મહેરબાની કરીને બહુમત ના જોરે હવે સરકાર ના ખભે દલાતરવાડી ની જેમ નિર્ણય લઈ આવા પ્રજા ના ટેક્ષ રૂપી આવક ના પૈસા નો ધુમાડો હવે ખોટા કોઈ વૈભવી ખર્ચના નિર્ણયો કરશો નહી અને તમારા બંને દિલ્હી સ્થિત ગુજરાત થી બહુમત પ્રાપ્ત કરીને દિલ્હી જઈ બેઠેલા આકાઓ ને સમજવજો કે ગુજરાત માં હવે કોઈ વાઇબ્રન્ટ ગુજરાત ના નામે ટાયફા યોજી બાલ્કી મૂન, એબે,જિનપિંગ કે ટ્રમ્પ જેવાને બોલાવી કોઈ રીવર ફ્રન્ટ ના બંધિયાર પાણી માં વૈભવી શેર કરાવી ફોટા પડાવી કે ગુજરાત નું વિશ્વ વિખ્યાત સૌથી મોટા સ્ટેડિયમ ને અભડાવી સરકાર ની તિજોરી ના તળિયા ઝાટક કરશો નહિ જેમકે ૨૨ વર્ષ માં એવા કોઈ ઉદ્યોગો ગુજરાત માં સ્થપાયા નહી કે કોઈ રોજગારી મળી નથી કે બેરોજગાર યુવાઓ વિદેશ જવાનું ટાળી ગુજરાત મા જ રહ્યા હોય..લોકો સહાનુભૂતિ થી દેશ ના મહાસંકટ મહામારી કુદરતી આફતો માં લોક રક્ષણ માટે પી એમ અને સીએમ માં ફંડ આપે છે..આપે જે કોઈ તાયફા કરવા હોય કે વિપક્ષી વિધયકો ખરીદવા હોય કે કોઈ પણ મેળાવડા વોટ બેન્ક જાળવી રાખવા કરવા હોય તે કોઈ પણ ધાર્મિક તહેવાર સરકાર ના ખભે કરી પ્રજાના પૈસા ની બરબાદી કરશો નહિ. પણ તમારા ટૂંક સમય માં કરોડો રૂપિયા એકઠી કરેલ ભાજપ ના ફંડ માંથી કરજો..પૂર્વ સરકાર ના .સાડા બાર હજાર કરોડ ના સરકારી દેવામાંથી આજે આવા તાયફાઓ બહુમતી ના જોરે ભગવા પક્ષ ને ટકાવી રાખવા અઢી લાખ કરોડ ના દેવા સુધી ૨૧ વર્ષ માં ગુજરાત ને આપે પહોંચાડ્યું છે..હવે પછી આ મહામારી સંકટ ઓછું થઈ જાય ત્યાર પછી.ના પાંચ વરસ કોઈ કાંકરિયા કાર્નિવલ.રીવર ફ્રન્ટ ઉત્સવ.ફલાવર શો.નવરાત્રી સરકારી જી.એમ ડી.સી ગ્રાઉન્ડ ના ખર્ચાળ વીઆઇપી ઉત્સવો કે વિદેશીઓ ને બોલાવી પતંગોત્સવ કે શિક્ષણ ના તયફા કે કોઈ મહાત્મા મંદિર ના વાઇબ્રન્ટ ના કાર્યક્રમો રૂપી શાળા પ્રવેશોત્સવ ના ટાયફાઓ કરશો નહિ. દરેક માં બાપ પોતાના બાળકો ને શાળાએ ભક્તિ ભાવ થી પ્રવેશ કરાવે જ છે. પહેલા પોળો.સોસાયટી.મહોલ્લા કે ખુલા મેદાન માં સામૂહિક રીતે સ્થાનિક સંગઠનો દ્વારા લોકફાળો ઉઘરાવી ને તમામ તહેવારો. મંદિરો સજાવી ને કે ધાબાઓ ઉપર પતંગોત્સવ મનાવતો હતો તેમ લોકોને સાદગી થી ઉત્સવ મનાવા દેજો..