GN_01-5-20 (ન્યુઝ ઓફ ગાંધીનગર પેપર વાચવા તારીખ ઉપર ક્લિક. કરો)
(જયંતિ રવી રિપોર્ટ વાચવા ઉપર ક્લિક કરો)
- (૧) કોરોના વાઇરસને પગલે લોકડાઉનની સ્થિતીમાં અન્ય રાજ્યોમાં
અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે
૧૬ નોડલ ઓફિસરોની નિમણુંક કરતા મુખ્યમંત્રીશ્રી
……
ભારત સરકારના ગૃહ મંત્રાલયે આંતરરાજ્ય સરહદો પરથી અવર-જવરની
અનૂમિત આપવાના કરેલા નિર્ણયનો મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં
ગુજરાતમાં અમલ કરાવવા વ્યવસ્થાતંત્ર ગોઠવાયું
…..
*મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અન્ય રાજ્ય સરકારો સાથે
સંકલન કરી અત્યાર સુધીમાં ર૭ર૦ વ્યકિતઓને ગુજરાત પરત લવાયા*
……
*અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા ગુજરાતીઓએ પરત આવવા વેબપોર્ટલ પર
ઓનલાઇન અરજી કરવાની રહેશે*
……
*તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરી ૧૦-૧પ દિવસમાં કામગીરી પૂર્ણ કરશે*
……
*ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે-તે વ્યકિત-ગૃપ દ્વારા ગોઠવવાની રહેશે*
…….
*કોઇ બિમારીના લક્ષણો ન ધરાવતા વ્યકિતઓ-લોકોને જ રાજ્યમાં પરત આવવા પરવાનગી અપાશે*
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને પગલે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનની સ્થિતિમાં દેશના અન્ય રાજ્યોમાં અટવાયેલા, ફસાઈ ગયેલા ગુજરાતીઓને ગુજરાત પરત લાવવાના સંકલન માટે ૮-આઇ.એ.એસ અને ૮-આઇ.પી.એસ અધિકારીશ્રીઓની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અત્યાર સુધીમાં ર૭ર૦ જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓને જે-તે રાજ્યોના મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારો સાથે સંકલન-સંપર્ક સાધીને પરત લાવવાની વ્યવસ્થા સફળતાથી પાર પાડી છે.
તેમાં રાજસ્થાનમાંથી ૯૯૧, ઉત્તરપ્રદેશમાંથી ૪૬૪, ઉત્તરાખંડમાંથી ૭૪૩, મધ્યપ્રદેશથી ર૮૩, છત્તીસગઢથી ૯પ સહિત કુલ ર૭ર૦ લોકોને ગુજરાત પરત લવાયા છે.
હવે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં રહેલા આવા યાત્રિકો, વ્યક્તિઓ, વિદ્યાર્થીઓની આંતરરાજ્ય હેરફેરને અનુમતિ આપવાના લીધેલા નિર્ણયને પગલે શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પણ તેનો અમલ સુચારૂ કરીતે થાય તે માટે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી છે.
અન્ય રાજ્યો-પ્રદેશોમાં જે ગુજરાતી વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ, યાત્રિકો અને વ્યવસાયીકો હાલની લોકડાઉનની સ્થિતીને પરિણામે અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા છે તેમને ગુજરાત પરત લાવવા સંબંધિત રાજ્યો સાથે આ નોડલ ઓફિસરો સંકલન કરશે.
તદ્દઉપરાંત, ગુજરાતમાં પણ અન્ય રાજ્યોના આવા વિદ્યાર્થીઓ, યાત્રિકો, વ્યવસાયિકો અને ઔદ્યોગિક શ્રમિકો અટવાયેલા છે તેમણે પણ પોતાના વતન રાજ્યમાં પરત જવા ઇચ્છા દર્શાવી છે.
