https://m.facebook.com/story.php?story_fbid=539559713631457&id=100027322995343. ( Live report by jayanti Ravi medam)
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના પ્રજાજોગ સંદેશામાં તેઓ એ સમગ્ર ભારત ૩ મે સુધી લોક ડાઉન જાહેર કર્યું..એટલે કે બીજા ૧૯ દિવસ સુધી લોક ડાઉન નો અમલ ભારત ભર મા રહેશે..જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડવા ની છૂટ છાટ ના લીધે પ્રજા ની હેરફેર થી સંક્રમણ થતાં સમગ્ર ભારત માં અનેક જગ્યાએ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.અનેક સામાજિક.ધાર્મિક સંસ્થાઓ સરકાર સાથે રહીને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અને અન્ન દાન તેમજ આરોગ્યપ્રદ ઉકાળા ગરીબ. મધ્યમ વર્ગ વિસ્તારો માં વહેચી રહી છે..જ્યારે રાજકીય નેતાઓ પ્રેરિત ક્લબો.સંસ્થાઓ તેમના મેમ્બરો માં ઉઘરાણા કરીને સી.એમ.ફંડ માં તેમજ કેન્દ્રીય સરકાર ને લાગતી વળગતી સંસ્થાઓ અને તેના મોભીઓ પીએમ ફંડ માં પોતાનો ફાળો આપી પ્રસિદ્ધિ પણ કરી રહ્યા છે..પી એમ ઉપર એક એવો પણ આક્ષેપ છે કે તેઓ એ એક જુદીજ પોતાના વિચારો લક્ષી પીએમ કેર ફંડ ઉભુ કરીને તેમાં પણ અનેક દાન સેલિબ્રિટી.ઉધોગપતિઓ અને રાજકીય દલાલો થકી ટાર્ગેટ આપી ઉઘરાવવામાં આવી રહ્યું છે કે જેનો કોઈ હિસાબ કિતાબ સાંસદ કે રાજ્યસભા માં આપવાનો હોતો નથી..સૌથી વધારે સારી બાબત એ દેખાય છે કે આખા રાજ્ય ના રાજકીય લોકો અને રાજકીય તેમના કાર્યકર પોઠિયા થકી જે સરકાર માં દલાલી કરીને સમગ્ર વિભાગોમાં પોતાની સત્તા ની વગ થી જે કામો કરાવવામ આવી મોટેપાયે ભ્રષ્ટાચાર આચરવાના આવતો હતો તે હાલ કોરોના ની રાજ્ય ની મુલાકાત થી બંધ છે.તેમજ બૂટલેગરો દ્વારા સરકારી હપ્તા રાજ માં દેશી.વિદેશી દારૂની જે આંતર રાજ્ય હેરાફેરી કરી વેપાર કરવામાં આવતો હતો તે પણ હમણાં બંધ છે.એટલે કે રાજકીય તેમજ ગુનાહ વૃત્તિ થી સંકળાયેલ લોકો હાલમાં બેકાર અથવા તો વેકેશન ઉપર છે કે જે રાજ્ય ની સૌથી મોટી બદી છે અને પ્રજા માટે હાનીકારક છે…કદાચ જો પ્રજા જાગૃત થાય તો હવે આં બદી કાયમિક ટળી શકે છે અને દેશમાં રાજકારણીઓ ને લીધેલ વોટબેંક ની હરીફાઈ ને કારણે બગડેલ વાતાવરણ પણ સુધરી શકે છે નહીતો રાજકીય પક્ષો ની આંતરિક હરીફાઈઓ ને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ ને વેગ મળે છે અને આં બધી પરિસ્થિતિમાં શાશક સરકાર પોતાના પક્ષ ના ગુનેગારોને પકડી શકતી નથી અને છાવરવામાં વિરોધ પક્ષ અને પ્રજાના આક્ષેપો થાય છે પરિણામે તટસ્થ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ને પણ ખુબજ તકલીફ પડે છે અને તેમને પણ નેતાઓના ભ્રષ્ટ અધિકારીઓ ના રોષ ના ભોગ બનવું પડે છે અને ન્યાય તંત્ર સાથે રાખી કાવા દાવા રમીને પણ ટકી રહેવું મુશ્કેલ બને છે.. આં બધીજ પરિસ્થિતિ મા પ્રજા પોસાય છે અને ભાવિ પેઢી ના યુવાઓ ની કફોડી હાલત બને છે અને માતા પિતાઓ ની સંપતિ પુત્રો આધુનિક યુગમાં લૂંટાતા નજરે ચઢે છે. માટે આં કોરોના જાણે કે પિયર રહેવા આવી છે તેમ સમજી ને તેના રોષ ના ભોગ બન્યા કરતા જાગ્યા ત્યારથી સવાર સમજી ને દેશ ની જનતા.રાજકારણીઓ અને દલાલ રૂપી સામાજિક સંગઠન ના નેતાઓ સુધરી ને સમજી જાય તો જ દેશ માં ફરી રામ રાજ આવે નહીતો એક પછી એક રાવણ રાજ અને તેની કપટી સેના ના રાજમાં દેશ ની પ્રજાએ જીવવું પડશે…એક હિ આગ..જન ફરિયાદ….ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક….સંપાદક. પ્રદીપ રાવલ
Excellent article… Abhinandan