*સવાયા શબ્દના ઉપાસકને શબ્દાંજલિ..*ફાધર વાલેસ આજે શબ્દ લોકથી સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યું છે ત્યારે ફાધરના વાચકો વિદ્યાર્થીઓ ભાવકો સ્તબ્ધ બની ગયા છે. ફાધર વાલેસ નવેમ્બર ચાર ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ રોના માં જમ્યા હતા. ૧૯૯૦માં માતાની સેવા કરવા માટે ગુજરાત છોડ્યું હતું. આજ નવેમ્બર મહિનામાં તેમણે 95 વર્ષનું જીવન પૂર્ણ કર્યું હતું. ગુજરાતી ભાષા માટે તેમણે પોતાની જાત ઘસી કાઢી હતી. અને તેમને લોકો સવાયા ગુજરાતી તરીકે ઓળખવા લાગ્યા હતા. ફાધર વાલેસે ગુજરાતી ભાષા માટે લગભગ ૭૦ પુસ્તકો અને અંગ્રેજીમાં 24, અને સ્પેનિશ માં ૪૨ પુસ્તકો લખ્યા. તેમણે પોતાના જીવનમાં મા-બાપને ખૂબ મોટું સ્થાન આપ્યું છે. એટલે જિંદગીનો છેલ્લો દસકો એમને એમની માતાની સેવા કરવા માટે વ્યતિત કર્યો. ફાધર વાલેસ ભલે જન્મે પરદેશી હોય પરંતુ તેઓ ભારતીય તહેવારો ની રંગેચંગે ઉજવણી કરતા હતા. પ્રત્યેક તહેવારો પાછળ નું ચિંતન તેઓ કરતા હતા. પ્રત્યેક તહેવારનો મર્મ સમજી ને તેનું યોગ્ય રીતે ઉજવણી થવી જોઈએ એવું તેઓ માનતા હતા. ગુજરાતી સાહિત્યને એમને ખોટ ખૂબ જ સાલસે. એમનુંગણિત અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે અજબનું સાયુજ્ય સર્જાયું હતું. ફાધર વાલેસે ગણિત જેવા અઘરા વિષયને હૃદયથી જોડીને સરળ બનાવ્યું હતું. એવું ગણિત મુખ્ય વિષય સાથે અનુસ્નાતક હતા. તેમની એક આંખમાં ગણિત અને બીજી આંખમાં ગુજરાતી વસ્તુ હતું. એમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હતું. સદાચાર, આંતર કથા, લગ્ન સાગર, પરદેશ, ગાંધીજી અને નવી પેઢી એવા અગણિત ગુજરાતી ભાષામાં પુસ્તકો આપ્યા છે.કવિ વિવેચક એવા યોસેફ મેકવાને સરસ શ્રદ્ધાંજલિ આપી છે.શાંત સરળ અને સૌમ્ય સ્વભાવે વ્યવહારે રળિયાત, સ્પેન દેશના તમે નિવાસી સોહ્યા અમ ગુજરાત!!! પાક ગુજરાતી થઈને તમે તો સહુ પર વરસ્યા વહાલ, માનવતાનો ધર્મ પ્રબોધ્યો, મોહ વાણી કમાલ!! વિહાર યાત્રા ઘરે ઘરે કરી સિંચ્યા છે સંસ્કાર, અમારી જેમ બની રહ્યા હતા રાખ્યો ન ભાર લગાર. સ્મરણ તમારા હ્રદયે થશે, સ્મિત ભર્યો શો ચહેરો રહેશે, નયન મહીં મલકતો કહેતો સાથ રહ્યો અનેરો…કુમારચંદ્રક અને રણજિતરામ સુવર્ણચંદ્રકથી ફાધર સન્માનિત હતા. ગણિત જેવા અઘરા વિષયને સાહિત્યના સ્તરે પહોંચાડનાર આ સવાયા ગુજરાતી ને શત શત નમન.
દિલીપ વી ઘાસવાળા.સુરત.
*****†*****************†*****†*************************
રંગોળી માં પૂરજો રંગ સરસ….
