*એલ આર ડી મુદ્દે મળેલી જીત એ ગુજરાતની મહિલાઓની જીત છે :- પ્રવિણ રામ*
*ઠરાવ મુદ્દે સરકાર કોર્ટમાં 25 તારીખ સુધીમાં હકારાત્મક એફિડેવિટ રજૂ નહી કરે તો ત્યારબાદ રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનો થશે :- અનામત આગેવાનો*
તાજેતરમાં એલ આર ડી ની ભરતીમાં સરકારે 1/8/18 નો ગેરબંધારણીય ઠરાવનું અમલીકરણ કરતા ઓબીસી, એસસી અને એસટી ની મહિલાઓ અને આગેવાનોએ આ ઠરાવ રદ કરાવવા માટે 73 દિવસથી ગાંધીનગર ખાતે ધામા નાખ્યા હતા અને એમની સામે બીન અનામત વર્ગ દ્વારા પણ બીન અનામત વર્ગની મહિલાઓને નુકશાન ના થાય એ માટે આંદોલન કરવામાં આવતા સરકાર માટે નિર્ણય લેવો મુશ્કેલ બની ગયો હતો ત્યારે અંતે સરકારે એલ આર ડી માં બહેનો માટે 2000 જેવી સીટો વધારીને અનામત અને બીનઅનામત બને વર્ગની મહિલાઓને કોઈને નુકશાન ના થાય, તેમજ એલ આર ડી પૂરતો આ ઠરાવનુ અમલીકરણ ના કરવાનો નિર્ણય લેવાતા એલ આર ડી પૂરતા આ મુદ્દાનો અંત આવ્યો હતો ત્યારે ઓબીસી,એસસી અને એસટી ની મહિલાઓ અને સરકાર તરફથી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે મંત્રણા યોજાતા પ્રદીપસિંહ દ્વારા બાહેંધરી અપાતાં 73 દિવસથી ચાલતા આ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો ત્યારે આંદોલનકારી પ્રવિણ રામ, અભિજિત બારડ, નવઘણજી ઠાકોર,ભરતભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ દેસાઈ,દેવેન્દ્રસિહ ઠાકોર, કેવલ રાઠોડ,સાગર ચૌધરી,હાર્દિક ચૌધરી,મેલાજી ઠાકોર,ચાવડા ભાઈ,પ્રફુલભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા પ્રેસ કરીને એલ આર ડી પૂરતા આંદોલનનો અંત આવ્યો છે એવું જાહેર કર્યું હતું પરંતુ ઠરાવ માટે સરકાર દ્વારા 25 તારીખ સુધીમાં કોઈ હકારાત્મક એફિડેવિટ કોર્ટમાં નહી કરવામાં આવે તો ત્યારબાદ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલનો થશે એવું આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું તેમજ અભિજિત બારડે આ લડતના કારણે એલ આર ડી ની બહેનોને ન્યાય મળ્યો એવું જણાવ્યું હતું અને આંદોલનકારી પ્રવિણ રામે એલ આર ડી મુદે મળેલી સફળતાને ગુજરાતની મહિલાઓની જીત ગણાવી હતી