ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ ગદ્ય વિજેતા રચના
NG 0041 વિભાગ:ગદ્યશીર્ષક : દર્પણ
પ્રેરણા અને આકાશના લગ્નને પાંચ વર્ષ પુરા થયા હતા તેથી ઘરમાં બધા સાથે મળી એક પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. પ્રેરણા અને આકાશની બે વર્ષની દીકરી પરી પણ હતી. પાર્ટીમાં જતી વખતે પ્રેરણાએ દર્પણ સામે જોઈ એક ગજબનું સ્મિત કર્યું અને દુનિયાની દરેક ખુશીને હૃદયમાં સમાવી લીધી. પાર્ટીમાં બધા કુટુંબીજનો પ્રેરણાના ખૂબ વખાણ કરતા હતા. બધા જ સંયુક્ત કુટુંબમાં ખુશ-ખુશહાલ રહેતા હતા. પરંતુ ન જાણે તેમની ખુશીને કોની નજર લાગી ગઈ. પ્રેરણાની તબિયત ખરાબ થઈ ગઈ અને તેઓ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયા ડોક્ટરે ચેકઅપ કરી રિપોર્ટ કરાવવા કહ્યું. આજે પ્રેરણાના રિપોર્ટ આવવાના હતા. સૌના મનમાં હતું કે, “બસ ભગવાન કરે ને રિપોર્ટ નોર્મલ આવી જાય. “પરંતુ ધાર્યાં કરતાં કંઈક જુદું જ થયું. પ્રેરણાના રિપોર્ટમાં તેને પેટનું કેન્સર હતું, તે સાંભળી બધા દુઃખી થઈ ગયા.
પ્રેરણાની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી ગઈ. પરિવારમાં પણ સૌનું વર્તન બદલાઈ ગયું. પરિવારના જે સભ્યો તેની સાથે વાતો કરતા થાકતા નહી, તેજ આજે તેનાથી દૂર થવા લાગ્યા. પ્રેરણા નિરાશ થઈ પોતાની જાતને દર્પણમાં જોતી અને વિચારતી કે, “એક બીમારી વ્યક્તિનો સર્વસ્વ બદલી નાખે છે? વ્યક્તિઓ શા માટે બીમારી વિશે જ વિચારે છે બીમાર લોકો વિશે કેમ નહીં?” જાણે તે તેના દર્પણને કહેતી હોય, “સારું છે તું વ્યક્તિઓની જેમ બદલાતો નથી.”
સંઘાર ગીતા કાનજીભાઈ “નિલમ”ગઢશીશા
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
બાળવાર્તા નં: ૧૨**ભગવાનનો આદેશ*
એક નાનું પણ સુંદર મંદિર હતું.ત્યાં લોકો પૂજાપાઠ કરવા આવતાં. ઓટલે બેસતાંને આનંદ લેતા.ઘણાં બાળકો પણ દર્શન કરવાં આવતાં.કોઈ દાદા દાદી સાથે તો કોઈ માતા પિતા સાથે. રાહુલ પણ દાદા સાથે આજે વહેલો વહેલો તૈયાર થય નીકળી ગયો.ત્યાં એને પ્રસાદ મળતો,વડની વડવાઈ પર ઝૂલવા મળતું,સરસ મજાની લપસણી પર લપસવા મળતું.ચણ ખાવા આવતા ચબૂતરા પર નાના નાના પંખીઓ નો કલરવ સાંભળવા મળતો,તેથી આવા સરસ કુદરતી વાતાવરણ વચ્ચે તેને ખૂબ જ મજા આવતી. તે તો મંદિરે પહોંચ્યો. દર્શન કર્યા . પ્રસાદમાં પીળો પેંડોં એનો મન ગમતો હતો તેથી આંખો જ ખાઈ ગયો.ખુશ હતો નીચે રમવા ગયો તો એની નજર એક વડલા નીચે દાદાના જ મિત્ર બેઠા હતા તેમની પર પડી.તે એમની પાસે ગયો અને પૂછી બેઠો ,” પ્રણામ દાદા,કેમ એકલા બેઠા છો?
દાદાએ એની સામે જોઈને મીઠું હસ્યા,એક ટપલી ગાલે મારી કહ્યું,” હલો! બાળ સખા રાહુલજી આજે ભગવાનનો આદેશ છે એટલે અહીં બેઠો છું.”
રાહુલને નવાઈ લાગી *ભગવાનનો આદેશ.*
દાદા એની સામે જોઈ બોલ્યા,” અરે કેમ ચુપ થઈ ગયો?ભગવાન આદેશ ન કરી શકે?શું તને ભગવાન આદેશ નથી કરતા?”
રાહુલને મનમાં થયું દાદાને ચોક્કસ જ ભગવાન દેખાતા હશે.છતાં મનનાં સમાધાન માટે એણે દાદાની વધુ નજીક જઈ પૂછ્યું,”શું ,ભગવાન તમારે ત્યાં આવે છે?તમને દેખાય છે?”
દાદા ખડખડાટ હસી પડ્યા,રાહુલને હવે દાદા તેની મશ્કરી કરે છે એવો ભાસ થયો,તેથી તે દાદા સામે ભ્રમરો તાણી ને ઊભો રહ્યો.દાદા પણ જાણે ડરી ગયા હોય તેમ બેઠા બેઠા પાછળ ગયા.પછી રાહુલને નજીક બોલાવી ને લાડથી પૂછ્યું,”શું તારે જાણવું છે?ભગવાનનો આદેશ એટલે શું?”
રાહુલે જલ્દીથી “હા” માં મૂંડી હલાવી.
દાદાએ તેને નજીક બોલાવ્યો ને પૂછ્યૂં,” પેલું શું છે?”
રાહુલે કહ્યું ,” મોટું વૃક્ષ છે,થોડું સુકાય ગયું છે,થોડું લીલું છે.”
દાદાએ પૂછ્યું,” તો હવે તેને જોઈ તને શું મન થાય છે?”
રાહુલે કહ્યું ,” દાદાજી ! નેચરલી સુકાય ગયેલા વૃક્ષને જોઈ મને એમ થાય છે કે રોજ એને પાણી થી સિંચન કરું જેથી એ પાછું લીલું લીલું ને હર્યું ભર્યુ થઈ જાય.એની પર નવા પાંદડાં આવે ને પક્ષીઓ રહેવા આવે.”
દાદાજી તાળી પાડી ઊઠ્યા ને ખુશ થઈ બોલ્યા,” રાહુલ દીકરા! બસ બસ એજ *ભગવાને કરેલો આદેશ* !ભગવાન જે સારા વિચારો આપણા મનમાં ઊભા કરે તે ભગવાનનો આદેશ જ કહેવાય ને તેનો અમલ કરીએ તો આપણે તેના સારા ભક્ત કહેવાયએ સમજ્યો.આજે મને ભગવાને કહ્યું હતું કે હું અહીં બેસીને ભગવાનનું ખરા મનથી ધ્યાન ધરું .ત્યાં તું આવ્યો ને ધ્યાન ધરતા મને જે વિચાર આવ્યો તે તને કહ્યો એ મારુ સદ્ કાર્ય.”
રાહુલને હવે *ભગવાનના આદેશ* નો ખરો અર્થ સમજાય ગયો.સારાને સદ્કાર્ય કરવાએ જ *ભગવાનનો આદેશ.*
જયશ્રી પટેલ૧/૪/૨૦૨૦
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
https://m.facebook.com/story.php?story_fbid=642270116693749&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=642395656681195&id=100027322995343