Press Brief 12.05.2020 Gujarat 17.00 hrs
(Gujarat Govt Corona stetestical Report)
GN_13-5-20 (NEWS of Gandhinagar PDF)
[5/12, 6:36 AM] Uday Vaisnav: પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન અમદાવાદ આવી પહોંચ્યું છે.
[5/12, 8:06 AM] Uday Vaisnav: *આજે – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે*
…..
*માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ*
…….
*યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂર નથી*
……
*ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે*
*આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે*.
*રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા એ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે*
*એટલું જ નહિ, આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે*
*પોલીસ મહાનિદેશકશ્રીએ જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ*
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/12, 12:49 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી છે*
*કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-દેખરેખ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં સોંપેલી જવાબદારી સંભાળતા ઉચ્ચ સચિવો પણ બેઠકમાં જોડાયા છે*.
*ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે*
*મુખ્યમંત્રીશ્રીએ આ અધિકારીઓ સાથે આગામી તા. ૧૭મી મે પછી લોકડાઉનની સ્થિતીમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે*.
*રાજ્ય મંત્રી મંડળ ના વરિષ્ઠ મંત્રીશ્રીઓ પણ સંબંધિત જિલ્લા મથકે થી આ વીડિયો કોન્ફરન્સ માં સહભાગી થઈ રહ્યા છે*
[5/12, 4:16 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*
*રાજકોટ મહાનગરમાં તારીખ ૧૪મી મે આગામી ગુરૂવારથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપવામાં આવી*
……
*જિલ્લા કલેકટર યોગ્ય શરતો નક્કી કરીને મંજૂરી –પરવાનગીઓ આપશે*
……
*ઊદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ -ફરજીયાત માસ્ક કામદારોનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેકટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સ્ટેગર્ડ કરવાનું અવશ્ય પાલન કરવું પડશે*
……
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*
*આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે*
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં, ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ તકેદારી રુપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી હતી.
*મુખ્યમંત્રીશ્રીએ હવે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં આગામી તા. ૧૪મી મે ગુરૂવારથી રાજકોટ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા ની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે*
રાજ્યમાં જનજીવન ઝડપથી પૂર્વવત થાય અને ઊદ્યોગ-ધંધા શરૂ થવાથી રોજગારી, આર્થિક આધારની તકો ખૂલે તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગર માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેર માં આગામી ૧૪ મી મે ગુરુવાર થી ઉદ્યોગ ધંધા શરુ કરવાના હેતુસર આપવાની થતી મંજૂરી પરવાનગીઓ જિલ્લા કલેકટર કક્ષાએથી યોગ્ય શરતો નક્કી કરીને આપવામાં આવે તેવું સૂચન પણ કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે વધુમાં ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રીએ ઊદ્યોગ-ધંધા ફરી શરૂ થાય ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતની બાબતોના અવશ્યપણે પાલન માટે પણ સૂચનાઓ આપી છે.
તેમણે જણાવ્યું કે, આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરનારાઓએ કામદારો-શ્રમિકોના આરોગ્યનું કામના સ્થળે પરિક્ષણ, કામકાજના સ્થળને સમયાંતરે ડિસઇનફેકટ કરવું તેમજ કામદારોના આવવા-જવાના સમયે ભીડભાડ ન થાય તે માટે સ્ટેગર્ડ ટાઇમ અને ભોજન-લંચ બ્રેક નો સમય પણ સ્ટેગર્ડ કરવાની સૂચનાઓ તથા નિયમોનું પાલન કરવાનું રહેશે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/12, 4:45 PM] Uday Vaisnav: *શ્રમિકોની વહારે ગુજરાત સરકાર*
*લોકડાઉન દરમિયાન શ્રમિકો મજૂરો ને તેમના વતન પહોંચાડવા ગુજરાતમાંથી દેશભરમાં સૌથી વધુ ૨૩૩ ટ્રેનો દોડાવાઈ*
*૨.૮૦ લાખ શ્રમિકો વતન પહોંચ્યા*
….
