સાહિત્યના આકાશમાં શિરમોર સમા બે તારાઓ એટલે સ્વ.શ્રી સાંઈ મકરંદ દવે અને શ્રી કુંદનીકા બેન કાપડિયા “ઈશા મા”.
આ બંને એ પોતાની સાહિત્યની સરવાણી ને આગળ ધપાવવા તેઓ ધરમપુર ના નંદીગ્રામ ખાતે પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું.
આ બંને જીવનસાથી તરીકે 1987 માં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી અને અહીં ફક્ત સાહિત્ય જ નહીં શાંતિ,પ્રેમ,સંવાદિતા, પ્રભુ ભક્તિ (સર્વધર્મ સમભાવ) અને સેવા નું કેન્દ્ર બનાવી ધૂણી ધખાવી હતી.
આ પહેલાં શ્રી સાઈ મકરંદ દવે 2005 માં શિવધામ તરફ પ્રયાણ કર્યું ત્યારબાદ એજ લક્ષ તરફ અવિરસ્ત શ્રી કુંદનીકા બેન કાપડિયા ‘સાત પગલાં આકાશ મા’ફેમ એ ધ્યાન આપી નંદીગ્રામ ને હર્યું ભર્યું રાખ્યું અને જીવંતતા આપી.
સૌથી મોટું કાર્ય અહીં શિક્ષણ અને સેવા નું રહ્યું જે ભગીરથ કાર્યમાં સતત ઈશા મા સ્વયં નજર રાખી સક્રિય રહ્યા હતા.94 વર્ષની વયે પણ તેઓ આશ્રમની દેખરેખ રાખતાં હતા તેમનું પ્રભુત્વ જાળવી ને એક અનોખી મિશાલ કાયમ રાખી હતી.તેઓ એ લખેલી નવલકથા સાત પગલાં આકાશમાં સાહિત્ય જગતમાં એક ભૂકંપ નું કામ કર્યું.સાહિત્ય માં તેમનાં લેખન કાર્ય થી તેઓ એ સ્ત્રી ને સન્માન આપવાનું કાર્ય કર્યું.તેમની સ્ત્રીઓ પ્રત્યે એક અનોખો પ્રેમભાવ અને શાલિનતા ના ભાવ જોવા મળતો હતો.
આજે આ અંતિમ ફૂલ ખરી પડ્યું ત્યારે આજ આશ્રમનાં ઉપવન ના ફૂલો રડી પડ્યા,આશ્રમનાં અનુયાયીઓ પોતાનાં માતા પિતા ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.આ એક આશ્રમ નહીં પરંતુ માનવતા નું એક માનવીય દ્રષ્ટિબિંદુ સમાન એક પવિત્રધામ હતું. આ આશ્રમના બંને ફૂલો ખરી પડતાં આશ્રમ ભારે શોકમય બની ગયું છે.
ભલે આ બન્ને આત્માઓ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ શબ્દોરૂપી આપણી વચ્ચે આજે જીવંત છે.તેમની સેવા,પ્રભુભક્તિ અને પ્રેમનો પડછાયો સદાય આ આશ્રમ પર છાયારૂપી આશીર્વાદ આપતાં રહેશે.
ૐ શાંતિ ૐ
-જયદીપ દવે ધરમપુર