તહેવારો ને સરકારી ઉત્સવો બનાવી તળિયા ઝાટક કરી નાખી તેવા પાપ હવે કરશો નહિ…રાજકીય દલાલો ને આવા ઉત્સવો ના કોંત્રાક્ટ આપી રાજકીય ગેરરીતિ આચરવાનું બંધ કરજો..વિકાસ ના બહાને થીગડ થાગડ રસ્તાઓ દર બાર મહિને બે વરસે તૂટી જાય તેવો ખોટો વિકાસ ચિતરશો નહી..અને કરોડો રૂપિયા ની ખોટી ફોટોશેશન ની પ્રસિદ્ધિ અને અખબારી જાહેરાતો આપી કરોડો ના ખોટા ખર્ચ ના આંધણ કરશો નહિ.ગુજરાત નો બેરોજગારી અને ખેડૂત ના પ્રશ્નો આસમાને છે અને તેમનો લોક વિરોધ સરકાર સામે કાયમી થઈ ગયો છે તેવા જાણી જોઈને કરેલા પાપો નું પુનરાવર્તન હવે કરશો નહિ.ગુજરાત નું ભાવિ પેઢી નું યુવા ધન વિદેશી માં ભણવા જવા અને સેટ થવા જ્યારે બહાર નીકળી ગયું છે તેની ચિંતા કરશો..સીએમ.ગવર્નર.આઇ.પી એસ.આઇ. એ.એસ તેમજ સરકાર ના ઉચ્ચ અધિકારીઓ ના છોકરાઓ પરિવાર ના લોકો મોટાભાગે વિદેશી માં સેટ થયેલા છે જેઓ અત્યારે મો છુપાવી આવી મહામારી માં ઘર ભેગા થયેલા છે જેઓને સરકાર ૫૦% કવોરેન્ ટાઇન કરાવવામાં પણ હજી પહોંચી વળી નથી અને આંકડાઓ છુપાવી ઢાંક પીછોડો કરે છે..ગોદી મીડિયા ને જાહેરાતો તેમજ સરકારી સગવડો આપી સરકારી યોજનાઓ ના લાભ પ્રજાએ કેટલા લીધા અને કેટલા ખર્ચાઓ થાય તેવા ખોટા આંકડાઓ આપી ખોટી માહિતીઓ આપી ને પાપ વધારશો નહી. હજુ અનેક અખબારો અને પોર્ટલ ન્યુઝ આજે પણ એવા કેટલાયે છે કે જેઓ સરકાર ની ભીખ રૂપી વિજ્ઞાપનો કે સખાવતો ઉપર નભતા નથી જેમકે મારા ત્રણ મીડિયાના માધ્યમો ને સરકાર ૨૪ વરસ થી કોઈ વિજ્ઞાપન કે કોઈ પણ આર્થિક યોગદાન આપી શકી નથી જે આજે પણ નિયમિત રૂપે પ્રજા અને સરકાર ના સેતુ સમાન છે અને પ્રજાના સહયોગ થી જ ચલી રહ્યા છે અને સરકાર કે પ્રજાનો સચોટ રીપોર્ટ હકીકત છુપાવ્યા વિના પ્રસિદ્ધ કરી રહ્યા છે..સામાજિક સંગઠનો ના મોભીઓ ને કોઈ રાજકીય લાલચી આપી ને સામાજિક સેવાઓ માં આંતરિક હરીફાઈ કરવી સામાજિક પાપો હવે એવા કરશો નહિ કે સમાજ ના આગેવાનો સમાજ પાછળ પૈસા ખર્ચી ને રાજકીય પ્રસિદ્ધિ નો રોટલો શેકી સમાજ માં હાસ્યાસ્પદ બને….અંતમાં ભગવા ભાજપ ના સ્ટેમ્પ શાશન માં જાતિવાદ.આરક્ષણ ને વોટ બેંક ની જાળવણી ખાતર ભડકાવી.આંતરિક હરીફાઈઓ કરાવી શિક્ષિત.બુદ્ધિમાન સમાજ ના રાજકીય લોકો ને મોદીજી અને અમિત શાહ દ્વારા જાણી જોઈ ને દૂર રાખી જેમ સ્ટેમ્પ બનાવી શાશન કરાવાય છે તે અનૈતિક રાજકીય ખેલ હવે પ્રજામાં ખુલ્લા પડી ગયા છે. હરીન પાઠક.