******************************
સાહિત્ય સરિતા ….વાર્તા.નીચે પ્રમાણે…..
જનરલ – લગ્નજીવનની હકીકત :-*
_______________________
*દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું*
_______________________
નહોતી મને તારી પડી
કે નહોતી તને મારી પડી,
આતો તને જોવા આવ્યો ને તું જડી.
હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી.
પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી,
આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી.
પછી તો એક-બીજાની એટલી પડી,
કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી.
પ્રેમની વરસાવી એવી જડી.
પછી છોકરા થયા, તું એમાં પડી,
મને પણ ધંધાની ચાનક ચડી.
ક્યાં વઈ ગઈ એ ઘડી, ખબર નો પડી,
જાણે કોઈની નજર પડી.
પછી આવી ઈમોશનલ ઘડી
કહેવા લાગી તમને કાઈ નથી મારી પડી,
અને તું ઇમોશનલી રડી,
જાણે મારી ઉપર આફત પડી.
થોડી રકજક ને થોડી જીભાજોડી.
આવી ગેરસમજની ઘડી,
કહેતાં : તને મારી નથી પડી તો મને પણ નથી પડી.
ન ચાલી ઝાઝી લડા-લડી,
કારણ?
પિયર જતી ત્યારે ખબર પડી,
કે, આતો આદત કેવી પડી,
કે ચાલતું નથી એક-બીજા વગર ઘડી.
સાથે હોય ત્યારે ભલે થાય લડા-લડી,
પણ, મનથી તો હોય એક-બીજાની પડી.
લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી.
ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર પડી,
યાદ કરી જીવનની હરએક ઘડી,
બંનેના એક એક હાથે તાળી પડી.
ખુશીથી બંનેની આંખ થોડી રડી.
જીવનના અંતમાજ વાસ્તવિકતા જડી.
કે છીએ બંને એક-બીજાની છડી.
🌹🌹🌹🌹🌹🌹🌹
****************************** ************
[8/9, 3:11 PM] Bombay Jigna. Narishakti Lekh: ઈશ્વરનો કહેર, કે કૃપા !
આજે પ્રથમ વખત શાળામાં પ્રવેશતાં મારા કદમ એક મિનિટ માટે થંભી ગયાં. કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે શાળાઓમાં બાળકો માટે પ્રવેશ બંધ છે, પણ શિક્ષકોએ શાળાએ આવવાનું હોય. હું એક શિક્ષક છું. શાળાનું વેરાન દ્રશ્ય જોઈ હું રસ્તો ભૂલીતો નથી ગઈ ! ભૂતકાળની એ મધુરયાદોના દ્રશ્ય મારી નજર સામેથી એક પછી એક પસાર થવા લાગ્યાં.બાળકોનો કલરવ મારા કાનમાં ગુંજવા લાગ્યો.શું આ મારી જ શાળા છે ? પ્રશ્નનોની ક્તાર મારા મગજમાં દોડતી થઈ.
આ એકાદ મિનિટે મારા હ્રદય કમળને ભીજવી નાખ્યું. હું આગળ ચાલી, ઓફિસ સુમસાન, શાળાનું મેદાન વેરાન, શાળાનાં ઝાડ, બગીચાના ફૂલો જાણે બાળકોને શોધતાં હોય એવું લાગ્યું. હું ધીમી ચાલે, વિચારોના વમળમાં ડૂબેલી વર્ગખંડ સુધી પહોંચી.બાળકોના વર્ગખંડમાં પ્રવેશતાં જ જાણે દીવાલો મને કંઈક પૂછવા લાગી ! એવો અહેસાસ થયો. વર્ગખંડની બારીઓમાંથી અંદર આવતાં પંખીઓ એ વર્ગમાં પોતાના માળા બાંધી, પોતાનો કબજો જમાવ્યો હોય એવું લાગ્યું.પંખીઓ,અને માળા જોતાં જોતાં હું આગળ પ્રાર્થના હોલ તરફ ગઈ.ત્યાં પણ અલગ અલગ કેટલાં પ્રકારનાં માળાઓ અને પંખીઓ જોવા મળ્યાં.કેટ કેટલાં પંખીઓ ! જે આ પહેલાં કદી જોવા નથી મળ્યાં ! બસ આ એકજ વાતથી હું થોડી હળવી થઈ.
આજે શાળામાં બાળકોનું સ્થાન આ પંખીઓ, અને કેટલાય પ્રકારના જીવ જંતુઓ જેવાકે,રંગબેરંગી પતંગિયા,મધપૂડો બનાવી રહેતી મધ માંખીઓએ લઈ લીધું એવું લાગ્યું.જ્યાં જગ્યા મળી ત્યાં આ બધાં પંખીઓ, અને જીવ જંતુઓ વસવાટ કરવા લાગ્યાં.આ દશ્ય જોઈ થોડો આનંદ પણ થયો, બાળકોનો કલરવ નહીં પણ પંખીઓનો કિલકિલાટ સાંભળી મન હરખાયું.
