એસસી એસટી અને ઓબીસી સમાજ ની દિકરીઓને નોકરીથી વંચિત રાખવાના ઉદ્દેશથી કાયદા થી ઉપરવટ જઈ અને ગેરબંધારણીય પરીપત્ર પસાર કરનારા નાયબ સચિવ જ્વલંત ત્રિવેદી અને તેમના સાગરીતો વિરુદ્ધ કાયદેસર ની પોલીસ ફરીયાદ નોંધવા બાબતે રાજધાની ગાંધીનગર મુકામે ફરીયાદી ચિરાગ પરીખ દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશન માં લેખિત રજૂઆત કરવામાં આવી છે.એડવોકેટ કેવલસિંહ રાઠોડ, ઓબીસી આગેવાન દિવ્યેશ ચાવડા, આદીવાસી આગેવાન ચેતન ઢુઢીયા, દલિત આગેવાન ડી.પી.પરમાર ના નેતૃત્વમાં એસસી એસટી અને ઓબીસી સમાજ ના અસંખ્ય કાર્યકર્તાઓ હાલ સેક્ટર 7 પોલીસ સ્ટેશન પર અનિશ્ચિત સમય ના ધરણાં પર બેઠા છે.આ આંદોલન માં ગાંધીનગર બાર એસોસિયેશન અને અમદાવાદ બાર એસોસિયેશન ના વકિલ મિત્રો પણ જોડાયા હતા, એડવોકેટ અંબાલાલ જેપાલ ના નેતૃત્વમાં તમામ વકિલો એ ગાંધીનગર રેન્જ ના આઈજી મયંકસિંહ ચાવડા ને પોલીસ ફરીયાદ નોંધવા બાબતે રજૂઆત કરી હતી.
ધરણાં પર બેસેલા એસસી એસટી અને ઓબીસી સમાજ ના એડવોકેટ લોકો ના સમર્થન માં સામાજીક એકતા જાગૃતિ મિશન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મનોજ પરમાર, કાર્યકારી અધ્યક્ષ શ્રી ભીમજી બેડવા, ગાંધીનગર જીલ્લા ના પ્રભારી ડૉ.રજનીકાંત ચૌહાણ, અધ્યક્ષ શ્રી પ્રભુ કબીરા, કોળી સેના ના અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ કોળી પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહ કન્વીનર શ્રી રાકેશ ભારતીય, ઓબીસી એસસી એસટી એકતા મંચના જીલ્લા અધ્યક્ષ શ્રી રાજન ચૌહાણ અને મહાસચિવ શ્રી કલ્પેશ સોલંકી, દિનેશ મકવાણા, રાજપૂત સમાજ ના આગેવાન નરેશ રાઠોડ સહિત ના અસંખ્ય લોકો પણ સેક્ટર 7 પોલીસ સ્ટેશન ગાંધીનગર મુકામે એકઠા થયા છે.આંદોલનકારીઓ વતી કેવલસિંહ રાઠોડે મીડિયા ને જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ ફરીયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આજે ગાંધીનગર થી શરુઆત કરી છે હવે પછી ગુજરાત ના તમામ જીલ્લાઓ અને તાલુકાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે.ઓબીસી નેતા દિવ્યેશ ચાવડાએ જણાવ્યું છે કે જ્યાં સુધી એસસી એસટી અને ઓબીસી સમાજ ની દિકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આ કેસ ના ફરીયાદી ચિરાગ પરીખે જણાવ્યું હતું કે જો આજે ફરીયાદ નોંધવામાં નહીં આવે તો આવતી કાલે થી અમો ધરણાં કાર્યક્રમ બંધ કરી અને ઉપવાસ આંદોલન પર બેસીશું.આપનો મિશનસાથીશ્રી ભીમજી બેડવા.કાર્યકારી અધ્યક્ષ, સામાજીક એકતા જાગૃતિ મિશન
*જય ભારત..*