આવા યાત્રિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થાઓ માટે પણ સંબંધિત જિલ્લા વહિવટીતંત્રોને આ નોડલ ઓફિસરો દિશાનિર્દેશ-માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રીશ્રીએ, આ હેતુસર જે-તે રાજ્યો માટે નોડેલ ઓફિસરોની નિમણૂંકો કરી છે તેમાં ઓરિસા માટે શ્રી એમ. થેન્નારસન-IAS (૯૯૭૮૪૦૭૦૩૩) અને શ્રીમતી નિરજા ગોટરૂ રાવ-IPS (૯૯૭૮૪૦૫૩૦૩), બિહાર અને ઝારખંડ રાજ્ય માટે શ્રી અનુપમ આનંદ-આઇ.એ.એસ (૯૯૭૮૪૦૭૭૯૧) અને શ્રી કે. કે. ઓઝા-આઇ.પી.એસ (૯૯૭૮૪૦૬૦૨૦), ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય માટે શ્રી લોચન શેહરા-આઇએએસ (૯૯૭૮૪૦૯૯૦૨), અને શ્રી વિનોદ મલ-આઇપીએસ (૯૯૭૮૪૦૬૨૬૯), દિલ્હી-પંજાબ-હિમાચલપ્રદેશ-હરિયાણા-જમ્મુ-કાશ્મીર અને લડાખ માટે શ્રી રૂપવંતસિંઘ-આઇએએસ (૯૯૭૮૪૦૬૭૦૫) અને શ્રી અનિલકુમાર પ્રથમ-આઇપીએસ (૯૯૭૮૪૦૫૨૫૭) મધ્યપ્રદેશ-રાજસ્થાન અને ચંદીગઢ માટે શ્રી રાજેશ માંજુ-આઇએએસ (૯૯૧૩૫૦૮૬૦૬) અને શ્રીમતી અર્ચના શિવહરે-આઇપીએસ (૯૯૭૮૪૦૭૮૫૭) પશ્વિમ બંગાળ અને નોર્થ ઇસ્ટન રાજ્યો માટે શ્રી હર્ષદ પટેલ-આઇએએસ (૯૯૭૮૪૦૧૫૩૧) અને શ્રી વાબંગ જમીર-આઇપીએસ (૯૫૬૦૫૫૪૫૫૪) કર્ણાકટ-તેલંગાના, આંધ્ર-પ્રદેશ, તમિલનાડુ અને કેરલા માટે શ્રીમતી પી. ભારથી-આઇએએસ (૯૯૭૮૪૦૮૫૪૫) અને શ્રી વી. ચંદ્રશેખર-આઇપીએસ (૯૮૪૫૦૪૪૬૦૬) અને મહારાષ્ટ્ર રાજ્ય માટે શ્રી રાકેશ શંકર-આઇએએસ (૯૯૭૮૪૦૫૮૨૮) અને શ્રી હસમુખ પટેલ-આઇપીએસ (૯૯૭૮૪૦૬૨૬૫)ની નોડલ ઓફિસર તરીકે મુખ્યમંત્રીશ્રીએ નિમણુંક કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીની સ્ટેટ નોડેલ ઓફિસર તરીકે નિયુકિત કરી છે. તેઓ આ બધા જ નોડલ ઓફિસરોને જરૂરિયાત મુજબ માર્ગદશર્ન આપશે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આ નોડલ ઓફિસરો પાસેથી આવી આંતરરાજ્ય હેરફેરની વિગતો દરરોજ મેળવીને તેનો રેકોર્ડ રાખશે.
ગુજરાત બહારના રાજ્યોમાં સ્થગિત રહેલા-ફસાઇ ગયેલા વ્યકિતઓ, યાત્રિકોની વિગતો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન ૧૦૭૦ પર પણ આપી શકાશે એમ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ વ્યવસ્થાની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરીને આગામી ૧૦-૧પ દિવસમાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
આવા જે વ્યકિતઓ, યાત્રિકો ગુજરાત સરકારના રાજ્યોમાં ફસાયેલા છે તેમને પરત આવવા માટે ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે.
આ માટે વેબપોર્ટલ પર જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ગુજરાતના કોઇ પણ વિસ્તારમાંથી અન્ય રાજ્યમાં બહાર જવા માંગતા વ્યક્તિએ Digital Gujarat Portal પર અન્ય સેવાઓમાં જઇ Inter State Pass પર ક્લિક કરી તેમાં વિગતો સાથે અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજીમાં જે વાહનથી જવા માંગતા હોય તે વાહન નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે અને તેઓની સાથે અન્ય વ્યક્તિઓ જવા માંગતા હોય તો તે અંગે એક ટાઇપ કરેલ કાગળ ઉપર નામ અને ઓળખની વિગતો સાથે અરજી કરવાની રહેશે.
શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે, આવા જે વ્યકિતઓ ગુજરાત પરત આવવા ઇચ્છે છે તેમને શરદી, તાવ, ખાંસી કે અન્ય કોઇ સંક્રમિત લક્ષણો જણાશે તો રાજ્યમાં પરત આવવાની પરવાનગી આપવામાં નહિ આવે. માત્ર જેઓ સંપૂર્ણતયા સ્વસ્થ હશે તેવા વ્યકિતઓને જ ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવવા દેવાશે.
આ જ પ્રમાણે ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં જવા માંગતા બધા વ્યક્તિઓએ નિકળતા પહેલાં COVID-19 ના લક્ષણો જણાતા નથી તે મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તે માટે જિલ્લા કલેક્ટરોએ જિલ્લાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સ્ક્રીનીંગની કામગીરી માટે આરોગ્ય ટુકડીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
હાલ જેઓ ગુજરાતની બહાર છે અને ગુજરાત રાજ્યમાં આવવા માંગે છે, તે તમામ વ્યક્તિઓને હાલ જ્યાં છે ત્યાંના કલેક્ટર અને તે રાજ્યની વ્યવસ્થા પ્રમાણે અરજી કરવાની રહેશે. આવા તમામ વ્યક્તિઓની અનુકૂળતા માટે સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા તમામ રાજ્યોની આવી વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરી ગુજરાતમાં આવવાની મંજૂરી આપવા જણાવવામાં આવેલું છે.
આવા તમામ વ્યક્તિઓ જે ગુજરાત બહારથી આવે છે તેમના જિલ્લામાં તેઓના આગમન પછી મેડીકલ ચકાસણી કરવામાં આવશે અને જેઓને કોઇ લક્ષણ જણાતા નથી તેઓને ૧૪ દિવસ તેમના ઘરે કોરન્ટાઇન કરવા અને જેઓને લક્ષણો જણાશે તો તેઓને આરોગ્ય વિભાગની કાર્યરીતિ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે, અન્ય રાજ્યોમાંથી વતન ગુજરાત આવી રહેલા વ્યકિતઓએ ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહનની વ્યવસ્થા વ્યકિત કે ગૃપે કરવાની થશે. એટલું જ નહિ, આ અંગેની વિગતો પણ ઓનલાઇન અરજીમાં આપવાની થશે.
ખાનગી અથવા નાના વાણિજ્યિક વાહનો દ્વારા જવા માંગતા વ્યક્તિઓને તુરત જ પરવાનગી આપવામાં આવશે, જ્યારે મોટા વાહનો મારફતે મોટા જથ્થામાં જવા માંગતા વ્યક્તિઓને જે તે રાજ્ય માટે નિમાયેલ નોડલ અધિકારી સાથે વિચારવિમર્શ કરી અન્ય રાજ્ય દ્વારા ગુજરાતથી તેમના નાગરિકોને લાવવા માટેની વ્યવસ્થા સાથે સુસંગત રહી તેઓને જવા માટેના પાસ આપવામાં આવશે.
આવી આંતરરાજ્ય હેરફેર દરમ્યાન ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વખતોવખત મળતી ગાઇડલાઇન્સનું અનુપાલન પણ આ નોડલ ઓફિસરોએ કરવા જણાવાયું છે.
સીએમ-પીઆરઓ/અરૂણ - ####################
- (૨) ૩૦ એપ્રિલ-૨૦૨૦
મુખ્યમંત્રીશ્રીના શ્રમિક કલ્યાણ નિર્ણયોને પગલે
સુજલામ સુફલામ જળ અભિયાનના પ્રથમ ૧૦ જ દિવસમાં ૮૮ કામો પૂર્ણ
૪ લાખ ૬૯ હજાર ઘનમીટર જળસંગ્રહ ક્ષમતાનું કામ થયું
૪૬,૭૩૧ શ્રમિકોને સુજલામ સુફલામમાં રોજગારી મળી
૩૩ જિલ્લામાં મનરેગાના કામો અન્વયે ૧ લાખ ૧૧ હજાર શ્રમિકોએ રોજી-રોટી મેળવી
નિર્માણાધિન સરકારી બાંધકામ પ્રોજેકટમાં રપ,૧૭પ શ્રમિકો-ખાનગી પ્રોજેકટમાં રર,૦૭૭ મજદૂરોને રોજગાર અવસર
૧૪ર માર્કેટયાર્ડમાં ૧ર લાખ ૮૩ હજાર કવીન્ટલ અનાજ વેચાણ માટે આવ્યું
-: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો :-
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં શ્રમિકો-ગરીબ પરિવારોને આર્થિક આધાર મળી રહે તે માટે મનરેગા, સુજલામ સુફલામ જળ અભિયાન જેવા કામો ત્વરાએ હાથ ધરવા જિલ્લા કલેકટરોને સૂચના આપી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીની સૂચનાને પગલે રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ તા. ર૦ એપ્રિલથી આ અભિયાન ઉપાડીને રૂ. ૪૧૪ કરોડના ખર્ચ ૧૪૬૯૪ કામોના આયોજન માટે તંત્રને પ્રેરિત કરેલું છે.
