રાજપીપળા નજીક આવેલ બામલ્લા ગામ પાસે આવેલી રાજશ્રી પોલીફિલ કંપની પોતાની સી.એસ.આર. યોજના અંતર્ગત કંપની ની આજુબાજુના ગામોના લાભાર્થે ભરૂચના નિષ્ણાંત તથા પ્રખ્યાત ડોક્ટરોના સહયોગ દ્વારા શાળા રાજશ્રી વિદ્યા મંદિર ખાતે એક મફત નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ભરૂચના નિષ્ણાંત તબીબો દ્વારા 200 થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું .
જેમાં ખાસ કરીને સ્ત્રી રોગને લગતી સમસ્યા, હર્નિયા, હાડકાને લગતી સમસ્યા, બાળ રોગને લગતી સમસ્યા તથા કુપોષણ ને લગતા રોગ જણાઈ આવ્યા હતા.
તબીબો દ્વારા ઈ.સી.જી. ઇકો, કાર્ડિયોગ્રામ, ડાયાબિટીસ વગેરેની અદ્યતન મશીનરી દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તથા દર્દીઓને વિના મુલ્યે દવાઓ પણ પુરી પાડવામા આવી હતી. ઓપરેશન કરવા લાયક દર્દીઓને કંપની રાહત દરે ઓપરેશન પણ કરાવી આપશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા