ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મા આજે સભ્યો ની સાત ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વિષય : પિતા.માતા.સંતાન…સંપર્ક સૂત્રો…….
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મુખ્ય નિર્ણાયક : જયશ્રી પટેલ
સભ્ય લેખક : શીલા પટેલ, રીટા ભાયાણી,ફાલ્ગુની વસાવડા, વર્ષા જાની, પરેશા ભટ્ટ, જયકાંત ઘેલાણી,નયના પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews(સાહિત્ય સરિતા)(ચાર વિડિયો)
NOG SS No :- 0038
વિભાગ :- ગદ્ય
શીર્ષક :- મા બાપ
માની મમતાની ધારા તો સતત વહેતી હોય છે.મા એના વ્હાલમાં બાળકને ભીંજવતી હોય છે પછી ભલે ને એનું સંતાન નાનું હોય કે મોટું.મા ને માટે તો દુનિયામાં સૌથી સુંદરને ગમતો જો કોઈ નજારો હોય તો એના બાળકનું હાસ્ય.મા હયાત હોય કે ના હોય પણ એ હંમેશા બાળકના અસ્તિત્વમાં સમાયેલી છે.
મા કેટલો પ્યારો શબ્દ. એની તોલે કોઈ ના આવે.દુનિયાના બીજા સબંધ હિસાબ માગશે લાગણીઓનો, જ્યારે મા ને બાપ એ પોતાના સંતાન માટે લાગણીનાં ધોધ વહાવે એ પણ કોઈ જાતના હિસાબ વગર.
હું પણ 17 વર્ષની ઉંમરે મમતાનો આંચલ છોડીને સાસરીમાં આવેલી. એજ્યુકેટેડ પરિવાર પણ દાદાના વચનને માન આપી દિલ ઉપર પથ્થર મૂકી મા એ મને સાસરીમાં મોકલી હતી.19 વર્ષે મારાં દિલમાં મા ની મમતા વહેવા લાગી હું દીકરીની મા બની.
મા ની મમતાની છાયા છોડી આવવું બહુ મુશ્કેલ હતું.
હરક્ષણ એની હાજરીને મહેસુસ કરતી ગઈ ને મારું ઘર સાચવ્યું.
પિતાની વાત આવે તો બસ એટલુંજ કહેવાનું મન થાય કે ઉપરથી
પથ્થર જેવા લાગતાં પિતાનું હૃદય ખુબજ કોમળ હોય છે.હરપળ
સંતાન કાજે સંઘર્ષ કરતાં પિતાની મહાનતા મા કરતાં ઓછી ક્યારેય આંકી ન શકાય.
✍️શીલા પટેલ ” આકાંક્ષા ”
*”***”*****************††*****************
NOG.સાહિત્ય સરિતા
NOG SS No. : 0063
વિષય : માતા-પિતા અને સંતાનો
પ્રકાર : ગદ્ય
શીર્ષક : સંબંધોની પરિભાષા
પ્રેરણાશ્રમની બાજુમાં થી પસાર થવું, એ મારી રોજીંદી ક્રિયા હતી. તમને થશે એમાં નવું શું છે? કોઈપણ વ્યક્તિ વ્યવસાય અર્થે બહાર નીકળે તો ક્યાંકને ક્યાંકથી કે કોઈક રસ્તેથી પસાર તો થાય જ ને..!
મિત્રો, પણ પ્રેરણાશ્રમ એક અલગ જગ્યા છે. એ જેમ ‘ડે સ્કુલ’ હોયને, એમ ‘ડે વૃધ્ધાશ્રમ’ છે!
ચમક્યાને..!
હું પણ આવોજ આશ્ચર્યજનક સ્થિતિમાં મુકાયો હતો. અંદરથી એક દુઃખની,પીડાની લાગણી થઈ. અહીં પોતાના જન્મદાતાને મૂકી જતાં દરેક માટે ધ્રૃણા ઉપજી.
અલગ જ ટેગલાઈન વાળી જગ્યા..
