Press Brief 14.05.2020 Gujarat 17.00 hrs
(Gujarat corona Jayanti Ravi today Report)
GN_15-5-20 (NEWS of Gandhinagar PDF)
[5/14, 4:14 PM] Uday Vaisnav: અખબારી યાદી તા. ૧૪/૫/૨૦૨૦
કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીમાં અત્યાર સુધી પ્રજાથી મોઢું સંતાડનારી કોંગ્રેસને
હવે છેક કેમ જવાબદાર વિપક્ષ તરીકેનું ભાન આવ્યું?
નિવેદનીયા વાયરસથી પીડાતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ગૃહ રાજ્યમંત્રીનો સણસણતો સવાલ
……
‘‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’’નું ગતકડું માત્ર રાજકીય લાભ ખાટવા અને તૂષ્ટિકરણની રાજનીતિ કરવા જ કોંગ્રેસે કર્યુ છે:- ગૃહ રાજ્યમંત્રીશ્રી
…….
પ્રજા કોરોનાના ભયના ઓથારમાં હતી ને કોંગ્રેસના સભ્યો જયપૂરના રિસોર્ટમાં સ્વીમીંગ પૂલમાં ધૂબાકા મારતા હતા એ પ્રજા ભુલી નથી
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આખી સરકાર – ધારાસભ્યો-સાંસદો છેલ્લા અઢી મહિનાથી દિવસ-રાત એક કરીને કોરોના વાયરસના સંક્રમણ નિયંત્રણમાં લાગ્યા છે તે ગુજરાતની જનતા જનાર્દન જુવે છે – પ્રજાની આંખે તમે પાટા નહિં બાંધી શકો :-પ્રદિપસિંહ જાડેજા
……
અમે તો ગરીબ-અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોની પડખે આ વિપદામાં ઊભા રહ્યા ને રૂ. ૧૦૪૦ કરોડનું ૪૩ લાખ કવીન્ટલ અનાજ ત્રણ-ત્રણ વાર વિનામૂલ્યે આપ્યું
…..
અમે ૪ લાખ શ્રમિકોને ૩પ૦ ટ્રેન મારફતે તેમના વતન મોકલ્યા
તમે શ્રમિકોના ભાડાના નામે રાજનીતિ કરો છો પણ ૪૦ હજાર શ્રમિકનું ભાડું પણ આપ્યું હોય તો બતાવો?
માત્ર તૂષ્ટિકરણની રાજનીતિ અને કોંગ્રેસી આક્કાઓના ઇશારે મદરેસાના ૮પ૦ વિદ્યાર્થીઓને બિહાર જવા ભાડું આપ્યુ ને શ્રમિકોના નામે મગરના આંસુ સારી રહ્યા છો
……
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ દ્વારા પ્રજાજનોને કોવિડ-19માં સહાયરૂપ થવા શરૂ કરાયેલી ‘ઇ-જનમિત્ર કોવિડ-19 હેલ્પલાઇન’ને તકવાદી રાજકારણનું એક આગવું ઉદાહરણ ગણાવ્યું છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાના મન-માનસમાંથી ફેકાઇ ગયેલી કોંગ્રેસ હવે છાશવારે નિવેદનો અને પ્રચારમાં રહેવા માટેના ગતકડાં ઊભાં કરી પોતાનું અસ્તિત્વ ટકાવવાના હવાતિયાં મારે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વિપક્ષના પ્રદેશ પ્રમુખે જે બફાટ કર્યો છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મૂલાકાતમાં તંત્ર વ્યસ્ત રહ્યું અને કોરોના ફેલાયો તેની સાફ શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું છે કે, એ દિવસોમાં કોરોના અંગે એક પણ નિવેદન કોંગ્રેસના કોઇ નેતાએ આપ્યું જ નથી.
એટલું જ નહિ, એ દિવસોમાં કોરોનાની બિમારી ભારતમાં કે ગુજરાતમાં હતી જ નહિ એનું સામાન્ય જ્ઞાન પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને નથી તે જ કોંગ્રેસની અજ્ઞાનતા છતિ કરે છે એમ શ્રી જાડેજાએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, હકિકત તો એ છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગુજરાત યાત્રાને જે જવલંત સફળતા મળી અને વિશ્વમાં ગુજરાતની જે આગવી છાપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વથી ઊભી થઇ તેનાથી ડઘાઇ ગયેલી કોંગ્રેસ હવે આવા નિવેદનોથી પોતાનો પાંગળો બચાવ કરે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને અચાનક લોકડાઉન કર્યુ અને સરકારના મુખ્યમંત્રીથી લઇને બધા ઘરે બેઠા છે એવા બેજવાબદાર નિવેદનો જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સામાન્ય જ્ઞાનની પણ સમજ નથી તે સ્પષ્ટ પૂરવાર કરે છે.
