ગુજરાત સરકાર ના મહિલા.બાળ.કલ્યાણ ના અગ્ર સચિવ જયંતિ રવી ને મુખ્યમંત્રી એ બનાવેલ હાઈ પાવર કમિટી ના મીડિયાને સંબોધન કરનાર તરીકે નીમ્યા છે જેઓ ૨૨/૩ થી આજે પણ સવારે ૧૦ વાગે અને સાંજે ૭:૩૦ વાગે સ્વર્ણિમ ભવન ખાતે માહિતી ખાતા દ્વારા મીડિયા ના લોકો ની કરેલ સુંદર વ્યવસ્થા વચ્ચે સુંદર પરિધાન.મેક,અપ.માથે સુંદર ફૂલ સજ્જ રીતે ઉપસ્થિત થઈ ને માન્ય મુખ્યમંત્રી શ્રી એ વિજયભાઈ રૂપાણી તેમજ ડે.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા આજે અમારી હાઈ પાવર કમિટીના લીધેલ નિર્ણય… વાત શરૂ કરીને કોરોના ના પોઝિટિવ દર્દીઓ.મૃત્યુ. ડિશ ચાર્જ.કુલ ટેસ્ટ.બાકી ટેસ્ટ અને સરકારી કોવિદ ૧૯ હોસ્પિટલો ની આખા ગુજરાત ના મહાનગરો અને ગ્રામ્ય ની માહિતી નો ચિતાર સુંદર એંકર ની જેમ વર્ણન કરે છે..ત્યાર બાદ મીડિયા મિત્રો ના બે ચાર પ્રશ્નો ના જવાબ આપે અને પછી પાછા કહે કે હવે હિન્દી મા કહી દઈએ? એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા કેમેરા હિન્દી મા પણ લાઈવ કરે. ટિપિકલ પ્રશ્નો પૂછો તો આરોગ્ય કમિશનર.સુપ્રિટેન્ડેન્ટ,આયુર્વેદ નિયામક ને કહી દે કે આંકડા ઓ સાથે નું લીસ્ટ પત્રકારો ને મેલ કરી દો..આં આજે એક મહિના થી રોજ કહે છે કે સરકાર સુસજ્જ છે. હકીકત મા રેપિડ ટેસ્ટ કીટ હમણાં ચાર દિવસ પહેલા આવી.પાટનગર ના કે પ્રાઇવેટ ઓપીડી ના ડોકટરો આજેય આં મેડમ નું સાંભળ્યા નથી અને ઓપીડી ચાલુ નથી કરી.સિવિલ માં જાવ તો ૧૦ ફૂટ દૂર થી છૂત.અછૂત ની જેમ વ્યવહાર કરી વધુ બોલો તો અમદાવાદ સિવિલ જાવ તેમ કહે છે..સિવિલ માં આજેય સોનોગ્રાફી.એક્સરે મશીન બંધ છે.પોઝિટિવ નેગેટિવ રિપોર્ટ શેના આધારે પરીક્ષણ કરી કહેવામાં આવે છે તેની કોઈ સ્પસ્ટ્ટા આરોગ્ય વિભાગે કરી નથી.કોવીડ હોસ્પિટલો બનાવી દર્દીઓ વધતા હવે તેમને દાખલ કરી દૂર વ્યવહાર ના અસંખ્ય દાખલા સામે આવે છે ખુદ ડોકટર.નર્સ.બ્રધર સંક્રમિત થાય ના કેસ વધ્યા છે ત્યારે દર્દીઓ ને સગાવહાલા આંમ તેમ ભટકે છે.હજુ કોઈ દવા કે પરીક્ષણ નું ડોકટરો ને સરકાર નું કોઈ ચોક્કસ ગાઈડ લાઈન ઠેકાણું નથી ત્યાં ગાઈડ લાઈન વિના હવે પાછું પ્રાઇવેટ હોસ્પિટલ ને મન ફાવે તેમ ચાર્જ ઉઘરાવવાની છૂટ સાથે કોરોના ટેસ્ટ ની મંજૂરીઓ આપવાની ચાલુ થઈ..આં સરકાર મહામારી ના સમય માં સતત મધ્યમ ગરીબ વર્ગ ને પિસ્વાનો જાણે કાર્યક્રમ ઘડી કાઢ્યો હોય તેમ પહેલા બધા ને લોક ડાઉન માં ઘેર બેસવાનું કહ્યું.પછી સ્કુલ સંચાલકો ને બોલાવી ત્રણ મહિને વગર ભણે પણ ફી ઉઘરાવવા બાર મહિના નો સમય આપી સંચાલકો ને ખુશ કર્યા.પછી સરકાર ના કાયમી.