આ સંદર્ભમાં તા. ર૦ એપ્રિલથી તા. ર૯ એપ્રિલના દિવસો દરમ્યાન આ અભિયાન અન્વયે ૩૩ જિલ્લાઓમાં ૮૮ કામો પૂરાં થયા છે અને ૪૬૭૩૧ શ્રમિકોને રોજગારી મળી છે.
એટલું જ નહિ, ૪ લાખ ૬૯ હજાર ૯૮૦ ઘનમીટર જળસંચય થાય એટલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મનરેગા અંતર્ગત જે કામો શરૂ થયા છે તેમાં પણ ૧ લાખ ૧૧ હજાર શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે.
આ વ્યવસ્થાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું અનુપાલન કરવામાં આવી રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ શરૂ કરી તેમાં પણ શ્રમિકો-મજદૂરોને રોજગારી મળી રહે તે હેતુસર આવા પ્રોજેકટ બાંધકામોને પરવાનગી આપેલી છે.
શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં આવા સરકારી કામોના ૬૩૩ પ્રોજેકટમાં રપ,૧૭પ શ્રમિકોને રોજગારી મળે છે. આ ઉપરાંત મહાનગરોમાં ર૪૩ નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટ અન્વયે રર૦૭૭ શ્રમિકો સાઇટ પર જ રહેવા-જમવાની ઇન-સી-ટુ વ્યવસ્થાઓ સાથે રોજી મેળવી રહ્યા છે.
તેમણે રાજ્યના ૧૪ર માર્કેટયાર્ડમાં ખાદ્યાન્ન અને અનાજ વેચાણ માટેની વ્યવસ્થાની વિગતોમાં કહ્યું કે, સમગ્રતયા ૧ર લાખ ૮૩ હજાર ૭૦૯ કવીન્ટલ અનાજ વેચાણ માટે ખેડૂતો દ્વારા આવ્યું છે.
આ અનાજ-ખેત ઉત્પાદનમાં ઘઉં પ,૪૩,૦૧૦ કવીન્ટલ, એરંડો ૩,૪૦,૬૭૧ અને રાયડો ૭૪૧૮૬ કવીન્ટલનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ગુરૂવારે સવારે ૪૬.૪૩ લાખ લિટર દૂધ વિતરણ થયું છે તથા ૧,ર૦,ર૬૩ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
સીએમ-પીઆરઓ/અરૂણ
############################
(૩) *૬૦મા ગુજરાત સ્થાપના દિવસે
મુખ્યમંત્રીશ્રીની રાજ્યના ૬૧ લાખ મધ્યમવર્ગીય પરિવારોને અનોખી ભેટ*
……
*લોકડાઉનની સ્થિતીમાં મે મહિના માટે પણ APL-1 કાર્ડધારક ૬૧ લાખ પરિવારોને
પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં-૩ કિલો ચોખા-૧ કિલો ખાંડ-૧ કિલો દાળ વિનામૂલ્યે વિતરણ કરાશે*
-: *તા. ૭મી મે થી તા. ૧રમી મે સુધી વિતરણ થશે* :-
…..
*મા વાત્સલ્યમ-મા અમૃત્તમ યોજનાના ૭૭ લાખ લાભાર્થીઓ-પરિવારોની આરોગ્યરક્ષાની પ્રતિબદ્ધતામાં
વધુ એક જનલક્ષી નિર્ણય*
……
*મા વાત્સલ્યમ – મા અમૃત્તમના લાભાર્થી પરિવારમાં કોઇ વ્યકિતને ઓપરેશન-પ્રસ્તુતિ અંગે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પ્રવર્તમાન સ્થિતીમાં કરાવાના થતા કોરોના ટેસ્ટનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે*
…..
*શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની ‘ગુજરાતના કોરોના વોરિયર્સ’ અંતર્ગત ચિત્ર-નિબંધ-કાવ્ય સ્પર્ધા યોજાશે-જિલ્લા-રાજયકક્ષાએ રૂ. પાંચથી રૂ. રપ હજારના પુરસ્કારો આપશે સરકાર*
……
-: *મુખ્યમંત્રીશ્રીનું આહવાન*:-
*દરેક ગુજરાતી ગુજરાત સ્થાપના દિવસે સંકલ્પ કરે-માસ્ક અવશ્ય પહેરશે-સોશિયલ ડિસ્ટન્સ જાળવશે-સાબુથી વારંવાર હાથ ધોઇ સેનીટાઇઝ કરશે*
*પ્રત્યેક વ્યકિત આ સંકલ્પ સાથેના વિડીયો-ફોટો ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અપલોડ કરી સામૂહિક શકિતથી કોરોના વોરિયર્સનું મનોબળ વધારે*
*સૌ સાથે મળી કોરોના સામેની લડાઇમાં સમાજશકિતથી વિજયી થઇએ*
*૬૦મા ગુજરાત સ્થાપના દિવસને સંવાદ દિવસ તરીકે ટેકનોલોજીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી મનાવશે*
*આદિજાતિ પંચમહાલના ગ્રામીણ સરપંચો સાથે વિડીયો કોન્ફરન*
*૧૬ર નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખો સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો સાથે વિડીયો સંવાદ*
……….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતીમાં ગુજરાત રાજ્યના ૬૦માં સ્થાપના દિવસ તા. ૧ લી મે ની ભેટ રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોને આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિવસ અવસરે રાજ્યના સૌ નાગરિકોને પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામે એક બની સતર્કતા-જાગૃતિ દાખવી જંગ લડવાની પ્રેરણા આપતા પ્રજાજોગ સંદેશમાં આ મહત્વપૂર્ણ ભેટની જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યના ૬૧ લાખ જેટલા મધ્યમવર્ગીય APL-1 કાર્ડધારકો એટલે કે અંદાજે ર.પ૦ થી ૩ કરોડ લોકોને આગામી તા. ૭ મી મે ગુરૂવારથી તા. ૧રમી મે પાંચ દિવસ દરમ્યાન પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ગ્રામ ચોખા, ૧ કિલો ગ્રામ દાળ અને ૧ કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં હાલની પરિસ્થિતીમાં કોઇ નાગરિકને ભુખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ અનાજ વિતરણનો અંદાજે રૂ. ર૦૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રીશ્રીએ મા-વાત્સલ્યમ અને મા-અમૃત્તમ યોજનાના કાર્ડ ધરાવતા ૭૭ લાખ પરિવારોને પણ આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડવાની પ્રતિબદ્ધતા સાથે અન્ય એક ભેટ આવા પરિવારોને ગુજરાત સ્થાપના દિવસ અવસરે આપી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે આવા મા-વાત્સલ્ય મા-અમૃત્તમ યોજનાના લાભાર્થી પરિવારમાં કોઇ પણ વ્યકિતને તબીબી કારણો-માંદગી સર સર્જરી-ઓપરેશન કરાવવાની નોબત હાલની કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી દરમ્યાન આવે તેમજ પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેના ભાગ રૂપે કોરોના ટેસ્ટ કરાવવાનો થાય તો આ ટેસ્ટનો સંપૂર્ણ ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.
મુખ્યમંત્રીશ્રીએ પારદર્શીતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતા તથા ગતિશીલતાના ચાર મુખ્ય આધારસ્થંભ પર ગુજરાતને સુશાસનની દિશામાં વધુ પ્રેરિત કરવાની નેમ સાથે ૬૦માં ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં આ નિર્ણયો કર્યા છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં ૬૦માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીને કોરોના સામેની લડાઇમાં હરેક ગુજરાતીના યોગદાન તરીકે પ્રેરિત કરવાનો પણ નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના સૌ નાગરિકોને આહવાન કર્યુ છે કે, ગુજરાત સ્થાપના દિવસ-ગુજરાત ગૌરવ દિવસના આ પર્વે દરેક ગુજરાતી સ્વયં સ્વચ્છતાનો સંકલ્પ કરે. તેમણે કહ્યું કે, હરેક વ્યકિત એવો નિર્ધાર કરે કે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંકલ્પ ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે સૌ કોઇ પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર સાથે અપલોડ કરે તેવી અપિલ પણ કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૧લી મે ગુજરાત ગૌરવ દિવસને પ્રવર્તમાન સ્થિતીમાં ગ્રામજનો, શહેરી નાગરિકો પ્રજાજનોના ખબર-અંતર પૂછવા સાથે સંવાદ દિવસ તરીકે સાદગી પૂર્ણ રીતે મનાવવાનો નિર્ધાર કર્યો છે.