પંખીઓ બાળકોની જેમ ભણવા આવ્યાં હોય એમ આખો દિવસ કિલકિલાટ કર્યા કરે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડયાં કરે.રોજ શાળાએ જઈએ અને બાળકોની જગ્યાએ પેલાં પંખીઓ આમતેમ ઊડતાં જોઈ, એમનો મધુર કંઠ સાંભળી ” આ પંખીઓની પાઠ શાળા છે.”એવું સમજી એમને જરા પણ નુકશાન ન પહોંચે એની કાળજી રાખતા.એમના માટે પાણી,અને ચણની વ્યવસ્થા પણ કરી આપતાં. પંખીઓ પણ અમારી સાથે દોસ્તી થઈ ગઈ હોય એમ અમારાથી જરા પણ ડર્યા વિના પોતાનામાં મસ્ત બની રહેતાં.
મન રોજ એક પ્રશ્ન કરે શું આ કુદરતનો કહેર કે એનો કોઈ સંકેત ? શું થવા જઈ રહ્યું છે ? પ્રગતિની દોડમાં આગળ વધી રહેલ માનવ જાત કેમ અચાનક થંભી ગઈ ? શું પ્રગતિ તરફની આપણી દોડ, પ્રકૃતિનાં વિનાશનું કારણ તો નહીં બની રહ્યું હોય ? કોરોનાના કહેરથી લોકો ત્રાસી ગયાં છે,ત્યારે ઘણાં એવા અદ્દભૂત સમાચારો જોવાં,સાંભળવા મળ્યાં છે, જે ઈશ્વરીય શક્તિનું પ્રતીક છે. ઘણા વર્ષોથી ન નિહાળ્યાં હોય એવા કુદરતી દશ્યનું નિહાળવા મળ્યાં.વાતાવરણ પ્રદૂષણ મુક્ત થવા લાગ્યું.નદીઓના નીર સ્વચ્છ બન્યાં. ઘણા પહાડો,ડુંગરો દશ્યમાન થયા.મેઘરાજા પોતાની સવારી લઈ ધરતી માતાને ‘સેનીટાઇઝ’ કરવાં આવી ગયાં હોય એવું આહલાદ્દક વાતાવરણ જોવાં મળ્યું.
છેલ્લાં છ માસમાં ન થવાનું ઘણું થયું.નાના મોટા સૌ કોઈ એ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.પણ બીજી બાજુ જોઈએ તો સાવ મશીન બનીને જીવતાં લોકોને પોતાનાં પરિવાર સાથે સમય પસાર કરવાનો સમય મળ્યો. ઘણાં લોકો કહેતાં હોય સમય કયાં છે ? કદાચ ઇશ્વરેજ સમય આપ્યો હોય એવું લાગે. ઘણાં માતા- પિતા એવા છે, જે પૈસા કમાવવામાં એટલાં બધાં વ્યસ્ત હોય છે, કે પોતાનાં સંતાનોને સમય આપી નથી શકતાં.જેનાં કારણે બાળકો માત પિતાનો પ્રેમ ગુમાવી બેસે છે.બીજી બાજુ બાળકો પણ ભણતરનાં બોજમાં પોતાનાં માતા પિતા પાસે બેસી આનંદ માણી નથી શકતાં.કદાચ હાલનો સમય આ બધીજ સમસ્યાઓનું નિવારણ કરવા માટે યોગ્ય હોય.
આપણે સૌ ગામડું છોડી શહેર તરફ દોટ મૂકી.ઘરનું ખાણું છોડી બહારની મોજ માણતાં હતાં. આપણી સંસ્કૃતિ છોડી પશ્વિમી સંસ્કૃતિ તરફ વળ્યાં. દેશ છોડી પરદેશ જવાં તૈયાર થયાં. આપણને પાછાં વાળવા માટે ઇશ્વનો સંકેત હોઈ શકે.આજે બધાં પોતાનાં ગામડાં,ઘર ખેતર તરફ પાછા વળ્યાં છે. ફરી એકવાર મારો ભારત દેશમાં સુવર્ણ સમય આવશે.રામ રાજ્યની શરૂઆત થઈ ચુકી છે.ભારતને આત્મનિર્ભર બનતાં કોઈ રોકી નહીં શકે.કોરોના કહેરે દરેક માનવને જગાડ્યો છે!.પોતાની ફરજનું ભાન કરાવ્યું છે.સૌ કોઈ પોતાની જાતે પ્રગતિનાં સોપાન સર કરશે.ભારતનો માનવી મહામાનવ બનશે.
કોરોનાની મહામારીનાં સમયને સુવર્ણ સમય બનાવીને જંપશે.
મેરા ભારત મહાન. હેમલતા ટી. દિવેચા. જૂનાગઢ.
****************************** ************
*NG -011**વિભાગ – ગદ્ય**પ્રકાર- વાર્તા*
*શબ્દ- મિત્રતા**શીર્ષક -મિત્રોની મિત્રતા*
એક મોટું માનકપુર નામે જંગલ હતું.જંગલની અંદર મોર,ચકલી,પોપટ,હરણ, વાંદરા,ઉંદર, કાગડા વગેરે જેવા પક્ષીઓ અને પ્રાણીઓ રહે.