‘પ્રેરણાશ્રમ’
(અ ડે ઓલ્ડએજ હોમ)
મને, એ જગ્યા વિશે જાણવાની તાલાવેલી લાગી. વળી લાગ્યું, ઉજળા નામ હેઠળ પોતાના કૃત્યો છુપાવવાનો સફેદ પ્રયાસ કોઈ મહાબુદ્ધિશાળીએ કર્યો લાગે છે. બાકી, વૃધ્ધાશ્રમ એટલે વૃધ્ધાશ્રમ. તમારી જવાબદારીઓથી, ફરજોથી હાથ ખંખેરવાનો જઘન્ય પ્રયાસ કે ગુનો. પરંતુ, આજે સવારે એક પુત્ર પોતાની લક્ઝુરિયસ મોટરમાં માતાપિતાને આશ્રમના દરવાજે ઉતારતાં દેખાયો. મારા આશ્ચર્ય વચ્ચે પુત્રના મુખ પર લગીરે ગ્લાનિ કે શરમ ન મળે અને વડિલો પણ હસીખુશી અંદર ગયાં..!એક ભાઈ અંદરથી આવી એમને લઈ ગયાં ને ગાડીવાળા શેઠને ઝૂકીને સલામી ભરતા ગયા!
‘હાં ભૈ, પૈસા બોલતા હૈ…!’
મારા પગે ગતિ પકડી, ને હું એ કહેવાતા નકારા પુત્રની લગોલગ જઈને ઊભો. એણે મારી સામે સ્મિત કરી કહ્યું : ‘હું ઘણી વખત તમને અલગ રીતે આ તરફ નજર ફેરવતા જોઉં છું અને હા તમારા મનમાં ઉઠતાં સવાલોના વાવાઝોડા વિશે પણ જાણું છું. કેમકે,એ દરેક પ્રશ્નો અહીંથી નીકળતી વ્યક્તિને થવાના જે અમે બધાજ અહીં આવતા દરેક વડિલોના પુત્ર-પુત્રીઓ જાણતાં હતાં અને જાણીએ પણ છીએ.’
‘અમે બધાં’, ફરી ચમકવાનો વારો મારો હતો.
જી..હા, અમે સાતેક છોકરા-છોકરીઓ શાળા સમયથી સાથે હતા. પૈસેટકે સંપન્ન પરિવારના અમે ભણીગણીને આગળ વધ્યાં. ઘરપરિવાર વસાવ્યાં. પરંતુ, છેલ્લા પાંચેક વર્ષ પહેલાં અમે મળ્યાં,ત્યારે દરેકને એકજ પ્રશ્ન કોરી ખાતો હતો. નિવૃત્ત માતા-પિતાની એકલતા. જેનું અમે ઈચ્છવા છતાંય નિરાકરણ નહોતા લાવી શકતાં. પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય, બાળકો એના ભણતર અને ઈતર પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય. બધાનો સમાન પ્રાણપ્રશ્ન કે આ ચોમેર હૈયાહોળીમાં, મનથી ઝંખના છતાં માતા-પિતાને સમય નથી આપી શકતાં.જેનું દુઃખ અને વસવસો છે પણ ઉપાય નથી. ઘરે રસોયા, કામવાળા, એમની સંભાળ માટે અલગથી વ્યવસ્થા કરી છે. પણ ક્યારેક લાગે કે એ લોકો એમના હમઉમ્રને ઝંખે છે. બધું હોવાછતાં એ લોકોને ઉંડે ઉંડે કંઈક ગ્લાનિ છે.
અને..
સ્ફુર્યો એક વિચાર..
જમીન ખરીદી, સગવડતાઓ વાળા રુમ, મંદિર, બગીચો, રસોયાની વ્યવસ્થા સાથે રસોડું, ઈનડોર-આઉટડોર રમતની સગવડતા, જીમ, નાનું થિયેટર.. વગેરે અનેક સુવિધાઓ સાથે એક સંકુલન ઉભું કર્યું.
અહીં એ અને એના મિત્રો વગેરેને એમના બાળકો સવારે કામે જાય ત્યારે મૂકી જાય. સાંજે પાછા ફરતા લઈ જાય. શરૂઆતમાં થોડો હિચકિચાહટ, અણગમો વ્યક્ત કર્યો. પરંતુ, હવે તો રવિવારે પણ અહીં આવવાની પૃચ્છા કરે. કેમકે અહીં એમને પોતાની જ ઉંમરનાં ,સમાન વિચારધારાનાં, સરખા શોખના લોકો મળે છે. સવારે ઠઠ્ઠામશ્કરી કરતાં સ્વાસ્થ્ય અનુસાર નાસ્તો કરે, વ્યાયામ કરે, અલગ અલગ રમતો રમે, ગીતો સાંભળે, સાથે સાથે મોટા અવાજે ગાય પણ ખરાં, પોતાના સમયની સિનેમા જુએ.., આધ્યાત્મિક વાતો, ભજન-કિર્તન, નાના-મોટા પ્રવાસ, ધાર્મિક સ્થળોની મુલાકાત..
અરે.. શું.. શું.. નથી કરતાં..!
અહીં આવીને લગભગ બધાં પોતાના રોગ ને નાની-મોટી તકલીફો વિસરી જાય છે. માનોને કે બધાની દસ-વીસ વર્ષ ઉંમર વધી ગઈ છે.’
અરે, નામ પણ એમણે જ આપ્યું:
‘પ્રેરણાશ્રમ’.
‘બોલો.. મળ્યાં.. તમારા મનમાં ઉઠતાં દરેક સવાલોનાં જવાબ. હજુ એક પશ્ન હશે…
નાણાકીય વહીવટનો.
તો એ અમે વ્યવસ્થિત સરખા ભાગે વહેચી લઈએ છીએ. વળી એકબીજાનાં ઘણાં એવા મિત્રો છે જેની નાણાકીય સગવડો સાચવી પણ લઈએ છીએ. એ લોકો અંદરોઅંદર પણ એકબીજાને ખબર ન પડે એમ આર્થિક મદદ કરતા હોય છે.
સૌથી મોટી સંતોષકારક વાત એ છે કે અહીં બધાજ સ્વેચ્છાએ આવે છે. એટલે હંમેશાં હકારાત્મક વાતાવરણ હોય છે.’
એ એકીશ્વાસે બોલ્યો ને મેં જાણે શ્વાસ રોકી સાંભળ્યું.
મને થયું:
‘કાશ, દરેક શહેરમાં, દરેક ગામમાં વૃધ્ધાશ્રમ નહીં પણ આવા પ્રેરણાશ્રમ હોય.’
અહીં પૈસા નહીં,અભિગમ મહત્વનો છે.
કદાચ, માતા-પિતા અને સંતાનો વચ્ચે ઉદ્ભવતી વિનાકારણ કટુતાનું હંમેશ માટે નિરાકરણ આવી જાય.
– રીટા ભાયાણી
મીઠાપુર.
***************************************
સદગુરુ કૃપા હી કેવલમ.
NOG SS NO. 0093
વિષય- માતા.
“મા” શબ્દ જ એટલો અભિભૂત કરનારો, અને અંદર-બહાર બધે પ્રસન્નતા વધારનારો છે. મા એ એકાક્ષરી મંત્ર છે, અને એ વિશે આમ જુઓ તો મા બન્યા સિવાય ખબર પડતી નથી. એટલે મહત્વ જરૂર જણાયું હોય, બાળપણનાં એ દિવસો આજે પણ યાદ કરીએ, તો એના વગરની એક ઘડી પણ મુશ્કેલ હતી, અને આજે પણ પરિસ્થિતી તો કદાચ એવી જ છે. પરંતુ પોતે મા બન્યા પછી આ સંબંધનું મહત્વ વધારે સમજાયું, એ હકીકત છે.એક યુવતી હોવું, સ્ત્રી હોવું, મહિલા હોવું, કે નારી હોવું એ બધા જ બાહ્ય રૂપ એ કદાચ એક સમાન લાગે, પરંતુ મા હોવું એ એક અનન્ય ભૂમિકા છે. સ્ત્રી ને આપણે ત્યાં, એટલે કે ભારતીય સંસ્કૃતિમાં એક દેવીની ઉપમા આપવામાં આવી છે, પરંતુ દુનિયામાં મા બનાવી ઈશ્વર એ એક સાક્ષાત ઈશ્વર સ્વરૂપ સબંધ માનવ ને ભેટ આપ્યો છે. અને એટલે જ ભારતીય મનીષીઓ એ જાણતા હશે, તેથી જ હિન્દુ સનાતન ધર્મની મુખ્ય ચાર સંહિતામાં સૌ પ્રથમ માતૃદેવો ભવ છે. આજે તો વિજ્ઞાને પણ એ સાબિત કરી દીધું છે, કે જન્મનાર બાળક વહેલામાં વહેલી તકે “મા” ના અવાજ અને સ્પર્શને ઓળખી જાય છે. એટલે કે જન્મીને તરત તે સ્પર્શથી માને ઓળખે છે, અને અવાજ થી સાત દિવસે ઓળખે છે. માતાનું દૂધ એ બાળક માટે અમૃત સમાન છે, અને તેનાથી તેની શારીરિક, માનસિક, અને ચૈતસિક વૃદ્ધિ, થાય છે, અને જે બાળકને માતાનું દૂધ ન મળે તેનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ, કે પ્રમાણમાં ઓછો હોય છે. માતા એ બાળક જ્યારે ગર્ભમાં હોય છે, ત્યારથી એનું જતન કરે છે, અને તેને કોઈ આંચ ન આવે એ પ્રમાણે પોતાનું જીવન જીવે છે. એટલે કે ત્યાગ અને સમર્પણ કરવાનું ત્યારથી શરૂ થાય છે. જન્મ્યાં પછી તો કઈ કેટલી અઘરી ઘડીઓ આવે છે, જ્યારે માતાએ કેટલા બલિદાનો આપ્યા હોય છે. દુનિયાની દરેકે દરેક મા આવું કરે છે, એવું નથી કે શિક્ષિત મહિલાઓ કરે, કે રૂપિયા પૈસા વાળી માતાઓ જ કરે. અહીં તો મા કહ્યું એટલે પૂર્ણ, પછી તે ઝૂંપડામાં રહેતી શ્રમજીવીની માતા હોય, કે ઊંચા ઊંચા આવાસમાં રહેતી માતા, બંનેનું હૃદય બાળક માટે સરખી સંવેદના ધરાવે છે.હા એક વાત અલગ છે, કે એકને જન્મતા જ બધી સુવિધા મળે છે, જ્યારે બીજાને પ્રમાણમાં ઓછી વધતી માત્રામાં મળે, પરંતુ મમતાનું મૂલ્ય અહીં બંને જગ્યાએ સરખું જ છે.
જન્મયા પછીના બાળકના ઉછેરની વાત કરીએ તો બાળક માટે માતા ગઈ કાલે જે વાત કે વસ્તુ તેને અણગમતી હોય એ બધું જ એ અપનાવી લે છે, અને બાળોતિયાથી માંડીને રાતનાં ઉજાગરા પણ તે હસતે મોઢે કરે છે. માંદગીમાં પૂરતી દેખભાળ કરવી,પોતાનું બાળક સદા હસતું રહે, એ માટે એ સતત કંઈક પોતાના રોજિંદા જીવનમાં ફેરફાર કરી, નવું નવું કરતી રહે છે. કવિ શ્રી બોટાદકર ની સુપ્રસિદ્ધ રચના “જનનીની જોડ સખી નહી જડે રે લોલ” એ મુજબ દુનિયામાં સંતાનને સૌથી વધુ આનંદ તેની માતાનાં સાનિધ્યમાંથી જ મળતો હોય છે.આપણે સૌ ઈશ્વરનો એ માટે જેટલો, આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે તેણે આપણને “મા” રૂપી એક અનન્ય ભેટ આપી છે,જેની તોલે સંસારના એક પણ હીરા માણેક મુકાબલો કરી શકે નહીં.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
***”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””**
NOG SS No – 0080
પ્રકાર – ગદ્ય
વિષય – સંતાન
લધુકથા – ચણ
——————
રમેશભાઈને અગાસીમાં ચણ નાંખવા જતા સહેજ પણ મોડું થાય એટલે કબૂતરનાં ટોળેટોળાં અગાસીની પાળીએ બેસી ઘૂ.. ઘૂ.. કરવાં મંડી પડે. જેવું અગાસીનું બારણું ખૂલે અને મુઠ્ઠીએ મુઠ્ઠીએ જુવાર નાખવાની શરું થાય એટલે એકબીજાની માથે પડે એમ કબૂતર વગેરે પક્ષીઓ મસ્તીખોર બની ટપોટપ દાણાં ચણવા લાગે.
હમણાંથી ક્યારેક ઝીણાં ગાંઠિયા પણ એ અગાસીની પાળી પર મૂકતા. કાગડો તો વળી ગાંઠિયા ચાંચમાં ભરી પાણી ભરેલી ઠીબમાં ચાંચ બોળીને ગાંઠિયાં ખાતો. કાબર કે કોયલ ખાવા આવે તો ચાંચ મારીને દાદાગીરી કરતો. નિલયને પણ ગાંઠિયાં ખૂબ ભાવે.
આ નિલય…બાલમંદિરમાં મૂક્યો ત્યારે દરરોજ હીબકાં ભરીભરીને કેટલું રડતો ! એની માનો પાલવ છોડતો જ નહીં ! દર શનિવારે તો સ્કૂલ બસમાં નહીંજવાનું, પપ્પા જ મૂકવા આવે , લેવા આવે ત્યારે દુકાનેથી મનગમતો ભાગ લેવાનો એ નફામાં… ! મેળામાં જઈએ ત્યારે ય ચકડોળ, એરોપ્લેન બધામાં એને બેસવું જ હોય, એની મા કંટાળી જતી, ઊભી રહીને થાકી ય જતી, પણ આ નિલય…એક નો બે ન થતો.
પછી તો ખરેખર એક દિવસ નિલય એરોપ્લેનમાં બેસીને પરદેશ ઊડી ગયો.
એની મા ઘરકામ કરવામાં પણ ખૂબ થાકી જતી, હાંફવા લાગતી. ડોક્ટરની સલાહ પ્રમાણે બધાં રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ નોર્મલ ન હતાં. રમેશભાઈ દિલ પર લોઢાનો મણિકો બાંધીને પત્ની સામે નોર્મલ જ રહેતા.પણ એ બહું લાંબું ન જીરવાયું. એનાં પ્રાણ પણ પંખેરું બનીને ઊડી ગયા.
અવસ્થાને લીધે અગાસીનું એક એક પગથિયું એને ડુંગર ચડવા જેટલું કપરું લાગતું હતું. છતાંય તેઓ ચણ નાંખવા જરૂર જતાં.. ઊડી ગયેલા પંખીમાંથી કદાચ પોતાનું પંખી પાછું આવે એ જીવંત આશાએ…. !
વર્ષા જાની
ભાવનગર
****************************************
NOG SS No..0094
શબ્દ..”મા”.
લઘુવાતાઁ…મા.
🔅
મા..
મા બોલતા મોઢું ભરાય..
બસ એ જ મા.
અવની નાનપણથી તોફાની ચંચળ..ઘરમાં ત્રીજુ સંતાન પણ સૌથી વધુ લાડકી..ભાવનગરની દક્ષિણામૂતિઁમાં બાળમંદિરમાં પહેલાં જ દિવસે રડવાના બદલે…નાના કબાટ પર બેસવાની જીદ કરેલી..ગીજુભાઇના બાળમંદિરમાં પહેલાં જ દિવસે કબાટ પર બેસવાની માંગણી ટીચરે પૂરી કરી..સ્વતંત્રતાની સીડીનું એ પ્રથમ સોપાન…અને દક્ષિણામૂતિઁનાં શિક્ષણે અવનીને અવ્વલ પૂરવાર કરી…
મમ્મી રમાબેનની કડક શિક્ષણ અને દક્ષિણામૂતિઁની સ્વતંત્રતાનો સુમેળ થતો..
સવારે અવનીને મમ્મી કહેતી ઉઠ ચાલ તૈયાર થઇ જા…અને શાળાએ જતી..
અવનીની મમ્મીનું કડક વલણ અવનીને ખૂંચતું.
રાત્રે મમ્મી રસોઈ બનાવતા ત્રણેય ભાઇ બહેનને આંક બોલાવતી.
આંકમાં ભૂલ પડે તો વેલણનાં સોળ પડતાં..
આમ અવની મોટી થઇ કૉલેજ કરી…મમ્મીનાં કહેવાથી ન છૂટકે સિવણ ભરતકામ શીખી..
આજ અવની હિંચકે બેસીને વિચારતી હતી..
મમ્મીની શિક્ષાએ ખરેખર મને આગળ લાવી..
