ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય વિભાગ ગ્રુપ આયોજિત ઘરના ગણેશ ગણેશોત્સવ દરમિયાન “ગણેશ જી ” વિષય અંતર્ગત ગ્રુપ મેમ્બર દ્વારા લખાયેલ કેટલુંક લેખન……..
*****************************************
(૧) N G નંબર ૬૦ વિભાગ : ગદ્ય વિષય : ગણેશ મંદિર સપડા, જામનગર.ભગવતી પંચમતીયા ‘રોશની’
ઓમ શ્રી ગણેશાય નમ:કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણોનાં અધિપતિ એવા શ્રી ગણપતિજીની સ્તુતિ અને સ્થાપનાથી કરવામાં આવે છે. દેવોનાં પણ દેવ એવા મહાદેવ અને ભગવતી પાર્વતીજીનાં પુત્ર, કાર્તિકેયનાં અનુજ શ્રી ગણેશજી માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પૂજાય છે. ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ. જેને આપણે વિનાયક ચોથ અને ગણેશ ચતુર્થી નામે પણ ઓળખીએ છીએ. ગણેશ ચતુર્થીનાં થોડાં દિવસ અગાઉ જ તેમને ઘેર કે સોસાયટીમાં લાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. તેમનાં સ્વાગત માટે પહેલાં સાફ સફાઈ અને પછી મંડપ કે પંડાલને શણગારવામાં આવે છે. પંડાલોમાં થીમ આધારિત સુશોભન પણ કરવામાં આવે છે. તેમને પ્રિય મોદક બનાવી તેમને પ્રસાદ ધરાવવામાં આવે છે. જાત જાતનાં સુગંધી પુષ્પો અને ધૂપ-દીપ તેમને અર્પણ કરવામાં આવે છે. સાથે સવાર સાંજ આરતી પણ ખરી જ!
જામનગરથી લગભગ સત્તર કિમી. દૂર સપડા નામનું ગામ આવેલું છે. આ ગામ ત્યાં અવેલા સિદ્ધી વિનાયક ગણપતિજીના મંદિર માટે પ્રખ્યાત છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં બાપ્પાનાં દર્શને આવે છે. તો ઘણાં લોકો પોતાની માનતા ઉતારવા પણ અહીં આવે છે. વિજરખી ડેમની નજીક આવેલાં આ ગામને પ્રકૃતિ તરફથી સુંદરતાની ભેટ મળી છે. કુદરતે અહીં છુટ્ટે હાથે સૌન્દર્ય વિખેર્યું છે! ચોમાસાની ઋતુમાં આ ડેમ પાણીથી છલોછલ ભરેલો હોય છે. સપડા ગામમાં પ્રવેશતા જ મન શીતળતાનો અનુભવ કરવા લાગે છે. સપડાનું આ ગણેશ મંદિર અતિ પ્રાચીન છે. તેમજ જામનગરનું પ્રથમ ગણેશ મંદિર પણ આ જ છે. સપડાનું આ સિદ્ધિ વિનાયક મંદિર લગભગ ૬૦૦ વર્ષ જૂનું છે. એમ માનવામાં આવે છે કે હાલર પર રાજ કરતાં ચાવડા કુળના રાજાએ આ મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ રાજા રણજીતસિંહજીએ તેની સાચવણી કરી. ગણેશ ચતુર્થીના દિવસે સવારે ત્યાં મહાઆરતી તેમજ બપોરે મહાભોજનનું આયોજન કરવામાં આવે છે. તેનો લાભ પચાસથી સાઈઠ હજાર ભક્તો લે છે. રાતે સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ સિવાય તેનાથી જરાક જ દૂર ગણેશજીની ભવ્ય પ્રતિમા આવેલી છે. લોકો ગણેશજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગણેશજી આપણી અંદર રહેલી આસૂરી વૃત્તિઓ પર જીત મેળવવામાં સહાયરૂપ બને છે. માટે આ વિઘ્નહર્તા દેવ સર્વત્ર પૂજાય છે. અસ્તુ.
