આજે ચૈત્ર વદ મહા ચૌદશ મંગળવાર મારો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા આજે સંજોગવશાત ગાંધીનગર જિલ્લો પણ સંપૂર્ણ કોરોના મુક્ત થયો છે.તેવું મેયર બહેન રીટાબેન કેતનભાઈ પટેલ ના એક મેસેજ પરથી જાણવા મળ્યું….એકપણ કેસ હવે ગાંધીનગર મા પોઝિટિવ નથી…સંક્રમણ થી જ કેસ પોઝિટિવ આવે છે તો હજુ પણ ૧૫ દિવસ સચિવાલય માં કર્મચારીઓ ના જાય કે કોઈ બજારો ૧૫ દિવસ ના ખુલે તો ક્યાં રાજપાટ રંડાઈ જવાનું છે….સ્વૈચ્છિક રીતે ગાંધીનગર ના લોકો એ ૧૫ દિવસ સતત હજુ. સ્વૈચ્છિક બંધ રાખી ગુજરાત ની રાજધાની ને આરોગ્ય પ્રદ જીવંત રાખવા સૌ પાટનગર વાસીઓ એ સાથ આપવો જોઈએ…..ગાંધીનગર હવે કોરોના મુક્ત છે માટે પાટનગર ના તમામ દવાખાના પણ ડોકટરે પોતાનું કર્તવ્ય સમજીને ખોલી નાખી ઓપીડી ચાલુ કરાવી જોઈએ તો રેગ્યુલર દર્દી સેવાઓ ચાલુ થાય…જયંતિ રવી પ્રેસ માં વારંવાર કહી ચૂક્યા હતા કે દરેક ડોકટર પોતાની ઓપીડી સા ની ગાઈડ લાઈન થી ચાલુ કરી સહકાર આપે…..પાટનગર મહાનગરપાલિકા ના મેયર,કોર્પોરેટર,અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ એ આં મહામારી સંકટ માં ખૂબ ઉમદા ફરજ બજાવી બધા સાથે રહી માનવતા ના દર્શન કરાવી કદાચ આખા ભારત માં કોરોના ગ્રસ્ત માંથી કોરોના મુક્ત પહેલી રાજધાની ગાંધીનગર બની છે……… પક્ષા પક્ષી થી દુર રહી પાટનગર ના જાહેર સંસ્થાઓ ના પદાધિકારીઓ દ્વારા પાટનગર ની ઝુપડપટ્ટી.મધ્યમ ગરીબ વર્ગ માં જમવાનું અને કરિયાણા ની કીટ સર્વ સમાજ ના લોકો એ પોતાના પરિવારો ને જરા પણ શરમાય નહિ તે રીતે ઘરે ઘરે પહોંચાડી છે…ત્યારે નગર ના વાર તહેવારે થતાં જાહેર કાર્યક્રમો માં જોવા મળતા યુવા કાર્યકરો એ તમામ સેકટર માં જઈ રોજ સાંજે ઉકાળા બનાવી ને લોકો ને પીવડાવ્યા છે અને એક અનોખો એકતાનો સંદેશ પૂરો પાડ્યો છે …..જાહેર જીવનના નગર સેવકો કહી શકાય તેવા નીશીત વ્યાસ.કેતન પટેલ(મેયર પતિદેવ)નાઝા ધાંધલ,અંકિત બારોટ..મુકેશ મારું.. સ્મિત,ગુંજ ફાઉન્ડેશન…શૈલેન્દ્રસિંહ બિહોલા…હસમુખ મકવાણા…ઉરપલ જોશી…..મુકેશ પટેલ….મેરૂસિંહ ચાવડા….મૂકતા ગૌરી ટ્રસ્ટ..જલારામ મંદિર. મીનાક્ષી (નીશીત વ્યાસ પરિવાર.મિત્ર મંડળ)…પંચદેવ મંદિર યુવક મંડળ..કર્મકાંડી ભૂદેવ મંડળ…ઉમિયા સંસ્થાન પદાધિકારીઓ……..બ્રહ્મ ભવન ના પદાધિકારીઓ…રાજપૂત ભવન ના પદાધિકારીઓ…લાયન્સ કલબ પદાધિકારીઓ સુનીલ ત્રિવેદી..