માનું કડક વલણ મારા માટે આશિવાઁદ બન્યું..
સમાજસેવિકા રૂપે સમાજમાં પથરાઇ..
દીકરાને પણ સારી શિક્ષા આપી…
પણ ફરી મનને પૂછતી અવની વિચારવા લાગી કે હું પણ મારી મમ્મી ની જેમ સારી મા બની શકી…તો ઉત્તર મળ્યો કદાચ હા અને કદાચ ના કેમકે…માતૃત્વની આડમાં હું વધારે પોચકી પુરવાર નિવડી દીકરાને વધુ પ્રેમ આપવામાં હુ એને બગાડતી હતી…દીકરો સ્નેહ બધી રીતે હોશિયાર પણ..આજના જમાનાની હવા લાગેલી..સ્વચ્છંદ .
બસ માની તુલના શક્ય જ નથી અને એ પણ મારી માની…
ખરેખર..દુનિયાની શ્રેષ્ઠતા કદાચ મારી માની અંદર મેં જોઇ..
પરેશા ભટૃ.
🔅🔅🔅
**************************************
NOG સાહિત્ય સરિતા (1).
NOG NO. S.S. 0059.
વિષય. ચિત્ર (પિતા-પુત્ર).
વિભાગ. ગદ્ય.
શીર્ષક. ” જીવન દાતા”.
શબ્દો. 280.
જીવન દાતા.
=======
માતા પિતા વિશે સમગ્ર વિશ્ર્વમાં, જુદીજુદી ભાષામાં અદ્ભુત અને સવિશેષ લખાયુંછે.
માતા અને પિતા માટે એક અને અલૌકિક શબ્દછે, જન્મદાતા.
જન્મદાતા, શબ્દમાં બે ને એક કરવાની વિશાળ શક્તિછે.
જન્મદાતા એટલે,
*માંગે ના હક્ક કદી,પૂરી કરે ફરજ
સદાય, તેછે જન્મદાતા.
*રંહી પોતે અંધારે, આપે પરિવારને હંમેશા પ્રકાશ,તેછે
જન્મદાતા.
*સહન કરે દુનિયાનુ દુ:ખ પૉતે,
આપે પરિવારને સદાય સુખ તે
જન્મદાતા.
સદાય વરસાવતો રહે પ્રેમ તેછે
જન્મદાતા.
જન્મદાતા, માતામાં નમ્રતાછે,
ગંભીરતાછે તો પિતામાં વિરતા
સાથે ક્ષમતા.
જે શબ્દ સાંભળતાંજ સમગ્ર વિશ્ર્વનાં બાળકથી વૃધ્ધમાં શક્તિનો સંચાર ઉત્પન થાય,ચહેરા ઉપર આનંદનો ઊભરો આવે તેવાં જાદૂઈ શબ્દો છે,
બા- બાપુજી ,
આઈ-બાબા,
મમ્મી-પપ્પા,
મમ્મા-ડેડી, શબ્દોમાં સંબોધન
અનેક,પણ તેમાં છૂપાયો છે
શબ્દ એકજ, તેછે
જન્મદાતાનો અવિરત પ્રેમ.
*આપણી ભારતીય સંસ્કૃતિએતો
જન્મદાતાને, ઈશ્વરથી પણ અદકેરું ઉચ્ચ સ્થાન આપ્યું છે.
ઉતમ ઉદાહરણ એટલે આપણાં
મંગલમૂર્તિ ગજાનન દાદાની
સમગ્ર પૃથ્વીને બદલે,માતા પિતાને
બેસાડી કરેલી પ્રદક્ષિણા.
*માતા પિતાની આજ્ઞાનું અનુપમ
ઉદાહરણ એટલે પિતા દશરથરાજા અને માતા કૌશલ્યાનો આદેશ,” ગાદીને બદલે વનવાસ” નું હસ્તામુખે
પાલન કરનારાં પુત્ર ભગવાન શ્રીરામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને સતી સીતાજી.
*માતા પિતાની અતુલ્ય સેવા માટેતો શ્રી શ્રવણકુમારજ,
જેઓએ, કાવડમાં બેસાડી
ખભે ઉંચકીને ,જન્મદાતાની જાત્રાની ઈરછા પૂર્ણ કરીહતી.
* આજના આ ઘોર કળિયુગમાં
પણ આપણાં વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઇ મોદી, માતા
હિરાબાનો, માતા તરફનાં પ્રેમને અહોભાવ સાથે ઊજાગર કરી
રહ્યાંછ,.જે સમસ્ત વિશ્ર્વને ,
આપણી ઉતમ સંસ્કૃતિનાં દર્શન
કરાવેછે.
હા, દુ:ખ આપણને એટલું છે કે
આપણે આપણી મૂળભૂત સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ.
આપણે સૌ જાગૃત બની ,આપણી “વસૂદેવ કુટુમ્બકમ”ની પરંપરાને
પૂન્હ સ્થાપીત કરવાં, સંયુક્ત પરિવારની પ્રણાલી જાળવવા, આગળ વધવું જરૂરી રહેશે.
માતૃદેવૉભવ: પિતૃદેવૉભવઃ
જન્મદાતાદેવૉભવઃ.
©️જયકાન્ત એસ ઘેલાણી
‘ પ્યારે’ .બોરીવલી.
6.2.2021.
*****************************************
NOG SS No :-.0073
પ્રકાર..ગદ્ય
શીર્ષક..માં
મા વિશે લખવું એટલે જેનો કોઈ અંત ના હોય અંનતઘણું લખી શકો…
આજે મા વિશે હું મારી માની સાચી વાત રજુ કરું છું,મારી મા છેવાડાનાં ગામડામાં રહેતી અભણ સોળ વર્ષની ઉંમરે લગ્નને 18 વર્ષે તો મારો જન્મ થયેલો ત્યારપછી બીજા બે ભાઈ બેન થયાં મારા પપ્પાને ખંભાત નોકરી મળી એટલે મારા પપ્પા એકલા ત્યાં રહેવા લાગ્યાને મારા મમ્મી અમને લઇ સંયુક્ત કુટુબમાં ખેતીકામ કરતી ,
જ્યારે હું પાંચ વર્ષની થઈ એટલે મારાં
મમ્મી મારાં પપ્પાને કહ્યું આછોકરીને ભણાવાની નથી!પણ મારા પપ્પાએ એ વાતને ધ્યાનમાં ના લીધી પણ મારી અભણ મા મને ખબર છે અમને ત્રણેય ભાઈ બહેન ને લઇ બધાંનો વિરોધ હોવા છતાંય અભણ મા બસનું બોર્ડ વાંચતા ના આવડે તોય બધાંને પૂછતી
પૂછતી ખંભાત પોંહચી મારા પપ્પા અમને જોઈ બહુ ગુસ્સે થયાં પણ મારી માએ કહી દીધું મેં જે સહનકર્યું છે એ મારી દીકરી નહીં કરે હું એને અભણ નહીં રાખુને મારી મા એ પચાસ વર્ષ પહેલાં સ્ત્રી શસક્તિકરણનો બળવો પોકાર્યો મને સ્કૂલમાં મૂકી
મારી મા મને સ્કૂલમાં મૂકી ખૂબ ખુશ થતી જાણે એને દુનિયાની બધી ખુશી મળી ગઈ,મારા પછી મારી બીજી ત્રણ બહેનો થઈ ,તોય મારા મમ્મીએ અમને ચાર બહેનોને ભણાવી આજે અમે બધી બહેનો સરકારી નોકરીમાં છીએ બધી બહેનો વેલસેટ છે. અમે પાંચેય ભાઈબહેન સુખી છીએ એનું કારણ મારી મા છે જોએ નાહોત તો આજે હું પોઝિશનમાં ના હોત. હું મારી દીકરીને ભણાવી વિદેશ ના મોકલી શકી હોત,આજે હું જ્યારે મારી મા વિશે વિચારું ત્યારે એવું લાગેકે દુનિયાની તમામ મા આવીજ હોયજે દુઃખ મા વેઠે એ દુઃખ પોતાના બાળકોને ના વેઠવાદે, મને એવું થાયકે હું મારી માનું
આ ઋણ કયારેય નહીં ચૂકવી શકું ..
નતમસ્તક મારી માને પ્રણામ..🙏🙏
નયના પટેલ..નૈન
વડોદરા..