******************************************
(૨) GN- 0037 વિભાગ – ગદ્ય શીર્ષક – સિદ્ધિવિનાયક ગણેશ. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિનું મંદિર,રાજકોટ જિલ્લામાં,ઉપલેટા તાલુકાનું, નાનું એવું ગામડું, ‘ઢાંકમાં’ આવેલું છે. અહીંયા, જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલ ગણેશજીની મૂર્તિ સ્થાપિત છે. દંતકથા અનુસાર, ઘણી વખત ગામમાં નદીના પાણી, ફરીવળ્યા,પણ ક્યારેય સ્વયમભૂ પ્રગટ થયેલ મૂર્તિને જરા પણ નુકશાન થયું નહીં. ગણેશીજીની આ મૂર્તિના દર્શન માત્રથી લોકોની ઈચ્છા પૂર્તિ, સિદ્ધિ હાસિલ થતી હોવાથી, આ ગણેશજીના મંદિરને ‘સિદ્ધિ વિનાયક ગણેશ ‘ નામે પ્રચલિત છે. નાનાં એવા ગામડામાં એકદમ સુંદર, રીતે તૈયાર કરવામાં આવેલ ‘સિદ્ધિ વિનાયક ગણેશજીના’ મંદિરની પાસે, ‘આકડાંના ગણેશજી'( આંકડાના વૃક્ષના થડમાં ) ની પ્રતિમાના દર્શન થાય છે.ગણેશ મંદિર પાસેજ, શિવજીનું મંદિર પણ બંધાવવામાં આવ્યું છે.અહીંયા પૂજારી મંદિરની અંદરજ રહે છે.જે લોકો દૂર દૂરથી અહીંયા આવી નથી શકતાં એ લોકો,ગણેશજીને પત્ર લખી પોતાની ઈચ્છા પૂર્તિ માટે જણાવે છે.પૂજારી નિયમિત પણે લોકોના પત્રો, ગણેશજીને વાંચી સંભળાવે છે.અને યોગ્ય સમયે ઉત્રર પણ આપે છે. સિદ્ધિ વિનાયક ગણેશજીના ઘણાં, ચમત્કારો પણ લોકોએ જોયા છે.રાહ ભટકી ગયેલ મુસાફરોને સ્વયં આવી માર્ગ ચિંધ્યો છે.લોકોની મનોકામના પૂર્ણ થતાં, અહીંયા આવી લાડુનો પ્રસાદ ચઢાવી,દર્શન કરી પાવન બને છે.દેશ તો શું પરદેશથી પણ ગણેશજીના દર્શને લોકો આવે છે. હું મારીજ વાત કહું તો, પ્રથમ વખત જ્યારે ‘ઢાંકના ‘ એ મંદિર વિશે સાંભળ્યું,મનોમન કંઇક ઈચ્છા બંધાઈ ગઈ.અને એ ઈચ્છા ખૂબજ ઓછા સમયમાં પૂર્ણ પણ થઈ.ત્યારબાદ અચાનકજ દર્શન કરવા જવાનું થતાં, લાડુનો પ્રસાદ ધરવાની માનતા હોય, યાદ આવ્યું.ભાઈને જણાવ્યું, મારે લાડું લેવાના છે. પણ કર્મ સંજોગે એ દિવસ રવિવારનો, બપોરના ત્રણ વાગ્યાનો સમય હોય, ગામ આંખું બંધ.છતાં પણ નજીકના ગામમાં લાડું માટે કદાચ કોઈ દુકાન ખુલ્લી હોય, એમ વિચારી ગામની અંદર ગયાં.આખું ગામ બંધ,પણ ગણેશજીની કૃપાથી, એક દુકાન ખુલ્લી ! અને એ પણ કંદોઈની.બાપ, દીકરો બન્ને દુકાનમાં લાડું બનાવતા હતાં.સાથે આવેલા કુટુંબીજનો પણ વિચારતા રહ્યાં. સાથે આવેલા કુટુંબીજનોએ પણ ઈચ્છા પૂર્તિ માટે ગણેશજીને પ્રાર્થના કરી.એ લોકોની મનોકામના પણ, ગણેશજીએ પૂર્ણ કરી.ત્યારબાદ ઘણાં સમય સુધી ગણેશજીના દર્શનની ઈચ્છા હોવા, છતાં જઈ ના શકાયું.પણ, એક વખત જવાનું ક્યાંક બીજે હતું, અને પહોંચી ગયા ત્યાં.અચાનકજ દર્શન થતાં, આનંદ સાથે કંઇક ઈચ્છા પ્રગટ થઈ .ગણેશજીનો ચમત્કાર કહું, તો અતિશયોક્તિ નથી.ઘરે પહોંચતાં શુભ સમાચાર મળતાં, અતૂટ શ્રદ્ધા બંધાઈ ગઈ.( આ વાતને હજુ ૧૧ માસ થયા છે.) ‘ સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર’ મનને અતિ, શાંતિ આપે એવું અલોકિક, અદભૂત અવિસ્મરણીય બની રહે એવું છે. જય શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી, સૌનું કલ્યાણ કરજો. હેમલતા ટી. દિવેચા.જૂનાગઢ. (રચના નથી,સત્ય છે માટે સ્પર્ધામાં ના લેશો.)