-: *મંગળવારે વધારાની 31 ટ્રેનો દ્વારા ૩૭૨૦૦ શ્રમિકો વતન જવા રવાના* :-
-: *આજ સુધીમાં શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફતે કુલ ૩.૧૭ લાખ શ્રમિકો વતન રાજ્ય પહોંચ્યા*:-
……
*મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે કે ગુજરાત ના વિકાસ માં સહભાગી એવા પરપ્રાંતીય શ્રમિકોને હાલની લોક ડાઉન ની સ્થિતિમાં તેમના પરિવાર પાસે સ્વજન પાસે રેલ માર્ગે વિશેષ શ્રમિક ટ્રેન દ્વારા વતન પહોંચાડવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ કેન્દ્ર સરકાર ના પરામર્શ માં રહીને સઘન આયોજન કરેલું છે*
*આ આયોજનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૨૩૩ ટ્રેનો દોડાવીને ૨.૮૦ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડી દેવાયા છે*.
તેમણે ઉમેર્યું કે આજે વધારાની ૩૧ ટ્રેનો દોડશે જેમાં ૩૭,૨૦૦ શ્રમિકો રવાના થશે. આ સાથે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કુલ ૩.૧૭ લાખથી વધુ શ્રમિકો તેમના વતન પહોંચશે.
શ્રી અશ્વિની કુમારે ઉમેર્યું કે શ્રમિકોને તેમના વતન મોકલવાના આ ભગીરથ કાર્યમાં ગઈકાલ સુધીમાં દેશભરમાંથી ૫૪૨ ટ્રેન દોડાવાઈ હતી તે પૈકી ૨૩૩ ટ્રેનો એકલા ગુજરાતમાંથી દોડી છે.
આ ટ્રેનો દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા ખાતે શ્રમિકોને મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી જોઈએ તો મહારાષ્ટ્રમાંથી ૭૯, પંજાબમાંથી ૬૫, તેલંગાણામાંથી ૩૦, કર્ણાટકમાંથી ૨૯ અને રાજસ્થાનમાંથી ૨૪ ટ્રેનો ગઈકાલ રાત્રે સુધીમાં ચલાવાઈ છે.
તેમણે કહ્યું કે રાજ્યમાંથી જે ૨૩૩ ટ્રેનો ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાંથી અમદાવાદથી ૫૫ ટ્રેનો દોડી છે તે પૈકી ઉત્તર પ્રદેશ માટે ૪૫, બિહાર માટે ૦૬, છત્તીસગઢ માટે ૦૨ અને ઓડિશા માટે ૦૨ ટ્રેનો રવાના થઇ છે. એ જ રીતે સુરત શહેરથી ૭૯ ટ્રેનો દોડી છે તે પૈકી ઉત્તર પ્રદેશ માટે ૪૪, બિહાર માટે ૮, ઓડિશા માટે ૨૧, ઝારખંડ માટે ૦૫ અને ઉત્તરાખંડ માટે ૦૧ ટ્રેન, વડોદરા ખાતેથી ૧૭ ટ્રેનો દોડી છે જેમાં ઉત્તર પ્રદેશ માટે ૧૫, બિહાર માટે ૦૨, રાજકોટ ખાતેથી ૧૩ ટ્રેનો દોડી છે જેમાં ઉત્તર પ્રદેશ માટે ૦૭, મધ્યપ્રદેશ માટે ૦૪ અને બિહાર માટે ૦૨ ટ્રેન, મોરબી ખાતે થી ૭ ટ્રેનો દોડી છે જેમાં મધ્યપ્રદેશ માટે ૦૩, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ માટે બે – બે ટ્રેન અને જામનગર ખાતેથી ૦૬ ટ્રેનો દોડી છે જેમાંથી ઉત્તર પ્રદેશ માટે ૦૫ અને બિહાર માટે ૦૧ ટ્રેન રવાના થઇ છે.
