ્રેમ કરું છું, શું તું મારી જિંદગીનો નવો રાગ બનીશ ? તારા વગર આ જીવનની સરગમ અધૂરી છે. શું તું મારા જીવનની નવી રાગિણી બનીશ? ”
એ શુષ્ક આંખો જાણે આ જ સવાલની વર્ષોથી રાહ હોય તેમ ચમકી ઉઠી અને શરમથી ઝૂકી ગઈ.
“હા” હવે તેના જીવનમાં નવો જ રાગ છેડાઈ ચૂક્યો હતો..
શ્રદ્ધા ભટ્ટ
વાપી
01/04/2021