શ્રી જાડેજાએ આ સંદર્ભમાં કહ્યું કે, લોકડાઉનને કારણે જ ભારત-ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક બનતું અટકયું છે.
તેમણે પ્રતિપક્ષના પ્રમુખે જે નિવેદન મિડીયામાં કર્યુ કે સરકારના મુખ્યમંત્રી સહિત બધા ઘરે બેઠા છે તેનો કડક પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની શ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર આ મહામારીમાં પ્રજાની સતત પડખે રહી છે.
હોસ્પિટલોની મૂલાકાતો, વિડીયો કોન્ફરન્સથી નિયમીત સ્થિતીની સમીક્ષા, દવાઓ-સાધનોનો જથ્થો ઉપલબ્ધ કરાવવાથી માંડીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજથી અનેક રાહતો સહાય પણ અમે આપી છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અમે તો પૂર, વાવાઝોડુ, તીડના ટોળાનો હુમલો કે કોઇપણ સંકટ સમયે પ્રજાની સાથે, પ્રજાની પીડામાં ભાગીદાર અને તેના નિવારણમાં સતત કાર્યશીલ રહેનારી સંસ્કૃતિના લોકો છીએ.
કોંગ્રેસની જેમ આફત આવે ત્યારે મોઢું સંતાડવાની ફિતરત અમારી નથી તેવો સ્પષ્ટ જવાબ આપતાં પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એવા દાવા કરે છે કે કોંગ્રેસનો કાર્યકર પ્રજાની વચ્ચે આવી મહામારીમાં ઊભો રહેલો છે.
પરંતુ તેમને એ યાદ છે ખરૂં કે, બનાસકાંઠાના પ્રચંડ પૂર વેળાએ મુખ્યમંત્રી સહિત આખી સરકાર સાત-સાત દિવસ સુધી બનાસકાંઠામાં પ્રજા સાથે હતી ત્યારે તમારા ધારાસભ્યો બેંગ્લોરના પૂલમાં ધૂબાકા મારી મોજ-મસ્તી કરતા હતા.
અરે, હમણાં પણ જ્યારે પ્રજા કોરોનાથી ગભરાયેલી હતી. દહેશતનો માહોલ હતો ત્યારે પણ વિપક્ષ કોંગ્રેસે રાજકારણના આટાપાટા ખેલવા રાજ્યસભાની ચૂંટણીના રાજકારણની આડમાં પોતાના ધારાસભ્યોને જયપૂરના રિસોર્ટમાં સ્વીમીંગપૂલમાં જલસા કરવા મોકલી દીધા હતા. એમ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નિવેદનોનો જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં માર્ચની તા. ૧૯મી એ કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી છેલ્લા અઢી મહિનાથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ સહિત આખી સરકાર અને તંત્ર, ભાજપાના ધારાસભ્યો, સાંસદો દિવસ-રાત એક કરીને પ્રજાને આ સંક્રમણથી બચાવવાના ઉપાયોમાં અને સારવાર સેવામાં લાગેલી છે.
હવે છેક રહિ રહિને કોંગ્રેસને આવી હેલ્પલાઇન શરૂ કરવાનું કોના માટે સુઝયું એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આપે એમ પણ તેમણે ઉમેર્યુ છે.
તેમણે જણાવ્યું કે, પ્રજાની પીડામાં સંવેદના સાથે શ્રી વિજયભાઇ રૂપાણીની આખી સરકાર ઊભી રહી છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતીમાં ધંધા-રોજગાર બંધ છે ત્યારે કોઇને ભૂખ્યા સુવું ન પડે તેની ચિંતા અમે કરી છે.
રાજ્યની કુલ વસ્તીના ૯ર ટકા એટલે કે સાડા ત્રણ કરોડથી વધુ ગરીબ, મધ્યમવર્ગીય અંત્યોદય પરિવારોને આ વિકટ સ્થિતીમાં ત્રણ-ત્રણ વાર વિનામૂલ્યે અનાજ વિતરણ કરીને ૪૩.૬૦ લાખ કવીન્ટલ અનાજ રૂ. ૧૦૪૦ બજાર મૂલ્યનું નિ:શૂલ્ક ભાવે અમે આપેલું છે.