તેમણે કહ્યું કે આજે વધારાની જે ૩૧ ટ્રેનો રવાના થશે એમાં ઉત્તર પ્રદેશ માટે ૧૯, બિહાર માટે ૦૪, ઓડિશા માટે ૦૩, ઝારખંડ અને મધ્ય પ્રદેશ માટે બે-બે અને ઉત્તરાખંડ માટે ૦૧ ટ્રેન રવાના થશે. આ ૩૧ ટ્રેનો જવાની છે તેમાં અમદાવાદથી ૧૧, વડોદરાથી ૦૮, સુરતથી ૦૬, મોરબીથી ૦૨, રાજકોટથી ૦૨, ભાવનગર, ભરૂચ, વલસાડ અને ગાંધીધામથી એક – એક ટ્રેન રવાના થશે જેના દ્વારા ૩૭,૨૦૦ શ્રમિકોને તેમના વતન પહોંચાડશે.
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રીશ્રીના પ્રયત્નો થી કેન્દ્રના રેલ મંત્રાલય દ્વારા લોક ડાઉન દરમ્યાન શ્રમિકોને વતન રાજ્ય જવા કરાયેલ આ અલાયદી વ્યવસ્થામાં રેલવે વિભાગ દ્વારા શ્રમિકો માટે પીવાના પાણી અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/12, 6:36 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ*:-
*જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે
ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન-ફિડબેક મેળવ્યા*
…..
*જનજીવન પાટે ચડાવવા*
*તબક્કાવાર વિવિધ સેવાઓ કોરોના સંક્રમણ નિયંત્રણ સાથે
સોશીયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક ઉપયોગ સહિતની સતર્કતા સાથે શરૂ કરવા રાજ્ય સરકારની
કવાયત*
…..
-: *નાયબ મુખ્યમંત્રીશ્રી-ગૃહ રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતી*
*કૃષિ-મહેસૂલ-ઊર્જા મંત્રીશ્રીઓ જિલ્લા મથકેથી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સહભાગી થયા* :-
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સની ચર્ચા-વિચારણા સંદર્ભે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, ફિલ્ડના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.
તેમણે રાજ્યના જિલ્લા કલેકટરો, મહાનગરોના મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ રેન્જ આઇ.જી અને કોરોના સંક્રમણ નિયંત્રણ-માર્ગદર્શન માટે વિવિધ જિલ્લાઓમાં વિશેષ નિમાયેલા સચિવ કક્ષાના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સાથેની બેઠકના સૂચનો – વિચાર વિમર્શ અંગે વિસ્તૃત વાતચીત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નગરો-મહાનગરો સહિતના વિસ્તારોમાં જનજીવન પૂર્વવત થાય સાથો સાથ કોરોના સંક્રમણને પણ નિયંત્રણમાં રાખી શકાય અને મૃત્યુદર ઘટાડી શકાય તે અંગે ફિલ્ડમાં કાર્યરત આ અધિકારીઓના ફિડબેક અને સૂઝાવો મેળવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તેમજ રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીઓ સર્વ શ્રી આર. સી. ફળદુ, કૌશિકભાઇ પટેલ અને સૌરભભાઇ પટેલ જિલ્લા મથકેથી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યમાં જામનગર, જૂનાગઢ મહાનગર સહિત ૧પ૬ નગરપાલિકા વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતી, વેપાર ઊદ્યોગ રોજગારની દ્રષ્ટિએ જનજીવન સામાન્ય થતું જાય છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ ન ફેલાય અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન ઊદ્યોગ, દુકાનો, માર્કેટયાર્ડમાં કઇ રીતે જળવાય છે તેની વિગતો પણ આ અધિકારીઓ પાસેથી મેળવી હતી.
