ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આજે સાત રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે
વિષય . ગદ્ય ૩ રચનાઓ શિક્ષણ વિષયક અને ૪ રચના ચકલી દિવસ
.. સંપર્ક સૂત્રો….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
NOG SS NO:004
પ્રકાર : ગદ્ય
વિષય: *શિક્ષણ ,કેળવણી,તાલીમ, ભણતર અને અભ્યાસ*
શીર્ષક: *ભણ્યો પણ ગણ્યો નહિ.*
ભણતર એટલે શાસ્ત્રીકાકા માટે મુદ્દાનો પાયો, જીવનમાં ભણતર નહિ ત્યાં ગણતર નહિ, માનનારા તેમનો
દીકરો પોપટ હતો ભણવામાં પણ કાકાને કોણ જાણે કેમ સંતોષ જ નહોતો. મારી મારી બે માર્કસ એછા આવે તો અધમૂઓ કરી દેતા. દીકરો આશુ પણ નઠારો થઈ ગયો હતો. માર ખાઈ લેતો પછી પાછો ફરિયાદ કે દાદ પણ કરતો ન માંગતો.
બાજુમાં રહેતા ગંગામાનો રોશન ભણવામાં ઢીલો પણ કર્તવ્યનો પાક્કો હતો, તે ક્યારેય ગામમાં કોઈની હાકલ પડે ના પહોંચે એવું બને જ નહિ. ઘણીવાર ગંગામાનો જીવ તે અધ્ધર કરી દેતો. ત્યારે ગંગામાનાં હાથે ઝાડૂએ ને ઝાડૂએ માર ખાતો. ક્યારેય તેણીનો હાથ ન પકડી લેતો, માર ખાઈને પણ એનો એ જ રહેતો. આમને આમ વર્ષો વિતતાં ગયાં અને બન્ને મોટા થતાં ગયાં. રોશનનું ભણવાનું હવે ધીરે ધીરે છૂટતું ગયું, બાપાની ખેતીમાં વધુ ને વધુ ધ્યાન આપતો થઈ ગયો.
તેણે તેમાં રસ પણ હતો.
આશુને શાસ્ત્રીકાકાએ અભ્યાસ માટે શહેરમાં મૂક્યો બસ પછી તો જોવાનું જ શું? પૈસા અને છૂટ બન્નેને
લીધે તે બેકાબૂ થઈ ગયો.ઘરે આવવું નહિ મહિને બે મહિને પૈસાની માંગણી કરવીને ભણતરનાં નામે બાપને છેતરવા. ત્રણ વરસ વીતી ગયા..ભણતરનાં છેલ્લા વરસે
આશુએ પરદેશ ભણવા જવાનું તૂત ઉભુ કર્યુ. શાસ્ત્રીકાકાઅ તેને પરદેશ મોકલવા વધુ ને વધુ પાઠપૂજાનાં ચક્કરો ગામડે ગામડે મારવા માંડ્યાં. તેને મોકલ્યો પણ.
રોશને ખેતીમાં ગામમાં નવીન પ્રયોગો કરી આવડત પ્રમાણે કાર્ય કરતો રહ્યો એની પાસે શિક્ષણ હતું ,પણ ગંગામાની કેળવણી ને તાલીમ પણ હતાં. ધીરે ધીરે આજુબાજુનાં ગામોમાં પણ તેની આ પ્રસિદ્ધિ એટલી થઈ કે તેને ગામનાં સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યો.તેના આ પરિશ્રમથી ગામનું નામ ચોરેનેચૌટે ખ્યાતિ પામ્યું. તેણે
ગામની શકલસૂરત બદલી નાંખી.
શાસ્ત્રીકાકા આ બધું જોઈ પોતાની કેળવણીને જબરજસ્તીના અભ્યાસ માટે ખૂબ પસ્તાવો કરતા રહ્યાં.
આશુ આજે આવશે કાલે આવશેની આશામાં ને આશામાં તેમનું ઘડપણ વિતાવતાં રહ્યાં. જીવનમાં તેઓ હારી ચૂક્યા. ગણત્રીમાં પાછા પડ્યા.
અહીં મારે આ વાર્તા દ્વારા એટલું જ કહેવું છે *ડરથી કે જબરજસ્તીથી અપાતી કેળવણી સરકસના રીંગમાસ્ટર જેવી છે, ક્યારેક કમાન છટકે તો જાનવર રીંગમાસ્ટરની સામે થાય, તેવી જ રીતે મનથી કરેલી ને ઋચી પ્રમાણે મળેલી કેળવણી માનવીને સૌમ્ય અને કર્મનિષ્ઠ બનાવે છે*
જયશ્રી પટેલ
૧૪/૩/૨૧
****†**********†*************************
NOG SS No. – 0063
NOG. સાહિત્ય સરિતા
વિષય – શિક્ષણ
વિભાગ – ગદ્ય
પ્રકાર – લેખ
શિક્ષણ.
