બાલુન્દ્રા ગામના તલાટીને સસ્પેન્ડ કરી સરપંચને હોદ્દા
પરથી દૂર કરવાની નોટીસ અપાઇઃ બે કર્મીઓને છુટા કરાયા
—DDOશ્રી અજય દહીયા
બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા અને પાલનપુર તાલુકાના સલેમપુરા તથા કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચનાર વ્યક્તિઓ, કર્મચારીઓ અને સરપંચ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું. ડીડીઓશ્રીએ કહ્યું કે બાલુન્દ્રા ગામમાં મનરેગા ગેરરીતિ અંગેના સમાચાર મળતાં તા.૩/૦૮/૨૦૨૦ના રોજ પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી એની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું છે કે બે મરણ પામેલ વ્યક્તિઓના નામે તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે. આ કિસ્સામાં જવાબદાર તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સરપંચને પંચાયત અધિનિયમના સેક્શન- ૫૭ હેઠળ હોદ્દા પરથી દૂર કરવાની નોટીસ આપવામાં આવી છે તથા ગ્રામ રોજગાર સેવક અને મેટની કામગીરી કરતાં બે કર્મીઓને છુટા કરી તેમની સેવાઓ સમાપ્તત કરવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજુર દર્શાવી તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે તેવી બાબત પણ ધ્યાનમાં આવી છે તેની પણ તપાસ કરી કાર્યવાહી કરાશે. ડીડીઓશ્રીએ જણાવ્યું કે, પાલનપુર તાલુકાના સલેમપુરા અને કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં કોભાંડ અંગે તપાસ કરવામાં કરવામાં આવી રહી છે. સલેમપુરા ગામના ડાભી મહેશભાઇ ચેલાભાઇ જે ૨૦૧૨-૧૩માં આરોપી તરીકે જેલમાં હતાં. તે સમય દરમ્યાન તેમને મજુર દર્શાવી તેમના નામે ચુકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોડાણા તેજમલજી ચેલાજીના મરણ પછી પણ તેમને મજુર દર્શાવી તેમના નામે નાણાં ચુકવાયા છે. જેનું રેકર્ડ કબજે લીધુ છે તથા સલેમપુરા ગામની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. ગેરરીતિ આચરનારાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મજુર કામ માટેની પ્રાથમિક જવાબદારી ગ્રામ પંચાયતની જ બને છે એમાં તાલુકા કે જિલ્લાકક્ષાના કોઇ અધિકારી કે કર્મચારી સામેલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ મિડીયાને જણાવ્યું હતું.
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં
મનરેગા યોજનાનામાં ગેરરીતિ આચરનારા સરપંચ
અને ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરાઇ
—SP શ્રી તરૂણ દુગ્ગલ
બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચનાર બે વ્યક્તિઓની અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલે મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ અંગે તા.૩/૦૮/૨૦૨૦ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. આ ફરીયાદના આધારે ડી.વાય.એસ.પી. ડીસા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં મનેરગા યોજનાના જોબકાર્ડ, બેન્ક એકાઉન્ટ વગેરે દસ્તાવેજો કબજે લઇ ગેરરીતિ આચરનારા બાલુન્દ્રા ગામના સરપંચ અને ગ્રામ રોજગાર સેવક બે વ્યક્તિઓની અમીરગઢ પોલીસ સ્ટેશન ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે ૨૬૭ જેટલી એન્ટ્રીઓ ગ્રામ રોજગાર સેવક દ્વારા ડીલીટ કરવામાં આવી છે. કિરણભાઇ બાબુભાઇ પરમારનું ફેક જોબકાર્ડ બનાવી તેમના ખાતામાં પણ નાણાં જમા કરાવાયા છે. તેમણે કહ્યું કે જોબકાર્ડમાં દર્શાવેલા ૧૬ જેટલાં નામો સામે ફોટા અલગ છે એટલે કે મેચ થતાં નથી. ૧૧ વર્ષના બાળક રમાભાઇ જગાભાઇ રબારીની ખોટી ઉંમર દર્શાવી તેને મજુર તરીકે દર્શવાયો છે તેવી ઘણી બાબતો પોલીસ તપાસમાં સામે આવી છે તેમ પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલે જણાવ્યું હતું.
બાલુન્દ્રા ગામના તલાટીને સસ્પેન્ડ કરી સરપંચને હોદ્દા
પરથી દૂર કરવાની નોટીસ અપાઇઃ બે કર્મીઓને છુટા કરાયા
—DDOશ્રી અજય દહીયા
પાલનપુર તાલુકાના સલેમપુરા ગામમાં જેલના કેદીને મજુર દર્શાવી તેના નામે રૂપિયા ચુકવનાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરાશે
બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા અને પાલનપુર તાલુકાના સલેમપુરા તથા કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચનાર વ્યક્તિઓ, કર્મચારીઓ અને સરપંચ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું. ડીડીઓશ્રીએ કહ્યું કે બાલુન્દ્રા ગામમાં મનરેગા ગેરરીતિ અંગેના સમાચાર મળતાં તા.૩/૦૮/૨૦૨૦ના રોજ પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી એની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું છે કે બે મરણ પામેલ વ્યક્તિઓના નામે તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે. આ કિસ્સામાં જવાબદાર તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સરપંચને પંચાયત અધિનિયમના સેક્શન- ૫૭ હેઠળ હોદ્દા પરથી દૂર કરવાની નોટીસ આપવામાં આવી છે તથા ગ્રામ રોજગાર સેવક અને મેટની કામગીરી કરતાં બે કર્મીઓને છુટા કરી તેમની સેવાઓ સમાપ્તત કરવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજુર દર્શાવી તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે તેવી બાબત પણ ધ્યાનમાં આવી છે તેની પણ તપાસ કરી કાર્યવાહી કરાશે. ડીડીઓશ્રીએ જણાવ્યું કે, પાલનપુર તાલુકાના સલેમપુરા અને કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં કોભાંડ અંગે તપાસ કરવામાં કરવામાં આવી રહી છે. સલેમપુરા ગામના ડાભી મહેશભાઇ ચેલાભાઇ જે ૨૦૧૨-૧૩માં આરોપી તરીકે જેલમાં હતાં. તે સમય દરમ્યાન તેમને મજુર દર્શાવી તેમના નામે ચુકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોડાણા તેજમલજી ચેલાજીના મરણ પછી પણ તેમને મજુર દર્શાવી તેમના નામે નાણાં ચુકવાયા છે. જેનું રેકર્ડ કબજે લીધુ છે તથા સલેમપુરા ગામની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. ગેરરીતિ આચરનારાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મજુર કામ માટેની પ્રાથમિક જવાબદારી ગ્રામ પંચાયતની જ બને છે એમાં તાલુકા કે જિલ્લાકક્ષાના કોઇ અધિકારી કે કર્મચારી સામેલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાએ મિડીયાને જણાવ્યું હતું.