: ન્યૂઝ ઓફ ગાંધીનગર …(સુભાષિતો અને કહેવત) વિભાગ: સુભાષિત “મુખ દેખી દાતારનુ દુખ જનમના જાય ગંગાનીર જ દેખતા સઘળા પાપ પળાય “
‘મુખ દેખી દાતારનું; દુખ જનમના જાય’ કંઈ પણ માંગો ને ચોક્કસપણે આપે એવા જન એટલે દાતાર. અહીં થી કોઈ ખાલી હાથે પાછુ ન ફરે એ એની ખાસિયત. દુખિયારાને આવા દાતારના દર્શન માત્રથી જાણે દુખ દુર થયુ જ સમજો એવી દ્રઢ શ્રધ્ધા અપાર! ‘ગંગાનીર જ દેખતા; સઘળા પાપ પળાય’ ભારતની મહાનતમ નદીઓમાંની એક એવી ગંગા નદી; ધર્મ, આસ્થા, શ્રધ્ધા અને પવિત્રતાનું સાક્ષાત સ્વરૂપ છે. મનુષ્યના જન્મથી મ્રુત્યુ સુધીના દરેક ધાર્મિક કાર્યોમાં ગંગાજળથી શુદ્ધિની પરંપરા છે. આ જળનાં દર્શન માત્રથી સઘળા પાપોનું પલાયન થાય છે.
આ બન્ને પંક્તિઓમાં શ્રધ્ધા, આસ્થા અને સંસ્કારનો અદભુત સમન્વય થતો દેખાય છે. અને આ ત્રણેય જીવનમાં કેટલી સકારત્મકતાનો સંચાર કરે છે એ ખૂબ સરળ શબ્દોમાં ‘દાતાર’ અને ‘ગંગાનીર’નાં ઉદાહરણ સાથે દર્શાવાયું છે.
કોઈ દાતાર કે જે નિઃસ્વાર્થ પણે સેવા આપે; દાન કરે એ એના સંસ્કાર છે. કોઈ એક વ્યક્તિના સદ્ગુણોને કારણે બીજા કેટલાયને જીવનમાં આશ બંધાય છે. એ જ રીતે પવિત્ર નદી ગંગા કે જે રાજા ભગીરથની તપશ્ચર્યાથી પ્રૃથ્વી પર અવતરી અને તેનાથી કેટલાય લોકોના પાપ ધોવાયા! ભારત દેશ આવા દાતાર અને પવિત્ર નદીઓથી સમ્રૃધ્ધ છે અને તેથી જ આજની કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં પણ એટલો જ અડગ ખુમારી સાથે ઉભો છે! આપણે સૌ પણ આવા જ સદ્ગુણ કેળવીએ કે જેથી દરેકમાં સકારત્મકતાનોઅદ્ભુત સંચાર થાય અને ગમે એવી કપરી પરિસ્થિતિમાં આપણી અંદરની પવિત્રતા અને સદ્ગુણના દર્શન માત્રથી લડવાની હિંમત બંધાય!
*કહેવત = કામ કર્યું તેણે કામણ કર્યા* *અર્થ = કામ કરનાર સૌને પ્રિય લાગે*
ઘણી કોશિશો કરવા છતાં પણ સમીક્ષાને નોકરી મળતી ન હતી.ઘણી ઓફિસોના ધક્કા ખાધા હતા અને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. થોકબંધ બાયોડેટા અલગ-અલગ જગ્યાઓએ મોકલેલા પરંતુ ક્યાંથી નોકરી માટે કોઈ હામી ભરતું નહોતું. હાલના સમયમાં નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા બરાબર છે.
સમીક્ષા રૂપાળી અને દેખાવડી છોકરી હતી અને પરીક્ષાઓમાં પણ તેમણે બધી ફર્સ્ટ ક્લાસે પાસ કરી હતી, પરંતુ હવે ક્યાં કોઈ આવડત કે ડિગ્રીઓ જુએ છે.આ સમયમાં તો અમુક જગ્યાઓ બાદ કરતા નોકરી મેળવવા માટે ક્યાંક રિશ્વતના રૂપિયા અથવા તો મોટી ઓળખાણ હોવી જોઈએ. સમીક્ષા મીડીયમ પરિવારમાંથી આવતી હોય, ન તો આટલા રૂપિયા હતા કે ના કોઈ એવી મોટી ઓળખાણ કે જેના કારણે તેને સરળતાથી નોકરી મળી જાય. આમ છતાં સમીક્ષાના માતા-પિતાએ ઘણી જગ્યાએ લાગવગ લગાવવાની કોશિશો કરી, પરંતુ સામાન્ય માણસોનું કોણ સાંભળે છે? બધા હા યે હા કરી અને નીકળી જતા પરંતુ કોઇ જગ્યાએ કામ થતું નહીં.
આજ સવારે ઊઠીને પણ ફરી એ જ પગલે ચાલવાનું હતું ઇન્ટરવ્યૂની મોટી હરોળો અને નીત-નવા સવાલો. સમીક્ષા ઊઠીને સવારે તૈયાર થઈ ઇન્ટરવ્યૂ આપવા નીકળી. જતાં-જતાં તેની મમ્મીએ કહ્યું; “રસ્તામાં આવતા ગણેશજીના મંદિરે થતી જજે અને એકાવન રૂપિયા ચડાવતી જજે. ગણેશજી વિઘ્નહર્તા છે. એ આપણા બધા વિઘ્નો હરશે અને મહેર કરશે તો આ ઇન્ટરવ્યુમાં તને ચોક્કસ સફળતા મળશે.
અને ખરેખર એવું જ થયું ઇન્ટરવ્યુ આપ્યું એના બે દિવસ પછી કોલ આવ્યો તમે આપેલા પર્સનલ સેક્રેટરીના ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થાવ છો અને કાલથી નોકરી જોઈન્ટ કરી શકો છો. અાને નસીબ કહો કે ગણેશજીની કૃપા પરંતુ ઘણા લાંબા સમયના અથાગ પ્રયત્નો પછી આ સફળતા મળી હતી.
બીજા દિવસથીંજ સમીક્ષા એ પોતાની નોકરી શરૂ કરી દીધી અને ઘણા લાંબા સમય પછી એક સફળતા મળી હોવાના કારણે તે ખૂબજ મન લગાવીને કામ કરવા લાગી. થોડાજ સમયમાં તો તે આખી કંપનીમાં એ અળખામણી બની ગઈ. સમીક્ષાની કામની ચોકસાઈ અને કામ પ્રત્યેની વફાદારી જોઈને ઘણા લોકો તેમની પ્રશંસા કરતા તો ઘણા લોકો તેમની આ કામગીરીને જોઈને મનોમન ઈર્ષા કરતા.
થોડા જ સમયમાં એ કંપનીના મેનેજરની વિશ્વાસ પાત્ર બની ગઈ અને કંપનીના મેનેજર પણ તેમના ભરોસે ઘણા નાના-મોટા નિર્ણયો લેતા થયા. માત્ર બે વર્ષોની અંદર તેના મહેનતાણામા ઘણો સુધારો થયો અને તેમને વધુ પગાર મળતો થયો.કંપનીના એક ફંક્શનમાં તેને એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવી. આ સાંભળીને કંપનીના અન્ય લોકોમાં પણ કાનાફૂસી થવા લાગી, ઘણા કહેતા કે તેણે પોતાના રૂપનાં કામણ પાથર્યા છે, તો ઘણા કહેતા કે પોતાના કામને કારણે આગળ આવી છે. કંપનીના ઘણા લોકો કહેતા કે; *”કામ કર્યું તેણે કામણ કર્યા.”* -આ કહેવતને સમીક્ષા એ સાર્થક કરી છે. સ્ટેજ પર એવોર્ડ મળતાની સાથે જ બધાએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી અને સમીક્ષાએ કહ્યું; “આજે મને મારી મહેનતનું સાચું મહેનતાણું મળ્યું છે.”