હંગામી કોઈ પણ કર્મચારી ને કોરોના રક્ષણ માં ૨૫ લાખ નું આર્થિક પેકેજ જાહેર કર્યું.સરકારી કર્મચારી ચાલુ પગારે લગભગ આખો મહિનો ઘેર હોય તેવા ઓલટરનેટ નોકરી હાજર થવાના નિયમ ઘડાયા..જેમ જેમ હોટ સ્પોટ વિસ્તારો માં સંક્રમણ વધતા પોઝિટિવ કેસો વધવા લાગ્યા તેમ તેમ કાયદો.ન્યાય પોલીસ ની કામગીરી માં કડક અમલ કરાવવા હુકમ થયા.પરિસ્થતિ મુજબ કરફ્યુ અને છૂટછાટ નક્કી થયા.સરકાર ના બીપીએલ. એપી એલ નક્કી કરેલ ૬૬લાખ ની આજુબાજુ ના લોકો ને ૧૭.૦૦૦ સસ્તા અનાજ ની દુકાને થી રાશન આપવાની તબક્કા વાર જાહેરાત થઈ અને પાછા તેમના ખાતામાં ૧૦૦૦ રૂપિયા પણ સરકાર આપી રહી છે..તમામ ધારાસભ્યો ની ગ્રાન્ટ ના કરોડો રૂપિયા રોકી દેવાયા તેમજ તમામ સાંસદો ની ગ્રાન્ટ પણ રોકવામાં આવી તેમજ તેમજ પગાર ના ૩૦% પણ આખા વરસ દરમિયાન કાપી લેવાશે….તો આં બધો પૈસો સરકાર સુ સરકારી પગાર ચૂકવવામાં વાપરી હિસાબ બતાવશે કે કોરોના પાછળ વાપરેલ ખર્ચ નો હિસાબ આપશે?..આવામાં મધ્યમ ગરીબ વર્ગ ની શું હાલત થાય તેની પરિસ્થિતિ નો અભ્યાસ સરકારે તો કર્યો નહિ પણ સર્વ સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓ એ પોત પોતાના તેમજ સામૂહિક સર્વે કરીને કર્યો અને કરિયાણા નિં કીટ .ફૂડ પેકેટ જાહેર વિતરણ થઇ રહ્યા છે.સરકારે સંક્રમિત ના બહાના હેઠળ સંસ્થાઓ એ પણ ફૂડ પેકેટ સરકાર ને સાથે રાખીને વહેચવામાં આવશે તેવા તઘલખી નિર્ણય લેવાયા..પરિણામે સંગઠનો એ પોતાની સહાય સરકાર ને આપી જાણે સરકારે વહેચ્યું તેવા આંકડા મીડિયામાં સરકાર રોજ આપતી થઈ.સીએમ ના સચિવ પણ રોજ બપોરે સીએમ ના નિર્ણયો ની જાહેરાત બે વાગ્યા ની પ્રેસ માં કરે.રાજ્ય મા શાકભાજી.ફળફળાદી.દૂધ ની આવક ના આંકડા આપે અને સરકારે આજ રોજ કેટલા ફૂડ પેકેટ ક્યાં કેવી રીતે વહેંચ્યા તે કીધા સિવાય એક ચોક્કસ આંકડો કરોડ અને લાખ માં આપે..ત્યાર બાદ ૪ વાગે એટલે રાજ્ય ના ડીજીપી પ્રેસ માં આવી શરૂ કરે અને કહે કે ” વડાપ્રધાન શ્રીનો મૂળ મંત્ર ઘરમાં રહો,સુરક્ષિત રહો” થી હું શરૂવાત કરું .તેમ કહી જાણે હાઈ પાવર કમિટીના નક્કી થયું હોય તેમ પીએમ,સીએમ ના વખાણ એક સનદી અધિકારી તરીકે કરીને માહિતી આપી ને કહે કે આજરોજ લોક ડાઉન માં નોધાયેલ ગુના.પકડાયેલ વાહનો..ધરપકડ થયેલ વ્યક્તિઓ,કરફ્યુ માં છૂટછાટ.પોલીસે દંડા મારેલ વિડિઓ થી સસ્પેન્ડ કરાયેલ .શિક્ષાત્મક પગલાં ની વિગત…ત્યાર બાદ મીડિયા ના લોકો તેમને મળેલ પ્રજા ફરિયાદ ના આધારે પ્રશ્નો પૂછે એટલે જવાબ મળે કે સરકાર કડક અમલ લોક ડાઉન નો કરાવશે.કાયદા ના ભંગ માં ધરપકડ થશે વાહનો પકડાશે.