******************************************(૩) NG/0044વિભાગ:- ગદ્યશીર્ષક:- ગણેશજી
પુરાણોમાં જણાવ્યા મુજબ, શિવજી તપ કરવા ગયેલા ત્યારે પાર્વતીજીએ પોતાની ખાસ સખીઓનાં કહેવાથી વિચાર્યું કે, ‘ મારો સેવક ચતુર, ઉત્તમ અને બુદ્ધિશાળી તેમજ એવો આજ્ઞાંકિત હોય કે મારી આજ્ઞા સિવાય પોતાના સ્થાન પરથી સ્હેજ પણ ખસે નહીં.’ પાર્વતીજીએ આ વિચાર આવતાં જ પોતાના મેલમાંથી એક સુંદર સોહામણો બાળક ઉત્પન્ન કર્યો.વિવિધ વસ્ત્રાલંકારોથી શણગારી કહ્યું કે,’ તું મારો પુત્ર છે’. પાર્વતીજીએ સ્વયં ઉત્પન્ન કરેલા હોવાથી પાર્વતીનંદન કહેવાયા. માતા માટે સેવા કરવાની ઇચ્છા બતાવતા પાર્વતીજીએ પુત્રને કહ્યું,” તું મારો દ્વારપાળ થા.હું સ્નાન કરવા જાઉં છું એટલે મારી રજા સિવાય કોઈ બીજી વ્યક્તિ પ્રવેશ કરે નહીં તેનું ધ્યાન રાખવું.” એમ કહી આ બાળકના હાથમાં દંડ આપી ગણો નાં અધિપતિ તરીકે સ્થાપિત કરી દ્વારપાળ ની ફરજ બજાવવા કહ્યું.આમ ગણો નાં અધિપતિ થવાથી ગણપતિ કહેવાયા. તપ કરવા ગયેલા શિવજી નારદજીની વાત સાંભળી ક્રોધિત થઈ ઓચિંતા ઘરે પધારી ઘરમાં જવા લાગતા, પોતાના પિતાને ઓળખતા ન હોવાથી ગણેશે વિનયપૂર્વક રોકવા માંડ્યા.શિવજીએ પોતે આ ઘરનાં માલિક શિવ છે મને અંદર જતા ન રોકી શકાય.એમ કહી બળજબરીથી અંદર જવા માંડતા આજ્ઞાંકિત ગણપતિએ શિવજીને દંડથી માર્યા, એટલે ક્રોધિત થઈ શિવાજીએ ત્રિશૂળથી ગણપતિનું મસ્તક જેથી નાખ્યું. પાર્વતીજીએ બહાર આવી પુત્રનું મસ્તક છેદાયેલું જોઈ આક્રંદ કરતા કહેવા લાગ્યા મારા પુત્રને જીવંત કરો.તરત જ શિવજીએ ગુણોને આજ્ઞા કરી,” ઉત્તર દિશામાં જાવ અને જે પ્રથમ જે સામે મળે એનું મસ્તક લઈ આવો.” પ્રથમ એકદાંત વાળો હાથી મળતા તેનું મસ્તક લઈ આવ્યા.ગણપતિનાં ધડ પર મંત્રોચ્ચાર કરી જોડી દેતાં બાળક જીવંત થયો,અને એકદંત કહેવાયો. શિવજીએ આશિર્વાદ આપતા કહ્યું ,” આજથી કોઇપણ કાર્યમાં સહુ પ્રથમ તારી પૂજા થશે.તારી ભક્તિ કરનારના વિઘ્ન દૂર કરશે અને વિઘ્નહર્તા કહેવાશે.મોટુ પેટ હોવાથી લંબોદર કહેવાયા. કહેવાય છે કે, આંકડો ગણેશજી નો પ્રિય.આંકડામાં ગણેશજીનો વાસ હોય.સો વર્ષ જુના આંકડાના મૂળમાંથી આપોઆપ ગણેશજીની મૂર્તિ બંને જે આંકડાના ગણપતિ તરીકે ઓળખાય આ ગણપતિનું ખૂબ જ મહત્વ. આબાલવૃધ્ધ સૌના પ્રિય ગણપતિ આ વર્ષે કોરોના કાળમાં સુના પડી ગયા. વિઘ્નહર્તાને એક જ પ્રાર્થના આનંદચૌદશે વિદાય લેવ ત્યારે હંમેશ માટે કોરોના ને પણ લઈ જજો.✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા.બીલીમોરા
