*ટ્રાન્સમીડિયા વિજેતા હાજર હશે તો જ એવોર્ડ એનાયત કરશે, ફિલ્મમેકર્સ મૂંઝવણમાં*
છેલ્લા ૧૮ વર્ષથી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપી એનાયત કરતા ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ ૨૦૧૯ આગામી ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ મુંબઈ ખાતે થશે.
જેના નોમીનેશન્સ ગઈ તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે થયા. જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા. જ્યુરી મેમ્બર તુષાર વ્યાસે જણાવેલું કે, જો ફિલ્મનિર્માતાઓ એક વધુ કેટેગરી ‘કોસ્ચ્યુમ ડિઝાઈનર’ વધારવા ચાહતા હોય તો આ એવોર્ડ કેટેગરીમાં વધી શકે છે. પરંતુ જો નિર્માતાઓ પોતાની ફિલ્મોના કોસ્ચ્યુમ ડિઝાઈનરના નામ ના ફોર્મ ભરશે તો. એવું પણ સુચન કરવામાં આવેલું કે, જો ઘણી ફિલ્મોમાંથી ફક્ત એક જ ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઈનરની એન્ટ્રી આવેલી હશે તો નાછૂટકે તેમના ફાળે તે એવોર્ડ જશે. વધુમાં એક સુચન કર્યું હતું કે, ‘સૌથી પહેલા દાદ આપવી પડે આપ લોકોને. ખાસ નોંધ્યું છે, ફોટોગ્રાફી, ડી.આઈ., વી.એફ.એક્સ., ગીત લેખન અને સંગીત રચના ‘બંદિશ’ એમાં ખાસ્સો એવો સુધારો અને ઉંચાઈ ગુજરાતી ફિલ્મોએ હાંસલ કરી છે. ખાસ ઇડરથી એક કાર્યક્રમ છોડીને આવેલા અભિનેતાઓ નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા પણ હાજર રહ્યા હતા. હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, બે “ટ્ર” ની ચર્ચા સોશિયલ મીડિયા પર બહુ થઇ રહી છે. એક ટ્રાન્સમીડિયા અને બીજી ચર્ચા ટ્રમ્પ વિષે. વધુમાં જણાવ્યું હતું કે, ‘લોકો એમના વિષે ઘણી અફવાઓ ફેલાવે છે કે તેઓ હંમેશા કોઈને કોઈ ફંકશનમાં આગળ જ હોય છે. તે લોકોને હિતુ કનોડિયાએ કહ્યું હતું કે અમે દરેક નાનાથી મોટા લોકોના પ્રોગ્રામમાં ખુશી ખુશી જઈએ છીએ. જેથી તેમની ખુશી પણ અમારી ખુશી બની જાય છે. સાથે જ ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડના મેનેજીંગ ડિરેક્ટર શ્રી જસ્મીન શાહે જણાવ્યું હતું કે, જો કોઈ વિજેતા બન્યા હોય અને તેઓ ત્યાં હાજર હશે તો જ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવશે. કારણ કે, જો એમને એવોર્ડ લેવાની કિંમત ના હોય તો અમને આપવાની પણ નથી. આપ સૌ જરૂર આવો તેવું પણ જણાવેલું. જેનાથી ગુજરાતી ફિલ્મમેકર્સ અને અન્ય મેકર્સને પણ મૂંઝવણ થઇ ગઈ છે કે હવે જો આપણું નામ વિજેતા તરીકે જાહેર થાય અને ત્યાં હાજર ન હોઈએ તો તે એવોર્ડ બીજા ક્રમના કલાકારને ફાળે જશે. ઇસ્કોન ગ્રુપના શ્રી પ્રવીણ કોટકે શ્રી જસ્મીન શાહના ગુજરાતના મુંબઈ ખાતેના બાલ ઠાકરે ગણાવ્યા હતા.
