આજરોજ જુનાગઢ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના દરેક નાગરિકને સ્વયંભૂ બંધ પાળી અને કોરોના વાયરસ સામે લડવા નું આહવાન કર્યું છે ત્યારે જુનાગઢ ની તમામ જનતાએ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો છે અને સંપુર્ણ જુનાગઢ મહાનગરે સ્વયંભૂ રીતે બંધ પાળી સરકાર ને સપોર્ટ કર્યો છે….
આ માટે જુનાગઢ મહાનગર માં કલેકટર શ્રી, કમીશ્નર શ્રી, એસપી સાહેબ ના આદેશ અનુસાર સંપુર્ણ વહીવટીતંત્ર પુરી નીષ્ઠા થી પોતાની ફરજ બજાવતા હતા ત્યારે મારી જનમત ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, પત્રકાર મિત્રો, મેડીકલ ના કર્મચારીઓ તથા સફાઈ કામદારો ને પીવા માટે પાણી, ફુડ પેકેટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું…..
આ કપરી પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા કર્મચારી અને પત્રકાર મિત્રો ની સેવા કરવાનો અવસર મળ્યો હતો અને આ સેવા કાર્ય માં મારી સાથે કુણાલ ચોવટીયા, ઇરફાન સીદ્દીકી, રવી ઠાકર, પરેશ પરમાર, ભદ્રેશભાઇ, તથા જનમત પરીવાર જોડાયા હતા…..