દંડ ભરી છોડવામાં આવશે.કડક કાર્યવાહી કરવામાં આવશે જ…સવાલ એ છે કે પ્રજામાં થી મળતી પોલીસ દૂર વ્યવહાર ની સ્થિતિ જુદી છે અને અમલવારી ની માહિતી અલગ હોય છે પણ બે ચાર પ્રશ્નો માં કોણ કેટલું પૂછી શકે.અને વધુ પૂછો તો કહેવામાં આવે કે તમારા પાસે માહિતી હોય તો આપશો તો તપાસ કરાવવામાં આવશે…હકીકત મા ૨૦૦૦ થી લઇ ૫૦૦૦ સુધીના જુદી જુદી કલમો લગાવીને દંડ વસૂલવામાં આવે..નક્કી કરેલ સ્પોટ ઉપર પ્રજા જાણી જોઈને ભૂલ કરે તે જગ્યાએ દંડ ની વસૂલી કરવામાં આવે અને વાસ્તવિકતાના વિડિઓ પણ વાયરલ થાય.અત્યારસુધી બધું કોર્ટ ના હેલ્મેટ જેવા કાયદાઓ ને આધીન સરકાર નિર્ણયો લેતી હવે પડે તેમ દેવાય ની જેમ નિર્ણયો લેવાય છે.
હકીકત તો એ છે કે શરૂવાત માં સરકાર માં આં હાઇ પાવર કમિટી ના આજ્ઞાંકિત પીએમ.સીએમ ની વાહ વાહ કરતા સરકાર ની અસરકારકતા ની વાતો રોજ લાઈવ મીડિયામાં કરતા એટલે જનતા ને એમ લાગતું કે વિદેશો કરતા આપની સરકાર અસરકારક છે પણ હવે ધીમે ધીમે અણઆવડત જેવું દેખાય રહ્યું છે એટલે બુદ્ધિજીવી લોકો આં સરકાર ના કોરોના મહામારિં ના સંકટ ના ચાર હીરો શિવાનંદ ઝા,જયંતિ રવી.અશ્વિ નીકુમાર.વિજય નહેરા ને સાંભળી કંટાળી ગયા છે કેમકે આખા દેશ માં એક મહિનામાં ગુજરાત કોરોના માં બીજા નંબરે આવી ગયું..સરકારે પીએમ કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય ના આદેશો અનુસાર રોજે રોજ અનુસર્યા પણ ગ્રામ્ય માં અને મહાનગરો માં હોટ સ્પોટ વિસ્તારોમાં કોઇ કડક અમલ થયો નહિ અને આજે શાકભાજી ની વાળા,કોર્પોરેશન ના અધિકારી.કર્મચારીઓ,હોસ્પિટલના ડોક્ટર નર્સ,વોર્ડનો પોલીસ કર્મચારીઓ ખુદ સંક્રમિત થઈ ને પોઝિટિવ કોરોના ગ્રસ્ત થયાં.અને રૂપાણી સ્ટેમ્પ સરકાર જાણે કે બધીજ બાબતે ફેલ ગઈ હોય તેમ પ્રાઇવેટ દવાખાના ઓના સહારે હવે જનતા ને મૂકી દેવામાં આવનાર છે.ખુદ મુખ્યમંત્રી સ્ટાફ ની નબળી કામગીરી ત્યારે પ્રકાશ મા આવી કે જ્યારે ઇમરાન ખેડા વાળા ધારાસભ્ય રૂપાણી ને મળવા આવ્યા કે જે ધારાસભ્ય સંક્રમિત હતો જેની જાણ તે મુખ્યમંત્રી ને મળી,પ્રેસ વાળાઓ ને મળીને ગયા પછી સાંજે પોઝિટિવ રિપોર્ટ આવતા ખબર પડી કે આ ઇમરાન ખે ડા વાળા ટેસ્ટ કરાવીને આવ્યા હતા અને રિપોર્ટ જ બાકી હતો. જેના આધારે ખુદ રૂપાણી નીતિન પટેલ.પ્રદીપસિંહ જાડેજા અને દસેક ગાંધીનગર ના પત્રકારો ને સરકારે ટેસ્ટ કરાવવા પડ્યા(એ પણ મેં ખુદ સીએમ સચિવ નું ધ્યાન દોર્યું કે સરકાર ની બેદરકારી ના ભોગ મીડિયા વાળા શા માટે બને? તેમના પણ સીસીટીવી ફૂટેજ ના આધારે હાજર પત્રકારો ને બોલાવી ટેસ્ટ કરાવી ન્યાય આપવો જોઈએ( અને અત્યારે તેઓ પત્રકારો પણ હોમ કવોરેન્ટાઈન છે.