ગુજરાતમાં કોઈપણ પક્ષની સરકારે શું કર્યું એ ભૂલીને ગુજરાતી તરીકે વાંચવા જેવી એક સાચી વાત
સાચુ અને સટીક..
પરપ્રાંતીય મજૂર માટે આખા ઇન્ડિયામાં જેટલી ટ્રેઇન ચલાવવામાં આવી એમાની 50% ટ્રેન ગુજરાતમાંથી ગઈ છે .. જે જાહેર કરે છે કે ગુજરાતમાં બેકારી નથી.
છતાં પણ ગુજરાતમાં બેરોજગારીનો દર ખાસ્સો ઊંચો છે. શું કામ ? મૂળે ગુજરાતીઓને કામ કરવાની નહિ પણ કોક પાસે કામ કરાવવાની જન્મજાત શિખામણ આપવામાં આવે છે. ગુજરાતીઓ નાનપણથી પોતાના બાળકોને સુપેરિયારિટી કોમ્પ્લેક્સ શીખવાડે છે કે આપણે ગુજરાતી, આપણે કોઇની નીચે કામ કરતાજ નથી…
બાપના પૈસાના ગલ્લે બેસી માવા ખાશે પણ કામ નહિ કરે. બેરોજગાર રહેશે પણ ઓછા પગારે કામ કરીને બહુમૂલ્ય અનુભવ ભેગો નહિ કરે …
વ્હાઈટ કોલરથી નીચું કાઇ ગમતું જ નથી …
70s સુધીમાં જન્મેલી જનરેશનને યાદ હશે કે બેઝિક ભણી લીધા પછી સગા વ્હાલા કે મિત્રના ધંધા રોજગાર વ્યવસાયમાં દીકરા દીકરીને મોકલીને ભવિષ્ય માટે પળોટવાનો સિરસ્તો હતો (આજે પણ પાટીદાર લોકો આ પ્રથાને વળગી રહ્યા છે) જે આજના જ્માનામાં નથી દેખાતો. ભણતર નો જરા પણ વિરોધ નથી – હોય પણ ના શકે પણ ગણતર / ટ્રેનિંગ પણ એટલીજ જરૂરી છે.
ગુજરાતીઓ ટ્રેનિંગ માટે ખાસ્સા નિરસ છે. સર્ટિફિકેટ આવી જાય એટલે ફાયટા ફરે અને માં બાપ ઉપરાણા લ્યે કે બાબો MBA થઈ ગયો એને લાયક જોબ ગોતે છે …. !
મુર્ખાઓ … તમારો બાબો કે બેબી જોબ ને લાયક છે ???
જોબ રિસ્પોન્સીબીલીટી લઇ શકે એટલા અનુભવ – ટ્રેનિંગનું ભાથું છે ?
જોબ પ્રોફાઈલ ને લગતી શારીરિક અને માનસિક ક્ષમતા છે ? ડિસિઝન મેકિંગ કરવાની ક્યારેય તક આપી છે ઇન્ટરવ્યૂ માં આવતા 90% સ્ટુડેંટ્સ પોતે જે – તે સ્ટ્રીમ માં શું કામ ભણ્યા એનો જવાબ નથી હોતો. બહુધા ગાડરિયા પ્રવાહ કે માં -બાપે નક્કી કરેલી કેરિયરના શિકાર બનેલા આવે છે. માં – બાપ પોત પોતાનામાં એટલા વ્યસ્ત હોય છે કે બાળક ને ભવિષ્યના 5/7 વર્ષ નો ટ્રેન્ડ શું હોય શકે એ શીખવાડી નથી સકતા. ડોનેશન આપી, ફી ભરી, બાઇક આપીને પોતાની જવાબદારી નિભાવી લીધાનો આત્મસંતોષ માની લે છે.
ગુજરાતમા હોટેલ / હોસ્પિટાલિટી ની હાલત ઘણી કફોડી છે. ગુજરાત ની હોટેલોમાં 95% સ્ટાફ આઉટ સ્ટેટ નો છે. ઘણા સ્ટેટની હોટેલ સર્વિસ ની સ્પેશિયાલિટી છે
દા.ત. નેપાળ -ઉત્તરાખંડ-
કિચન પ્રોડકશન, કિચન સર્વિસ, રેસ્ટોરન્ટ
WB -ઓરિસ્સા – આંધ્ર :-
હોઉસ કીપિંગ
મહારાષ્ટ્ર – યુપી -. રાજસ્થાન :-
કિચન અને બેન્કવેટ સર્વિસ
ગુજરાતની 100 રૂમ સુધીની હોટેલોમાં એન્જિનિરીંગ સ્ટાફ લોકલ હોય છે એનાથી મોટી ઇન્વેન્ટરી વળી હોટેલોમા ચીફ એન્જીનીર હોય છે. જે મોસ્ટલી સાઉથ ઇન્ડિયન હોય છે.આ ઉપરાંત ગુજરાતની તમામ GIDC માં જઈ ને જોઈ લેવાની છૂટ છે કે દરેક ઇન્ડસ્ટ્રીના દરવાજે હેલ્પર / ફોરમેનની જરૂર છે એવા બોર્ડ જોવા મળશે. આજની તારીખે અમદાવાદના ધંધા રોજગાર ને રાજસ્થાની – મારવાડીઓએ કબ્જે કરી લીધું છે
બિહાર યુપી માં આજની તારિખે ડિગ્રી લીધાપછી 2/3 વર્ષ ડ્રોપ લઈને UPSC, IRS IPS, IAS ની તૈયારી કરેછે અને ભવિષ્યમાં ગુજરાતમાં પોસ્ટિંગ ઉપર આવીને ગુજરાતીઓને પ્રેમથી હાંકે છે.
