ગુજરાત નો મુસ્લિમ સમાજ આગામી પ્રજાસત્તાક દિન ની ઉજવણી દર વર્ષ કરતાંય શાનદાર રીતે કરે.
ગુજરાત ના ધાર્મિક, સ્વેચ્છીક, શેક્ષણિક અને સમાજસેવી સંસ્થાઓ મળી 26મી જાન્યુઆરી ના રોજ ના આપણા રાષ્ટ્રીય તહેવાર ની વધુ ભવ્ય રીતે ઉજવણી કરે એવો હું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ આપને બધાને આગ્રહ કરું છું.
પ્રજાસત્તાક દિવસ એટલે જનતા દ્વારા જનતા માટે નું શાસન. આપણા દેશના સંવિધાનને 26મી જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું.
આપણા દેશ માં અત્યારે અમુક તાકતો આપણા દેશના સંવિધાન ને કમજોર કરવાનો પ્રયાસ કરી રહી છે આવા સમયમાં આપણે બધા મળી એની સામે મજબૂતી થી શપથ લઈએ.
26મી જાન્યુઆરી ના કાર્યક્રમ માં શાનદાર રીતે ધવજ વંદન થાય પછી આપણે રાષ્ટ્રગાન કરી આપણા દેશ ના સંવિધાન નો જે આમુખ છે એનો વાંચન કરી આપણે સહુ શપથ લઈએ કે આપણે દેશ માં થી આંતકવાદ, કોમવાદ, જાતિવાદ, ભ્ર્ષ્ટાચાર ને નાબૂદ કરીશુ અને દેશના બંધારણ અને સંવિધાન ની હંમેશા રક્ષા કરીશુ, અને આપણો મહાન દેશ ભારત એ વિશ્વની મહાસત્તા બને અને આપણો ગુજરાત રાજ્ય એ દેશનો પ્રથમ નંબર નો રાજ્ય બને એ માટે હંમેશા મદદરૂપ રહીશું અને એના માટે ના જે પ્રયત્નો થશે એ હંમેશા કરીશું.
ગ્યાસુદ્દીન શૈખ
( ધારાસભ્ય, ગુજરાત )