બોલો આવી ગંભીર બેદરકારી મુખ્યમંત્રી કાર્યાલય ની ખુદ ની હોય તો પ્રજા માં આં સરકાર જાણે કે અખતરા કરી રહી હોય તેમ લાગે છે.સરકાર ના મુખ્યમંત્રી થી માંડી ને સચિવો.અધિકારીઓ,સરકારી હોસ્પિટલ સ્ટાફ બધા સરકારી પગાર ઉપર મહામારી માં કોઈપણ ખતરા (૨૫ લાખ ના કોરોના ના વીમા સહિત) વગર જાણે કે પ્રજાની સેવા કરતા હોય તેમ સમય પાસ કરી રહ્યા છે પણ એક મીડિયા વાળા લોકો ના ભરોસે હવે જનતા હોય તેવું બુદ્ધિજીવી નિવૃત્ત અધિકારીઓ,સજ્જન ડોકટર,સજ્જન પોલીસ અધિકારીઓ નામ નહીં આપવાની શરતે કહી રહ્યા છે. હવે આખો ભગવો દાવાનળ ઉપર થી નીચે કોરોના એ સળગાવવાનું નક્કી કર્યું હોય તેમાં વગર સરકારી આર્થિક કોરોના પેકેજ વગરના મીડિયાવાળા એકલા શું કરી શકે? મીડિયા વાળા તો વાસ્તવિકતા છાપી ટીવી માધ્યમો માં બતાવી માનવતાનો ધર્મ બજાવે….બાકી કોરોના ભ્રષ્ટ રાજકારણી.ભ્રષ્ટ અધિકારીઓ ને મળ્યા વિના જવાની નથી તે નક્કી જ છે….કેમકે કુદરતે આં અનૈતિકતા વાળા ને જાણે કે સીધા કરવા મોકલી હોય તેવું લાગે છે…હજુ તો નફ્ફટ સરકાર ના લોકો સ્માર્ટ સિટી ની ગ્રાન્ટ વાપરી નાખી નવરા પડેલ રાજકીય મળતિયા દલાલ રૂપી સગાવહાલા,પૂર્વ મેયર, પૂર્વ ડે.મેયર,ચાલુ કોર્પોરેટર ભાગીદારીવાળી કંપનીઓ તેમજ મહિલા કોર્પોરેટર,વિધાયકો ના કોન્ટ્રાકટર પતિદેવો માટે બાગ.બગીચા.ના ટેન્ડર્સ બહાર પાડી ૧૫ થી ૨૦ % ની કટકી થી હિસાબો કરી વાપરી હજુ તો આં મહામારી માં રાજકારણ રમવા જાય છે..આવા સમયે માં હજુ જો સરકાર ને લાજ.ઈજ્જત.શરમ જેવું કાઈ હોય તો રૂપાણી અને નીતિન પટેલ ભેગા થઈ મહાનગરો ને આપેલી સ્માર્ટ સિટી ની ગ્રાન્ટ પાછી લઈ ને કોરોના સંકટ માં એ રકમ વાપરવી જોઈએ.એક બાજુ સરકારની સાથે રહીને ચાલતી સ્વૈચ્છિક સંસ્થાઓ.ઉધોગપતિઓ.એશોષીએશન,ક્લબો પાસેથી સીએમ ફંડ માં દાન ઉઘરાવી રહ્યા છે અને બીજી બાજુ આં સ્માર્ટ સિટી ના ટેન્ડર બહાર પાડી કરોડો ના ભ્રષ્ટાચાર નોં કાળો ચર્ચાસ્પદ વેપાર કરવા જઈ રહ્યા છે. હવે તો કોરોના તમામ મહાનગર પાલિકા.નગરપાલિકા અને પછી મોટા અઠંગ રાજકીય દલાલો ના ઘેર આવતા મહિને આંટો મારશે તેવું લાગે છે… એક હિ આગ જન ફરિયાદ..ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.સંપાદકીય લેખ..તંત્રી: પ્રદીપ રાવલ (સરકાર ની ભૂલ નો ભોગ બનેલ(ઇમરાન ખેડાંવાલાં ની પ્રેસ માં હાજર રહેતા અત્યારે સરકારે ટેસ્ટ કરાવતાં નેગેટિવ ટેસ્ટ આવતા હોમ કવોરેનટાઈન માં કાલ થી ૧૪ દિવસ માટે છું) ગાંધીનગર
મો.9824653073