તેમણે જણાવ્યું કે, હવે આવનારા દિવસોમાં રાજ્યમાં તબક્કાવાર જે સેવાઓ ચાલુ કરી શકાય તેમાં પણ આ સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમો અને કોરોના સંક્રમણનો વ્યાપ ન થાય તેની સતર્કતા તકેદારી સાથે ચાલુ કરવી જોઇએ.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ પબ્લીક ટ્રાન્સપોર્ટ, કેબ સેવાઓ, ઓટો રિક્ષા, બાર્બરશોપ સહિતની સેવાઓ શરૂ કરી શકવા અંગે પણ આ ફિલ્ડ અધિકારીઓના સૂઝાવો-ફિડબેક આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સામે સાવચેતી માટે વારંવાર હાથ ધોવા, ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું જેવી આદતો સાથે જનજીવન પૂર્વવત પાટે ચડાવવાની પણ હિમાયત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ કરીને વૃદ્ધો-વડિલ વયસ્કો, સગર્ભા માતાઓ, નાના બાળકો જેવા વલ્નરેબલ ગૃપમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટેની વિશેષ વ્યૂહ રચના તૈયાર કરવા માટે પણ ફિલ્ડ અધિકારીઓ પાસેથી ફિડબેક મેળવી આગળ વધવા જણાવ્યું હતું.
વિવિધ જિલ્લા કલેકટરો, કમિશનરોએ પણ પોતાના વિસ્તારની સ્થાનિક સ્થિતી અને કામગીરી સાથે ભવિષ્યમાં રાખવાની સતર્કતા અંગે મંતવ્યો સૂઝાવો વ્યકત કર્યા હતા.
મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, સચિવ શ્રી અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/12, 7:04 PM] Uday Vaisnav: *આંતરરાષ્ટ્રિય નર્સીસ-ડે નિમિત્તે*
*મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમિતોની અવિરત સેવા-સુશ્રુષા આત્મીયજન બનીને કરતી ફ્રન્ટલાઇન વોરિયર્સ નર્સ બહેનો સાથે વિડીયો સંવાદ કર્યો*
*સેવા પરાયણતા-કર્તવ્યભાવનાને પાઠવ્યા અભિનંદન*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમિતોની સેવા-સુશ્રુષામાં દિવસ-રાત જોયા વિના રાજ્યની હોસ્પિટલોમાં અવિરત ફરજરત પરિચારિકા નર્સ બહેનો પ્રત્યે તા. ૧રમી મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે અવસરે કૃતજ્ઞતા વ્યકત કરી વિડીયો સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ નર્સ બહેનો પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણના કપરા કાળમાં પોતાના ઘર-પરિવાર બાળકો ભુલી જઇને માત્ર રોગી-દર્દીની સુશ્રુષા સેવાનો જે કર્તવ્ય પરાયણ ભાવ દર્શાવી રહી છે તેની વિશેષ નોંધ લઇ અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ નર્સીસ બહેનોને પ્રેરણા આપતાં કહ્યું કે, કોરોના સંક્રમિતની પડખે જ્યારે હોસ્પિટલમાં તેના કોઇ સ્વજનો પરિજનો નથી હોતા ત્યારે તમે સૌ તેના આત્મીયજન જેમ સારસંભાળ રાખીને સમાજ-રાષ્ટ્ર-રાજ્યની સેવા કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે બજાવી રહ્યા છે.
તેમણે ‘લેડી વીથ ધ લેમ્પ’ ફલોરેન્સ નાઇન્ટીગલ યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સારસંભાળ સારવાર માટે રાત્રે મીણબત્તી લઇને પણ સેવાદાયિત્વ નિભાવતાં તેની યાદ પણ આ નર્સીસ ડે અવસરે તાજી કરી હતી. ફલોરેન્સ નાઇન્ટીગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે તરીકે ઉજવવામાં આવે છે.
નર્સ બહેનોએ પણ આંતરરાષ્ટ્રિય નર્સીસ ડે ના અવસરે પોતાની આ સેવા ભાવના પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ વિશેષ કૃતજ્ઞતા અને ધન્યવાદ વ્યકત કર્યા તે માટે હર્ષ અનુભવ્યો હતો.
આ બહેનોએ કોરોના સંક્રમણ સામે લડીને વિજય મેળવવા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોમાં તેમના સૌના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતી રવિ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..