UPLETA KHEDUT HANGAMO
સરકાર દ્વારા ટેકા ના ખરીદી માં ઘણી બધી જગ્યા એ બેદરકારી જોવા મળે છે, જેને લઇ ને ખેડૂતો ને હેરાન પરેશાન થઇ રહ્યા છે, ઉપલેટા ના તુવેર વેચવા આવેલ ખેડૂતો ને આજે સરકાર ની બેદરકારી નો ભોગ બન્યા હતા, અને ખેડૂતો રોષે ભરાયા હતા, અહીં આવેલ ખેડૂતો ટેકા ના ભાવે તુવેર વેચવા થી વંચિત રહ્યા હતા
ગુજરાત ભર માં આજથી ટેકા ના ભાવે તુવેર ની ખરીદી શરૂ થઇ રહી છે, ત્યારે ઉપલેટા માં પણ તુવેર ની ખરીદી શરૂ થઇ હતી, આજે પ્રથમ દિવસે સરકાર દ્વારા 50 જેટલા ખેડૂતો ને મેસજ કરી ને તુવેર વેચાવા માટે બોલાવ્યા હતા, આસ પાસ ના ગામો અને તાલુકા માં થી તુવેર વેચવા આવેલ ખેડતો હેરાન પરેશાન થયા હતા, કારણ કે સરકાર દ્વારા તુવેર ની કામગીરી માટે કોઈ જાત ની વ્યવસ્થા કરવા માં આવેલ ના હતી, જેમાં સરકાર દ્વારા તુવેર ની જોખ ને તેના પેકીંગ માટે કોઈ મજુર ની વ્યવસ્થા ના હતી , સરકાર દ્વારા આજે પ્રથમ દિવસે તુવેર ના પૅકિંગ માટે જોઈતા બારદાન જ ના હોય તુવેર નું પેકીંગ કેમ કરવું તે પ્રશ્ન ઉભો થયો હતો, જેને લઇ ને આજે ટેકા ના ભાવે તુવેર ની ખરીદી બંધ રહી હતી, દૂર થી આવેલ ખેડૂતો રોષે ભરાયેલ હતા, અને સરકાર વિરોધી સૂત્રો ચાર કરેલ હતા
જયારે આબાબતે ઉપલેટા ના ખરીદી નિરીક્ષક ને ગોડાઉન મેનેજર ને પુછાતા, ઉપલેટા માં બારદાન અને મજૂરો ના હોય તુવેર ની ટેકા ના ભાવ ની ખરીદી બંધ રહી હતી, જે આવતા 1-2 દિવસ માં સરકાર દ્વારા સામગ્રી અને વ્યવસ્થા કરવા માં આવતા ફરી શરૂ કરવા માં આવશે તેવી હૈયા ધારણા આપેલ હતી
હરેશ ભાલીયા જેતપુર