શિક્ષણની જરૂરિયાત.
કેવા પ્રકારનું શિક્ષણ?
કોણ આપશે આ શિક્ષણ?
શિક્ષણ શબ્દનો જ્યારે પણ ઉલ્લેખ થાય,એટલે સૌથી પહેલાં માતા-પિતા અને પછી શિક્ષકોની તરફ આંગળી તાકવામાં આવે.
હા,આ બન્નેનો આપણા જીવનઘડતરમાં બહુ મોટો અને મહત્વનો ફાળો છે. સમાન ભણતર અને ગણતર મેળવવા છતાંય કેમ બધાંનાં વાણી ,વર્તન અને વિચારો અલગ હોય છે અથવા અલગ વિકસે છે?
ઘણાં તબક્કે જોયું કે વ્યક્તિ સાંભળે,સમજવાનો ડોળ પણ કરે.પરંતુ, અમલમાં મુકવામાં ક્યાંક ચૂકી જાય છે!
બહેન આયેશાને મુશ્કેલીમાં પરિવારનો સાથ મળ્યો જ હતો. પરંતુ, કોઈ વ્યક્તિ વિશેષ પાસેથી વધુ અપેક્ષા, ક્ષણિક આવેગ, ઝઝૂમવાની તાકાત અને જીવનમાં જીજીવિષાની ઉણપે એક વ્યક્તિ દ્વારા અપાયેલા આઘાત અને અવહેલનાએ એને તોડી નાખી. મારા, તમારા જેવી દરેક સંવેદનશીલ વ્યક્તિ દિવસો સુધી ઉંઘી નહીં શકી હોય. આપણે કંઈક ચૂકી ગયાં,કશેક નાપાસ થયાની લાગણી અનુભવીએ છીએ.
ત્યારે થાય કે, ક્ષણિક આવેગો, અણધારી મુશ્કેલ પરીસ્થિતિ વગેરે સામે લડતાં કોણ શીખવે?
આપણી માનસિકતા અહીં બહું મોટો ભાગ ભજવે છે. ખરાબમાં ખરાબ સંજોગો પણ હંમેશાં નથી જ રહેતા. વૈચારિક મજબૂતી વડે ગમે તે પરિસ્થિતિમાંથી રસ્તો કાઢીજ શકાય. એ પ્રકારની માનસિકતા જો સંસારમાં ઉજાગર થઈ શકે કે કરી શકાય, તો ઘણી આયેશાને ઉત્તમ જીવનરાહ માટે ઉર્જા આપી શકાય.
ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન જેવા શબ્દો, એ સામાન્ય જનજીવનનો જાણે ભાગ બની ગયા છે. જીવનમાં મુશ્કેલી, નિરાશા, ક્ષોભજનક સંજોગો વગેરે આવવાનાં જ છે. પરંતુ, જ્યારે આખેઆખા કુટુંબો હારી ને અઘટિત પગલું ભરે, વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ અનમોલ જીવનથી હાર સ્વીકારે..ત્યારે થાય કે આપણી, આ સમાજની ક્યાંક સમજણરૂપી શિક્ષણ કેળવણીમાં બહુ મોટી ચૂક રહી ગઈ છે.
શાળા અને સમાજમાં ‘યોગ્ય’ ભણતર અને ગણતર બન્નેની સવિશેષ તાતી જરૂરિયાત છે.
તો ચાલો, આજે આપણે એક સંકલ્પ કરીએ, ‘નિસ્વાર્થભાવે હું કોઈપણને માનસિક મજબૂતી માટે શક્ય એટલી મદદ કરીશ અને એક ઉજ્વળ સમાજઘડતરમાં ફાળો આપીશ.’
કારણ કે,
‘સંકલ્પથી સિદ્ધિ અવશ્ય મળે છે.’
– રીટા ભાયાણી
મીઠાપુર.
*††***********††*************************
NOG SS No:: 87
વિષય ::અભ્યાસ, શિક્ષા
વિભાગ ::ગદ્ય
પ્રકાર ::લેખ
શીર્ષક ::ભણતર નું મહત્વ
ન ચોર હાર્યમ્ ન ચ રાજા હાર્યમ્
ન ભાતૃભાજયં ન ચ ભારકારી,
વ્યયે કૃતે વર્ધતે એવ નિત્યમ
વિદ્યાધનમ સર્વધનં પ્રધાનમ્
અર્થા્ત વિદ્યારુપી ધન કોઈ ચોરી શકતું નથી, રાજા લઇ શકતો નથી. એનો કોઈ ભાર નથી અને ખર્ચ કરવાથી વધે છે. ખરેખર વિદ્યારૂપી ધન સર્વશ્રેષ્ઠ છે.