****************************************** : *કહેવત :* કામ કર્યું તેણે કામણ કર્યા અર્થ : કામ કરનાર સૌને પ્રિય લાગે છે
*વિભાગ* : ગદ્ય
*શીર્ષક* : જીતની ઈમાદારી
વેલપુર ગામમાં જીત નામક એક સુથાર સુથારી કામ કરતો હતો. જીત પોતાનું કામ તેની હોંશિયારી અને ઈમાદારીથી કરતો હતો. ગામ લોકોનું મન જીતી લેતો હતો. એકવાર જીતને શહેરમાં સુથારી કામ મળ્યું. જીત ખુશ ખુશ થઇ ગયો. એણે ગામમાં રહેતા તેના ભાઈબંધોને શહેરમાં સુથારી કામ મળ્યાંની વાત કહી. પરંતુ જીતના ભાઈબંધોને આ વાત ગમી નહી અને કહ્યું.. કે’મ તારે શહેરમાં જવું છે જીત ? તું તો ગામમાં સારું કમાય છે ને ! ગામમાં બધાં તારા કામની વાહ વાહ કરતાં થાકતાં જ નથી ! જીત આખા ગામમાં તું જ છે જે જવાબદારી સાથે કામ અને નામ કમાવ્યું છે એક વાત યાદ રાખ’જે ” કમાવીને નામના કમાવાય કામ કરીને નામ કમાવાય. “ આજે આપણા ગામમાં તારા કામથી લોકોને સંતોષ છે. તારી કામ કરવાની ઈમાનદારી , ચીવટ અને ઝડપ સારી હોવાથી તને સુથારી કામ આપે છે. એટલે જ શહેરમાં જવાનું છોડ..અને સુખેથી ગામમાં રહી તારું નામ કમાઈ લે.. પેલા ધનસુખ માસ્ટર તારા વખાણ કરતાં હતાં , “જીત જેવો કોઈ સુથાર નહીં મળે! આ ગામની સ્કૂલમાં ટેબલો, ખુરશીઓ, બ્લેક બૉડ, બારી-બારણાં હજુ પણ સહી સલામત છે. માટે એનાં કામથી હું ખૂબ ખુશ છું “… એટલે કહેવાય છે કે… ” કામ કર્યું તેણે કામણ કર્યા “
જીતે તેના કામથી આખા ગામમાં પોતાનું વર્ચસ્વ જમાવીને ભાવ પૂર્વક સુથારી કામ કરવા લાગ્યો. ગામમાં સુથારી કામ ચાલુ રાખ્યું ને સચોટથી કામ કરી ગામ લોકોનો પ્રેમ ભાવ જીતી સૌનો પ્રિય જીત બની ગયો.
ઉર્વશી મહેતા અમદાવાદ.
*************************************** : *સ્પર્ધા નં ૪* *કહેવત* *કામ કર્યુ તેણે કામણ કર્યા* અર્થ* -* કામ કરનાર સૌને પ્રિય લાગે**
*વિસ્તાર* : આ કહેવતમાં કામનું મહત્વ દર્શાવ્યું છે.આ સૃષ્ટિમાં ઈશ્વરે બે પ્રકારના મનુષ્યોનું નિર્માણ કર્યું છે.”આળસુ અને મહેનતુ”.મહેનતુ માણસ પોતાના મહેનતુ સ્વભાવથી દરેક પ્રકારના કાર્યો પૂર્ણ કરે છે. તેઓ ક્યારેય પણ કોઈ પણ સારુ કાર્ય કરવામાં સંકોચ અનુભવતા નથી.ભલે પછી તે નાનુ કામ હોય કે મોટુ. આવા કામગરા માણસો દરેકની આંખોમાં વસી જાય છે.દરેકના મનમાં આવા માણસો માટે સન્માનની ભાવના હોય છે.
કહેવાય છે કે “કામથી માણસનું નામ થાય છે.” સફળતાની સીડી સુધી પહોંચવા માટે કામને જ ઈશ્વર માનનાર વ્યક્તિ લોકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી છે.ખંતથી કામ કરનાર વ્યક્તિ ઘણી વાર બીજાની મદદ પણ કરીને લોકોને વ્હાલા લાગે છે.કામ કરીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન પ્રાપ્ત કરનાર ઘણા મહાન વ્યક્તિઓ થઈ ગયા.મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મેડમ કામા, વગેરે. મહાત્મા ગાંધીજીએ પોતાની સૂઝબૂઝ અને ખંતથી લોકોને એક કરી દેશને આઝાદી અપાવવાનુ કામ કર્યું અને આજે પણ લોકોના હૃદયમાં “બાપુ”નુ સ્થાન ધરાવે છે.
* કામ કર્યુ તેણે કામણ કર્યા* *અર્થ* -* કામ કરનાર સૌને પ્રિય લાગે*
કામનો મહિમા હર કોઈ જાણે છે. કામ એટલે કે કર્મથી જ વ્યક્તિ પોતાનું નામ ઊંચું લાવી શકે છે. આ વાત ઉપરોક્ત કહેવતમાં સુંદર રીતે સમાવી લેવામાં આવી છે. સફળતા દરેકને વ્હાલી હોય છે. પણ તેને હાંસલ કરવા માટે કર્મ કરવું જરૂરી છે. કર્મ કરનાર જ સફળતાનું સ્વપ્ન જોવા માટેનો સાચો હકદાર છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ સતત કર્મ કરતાં રહેવું તે જ જરૂરી છે. તેનાં ફળની ચિંતા પરમાત્મા પર છોડી દેવી. ગીતાજીનો સાર પણ નિષ્કામ ભાવે કર્મ કરતાં રહેવું એ જ છે ને! કામ કરનાર સૌને વહાલાં લાગે છે નહીં કે ઠાલાં વચનો આપનાર! વ્યર્થ સમય બરબાદ કરનાર ક્યારેય લોકોનાં દિલમાં સ્થાન નથી પામી શકતાં. જેમની વાણી નહીં પણ કર્મ બોલે છે તે જગ જીતવા સમર્થ છે! સિદ્ધી પણ પરસેવાથી ભીંજાય તેનું જ વરણ કરે છે.