******************************************
N O G S ( vip ) Member grp*(૪) *N. G. No. — 39**પ્રકાર — ગદ્ય — લેખ**શીર્ષક — શ્રી ગણેશજી**શબ્દો — ૩૫૫*શ્રી ગણેશજી
જલતત્ત્વના અધિપતિ,હિન્દુ ધર્મના માનીતા,વિઘ્નહર્તા દેવતા શ્રી ગણેશજીને કોણ નથી ઓળખતું? ગુણોના સ્વામી શ્રી ગણેશ, ગણપતિ તરીકે પણ ઓળખાય છે. ભોળા શિવ શંભુ અને સતી પાર્વતીના પુત્ર, રિદ્ધિ અને સિદ્ધિ નામની બે દેવીઓના પતિ, કાર્તિકેયના ભાઈ, લાભ અને શુભ એવા બે દીકરાના પિતા શ્રી ગણેશજી ઘેર ઘેર પૂજાય છે. કોઈ પણ માંગલિક કાર્ય શરૂ કરતાં પહેલાં ગણપતિજીની સ્થાપના થાય છે.એ વિઘ્નહર્તા દેવ મનાય છે.એમની સ્થાપના અને પૂજા કરવાથી કોઈ પણ શુભ કાર્ય વિઘ્ન વિના પાર પડે છે. મૃષક એમનું વાહન છે.જ્યાં ગણેશજી હોય ત્યાં રિદ્ધિ, સિદ્ધિ અને શુભ, લાભ હોય જ. ત્યાં સુખ અને શાંતિ રહે છે જ્યોતિષમાં એમને કેતુના અધિપતિ માનવામાં આવે છે.એમના બહુ બધા નામ છે પરંતુ સુમુખ,એકદંત,કપિલ,લંબોદર,વિકટ, વિઘ્નહર્તા,વિનાયક ધૂમકેતુ,ગણાધ્યક્ષ,ભાલચંદ્ર,અને ગજાનન મુખ્ય છે. એકદિવસ પાર્વતીજી ન્હાવા બેઠા હતા ત્યારે ગણપતિ દરવાજે ચોકી કરતાં હતાં.શિવજી આવ્યા તો પણ ગણેશજીએ બારણું ના ખોલ્યું એટલે ગરમ સ્વભાવના શિવજીએ પોતાના જ પુત્રનું માથું ધડથી જુદું કરી નાંખ્યું.પછી પસ્તાવો થયો એટલે હાથીના બચ્ચાનું માથું એમનાં ધડ ઉપર બેસાડયું એટલે એ ગજાનન કહેવાયા. તેમનું શિર્ષ હાથીનું હતું અને પેટ મોટું હોવાથી દુંદાળા દેવ તરીકે પણ જાણીતા છે.પરદેશમાં હિન્દુસ એલીફન્ટ ગોડ તરીકે ઓળખાય છે. તેમનો પ્રિય ભોગ મોદક છે અને એમને લાલ રંગના પુષ્પો બહુ ગમે છે.એમનું પ્રમુખ અસ્ત્ર અંકુશ ( પાશ ) છે.અનિષ્ટ તત્ત્વો ઉપર એમનો પૂરેપૂરો અંકુશ છે. ભારતમાં ગણેશજીના ઘણાં મંદિરો છે. ભાદરવા સુદ પાંચમથી ભાદરવા સુદ ચૌદસ સુધી, નવ દિવસ ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે.ચોરે, ચૌટે કે ઘરમાં એમની સ્થાપના કરવામાં આવે છે.જેટલા દિવસ ગણેશજી રહે છે એટલા દિવસ એમની પૂજા, અર્ચના,ભજન અને આરતી કરીને એમને ગમતાં લાડુ અને બીજી વસ્તુઓનો પ્રસાદ ધરાવવામાં આવે છે.