ભણતર દ્વારા માનવનું ઘડતર થાય છે. ભણેલી ગણેલી વ્યક્તિ સમાજમાં માન સન્માન મેળવે છે. આવી વ્યક્તિ બદલાતી પરિસ્થિતિ સાથે તાલ મેળવી શકે છે.વિદ્યા માણસને સુસંસ્કૃત બનાવે છે. ભણવાથી માનવી આપણી આસપાસ વિસ્તરેલી દુનિયા પ્રત્યે સભાન બને છે. સુશિક્ષિત સમાજના વાણી, વર્તન શિસ્તબદ્ધ હોય છે. માણસે વિદ્યાભ્યાસ દ્વારા જ વિકસિત અને સુખી જીવન પ્રાપ્ત કર્યું છે. કહેવાય છે ને કે વિદ્યા વિહીન નર પશુ. અર્થા્ત વિદ્યાવિહીન માણસમાં અને પશુ, પક્ષીમાં કોઈ ફરક નથી.
કુટુંબની જવાબદારી નિભાવવા માટે, આજીવિકા મેળવવા માટે વિદ્યા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે.
મહિલાઓ શિક્ષિત થશે, આર્થિક રીતે મજબૂત થશે તો ગરીબી ઘટશે. મહિલા શિક્ષિત હશે તો તે વધારે સારી રીતે બાળકોનો ઉછેર કરશે. શિક્ષિત મહિલા એક સારી માતા,એક સારી કર્મચારી અને એક સારી દેશનિવાસી હશે. આપણી આબાદીનો અડધો ભાગ મહિલાઓ છે તેથી તેમનું પણ દેશના વિકાસમાં યોગદાન જરૂરી છે.
મોંઘવારીના આ યુગમાં શિક્ષા એક વરદાન છે. મધ્યમવર્ગીય પરિવારોમાં ખર્ચા પૂરા કરવામાં શિક્ષિત મહિલા મદદ કરે છે. રથનાં બે પૈડાં સમાન સ્ત્રી પુરુષ બંને નોકરી કરે તો ઘરની આર્થિક સમૃદ્ધિ વધે છે.
શિક્ષિત વ્યક્તિના વિચારો વિસ્તૃત હોય છે.સમાજની આવશ્યકતા અને સમસ્યાઓથી તેઓ પરિચિત હોય છે. તેઓ સત્ય, અસત્યનો ભેદ પારખી શકે છે તથા પરિવાર અને દેશ માટે સારા નિર્ણયો લઇ શકે છે. આ રીતે સમાજ પ્રભાવિત થાય છે અને સામાજિક પરિવર્તન આવે છે.સામાજિક ક્રાંતિ વિદ્યાભ્યાસ વિના શક્ય નથી.
મહિલા એક શક્તિ સ્વરૂપ છે બસ એને પૂરતી તક મળવી જોઈએ. પરિવારોમાં છોકરીઓનાં દહેજ માટે પૈસા ભેગા કરવા કરતા તેમના શિક્ષણ માટે પૈસા ખર્ચ કરવા જોઈએ. શિક્ષણ છોકરીઓને આત્મનિર્ભર બનાવે છે. શિક્ષિત મહિલા આર્થિક રીતે સ્વતંત્ર હશે. જીવનનાં પડકારો ઝીલવા સક્ષમ હશે. પોતાના અધિકારો વિશે સભાન હશે.શિક્ષિત મહિલાઓમાં એક અજબ આત્મવિશ્વાસ હોય છે.જો માતા સુશિક્ષિત હશે તો સંતાન પણ સુશીલ અને સુશિક્ષિત હશે. શિક્ષિત ગૃહિણી શિક્ષણનું મહત્વ જાણે છે.
એક પુરુષને શિક્ષિત કરવાથી રાષ્ટ્રનો એક ભાગ જ શિક્ષિત થશે જયારે એક સ્ત્રીને શિક્ષિત કરવાથી પૂરો દેશ શિક્ષિત થશે.
✍🏻વંદના દયાળ
(સુરત)
******************************************
વિશ્વ ચકલી દિવસ
NOG SS NO:83
વિષય : વિશ્વ ચકલી
દિવસ
નાનપણમાં બહુ સતાવેલી
તેથી કદાચ મારાથી ભાગેલી.
રમવા મારી સાથે નથી આવતી
એ વગર કોઈ રમતું ન ફાવતી.
આયને મારી ચાંચ પજવતી
છબીઓ પાછળ માળા કરતી.
દાદી એની વાર્તા કરતી
એ વાર્તામાંથી સૌએ ભૂંસી નાખી?