રાજ્યના ૬પ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧૦૦૦ પ્રમાણે ૬૫૦ કરોડ જમા કરાવ્યા છે. એટલું જ નહિ, ગરીબ, વંચિત નિરાધાર-વૃદ્ધ ગંગા સ્વરૂપા માતા બહેનો અને દિવ્યાંગ વ્યકિતઓને પણ કુલ ૬ર૧૦ કરોડની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ સહાયથી આ વિકટ ઘડીએ આર્થિક આધાર ભાજપાની શ્રી વિજયભાઇ રૂપાણી સરકારે આપેલો છે.
શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત ઊદ્યોગ વેપારમાં નંબર વન રાજ્ય છે એટલે અન્ય પ્રાંત પ્રદેશના શ્રમિકો-કારીગરો રોજી-રોટી માટે અહિં વસેલા છે.
આવા શ્રમિકોને કોરોના વાયરસની સ્થિતીમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં તેમના વતન રાજ્યમાં ઘર-પરિવાર પાસે મોકલવા ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અત્યાર સુધીમાં ૩પ૦ વિશેષ ટ્રેન દ્વારા ૪ લાખથી વધુ શ્રમિકોને ટ્રેન મારફતે તેમના ઘરે પહોચાડયા છે.
શ્રમિકોને રેલ્વે ભાડાના મૂદે તેમણે રાજનીતિ કરી રહેલા કોંગ્રેસીઓને પડકાર ફેંકયો કે આ ૪ લાખમાંથી ૪૦ હજાર શ્રમિકોના ટ્રેન ભાડાના પૈસા જો કોંગ્રેસે આપ્યા હોય તો બતાવે.
શ્રી જાડેજાએ કહ્યું કે, કોંગ્રેસને તો તૂષ્ટિકરણની રાજનીતિમાં જ રસ છે એટલે જ તેમણે તેમના આક્કાઓના ઇશારે ભરૂચ જિલ્લાની મદરેસાઓના ૮૫૦ વિદ્યાર્થીઓને બિહાર મોકલવા ટ્રેનના ભાડાના ૬ લાખ આપ્યા અને શ્રમિકોને ભાડાના નામે મગરના આંસુ સારે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના તકેદારી પગલાં અને સામાજિક જવાબદારી રૂપે ચૈત્રી નવરાત્રિ, રામનવમી, હનુમાન જ્યંતિ જેવા તહેવારો લોકોએ ઘરમાં રહીને ઉજવ્યા ત્યારે કોંગ્રેસ ધર્મના નામે, કોમના નામે રાજનીતિ આગળ કરીને પોતે તૂષ્ટિકરણની રાજનીતિ કરવા સારૂં રમજાન મહિનામાં લોકોને બહાર અવર-જવરની છૂટની માંગણી કરીને પોતાનો અસલી ચહેરો પ્રજા સમક્ષ લાવી છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જણાવ્યું કે પ્રજાએ આંખે પાટા બાંધેલા નથી, કોણ તેની સાથે છે, કોણ તેની વિપદામાં પડખે છે અને સહાય કરે છે એ બધું નરી આંખે જુવે છે. એટલે તમારા નિવેદનોથી ગુજરાતની પ્રજા ગુમરાહ થવાની નથી કે તમારી કોઇ કારી ફાવવાની નથી- તમે પ્રજાની આંખમાં ધૂળ નહિં નાંખી શકો.
અત્યારનો આ સમય રાજનીતિ કરવાનો નહી, સાથે મળીને કોરોનાના સંકટમાંથી રાજ્યને રાષ્ટ્રને બેઠું કરવાનો છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હકિકત જોયા જાણ્યા વિના નિવેદનો કરવાના વાયરસનો ભોગ બન્યા હોય તેમ એમના આવા બેજવાબદાર વાણી વિલાસથી લાગે છે એમ પણ શ્રી જાડેજાએ ઉમેર્યુ છે.
……
[5/14, 4:52 PM] Uday Vaisnav: *આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે*
*ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે*
*નજીકની સહકારી બેન્કમાંથી મળશે લૉન: 6 મહિના સુધી EMI નહિ*
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.