મુંબઈના ગુજરાતી નાટકોના નોમીનેશન્સ જાણીતા ચરિત્ર અભિનેતા પ્રશાંત બારોટે જાહેર કર્યા હતા. ટેલીવિઝન સીરીયલ્સના નોમીનેશન્સ ફોરમ મહેતાએ જાહેર કર્યા હતા. ગુજરાતના ગુજરાતી નાટકોના નોમીનેશન્સ અભિનેત્રી પીન્કી પરીખ દેસાઈએ જાહેર કર્યા હતા. આ વર્ષના સ્પેશ્યલ એવોર્ડ અભિલાષ ઘોડાએ જાહેર કર્યા હતા. મહેશ નરેશ એવોર્ડ યુવા સંગીતકાર બેલડી કેદાર – ભાર્ગવ, સ્વ. હેમુ ગઢવી એવોર્ડ શ્રી પ્રફુલ દવે, સ્વ. ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ શ્રી આનંદ પંડિત, સ્વ. મનોહર કાનુનગો જૈન રત્ન એવોર્ડ કમલકુમાર સચેતી ઉપરાંત એક નવી શરૂઆત રૂપે ૧૯૩૨ થી શરૂ કરીને અત્યાર સુધીમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ટીમ “હેલ્લારો” ને મળશે. એ જ રીતે નાટ્યજગતમાં પણ આવી જ લોકપ્રિયતા હાંસલ કરેલ નાટક “સફરજન” ને પણ સ્પેશ્યલ એવોર્ડ આપી નવાજવામાં આવશે. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અભિનેતા શ્રી ફિરોઝ ઈરાની અને અભિનેત્રી સુ શ્રી મીનળ પટેલ હકદાર છે. ફિલ્મોની કેટેગરી વાઈઝ નોમીનેશન્સ પારુલ વ્યાસે જાહેર કર્યા હતા.
મુંબઈ નાટકોમાં જ્યુરી તરીકે સેવા આપેલ શ્રી દીપક ઘીવાલા અને શ્રી અમિત દિવેટીયાએ, ટેલીવિઝન અને ફિલ્મની કેટેગરીમાં જ્યુરી તરીકે શ્રી તુષાર વ્યાસ, શ્રી કાર્તિકેય ભટ્ટ, શ્રી શ્રીનિવાસ પાત્રો, શ્રી ચીકા ખરસાણી અને શ્રી અતુલ બ્રહ્મભટ્ટે સેવા આપેલ, ગુજરાતના નાટકોમાં જ્યુરી તરીકે શ્રી સુ શ્રી જયશ્રી પરીખ, શ્રી રાજૂ બારોટ, શ્રી નિસર્ગ ત્રિવેદી શ્રી દીપક અંતાણી સેવા આપી હતી તથા ફરી એક વખત કલર્સ ગુજરાતી અને કલર્સ સિનેમા બંને આ એવોર્ડ સાથે જોડાયા છે. રેડીયો પાર્ટનર તરીકે રેડ એફ.એમ. અને મેગેઝીન પાર્ટનર તરીકે ચિત્રલેખા છે. આવનાર મહેમાનોનું સ્વાગત પ્રખ્યાત ‘ટી પોસ્ટ’ દ્વારા કરવામાં આવશે. પર્ફોમન્સ જાહેર કરવામાં નહોતા આવ્યા પરંતુ પર્ફોમ કરનાર કલાકારોમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ ની ટીમ, રાગી જાની, ઓજસ રાવલ, હેમાંગ દવે, ધ્રુવિન શાહ, મૌલિક જગદીશ નાયક, વિશાલ સોલંકી, હેમાંગ શાહ, આરોહી પટેલ, અક્ષત ઈરાની, પૂજા ઝવેરી, નિરાલી જોશી, આર.જે.આકાશ સહીત સંગીતકાર પાર્થ ભરત ઠક્કર વગેરે પોતાના અલગ પર્ફોમન્સ રજૂ કરશે. સાથે ગુજરાત ટુરીઝમના સપોર્ટ વગર આ કાર્યક્રમ અધુરો ગણાવતા અભિલાષ ઘોડા, રાજકુમાર જાની અને દીપક અંતાણી તથા સૌ એ તેમનો આભાર માન્યો હતો.
સિને રિપોર્ટર ગજ્જર નીલેશ