આ અન્વયે મુખ્યમંત્રી તા.૧લી મે શુક્રવારે સવારે ૧૦ કલાકે આદિજાતિ વિસ્તાર પંચમહાલ જિલ્લાના ગામોના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સ યોજશે અને કોરોના વાયરસ સંક્રમણ સામેની તેમની સજ્જતા, સારવાર સુવિધા અને રાજ્યના સ્થાપના દિવસ અંગે ૧૦ જેટલા સરપંચો સાથે સંવાદ કરશે.
મુખ્યમંત્રીશ્રી રાજ્યની તમામ ૧૬ર નગરપાલિકાઓના પ્રમુખો, ઉપપ્રમુખો, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રીઓ તથા ચીફ ઓફિસરો સાથે પણ આ જ પ્રમાણે સવારે ૧૧.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજવાના છે.
ગુજરાતે કોરોના વાયરસ સામે સતર્કતા અને જનજાગૃતિ તેમજ જનસહયોગથી જંગ આદરીને હમ હોંગે કામયાબ, ફરી જીતશે ગુજરાતના મક્કમ નિર્ધાર સાથે હાથ ધરેલા પગલાંઓ, ઉપાયો અંગે ગુજરાત@60 અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની જાણીતા લેખિકા શ્રી કાજલ ઓઝા વૈધ દ્વારા કરાનારી મૂલાકાત-સાક્ષાત્કાર સાંજે ૬-૩૦ થી ૭ વાગ્યા દરમ્યાન પ્રાદેશિક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત થવાની છે.
ગુજરાતની ૬૦ વર્ષની સિદ્ધિઓની પ્રસ્તુતિ ગાથા યશગાથા ગુજરાતી ગાન પ્રસ્તુતિ પણ ગુજરાત સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં તા. ૧લી મે એ સવારે ૮.૪પ તથા સાંજે ૭.૩૦ કલાકે પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સ પરથી પ્રસારિત થશે. આ યશગાથા ગાન શ્રી અભિલાષ ઘોડાના નિર્દેશનમાં તૈયાર કરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સાંપ્રત સ્થિતીમાં ‘કોરોના વોરીયર્સ’ તરીકે પોતાનું યોગદાન આપી શકે તેવા ઉદાત્ત ભાવ સાથે શિક્ષણ વિભાગને વિવિધ સ્પર્ધાઓના આયોજન માટે પ્રેરિત કર્યા છે.
તદ્અનુસાર, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધાઓ ‘ગુજરાતના કોરોના વોરીયર્સ’ વિષયવસ્તુ સાથે યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલી આવી કૃતિઓ ઇમેઇલ અથવા પોસ્ટ મારફતે પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના શિક્ષણાધિકારીને મોકલી શકશે.
બાળ અને યુવાશકિતની આ ક્ષમતાને પ્રોત્સાહિત કરતાં શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમ આપીને પ્રથમક્રમ માટે રૂ. ૧પ હજાર, દ્વિતીય માટે રૂ. ૧૧ હજાર અને ત્રીજા ક્રમ માટે પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
જિલ્લાકક્ષાની પસંદ થયેલી નિબંધ લેખન, કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધાની કૃતિઓની ચકાસણી બાદ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પાંચ કૃતિઓ બેય વિભાગમાંથી પસંદ કરીને પ્રત્યેક કૃતિને રૂ. રપ હજારના ઇનામો રાજ્ય સરકાર આપશે.
સમગ્રતયા રાજ્યકક્ષાએ ત્રણેય કેટેગરીમાં મળીને ૪પ કૃતિઓને પ્રત્યેકને રપ-રપ હજારના ઇનામોથી પુરસ્કૃત કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસને કોરોના વાયરસના સંક્રમણની હાલની સ્થિતીમાં ઓનલાઇન ટેકનોલોજી સાથે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો પાળીને ગૌરવપૂર્ણ ઉજવણી માટે તંત્રને પ્રેરિત કરીને આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
Really good efforts .Non Veg is essential item as per BJP Govt.Namkin farsan non essential.Online sell of dry namkin prohibited in Gandhinagar pl write on this