[5/14, 4:52 PM] Uday Vaisnav: *આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી: નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે*
*ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે*
*નજીકની સહકારી બેન્કમાંથી મળશે લૉન: 6 મહિના સુધી EMI નહિ*
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.
[5/14, 5:31 PM] Uday Vaisnav: રાજ્યમાં કપાસ પકવતા ખેડૂતોના હિતમાં
ટેકાના ભાવે કપાસની ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા કેન્દ્રીય કાપડ મંત્રીશ્રીને રજૂઆત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
…….
ગત તા. ૧પ એપ્રિલ-૨૦૨૦થી રાજ્યમાં ઘઉં-તુવેર-ચણા-રાયડો-મગફળી-તમાકુ અને કપાસની ટેકાના ભાવથી ખરીદી ચાલું
અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી કુલ ૪૦ લાખ ક્વિન્ટલ અનાજ સહિત કુલ રૂ. ૧૮ર કરોડથી વધુ કિંમતની જણસની ખરીદી
લોકડાઉનની પરિસ્થિતમાં ખેડૂતોને ઉપજના સારા અને પોષણક્ષમ ભાવો માટે ટેકાના ભાવે ખરીદી દ્વારા ખેડૂતોને સહાયરૂપ થવાનો અભિગમ
રાજ્યમાં વર્તમાનમાં ૧ર૭ માર્કેટયાર્ડ કાર્યરત
……
ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોના હિતમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સીસીઆઇ મારફત સત્વરે કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય કાપડ મંત્રીશ્રીને રજૂઆત કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપતા કહ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કપાસનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતોનો ઉત્પાદિત માલ સત્વરે વેચાય તો લોકડાઉનની આ પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ શકાય એ માટે આ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં કાર્યરત સીસીઆઇના કેન્દ્રો દ્વારા આ ખરીદીની પ્રક્રિયા સત્વરે ગોઠવાય તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી છે.
સચિવ શ્રી અશ્વિનીકુમારે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે કરેલ ખરીદીની વિગતો આપતાં જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને લોકડાઉનની સ્થિતીમાં પણ તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે જેના ભાગરૂપે તા. ૧પ એપ્રિલથી અત્યાર સુધીમાં રાજયમાં ગુજકોમાસોલ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. અને સીસીઆઇના મારફતે કપાસની ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પાસેથી તા. ર૭ એપ્રિલથી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા કુલ રૂ. ર૬.૪ર કરોડના ૧૩,૭રર મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જ્યારે તા.૧ મે થી અત્યાર સુધીમાં આશરે રૂ. ર૦ કરોડથી વધુ કિંમતની ૩૩૮૩ મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા તા. ૧ મે થી અત્યાર સુધીમાં રૂ. ૧૧૯ કરોડના કિંમતના ર૪,૩૭૦ મે.ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. જ્યારે રૂ. ૧૭ કરોડની કિંમતના ૩૭પ૭ મે.ટન રાયડાની પણ ખરીદી કરીને ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં કુલ-૧ર૭ માર્કેટયાર્ડ કાર્યરત છે જેના માધ્યમથી રાજ્યના ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં કુલ-૪૦ લાખ ક્વિન્ટલ અનાજની ખરીદી કરવામાં આવી છે. જેમાં ૧૩ લાખ ક્વિન્ટલ ઘઉં, ૯.પ લાખ ક્વિન્ટલ એરંડા, ર લાખ ક્વિન્ટલ રાયડો, ૧.૬૦ લાખ ક્વિન્ટલ ચણા, ૧.૯૦ લાખ ક્વિન્ટલ કપાસ, ૮ર,૦૦૦ ક્વિન્ટલ મગફળી જ્યારે ૩૭,૪૪ર ક્વિન્ટલ તમાકુનો સમાવેશ થાય છે.
આ તમામ ખરીદી વખતે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને SMSના માધ્યમથી જાણ કરીને માસ્ક સાથે સંપૂર્ણ સામાજિક અંતર જાળવીને આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ રાજ્ય સરકારે ધરતીપુત્રો પાસેથી તેમની જણસ ટેકાના ભાવે ખરીદીને તેમનું પુરતું વળતર આપ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/14, 5:31 PM] Uday Vaisnav: *ગુજરાતમાંથી આજ સુધીમાં ૩૪૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે કુલ ૪.૭૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો-મજૂરો વતન જવા રવાના* :-
…….