ચીં ચીં કરતી ચકલી પીંખી નાખી?
યાદ કરી બસ દિવસ ઉજવીએ
આવું ને આવું ક્યાં લગ કરીએ?
પાછા ધરોહર સંભાળવાનો ડોળ કરીએ?
ગરવી….જ્યોતિ પરમાર.વડોદરા
******************************************
NOG SS No : 0079
પ્રકાર : પદ્ય
વિષય : ચકી
શીર્ષક। સાંભળો
ચકલીનું ચીં ચીં સંભળાયું
પથારીમાંથી ઉઠવું પડ્યું
મનડું મારું મુંઝાયું
ચોખાનો દાણો લાવું
કે
મગની દાળ લાવું
ચાલને મનવા
ઘી ઉમેરી સરસ મજાની
ખીચડી આજે ખવડાવું
આવ રે ચકી ચકાની સંગે
ખીચડી તમને ખવડાવું
—————-
ખીચડી ઝાઝી બનાવી છે
મન થાય તો તમે પણ પધારશો
પ્રવિણા કડકિઆ.હ્યુસ્ટન.અમેરિકા
******************************************
NOG SS No – 0050
પ્રકાર – મૌલિક કવિતા.
વિષય – વિશ્વ ચકલી દિવસ.
………………………………..
ચકી બેન , ચકીબેન..!
મારી ઘરે આવજોને રહેવા..!
ગમશે મને , ગમશે મને..!
તું આવને મારે ઘરે માળો બાંધવા તો ..!
ગમશે મને , ગમશે મને..!
ચણમાં આપીશ તારું ,
મનગમતું ખાળુ..!
નહી કહું તને કે ,
ચકીબેન ચોખાનો દાણો
લઈ આવ..!
ને નહી ક્હું ચકાભાઈ ,
તું દાળનો દાણો લઈ આવ..!
અમે તો ગળા બાવજી છીએ..!
રોજ ખવઙાવીશ..!
શીરો ને લાપસી ..!
ખીર ને મોતીચુરના લાઙુ !
આવશે મજા તને મારે ઘેર હોં કે..!
સાથે મળીને મીજબાની મનાવશું..!
તો આવીશને ચકીબેન..,
આવીશને ચકાભાઈ..!
હું પણ તો તારા જેવું પ્રભુએ બનાવેલો જીવ જ છું
તને મારી સાથે ફાવશે ને..!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
*†******************************†********
NOG SS No : 001
પ્રકાર : ટૂંકી વાર્તા
શીર્ષક : સંચાલક ની સત્ય ઘટના……
મારે ચકા, ચકીનું વિશ્વ ચકલી દિન નિમિત્તે રચના મોકલવાનું આ ગ્રુપ ની ચકલીઓ અને ચકલાઓની એકદમ રચનાઓ આવવાનો મારો શરૂ થયો એટલે બધી રચનાઓ વાંચવા સાંભળવામાં રહી ગયું અને સમય પૂરો થઈ ગયો…પેપર બનાવવામાં સમય વાહી ગયો….અત્યારે .ભૂખ લાગી એટલે યાદ આવ્યું.
હવે કહી દઉં…વાસ્તવિકતાની વાત…
મે કહ્યું ,”લે ચોખા અને લાય દાળ ખીચડી બનાવી જમીએ…”
ત્યાં જવાબ NOG યુ ટ્યુબ ચેનલ ડાયરેક્ટર (મારા ધર્મ પત્ની મીનાક્ષી) આવ્યો ,”દાળ લાવાનો સમય નથી, ચકલી દિવસના વિડિઓ મોડા આવ્યા એટલે બનાવવામાં વ્યસ્ત છું..”પછી મે (સંચાલક) ચકા એ એકલાએ ચોખા નો તવા પુલાવ બનાવી જમવાનો વિચાર કર્યો…..એવામાં અમારી ચકી બોલી,”હમણાં ઊભા રહો રાહ જુવો…નહિ તો મુખ્ય નિર્ણાયક ને બોલાવી નિર્ણય લેવો પડશે.”
બોલો હજુ પેટમાં બરાડા બોલે છે. હવે પુલાવ કે ખીચડી?…
હવે એ ચકા અને ચકીની ખીચડીની વાર્તા જૂની થઇ ગઇ….હવે તો એટલે જ ભાજી પાઉં અને તવા પુલાવ,જીરા રાઈસ જાત જાતના દાળ વિનાના રાઈસ વધારે ચાલતા લાગે છે….દાળ તડકા,દાળ મખ્ખની,પીળી દાલ…
મારી આ વાસ્તવિક ઘટના ને મારી ચકલી દિવસની રચના….નિર્ણાયક દાદી.દીદી માન્ય રાખજો….
પ્રદીપ રાવલ….