સગા – સંબંધીઓને ઘેર શ્રી ગણેશનાં દર્શન કરવા બોલાવવામાં આવે છે.જ્યારે એમને વિદાય કરવાના હોય છે ત્યારે પણ પૂજા કરીને ધામધૂમથી વળવવામાં આવે છે.તેમને નદીમાં પધરાવવા જોઈએ એવી ધાર્મિક માન્યતા છે.પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે, લોકોના હિતને ધ્યાનમાં રાખીને ચોરે ચૌટે એમની સ્થાપના કરવાનું ટાળીને માત્ર ઘરમાં જ એમની સ્થાપના કરવી પડી છે અને એમનું વિસર્જન ઘરમાં જ ચોખ્ખા પાણીમાં કરવું એવું સરકારે નક્કી કર્યું છે.શ્રી ગણેશની મૂર્તિ પણ પી.ઓ.પી.ના બદલે ચોખ્ખી માટીમાંથી બનાવવામાં આવી છે જે તરત જ ઓગળી જાય અને શુદ્ધ રીતે એમનું વિસર્જન થાય.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ
******************************************
(૫) ન્યૂઝ ઓફ ગાંધીનગરNG NO:0043વિભાગ: ગદ્યશીર્ષક: ગણેશજીની કથા “પ્રથમ પૂજ્ય દેવ”
દેવોમાં અનેક દેવ પૂજ્ય છે. દરેકની પૂજાનું ક્યાંકને ક્યાંક વિશેષ મહત્વ છે. આજે વાત કરીએ ગણેશજી કે જે દરેક મંગલ કાર્યોમાં પ્રથમ પૂજ્ય દેવ છે. આજે જાણીએ એ કથા વિશે શા માટે અને કેવી રીતે ગણેશજીને પ્રથમ પૂજ્ય તરીકે સ્થાન મળ્યું?
શિવ ભગવાન અને પાર્વતી માતાના મોટા પુત્ર કાર્તિકેય અને નાના પુત્ર ગણેશજી. ગણેશજી જે પાર્વતી માતાના શરીરના મેલમાંથી ઉત્પન્ન થયા છે. જેમનું મસ્તક આક્રોશમાં શિવ ભગવાને ધડથી અલગ કર્યું હતું. ત્યારબાદ એક ગજનું મસ્તક તેમને લગાવવામાં આવ્યું અને તેમને *”દુંદાળા દેવ”* તરીકે ઓળખવામાં આવે છે. હવે વળાંક લઈને મુખ્ય કથા તરફ.
એકવાર કાર્તિકેય અને ગણેશજી વચ્ચે એક પ્રતિયોગિતા યોજાઇ.પ્રતિયોગિતા હતી કે કોણ આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા પૂર્ણ કરીને પ્રથમ આવે છે? હવે કાર્તિકેય તો ચાલ્યા પોતાના વાહન મયૂર પર બેસીને આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા.ગણેશજી અને તેમનું વાહન મૂષક હજી તે જ સ્થાન પર હતા જ્યાંથી પ્રતિયોગિતા શરૂ થઈ હતી. ગણેશજી દુંદાળા પેટના કારણે ઝડપથી આગળ વધી શકતા ન હતા.જેથી મૂષક રાજ પણ ચિંતામાં મૂકાઈ ગયા અને કહેવા લાગ્યા,”ગણેશજી આપણે આટલા ધીમેથી જઈશું તો પ્રતિયોગિતા જીતી શકીશું નહીં.”એટલામાં ગણેશજીએ જોયું કે ,”બધા જ તો પ્રતિયોગિતામાં ચાલી નીકળ્યા છે તો માતા-પિતાની સેવા અને પૂજા કોણ કરશે?”