જય નારાયણ વ્યાસ અને બીજા અનેક રાજકીય સીનીયોરિતી વાળા આજે ઘેર હીંચકે ઝૂલી ઇલેક્ટ્રોનિક મીડિયામાં એંકર ની ભૂમિકા ભજવી રહ્યા છે કે જેનો ભાજપ બુદ્ધિમાન હોવા છતાં કુકર્મો ઢાંકવા તેમનો ઉપયોગ કરી શકી નથી.અનેક સેલિબ્રિટીઝ ને રાજકીય કક્કો ખબર ના પડતી હોય તેમ છતાં પોતાનો અહમ પોષવા સાંસદ તેમજ ધારાસભ્ય કે સરકારી બોર્ડ નિગમો માં ગોઠવી મ મન નું ધાર્યું જેમ કરાવાય છે તે ટાળજો..ગુજરાત ને હવે આ કહેવાતા મૂળભૂત અશિક્ષિત એવા લોકો એ બહારની યુનિવર્સિટી ની પૈસાના જોરે ડિગ્રી મેળવી જ્યારે દેશ ની ધુરા સંભળવા નો મોકો મળ્યો છે ત્યારે જાણે.અજાણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ કરવા જે કઈ ગુજરાત કલંકિત શાશન ના ૧૨ વર્ષ માં ૧૬ નકલી એન્કાઉન્ટર જુદા જુદા માનવ હત્યા રૂપી કાંડ.રાજકીય હત્યાઓ.ગુનાહ ખોરી ને ઢાંક પિછોડો જેવા જે કંઈ કુ કર્મો રાજકીય રીતે થઈ ગયા હોય તેનું પ્રાયશ્ચિત આ ૨૧ દિવસ દરમિયાન કરી પુનરાવર્તન ના થાય તેની તકેદારી રાખજો.પશ્ચિમી સંસ્કૃતિઓ માં સરકારી ખર્ચે લટાર મારી દેશ ની જનતા ઉપર ખોટા ખર્ચ કરી આવી હવે કોઈ ખોટી
સંસ્કૃતિઓ થી દુર રહેજો અને અંત માં અમારા ગુજરાત ના કલા.કથાકારો,જ્યોતિષીઓ,.વિવિધ કલા ના કસબીઓ સાહિત્યકારો.મીડિયા જગત.ધાર્મિક પરંપરાઓ ની જાળવણી કરતા સેવા ભાવિ.તેમજ ઉદ્યોગ જગત ના કસબીઓ ઉપર રાજકીય ઢોલ ચડાવી ખોટા રાજકીય આશ્વાસનો આપી સરકાર ના એવોર્ડ ની લાલચો આપવાનું બંધ કરી ગુજરાત ને ખોટા મોડેલ તરીકે ચીતરવા ના બંધ કરજો.વાસ્તવિકતા થી લોકો ને ભટકાવશો નહી તેવી ગુજરાત ની આંન.બાંન. શાન ટકી રહે તે આશય થી સૌ કોઈ ગુજરાતીઓ વતી ની લાગણી હુ મારા એક હિ આગ જન ફરિયાદ તેમજ ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક ના માધ્યમ થી મારી આ વાત મન કી બાત નહી પણ પ્રજા કી બાત મોદીજી અને અમિત શાહ સુધી તેમના શાશન ના કડીરૂપ સરકાર માં બેઠેલા પહોંચાડી પાપમુક્ત બને તેવી મારી લાગણી માંગણી છે.. પ્રદીપ રાવલ.સંપાદક.ગાંધીનગર..
Jan Fariyad.News of Gandhinagar daily.
Read office.: Block 677/2 GH Type.sector:8. Gandhinagar.Gujarat.india.Pincode : 382007…