મોરભાઈ એકલા એકલાં ફરે. ના એને કોઈ મિત્ર હતો કે ન એ કોઈને મિત્ર બનાવે.
મોરભાઈને થયું ,” મારે હવે લગ્ન કરવું પડશે. બધાંએ લગ્ન કરી દીધા છે. હું એકલો જ બાકી છું.”
બાજુના આવેલા મલકપુરના જંગલમાં રહેતી ઢેલને લગ્નનો પ્રસ્તાવ મુક્યો.
એટલે ઢેલબેન મોરભાઈને કહે ,”તારે કોઈ મિત્ર છે, તારે કોઈ મિત્ર હોય તો જ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર થઉ.તારે ઓછામાં ઓછાં ત્રણ મિત્રો તો હોવા જ જોઇએ.”
મોરભાઈ કહે,” મારે કોઈ મિત્ર નથી,પણ હું મને થોડો સમય આપો તો હું મિત્રો બનાવી દઉં.”
ઢેલ એ વાત પર સંમત થઇ ગઈ. અને મોરભાઈને અઠવાડિયાનો સમય આપ્યો. મોરભાઈ જંગલમાં ગયા.
મોરભાઈ ધીમે ધીમે આગળ જતાં હતા. ત્યાં વડનાં ઝાડની બાજુમાં ઊભા રહ્યા. વડના ઝાડની બાજુમાં દરમાં ઉંદરભાઈ રહેતા હતા.
મોરભાઈએ બૂમ પાડી ઉંદરભાઈને બોલાવી કહ્યું,” તમે મારા મિત્ર બનશો, મારે મિત્રની ખાસ જરૂર છે.” ઉંદરભાઈએ મોરની વાત સાંભળી સંમતિ આપતાં કહ્યું,” મોરભાઈ ગમે ત્યારે તમે મને યાદ કરશો. ત્યારે હું આવી જઈશ ને આપને મદદ કરીશ.”
એ પછી મોરભાઈ થોડાક આગળ ગયા.સામે
ઝાડ પર હુપ હુપ કરતાં એક વાંદરાભાઈ મળ્યાં.
મોરભાઈએ વાંદરાભાઈને ઊભા રાખીને કહ્યું,”તમે મારા ખાસ મિત્ર બનશો.મારી તમારી જરૂર છે.”
વાંદરાભાઈએ મોરભાઈની વિનંતી સ્વીકારી દીધી.
હવે મોરભાઈના ઉંદરભાઈ અને વાંદરાભાઈ એમ બંને મિત્ર બની ગયા હતા. એવામાં એમને એક
સામેથી કાગડાભાઈ મળ્યા.
કાગડાભાઈને મોરભાઈએ કહ્યું,”તમે મારા મિત્ર બનશો.મારે મિત્રની જરૂર છે.”
કાગડાએ પણ સંમતિ આપી.આમ ,મોરભાઈના ઉંદરભાઈ, વાંદરાભાઈ અને કાગડાભાઈ ત્રણ મિત્રો બન્યાં. બધાં મિત્રો રોજ મળે ને વાતો કરે , રમે ને પછી રાજી થઈ છુટા થાય. આમ એક અઠવાડિયું વીતી ગયું.
મોરભાઈએ ઢેલની પાસે જઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ઢેલબેને પણ મોરનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. મોરભાઈ ને ઢેલબેનના ધામધૂમથી લગ્ન થયાં. જંગલમાં મંગલ થઈ ગયું. જંગલમાં લગ્નની જોરદાર પાર્ટી યોજાઈ હતી.
લગ્ન કરીને મોરભાઈ ને ઢેલબેન ઘેર જતાં હતા. અચાનક મોરભાઈનાં પગ જાળમાં ફસાઈ ગયા, લાગતું હતું કે કોઈ શિકારીએ જાળ પાથરી હોય.
મોરભાઈ ગભરાઈને કહ્યું,” બચાવો બચાવો.”
મોરભાઈની દુઃખભરી બૂમ સાંભળીને ઉંદરભાઈ આવી ગયા અને ફટાફટ ઉંદરભાઈએ જાળ કાપી નાખી.આ જોઈને શિકારી તરત જ ત્યાં આવી ગયો. શિકારીએ મોરને મારવા ધનુષ્ય હાથમાં લીધું. પણ, એટલીવારમાં ત્યાં વાંદરાભાઈ આવી ગયા અને એના હાથમાંથી ધનુષ્ય લઈ લીધું. ને કાગડાભાઈ એ શિકારીના માથાં પર ચાંચ મારવા લાગી. ને સાથે કા…કા…કાગારાવ કરી મૂકી.બાજ,સમડી ને હાથીભાઈ જેવા પ્રાણીઓ આવી ગયા. આ બધાંને જોઈ શિકારી ભાગી ગયો. આ રીતે મોરભાઈને બચાવવા માટે ત્રણ મિત્રો જ કામે લાગ્યા.
મોરભાઈએ દરેક મિત્રોનો આભાર માન્યો.
✍️ ‘મન’ ©️
મનોજકુમાર પંચાલ
પાલનપુર
***********