ગણેશજીએ આ વિચારીને પિતા શંકર અને માતા ઉમિયાજીને સિંહાસન પર બિરાજમાન થવા કહ્યું. સૌ આશ્ચર્ય ચકિત થયા કે” ગણેશજી પ્રતિયોગિતાને બદલે આ શું કરી રહ્યા છે?” પછી ગણેશજીએ પિતા શંકર અને માતા ઉમિયાજીની પૂજા કરી, તેમને ચરણ સ્પર્શ કર્યા અને તેમની પ્રદક્ષિણા કરવાનું શરૂ કર્યું. થોડીવારમાં કાર્તિકેય બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી પરત ફર્યા ત્યાં તેમણે જોયું કે ગણેશજી તો માતા પિતાના ખોળામાં બિરાજમાન છે. ત્યારે કાર્તિકેયે ગણેશજીની હસી ઉડાવતા કહ્યું કે,”હું જાણતો જ હતો આ પ્રતિયોગિતામાં ગણેશ જીતી શકશે નહીં. વિજેતા તો હું જ બનીશ.”
બસ આટલુ સાંભળતા શંકર ભગવાને કાર્તિકેયને કહ્યું,”તમે બધા પ્રતિયોગિતા જીતવાની લાલચમાં બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા ચાલી નીકળ્યા,પરંતુ કોઈએ પણ વિચાર્યું નહીં કે અહીં પૂજાપાઠ કોણ કરશે? ફક્ત ગણેશે અમારી પૂજા અર્ચના કરી અને અમારી પ્રદક્ષિણા કરી.આમ જે બાળક સૌપ્રથમ પોતાના માતા-પિતાને પૂજનીય ગણે છે તે સર્વ દેવતાઓમાં પ્રથમ પૂજનીયનું સ્થાન પ્રાપ્ત કરે છે”.
શંકર ભગવાને ગણેશજીને વરદાન આપતા કહ્યું કે,”આ સંસારમાં જ્યારે પણ કોઈ પૂજનીય કામ કે કોઈ મંગલ કામની શરૂઆત થશે તો તેમાં પ્રથમ પૂજનીય તરીકે ગણેશની પૂજા કરવામાં આવશે”. આ રીતે ગણેશજીએ સર્વ દેવતાઓમાં પ્રથમ પૂજનીયનું સ્થાન મેળવ્યું.
આ કથા ઉપરથી કહી શકીએ કે, *”પૂજે જે પ્રથમ માત-પિતાને,* *પૂજાય તે સર્વ દેવોમાં પ્રથમ સ્થાને.”*
*મૈત્રી ઉપાધ્યાય* *અમદાવાદ* ✍️*****************************************
(૬) *ન્યુઝ ઑફ ગાંધીનગર**NG- 0053**પ્રકાર-ગદ્ય* *શીર્ષક : ગણેશજીનું વિસર્જન*
ગણેશ ચતુર્થીએ ગજાનંદની મૂર્તિનું સ્થાપન એ ઉત્સવનું વાતાવરણ અને ચહલ-પહલ ગણેશ વિસર્જનના દિવસે વિદાય લે છે. બુદ્ધિશાળી, રિદ્ધિ સિદ્ધિના દાતા,તા લાભ-શુભ કર્તા ગણેશજીની સ્થાપના ભક્તિભાવે કરી આપણે શ્રદ્ધાપૂર્વક યથાયોગ્ય પૂજન અર્ચન તથા વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને પૂરા દસ દિવસ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિની આરાધના શ્રદ્ધાપૂર્વક કરતા જ્યારે ગણેશ વિસર્જનની ઘડીએ આવી જાય છે ત્યારે પણ ભક્તોની આંખને ભીની કરી નાખે છે. ભક્તોએ ધાર્મિક લાગણી ન દુભાય અને ગણપતિનાં વિસર્જનની ગરિમા જળવાય તે માટે ઘરમાં જ વિસર્જન કુંડ બનાવીને ગણપતિનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિસર્જન કરવું રહ્યું. જેથી આસ્થા જળવાઈ રહે અને સાથે સાથે પ્રકૃતિનું સંતુલન પણ જળવાઈ રહે. સર્જન અને વિસર્જન કુદરતમાં ચાલતી એક સમાન પ્રક્રિયા છે. ગણેશજી ઓમકાર સ્વરૂપ છે જે અનાદિકાળથી આપણી વચ્ચે રહેલ છે. ભગવાન ગણેશની વિદાય થાય અને તેઓ આવતાં વર્ષે વહેલાં વહેલાં આવી ફરીથી એ જ ઉત્સવ માણવા આવવાનું આમંત્રણ આપીએ છીએ. ગણપતિ તો ઓમકાર સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માનાં બે સ્વરૂપ છે.