હવે નવા સચિવાલય ને નામે કમલમ કાર્યાલય ની ઓળખ ભાજપ આપે તો નવાઈ નહી…….
જગ જાહેર છે કે તમામ વિભાગીય અધિકારીઓ ની અદલાબદલી અને સરકારી મોટા નાના કામો ના સોદા,વહેચણી કમલમ કાર્યાલય થી નક્કી થઈ સચિવાલય માં સ્ટેમ્પ મારવા માટે આવે છે.ભાજપ ના છેલ્લે ૨૪ વરસ થી કામ કરતા લોકો અને તેમના પરિવારો ને ઠેકાણે પાડવા અને પક્ષ માં આર્થિક મદદ કરતા ઉધોગપતિઓ. કોન્ટ્રાકટર.બિલ્ડરો,રાજકીય ભાગીદારી પેઢીઓ અને સહકાર સાથે જોડાયેલ વ્યવસાય લક્ષી ને તેમના કામો કરી સાચવી લેવા તે હવે ભાજપ એક વ્યવસાય બનાવી દીધો છે અને ગામે ગામ તેમના પદાધિકારીઓ તે તેમના દલાલો તરીકે કામો કરાવે છે..જેમ જેમ ભાજપ ના લોકો કામોંકરી ધરાતા જાય તેમ તેમ તેમને ખદેડી મૂકી નવો ફાલ સેટ કરવો ભાજપ નો આં ધીકતો ધંધો તમામ સમાજના શિક્ષિત લોકો થી હવે અજાણ નથી. કહેવાનું પ્રજા પ્રશ્નો અને કામો માટે સચિવાલય રહ્યું છે બાકી પી એમ ઓફિસ થી અને કેન્દ્રીય ગૃહ મંત્રી કાર્યાલય થી કમલમ ના આદેશ પ્રમાણે કહેવાતા સંવેદનશીલ મુખ્યમંત્રી એ આદેશો જારી કરીને મુંગે મોએ કામ કરવાનું છે..ભાજપ લોકશાહી માંથી હવે સરમુખત્યાર શાહી ના પહેલા તબક્કામાં થી પસાર થઈ ગયું છે..ઉચ્ચ ન્યાયાલય ના આદેશો હોય કે સરકારી સગવડિયા આદેશો હોય તે ક્યારેય ભાજપ ને લાગુ પડતા નથી. હજી સુધી ભાજપ ના ગંભીર ગુના વાળા કે સામાન્ય ગુના વાળા ને ભાજપ શાશન માં સજા થઈ નથી.તમામ ગેર કાનૂની ધંધા હપ્તા ખોરી થી જગ જાહેર ચાલે છે .અને તમામ વિભાગો માં ભ્રષ્ટાચાર વિના કોઈ કાર્ય હાલના સંજોગો મા થતું નથી..ભગવા દલાલ કે બિલ્ડર ને મળ્યા વિના કોઈ કામ સચિવાલય માં થતા નથી..ગોદી મીડિયા પણ સરકારી આદેશો પ્રમાણે પ્રચાર પ્રસાર કરે છે….જ્યારે મારા જેવા તટસ્થ અખબારી આલમ ના લોકો ને ૨૪ વરસ થી જાણી જોઈએ આર્થિક રીતે પાયમાલ કરવા અન્યાય કરવામાં આવે છે..ખેર મારા જેવા ને કોઈ ફરક પડતો નથી કેમકે સરકારી ભીખ ઉપર નભનાર મારા આં અખબાર નથી. પ્રજા માટે વિશ્વાસ અને સહકાર થી હું મારું પત્રકારત્વ સત્ય ની પડખે સદા ચલાવી રહ્યો છું. નાની મોટી ધમકીઓ રખડતા ભગવા દલાલો ની મળે જેને હું ગણકારતો નથી ..ખેર હવે સચિવાલય નંબર બે કમલમ ને કાયદેસર કરે તો કાઈ નવાઈ નહિ. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ચાર દિવસની સૌરાષ્ટ્રની યાત્રા કરીને સુરત થઈ કમલમ માં આવી ગયા છે અને તેમના કાર્યકરો તેમના પદાધિકારીઓ અને સંગઠનના લોકોને જે વચનો તેમણે તેમના પ્રવાસ દરમિયાન ભાષણોમાં આપ્યા તે પ્રમાણે હવે કમલમ કાર્યાલય ની સેવા ને નામે ચાલતું દુકાન તેમની સોમવાર મંગળવાર તેમના મંત્રીઓને હાજર રાખી ને ચાલુ થઈ ગઈ છે.કાયદા ની એસીતેસી કરીને ચાર દિવસના પ્રવાસમાં કોઈપણ જગ્યાએ કોરોના મહામારી ના આદેશોનું કોઈપણ 50% નું પાલન થયું હોય તેવું મને ક્યાંય દેખાયું નથી કેમકે હું પણ તેમની સાથે ચાર દિવસ પ્રવાસમાં જોડાયો હતો. ગીર સોમનાથના એક ધારાશાસ્ત્રી ઉમેશભાઈ પટેલે પ્રજાહિતમાં સી.આર.પાટીલ ઉપર એફઆઈઆર નોંધાવી છે કેમ કે તેમણે તેમના ચાર દિવસના પ્રવાસમાં અને ગીર સોમનાથ માં કોઈપણ જગ્યાએ કાયદાનો અમલ કર્યો નથી અને છડેચોક ભંગ કર્યો છે. હજુ પણ ગુજરાતની જનતા અનેક શિક્ષિત લોકો જો આગળ આવીને આ ભારતીય જનતા પાર્ટી ના ધીકતા ધંધાને બંધ કરવા કોઈ પણ કાર્યવાહી નહીં કરે તો ભાવિ પેઢી પણ રાજકીય દલાલો ના વ્યવસાયમાં જ જોવાનો વારો આવશે.ભાજપ ની વોટ બેન્ક ૧૮૨ વિધાનસભા માં તૂટી ગઈ હોવાથી પ્રજા જોહુકમી થી ભગવા દલાલો થકી કમલમ માં કાર્યકર બની ને જાય તે હેતુથી આવો નિર્ણય ભાજપ વોટ બેંક જાળવી રાખવા લીધો લાગે છે. બસ હવે એ જોવાનું રહ્યું કે બિન રાજકીય લોકો અને વિરોધ પક્ષોના રાજકીય લોકો પોતાના કામો કરાવવા માટે ભાજપના ભગવાન દલાલોને પકડીને પોતે બનાવટી કાર્યકર ભાજપના બનીને પણ સમજાય તો જ તેમના કામો હાથ પર લેવાશે નહીં તો તેમના ધંધા-રોજગાર બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે. ભાજપના કાર્યકરો પદાધિકારીઓને સંગઠનના લોકોની અંદર ઉભો થયેલો આ વિશ્વાસ પ્રદેશની નેતાગીરીને હચ મચાવી રહ્યો છે જેના કારણે નવા પ્રદેશ પ્રમુખે તે લોકો ને સાચવવા માટે vip સગવડ કમલમ કાર્યાલય ખાતે કરી આપી છે કે જ્યાં તેઓ આવીને પોતાના સરકારી કામો કરાવી શકશે. વિરોધ પક્ષની નબળી નેતાગીરી તેમજ વિરોધ પક્ષની કોઈપણ ન્યાયીક માંગણી કાયદા ની અંદર રહીને પણ સરકાર આજે પણ સ્વીકારતી નથી જેથી વિરોધ પક્ષ કોઈપણ રીતે શાસક સરકારની છડેચોક પકડાતી ચોરી હોવા છતાં કંઇ પણ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. બસ હવે કોરોના છે જે આવા રાજકીય નિર્ણય લેનાર પાપીઓને તેમની સજા આપે અને પ્રજાને ન્યાય અપાવે એક હી આગ જન ફરિયાદ..વાસ્તવિકતા સાથે હર હંમેશ.. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.(9824653076..Email : prdpraval42@gmail.com)