લાભશંકર જોશી…વસાહત મંડળ પદાધિકારીઓ. કેપિટલ ક્રિએટિવ કલબ…. સહિયર ગ્રુપ થકી અન્ન કીટ.ઉકાળા સેકટરની સેવાઓ..બક્ષી પંચ..દલિત સંસ્થાઓ.ભવન ના હોદ્દેદારો તેમજ કુડાસણ. સરગાસણ ની મોટી ફ્લેટ ની સ્કીમ ના હોદ્દેદાર યુવક સેવા મંડળ પોતાની સેવા વાંન મા અન્ન દાન વહેંચતા નજરે પડ્યા છે…..ગાંધીનગર ના સેવાભાવી લોકો અને સ્વૈચ્છિક સેવા કાર્ય કરતા નામી.અનામી કર્મચારીઓ.અધિકારીઓ થકી ગાંધીનગર ને એક આગવી ઓળખ આપી છે ગુજરાત સરકાર ની આં મહામારી સંકટ ની પરિસ્થિતિ મા સરકાર અને પ્રજાજનો વચ્ચે મીડિયા થકી સતત જાગૃતિ કેળવવા મુખ્યમંત્રી ના સચિવ શ્રી અશ્વિનીકુમાર,અગ્ર સચિવ મહિલા બાળ આરોગ્ય જયંતિ રવી મેડમ તેમજ ગુજરાત ના ડીજીપી શ્રી શિવાનંદ ઝા સાહેબ સવારે સાડા દશ થી સાંજે સાડા સાત સુધી સ્વર્ણિમ ભવન માં માહિતી ખાતાના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં આરોગ્ય સુરક્ષા કવચ રૂપી વાતાવરણ મા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા મિત્રો ને સમગ્ર ગુજરાત વહીવટી તંત્ર ગતિવિધિઓ નું ધ્યાન દોરી સુખદ પ્રશ્નોત્તરી માં ભાગ લઈ એક આગવી ઓળખ મીડિયા માં કર્તવ્ય ના ભાગ રૂપે માનવતા રૂપી ઉભિંકરી રહ્યા છે….આવનારા સમય માં આવો સૌ સમજી વિચારી આપના સાચા સુખ દુઃખના ભાગીદાર સેવકો ને બિન રાજકીય રીતે આપની વચ્ચે નિહાળી સૌ એકઠા થઇ માત્ર કલા.સંસ્કૃતિ.સાહિત્ય ના સરકારી મેળાવડાઓ માંથી બહાર આવી નગર ને માત્ર જન સુખાકારી ના ગરબે રમાડી નાણાકીય ધુમાડા બંધ કરી માનવતા ની મહેક પ્રસરાવી એક મોડેલ ગાંધીનગર ઓળખ બનાવી એ તો દેશ અને વિદેશ માં પણ ગાંધીનગર ગુજરાત નો ડંકો વાગશે કે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ગાંધીનગર સાંસદ દિલ્હી ની ધુરા એક ગુજરાતી તરીકે સંભાળી રહ્યા છે.અને આજે પણ હજારો ના વિદેશ માં કોરોનાથી થતાં મૃત્યુના આંકડાઓમાં ગુજરાત ની સાડા છ કરોડ ની જનતામાં હજુ માત્ર ૭૧ મૃત્યુ થયા છે ને ગુજરાત ની વહીવટી તંત્ર ની સુજ બુઝ ને જ્યારે સૌ કોઈ લોકો એ વખાણી છે……. શુભેચ્છા સહ. . પ્રદીપ રાવલ..એક હિ આગ…જન ફરિયાદ. ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક દેશ .વિદેશ પરિવાર…..આપ સર્વ ના પ્રત્યક્ષ પરોક્ષ સ્નેહ રૂપી સેવા,આશીર્વાદ થી આજે હું કોરોના નેગેટિવ પરિણામ મેળવી શક્યો છું. ખૂબ ખૂબ આભાર…