*દેશના અન્ય રાજ્યોમાંથી પોતાના વતને પરત ફરેલા ૯ લાખ ૮૫ હજાર શ્રમિકોમાંથી ૩ લાખ ૯૫ હજાર એટલે કે ૪૦ ટકા ગુજરાત માંથી*
……
*અત્યાર સુધીમાં*
ઉત્તરપ્રદેશ-૨૦૪, ઓરિસ્સા-૩૦, બિહાર-૩૪, મધ્યપ્રદેશ-૨૦, છત્તીસગઢ-૩, ઝારખંડ-૮ અને ઉત્તરાખંડ-૨ સહિત વિવિધ રાજ્યોમાં ટ્રેન રવાના*
……
*ગુરુવાર રાત સુધીમાં ગુજરાતમાંથી ૪૭ વિશેષ ટ્રેન રવાના થઈ*
…….
*સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે*
……
*મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી વિગતો*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ૭૫,૨૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ બુધવાર રાત્રી સુધીમાં ગુજરાતમાંથી ૩૦૨ ટ્રેનો રવાના કરવામાં આવી છે. જે સાથે કુલ ૩.૯૫ લાખ પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
જે ૩૦ર ટ્રેન ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ગઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ર૦૪, બિહાર માટે ૩૪, ઓડિશા માટે ૩૦, મધ્યપ્રદેશ માટે ર૦, ઝારખંડ માટે ૮, છત્તીસગઢ માટે ૩ અને ઉત્તરાખંડ માટે ર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનો સમાવેશ થાય છે.
આજે ગુરુવારે અન્ય ૪૭ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૭, બિહાર માટે ૦૪ ટ્રેન, ઓરિસ્સા માટે ૦૨ ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તીસગઢ- ઝારખંડ – ઉત્તરાખંડ માટે ૧-૧ ટ્રેન દોડશે. અમદાવાદથી ૧૧ ટ્રેન, સુરતથી ૧૫ ટ્રેન, રાજકોટથી ૦૫ ટ્રેન, ભરૂચ – ગાંધીધામ – વાપીથી ૨-૨ ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે રાત સુધીમાં રવાના થનાર ૪૭ ટ્રેનમાં વધુ ૭૫,૨૦૦ પરપ્રાંતીયો – શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં જે શ્રમિકો પહોંચ્યા છે અને આવી ટ્રેન મારફતે પહોંચી રહ્યા છે તેનો આજે તા.૧૪ મે ની મધ્યરાત્રિ સુધીમાં કુલ આંક ૪ લાખ ૭૦ હજાર જેટલો થવા જાય છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/14, 6:14 PM] Uday Vaisnav: *આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી* :-
*કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાંથી ઝડપથી પૂર્વવત બેઠા થવા-આત્મનિર્ભરતાના માર્ગે વાળવા-નાના વેપારીઓ-કારીગરો-વ્યકિતગત નાના વ્યવસાયકારો
શ્રમિક વર્ગને રુ. ૧ લાખ સુધીની લોન અપાશે*
…….
*રાજ્યના ૧૦ લાખથી વધુ નાના વેપારીઓ-વ્યકિગત નાના વ્યવસાયકારો-કારીગરોને મળશે લાભ*
*ત્રણ વર્ષ માટે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે રાજ્યની સહકારી બેન્કો-જિલ્લા બેન્કો આપશે*
*ર ટકા ઉપરાંતનું બાકીનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે* *
*લોન મેળવ્યાના પ્રથમ ૬ મહિના કોઇ હપ્તો કે વ્યાજ ભરવું નહિ પડે*
*માત્ર અરજી કર્યાથી મળશે લોન અરજી ફોર્મ ફી કે અન્ય કોઇ ફી ની રકમ લેવામાં નહિં આવે*
*છેવાડાના-અંતિમ છૌરના ધોબી-વાળંદ-ઇલેકટ્રીશ્યન-નાના કરિયાણા દુકાનદારો નાના-વેપારી-કારીગરો-શ્રમિક વર્ગ-વ્યકિતગત કારીગરોને આર્થિક આધાર આપશે ‘આત્મનિર્ભર ગુજરાત’ સહાય યોજના*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ને કારણે સજાર્યેલી લોકડાઉનની સ્થિતીમાંથી ઝડપભેર જનજીવન પૂર્વવત થાય અને નાના કારીગરો, નાના વેપારીઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને ફરી વ્યવસાય રોજગારીમાં બેઠા કરવાની બહૂહેતુક એવી ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, કોરોના વાયરસને કારણે દેશમાં જે બે-અઢી મહિના લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપી ગુજરાત ફરી એકવાર દેશનું અગ્રીમ રાજ્ય બને તેવી આપણી નેમ છે.
તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે, લોકડાઉનનો આ જે આર્થિક માર પડયો છે તેમાંથી આવનારા છ-બાર મહિનામાં આવા નાના ધંધા-વ્યવસાયકારો, કારીગરો રિકવર થઇ જાય અને આગળ વધે તે માટે આ નવી જાહેર થયેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અત્યંત મદદરૂપ થશે.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ અર્થતંત્રને પૂન: ધબકતું કરવા જે આત્મનિર્ભર ભારતનો કોલ આપેલો છે તેને આપણે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાથી સાકાર કરી ભારતને ફરીથી વિશ્વ મહાસત્તા બનાવવા આગળ વધવું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ૧૦ લાખથી વધુ એવા નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાળંદ, ઇલેકટ્રીશ્યન, કરિયાણાની નાની દુકાન વગેરેનો સમાવેશ થાય છે તેવા વર્ગોને આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ. ૧ લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટીવ બેન્કો, જિલ્લા હકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા માત્ર ર ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે તેમ આ જાહેરાતની વિશેષતાઓ આપતાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આવી લોન સહાય મેળવવા માટે લાભાર્થીએ માત્ર એક અરજી જ કરવાની રહેશે અને તેના આધારે રૂ. ૧ લાખ સુધીની લોન તેને મળી જશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સામાન્યત: આવી લોન ઉપર ૧૦ થી ૧ર ટકાનો માર્કેટ રેટ (ઇન્ટરેસ્ટ) લેવામાં આવતું હોય છે. પરંતુ રાજ્ય સરકારે આવા નાના કારીગરો, મધ્યમવર્ગના વેપારીઓની વર્તમાન સ્થિતીમાં માત્ર ર ટકા વ્યાજે બેન્કો લોન આપે તેવું બેન્કો સાથે બેઠકો યોજીને સુનિશ્ચિત કર્યુ છે.
આ બે ટકા ઉપરાંતનું એટલે કે ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ત્રણ વર્ષ માટેનો આવી લોન-સહાયનો કુલ વ્યાજ દર ર૦ ટકા જેવો થાય તેના સ્થાને લાભાર્થીએ માત્ર ૬ ટકા જ ભરવાના થશે બાકીના ૧૮ ટકા વ્યાજ રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રીશ્રીએ આવી લોન સહાય મેળવનારા નાના વેપાર વ્યવસાયકારોને લોન મેળવ્યાના પ્રથમ ૬ મહીના એટલે કે મોરેટોરિયમ પિરીયડ દરમ્યાન કોઇ હપ્તો કે વ્યાજ ભરવાનું રહેશે નહિ તેવી પણ મહત્વની જોગવાઇ આ યોજનામાં કરેલી છે.
તેમણે કહ્યું કે, રાજ્યની રર૦ અર્બન કો-ઓપરેટીવ બેન્કની ૧૦૦૦ શાખાઓ, ૧૮ જેટલી જિલ્લા સહકારી બેન્કોની ૧૪૦૦ શાખાઓ અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા આવી લોન ત્રણ વર્ષ માટેની મુદતની આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, લોન મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા નિ:શૂલ્ક રહેશે એટલે કે અરજી ફોર્મ કે અન્ય કોઇ ફી ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડશે નહિ.
તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો કે કુલ રૂ. પ હજાર કરોડ સુધીના આવા ધિરાણથી રાજયના ૧૦ લાખથી વધુ નાના વેપારીઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને આ યોજનાનો લાભ મળવાથી સમાજના છેવાડાના અને અંતિમ છૌરના વ્યકિતને પણ આર્થિક આધાર મેળવી આત્મનિર્ભર થવાની અને લોકડાઉનની સ્થિતિ બાદ પૂન: બેઠા થવાની તક મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આ યોજનામાં સંવેદનશીલતાથી સહયોગ આપનારા રાજ્યની સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કો, જિલ્લા સહકારી બેંકો અને ક્રેડીટ સોસાયટીઓના સામાજીક અગ્રણીઓ પ્રત્યે પણ આભાર વ્યકત કર્યો હતો.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..