મૂળ કારણ બાળકોને થાબડભાણાં કરવાનું છે. છેક મણિપુર / આસામ / અરુણાચલ થી 4000 kM દૂર ગુજરાતમાં ખાલી ટ્રેનિંગ લેવા (1500/- સ્ટાઈપેન્ડ, 2 time જમવાનું અને યુનિફોર્મ ) તરુણ વયના પરપ્રાંતીયો કૅરિયરની શરૂઆતે આવેછે. અને ટ્રેનિંગ પછી મિનિમમ વેજેસ ઉપર 2 વર્ષ રોજ કમ સે કમ 12 કલાક ડ્યૂટી કરી, સ્ટુવર્ડ થી કેપ્ટન બની આગળ FNB મેનેજર – બેન્કવેટ મેનેજર – ઓપેરશન મેનેજર – જનરલ મેનેજર બનેછે .
ગુજરાતીઓ પોતાના બાળકોને 1500/- na સ્ટાઈપેન્ડ માટે મિઝોરમ ની હોટેલમાં ટ્રેનિંગ માટે મોકલશે ?
નજીકના ભવિષ્યમાં ગુજરાતીઓ માટે ગુજરાતમાં નોકરી-ધંધા -રોજગાર ની તકો ભૂંસાઇ જાય એવી પુરી શક્યતા છે.આ ટ્રેન્ડ પોસ્ટ કોરોના ટાઈમ માં કોરોના કરતા વધુ વકરવાનો છે સુપેરીઅર મેન્ટાલીટી બદલવી પડશે -જાતે કામ કરવું જ પડશે કામાકુટાં સ્પૂન ફીડેડ ગુજરાતીઓ માટે નાનાથી મોટા લેવલ સુધીના પરપ્રાંતીઓ નોકરી-વ્યવ્સાય ઝુંટવી લેવા ટાંપી ને બેઠા છે …
ઉપરોક્ત પોસ્ટ ને સહમત ના થવાની, દરેકને મુનસફી પ્રમાણે છૂટ છે.. જેટલી વહેલી હકીકત સ્વીકારીશું એટલા ફાયદામાં રહેશું. ગુજરાતી ઉદ્યોગો પણ માસીના દીકરા નથી કે ‘ઓન્લી ગુજરાતીસ કેન એપ્લાય’ થી નોકરી ની જાહેરાત આપશે.
માઈન્ડવેલ , આ પરપ્રાંતીઓ પોતાના સ્ટેટમાં મળવાની થતી દરેક સબસીડી, ફૂડ એડ, સરકારી સહાય અને માથાદીઠ મળતું સરકારી અનાજ ઘરભેગું કરી -સ્ટોક કરીને પાછાં ગુજરાતમાં નોકરી ધંધા કરવા ખાબકવાના જ છે કારણકે એમને હૈયે ધરપત છે, ખબર છે કે ગુજરાતને અમારા વગર ચાલવાનુંજ નથી
12 અવર્સ ડેઇલી વુડ બી ન્યૂ નોર્મલ
આ સિચ્યુએશન માટે કેટલા ગુજરાતીઓ તૈયાર છે ?
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ તો સમજ્યા પણ જે શ્રમિકો અહીં થી ડર કે વખાના માર્યા ભાગ્યા છે તે ફરી પરત આવે અને ફરી થી ગુજરાતના વિકાસ માં લાગી જાય તો જ આ વિકાસયાત્રા આગળ ચાલશે બાકી તો પંચર જ છે. કેમ કે ગુજરાતી પ્રજા એ ભલે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી હોય પણ જાત મહેનત નું શસ્ત્ર હવે ગુજરાતીઓ પાસે રહ્યું નથી અને એટલે જ પરપ્રાંતિયો ને ગુજરાત સદી ગયું છે.
નૈતીક ઓઝા