ભગવતી પંચમતીયા. ‘રોશની’
************************************ ન્યુઝ ઓફ ગાંધીનગર કહેવત પરથી ……….. કામ કયુૅ તેણે કામણ કયાૅ.. અથૅ… કામ કરનાર સૌને પ્રિય લાગે છે. ………………………. આમતો હસતું ખેલતું ઘર અમારુ ને અમે બન્ને ડોકટર ને ધર સંભાળે અમારી ગંગા જે મારી સહેલી પણ છે, ને એનો કોઈ સહારો નથી. ગંગા સહેલી કરતા બહેન વધારે ને બાળકોને જીવથી પણ વધારે સાચવે. ખૂબ મહેનતું બધાને વ્હાલી લાગતી કામ જો કરી આપતી એક બોલ પર. એવી આ ગંગા… સવાર ન જોવે ને રાત ના જોવે. કામ કામ ને કામ . ઘરમાં જે બોલાવે એને પ્રેમથી હસતા મોઢે કરી આપતી. બધાનાં લેતી આશીષ . કોઈને એના વગર ના ચાલે.બધા પ્યારથી ગંગામાસી કહેતા.ઘરની પ્રતિભા જાળવનાર કોન તો કહશે…. ગંગામાસી. જેને નાનપણથી મા કરતા વધુ વહાલ કયુૅ. 45 વષૅ થી કામ કરે છે.એમને નોકરાણી તો નાજ કહેવાય અપમાન જનક લાગે માટે માસી કહેતા. અમારી ઘરને ચલાવનાર એક ડોરથી બાંધનાર, રસોડાની મહારાણી કહો, અમારી દેખરેખ રાખતા પ્રેમથી. મમ્મી પપ્પાને જોવું ના પડે. માત્ર પૈસા આપી દેતા ઘર સંભાળતા ગંગામાસી. ડોકટર હતા મમ્મી ને પપ્પા લોકોની સેવા કરતા . ગરીબને મદદ પન કરતાને ફ્રીમાં દવા પણ આપતાં . મહેશભાઈ નાના ભાઈ કમલેસભાઈ અમેરિકાથી દસ વષૅએ આવ્યાં. પણ ગંગામાસીનાં હાથની રસોઈ નો સ્વાદ મોઢામાં રહી જાય એવે હો. પુરાના દિવસોની યાદ તાજી કરાવી દીધી.મીનું કહે હું ગભૅવતી હતીને તો એમના જ હાથની રસોઈ ખાતી હમેશાં ગરમાં ગરમ જમાડતા પ્રેમથી આગ્રહ કરતા. નિર્મળ પ્રેમ એમનો. દસ વષૅથી થોડી વબિયત નબળી રહેતી પણ કામ માં જરાયે ઓગણીશ વીસ નાં ચાલે. પરિવારની દેખરેખમાં કયારેય કસર ના હોય. સૌના મુખડે એમનાં ગુણલા ગવાતા. નિષ્ઠાપૂવૅક કામ કરતા. ઘરમાં શું છે, શુ લાવવાનું છે બધુ ગંગામાસીને ખબર હોય એમના હાથ નીચે બીજા બે જણ કામ કરતા.. નીલાબેન હરખ જતાવતી સુંદર રીતે કારોભાર કરતા. વષોૅના વાણા વાયા એમનાં નામથી બધા ડરતા. શાંતિથી વાતનો ઉકેલ લાવતા.ઘરનાં મોભાદાર સદસ્ય બની ગયાં હતાં. પોતાના પણું ઘણું કહેવાય છે . “માણસ કરતા પણ તેનું કામ વધું વહાલું લાગે.” તન ને મનથી કામ કરતા ને મુખ પર સદાય મીઠું સ્મિત રહેતું . કયારેય કોઈને કામ માટે. ના નથી પાડી. એક કામ બતાવોને દસ કામ કરી દેતા એવા અમારા ગંગામાસી. બોલો આજે તો કોઈને એક કામ બતાવીએ તેા મોઢું બગાડે.. સૌને એક સાંકળે બાંધી રાખે ને પ્રેમથી કામ કરી આપે.. એ કામનું કોઈ મોલ નાં હોય “એ તો અમુલ્ય કહેવાય.” સદાય પ્રફુલિત રહેતા ને રાખતા….ઘરમાં બંધાને.
Thank you