- સાકાર અને નિરાકાર. સાકાર એટલે રૂપ અને રંગ આકારનાં સ્વરૂપની પૂજા માટે ભૌતિક માધ્યમની મૂર્તિની આવશ્યકતા રહે છે. સાથે પૂજા સામગ્રી, પ્રસાદ રહે છે. જો નિરાકાર સ્વરૂપનું ભક્તિ કરીએ તો તેનું વિસર્જન કરવાનું થતું નથી. નિરાકાર તો અનંત ને અખંડ છે. ઘણી વખત સવાલ એ થાય કે ગણપતિનું વિસર્જન જળમાં જ કેમ કરીએ છીએ? સજીવ પૃથ્વી, જળ,આકાશ, વાયુ ,અગ્નિ એમ પંચ તત્વોમાંથી બનેલો છે. જેમાં જળ એ મુખ્ય ભાગ છે. પૌરાણિક કથાઓ અનુસાર શિવજીનાં પુત્ર ગણેશજીનો જન્મ પાર્વતીજીના સ્નાન- જળમાંથી થયો છે. માટે તેમનું સર્જન જેમ જળમાંથી થયેલું છે તેવી જ રીતે વિસર્જન પણ જળમાં જ કરવું રહ્યું. -ચેતનાબેન મનોજકુમાર પંચાલ’.ચેતના’.પાલનપુર
*****************************************
(૭) ન્યુઝ ઓફ ગાંધીનગર.NG no. 0050.વિભાગ – સત્ય ઘટના.શીષૅક…ગણેશજીનો હાર લાંબો થાય……………………….. પ્રભુ કયાં ને કેવી રીતે ઉપકાર કરવા આવી જાય .આજનો દિ’ રળિયામણો કંકુંવણૅ દિ’ સાસુમા ને ઉગતા દિનકરનાં પરોઢીએ સ્વપ્નઆવ્યું સોનાથી સજેલા ને મોટા ગણપતિ દાદા ભુલેશ્વરનાં ઘરે પધારે છે ,મોટા છે તો મારા સસરાને કહે છે ,”કેવી રીતે આવશે ?
ઘરમાં એ તો આવી જાશે એવો ભાસ ..જાણે આવી ગયા… યા.. સંકોચાય ને આશ્ચર્ય થયું મોટું શરીર કેમ કરતા આવી ગયું..ને આંખ ખુલી . સસરાને. ..દીવો કરવાનું કહ્યું ને વાત માંડી ને કહી.સવારે સાડા ચાર વાગે પૂજા કરતા હોય.. અને આગમન દાદાનું તો ,”આપણે ગણેશ પુરાણ કરાવશું. પાંચ દિ નું….” આમ તો ઘણી કૃપા દાદાની ચાર પેઢીથી ઉપાસના થાય.સૌ સંકષ્ટી કરે…. 21 વષૅ પુરા થતા અમારો પણ મનોધાર પુરાવાનો હોય. એ વેળા આવી એકવીસ વષૅ પૂરા થવાનાં બાકી હતા પણ દાદાની મરજી સસરાનાં પૂરા થયા હતા ને સાથે મારા જેઠ ને .. અમારો પણ મનોધાર સાથે પુરાવ્યો.ત્રણ ભદ્રમંડળ પુરાયાને. ગણેશજી જાણે ઘરમાં બીરાજ્યાં. આવ્યાં પાછા મુંબઈ ને ચમત્કાર થયો કાંદિવલીમાં. જેઠના ઘરે સંકષ્ટીનાં દિ’ ચડાવેલો હાર લાંબો થતો ગયો જમીન સુધી ને નીચે થાળી રાખવી પડી.. કેટલાય લોકો દશૅને આવ્યાં. આજ પણ ચડાવેલો હાર લાંબો થાય છે..આ વાતને 20 વષૅ થવા આવ્યાં પહેલી વાર થયું ત્યારે પુષ્પ પૂજા કરેલી .ગણેશ યજ્ઞ જેવું ઘરમાં કરેલું . 2009 માં અમે ગણેશ પુરાણ કરેલું પાંચ દિ’નું .. અમારા વતન મુડેટી સવૅ તૈયારી મારા હસ્તે જ થયેલી.. ત્યારે મારા સાસુમા નહોતા.. પણ પુણાૅવતીનાં દિ ‘ભીક્ષા માગવા આવેલા સાધુ રૂપે માગ્યુંએ આપેલું એ રૂપ કાંઈ અલૌકિક હતું ચદ્ર સમું તેજ હતું .. બધાને આશીષ આપીને ગયા..જાતે માંગીને ભોગ ગ્રહણ કયોૅ..દાદાની કૃપા સદાય વરસતી રહી છે કુંટુંબ પર..હાજરા હજૂર સિધ્ધપુરનાં ઘરમાં બેઠા છે .ભીતમાંથી પ્રગટયાં છે. જયારે સિધ્ધપુર જઈએ ત્યારે સિંદૂરી પૂજા કરીએ છીએ . દુંડાળા દેવ કૃપા વરસાવતા રહે છે.મુસીબતમાં કોઈ પણ સ્વરૂપે મદદ કરી જાય છે….