કે રંગીન થઈ જાશે ધનતેરસ….
રહેજો હંમેશા લાગણી ને વશ…
કે શુભ થઇ જાશે કાળીચૌદસ…
સળગાવી નાખજો નફરત ની પાળી…
કે ચમકાવતી જાશે જિંદગી દિવાળી
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ…
કે ખરેખર ખીલી જાશે નૂતન વર્ષ…
સંબંધોમાં કદી રાખવી ના ખીજ…
કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ…
દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ…
કે મહેકતી રહેંશે હંમેશા ત્રીજ…
હરખ થી થઈ જાવ લોથપોથ…
કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ…
“પ્રેમ” ની મુલાયમ પાથરી જાજમ…
વીતાવજો એકમેકથી
લાભ પાંચમ…
*યુસુફભાઇ એ પરાસરા જીએસઆર ટીસી જામનગર🍁
🙏 🙏
🌷હૂંફાળી ક્ષણો🌷
હૂંફાળી ક્ષણો એટલે એવી સુખદ ક્ષણો કે એવા અનુભવો, જે આપણને આજીવન યાદ રહેવાના છે. મમ્મીના ખોળામાં માથું મૂકીને વિતાવેલો સમય, પત્ની સાથે હિંચકા પર બેસીને પીધેલી ચા, આપણા વાળમાં દીકરીના હાથે તેલ નંખાવવું, પપ્પા સાથે કોઈ જોકસ શેર કરીને ખડખડાટ હસવું
💖જિવનની યાદગાર ક્ષણોને યાદ કરી આનંદ મેળવવો બહુ સરળ છે. ‘ફ્રિઝ’માંથી કાઢેલી કંટાળાજનક અને થીજી ગયેલી જિંદગીને, ગમતા આત્મિય જન ની હૂંફ પર ધીમા તાપે સીજવીને એમાં સ્વાદ-અનુસાર દરેકનો થોડો થોડો સમય ઉમેરીને, આ મિશ્રણને નવરાશની પળોમાં પ્રેમથી હલાવવું. થોડી જ વારમાં કાચી રહી ગયેલી જિંદગીમાંથી એક સ્વાદિષ્ટ વાનગી બની ગયાની સુવાસ આખા ઘરમાં અને જીવનમાં ફેલાય જશે. મજબૂરી કહો કે શીખ, આદેશ કહો કે શિસ્ત પણ હકીકત એ છે કે ઘરે રહીને યાદગાર ક્ષણો બનાવવાનો આવો ચાન્સ આપણને હજારો વર્ષોમાં એકવાર મળતો હોય છે. આવું ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું અને કદાચ થશે પણ નહીં. પરંતુ આપણે વૃદ્ધ થશું, ત્યારે આપણા પૌત્ર અને પૌત્રીઓને આપણે ‘કોરોના-સંસ્કાર’ની વાર્તાઓ કહેતા હશું. કોરોના એક તાકીદ છે કે કદાચ આપણે ખોટી દિશામાં દોડી રહ્યા છીએ. જે પામવાની દોડમાં, ઘર છોડીને રોજ સવારે આપણે નીકળી પડીએ છીએ, હકીકતમાં એ પામવા જેવું બધું ‘ઘરમાં’ જ છે. અત્યાર સુધી જેમને માટે કમાયા છીએ, હવે એમને કમાવાનો સમય છે. આ વિશ્વમાં ઘરથી વધારે હૂંફાળું અને રમણીય બીજું કશું જ ન હોય શકે, અને આ પ્રતીતિનો શ્રેય કોરોનાને જાય છે. -જો મમ્મી હોમ-મેકર હોય, તો પપ્પા મેમરી-મેકર છે. યાદગાર ક્ષણોનું બાંધકામ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. બાળકો સાથે એટલો સમય વિતાવીએ કે ‘મમ્મી કે પપ્પા’ પર એ નિબંધ નહીં, એક પુસ્તક લખી શકાય🍁🌷સંપાદક “મન” 🍁કેનેડા 🍁🇮🇳૧૧-૧૧-૨૦૨૦🇨🇦*****************************************:
💖જિવન યાત્રા💖
જિંદગી મળી છે અણમોલ અલબેલીછે જિવન યાત્રા જે ઇશ્વરે બક્ષેલીછે અદભૂત રસિલી રસમયમાણવા જેવીનહીં માત્ર આંસુ સારવાનીઆંખથી એને છે વાંચવા જેવીક્યાંક દુખ તો ક્યાંક સુખ દેનારીછે જન્મ મરણ નો અતૂટ સેતુકરેલાં કર્મ ને ખપાવવાનો હેતુજિંદગી જેમ જેમ ઓછી થાયએમ એમ વધારે ગમતી જણાયદસ્તુર કેવો દુનિયાદારીનો જણાયપોતાના હોય તે મોં ચઢાવી અબોલા બેસેહશે પારકા જે સ્નેહિ તે દિલને રિજાવી દેશેઅજાણ્યા સાથે મનમાં નાકોઇ રંજ જણાયજેને દિલમાં વસાવ્યા મમતાથીતે રડાવી જાયનથી સમય જિવિત માનવ સંગબેસવાનોરુઢી નિભાવે માનવ માનવનામરણ પછી “બેસણાનો “ઇશ્વર તમારા ઘરે આવે તેસહુને ગમતુંઇશ્વર બોલાવે નિજ ધામ પણકોઇને નથી ગમતુંઅરે જિંદગી તું જેમ જેમ ઘટતીજાય છેએમ એમ કોણ જાણે વધારેગમતી જણાય છે
❣️”મન”🍁ક્નેડા🍁🇮🇳૧૧-૧૧-૨૦૩૦🇨🇦***************†*************†***†*:
☘️જિવન નું લક્ષ ☘️લક્ષ વિનાનું જિવન છે ઉલઝનદિલમાં જાગે ઇચ્છાઓ પ્રબળકરે મનોરથ અપાર થયું વ્યસનનથી કોઇ લક્ષ જે છે ઇચ્છાશીલકરવી ઇચ્છા સ્વશક્તિ અનુરુપમળે કદિ આકસ્મિક અસફળતાકરો સ્વિકાર છોડી અતિ કામનાહટાવો અસંતોષ છોડી લાલસાજટિલ જિવન માં આવે સરલતારાખો જિવનનું લક્ષ સ્થિરઅતૂટબનશે જિવન મધુરુ ને અદભુત
🌷”મન” 🍁કેનેડા🍁🇮🇳૧૨-૧૧-૨૦૨૦🇨🇦*****************************************
☘️સંતોષ☘️મનુષ્યના મનમાં સંતોષ હોવોસૌથી મોટું સ્વર્ગથી એ અધિકસુખ છેમનુષ્ય સ્વ કામનાઓને બધીતરફથી સમીટ લે (જેમ કાચબો પોતાના અંગોને સંકોરે છે તેમ)તો જ્યોતિ સ્વરુપ આત્માઅંત:કરણમાં પ્રકાશિત થઇજાય છે કોઇ થી ભય પામતો નથી કેકોઇને જિવ ને ભય પમાડતો નથી , રાગ અને દ્વેષ મુક્ત બનેકોઇ પ્રત્યે દ્રોહ ના કરે કે કોઇનીઅભિલાષા ના રાખે તો શાન્તિતથા આત્મ સુખ પ્રાપ્ત કરે છે“મન”શુધ્ધાત્મા થાય છે
” મન ” કેનેડા (મનહરભાઈ વ્યાસ)🇮🇳૧૨-૧૧-૨૦૨૦🇨🇦
***”*””””””*******************†***********************
નોંધ : આવતીકાલે દિવાળી અંક ૧૫/૧૧/૨૦ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે..આજે સાંજે ૫ વાગ્યા સુધી આપની દિવાળી અંક ની અને જાહેરાત ની મેટર મોકલી શકશો.મેલ.વોટસ એપ નંબર નીચે મુજબ છે
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073