રાગીની શુકલ”રાગ” (મુંબઈ,કાંદિવલી.)
****************************************
(૮) *અનુત્સવમાં ઉત્સવ*
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,લંબોદરાય સકલાય જગત્પિતાય; નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે!ગણપતિ બાપા પધાર્યા, હવે તો જવા નિર્ધાર્યા… ચાલો, રસ્તા પર જઈને ઢોલ - નગારા ના તાલે મન ભરીને નાચીએ! બધાને ચાંદલો કરીએ! હળીમળીને આરતી કરીએ ને ગણેશજીને પૂજીએ! ના…! ગણપતિજી ખુશ છે કે તેમને પૂજતા લોકો તેમને આવા કોવિડ-૧૯ જેવા કપરા સંજોગોમાં પણ ઘરે લાવ્યા, એવા ગંભીર સમયમાં જેમાં લોકો એકબીજાથી ૬ ફુટ દુર રહે છે! ઘરમાં ગણપતિ લાવતા લોકોએ આવા તાળાબંધીના સમયે પણ કોઈ જ ભય વિના તેમની મૂર્તિ લાવ્યા, કારણ કે આખી દુનિયા જાણે છે કે ભગવાન જ છે જે આપણને આ મહામારીમાં થી ઉગારશે… આપણને પૂર્ણ શ્રદ્ધા છે કે ભગવાન આવ્યા છે, તો આ વાયરસ લેતા જ જશે, કારણ તેઓ તો ફક્ત બધાંનું ભલું જ કરે છે. તો આપણે શું કરવાનું છે? નિઃસ્વાર્થ પ્રાર્થના! ભાવપૂર્વક કરેલ પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ છે જે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણને નિર્ભય બનાવે છે તથા તેની સામે ઝઝૂમવાનુ બળ અર્પે છે! ચલો, મળીને આ વખતે ગણેશજીને પ્રાર્થના કરીએ કે આ વાયરસથી આપણી પૃથ્વી માતાને મુક્તિ પ્રદાન કરે… હા, ખાસ ધ્યાન રાખજો કે વિસર્જન શક્ય હોય તો ઘરમાં જ કરીએ, બહાર ન જઈએ, જેથી ભગવાનને પણ દરિયાના ખારા પાણીથી હાશકારો અનુભવાય તથા જળપ્રવાહ પણ શુદ્ધ રહે!ગણપતિ બાપા મોરિયા!
*ઋજુ અપૂર્વ શાહ**ધોરણ ~ ૮
******************************************
એડમીન પેનલ –
* પ્રદીપ રાવલ (તંત્રી/માલિક) (M-9824653073)*નિર્ણાયકશ્રી-જયશ્રી પટેલ,વંદના વાણી*સહ નિર્ણાયક – આરતી મર્ચન્ટ ,આરતી રામાણી* સંચાલક – જીજ્ઞા કપુરિયા.સંપર્ક : Email : prdpraval42@gmail.com
******************************************
નોધ :- ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પ્રસિદ્ધ સાહિત્ય વિભાગ ના આયોજક,આયોજન,સંચાલન હવે પછી સાહિત્ય વિભાગ ગ્રુપ એડમિન કરશે.કોઈપણ લખાણ કે વ્યક્તિગત વાદ વિવાદ જવાબદાર એડમીન ટીમ રહેશે.તંત્રી ક્યાંય પણ કોઈપણ લખાણ કે ગ્રુપ મેમ્બરોને લગતા વાદ વિવાદ ને જવાબદાર નથી.જે સર્વે આં ગ્રુપ ના મેમ્બર નોધ લેવી ..તંત્રી : પ્રદીપ રાવલ