નાનાપોઢા ખાતે શહીદો માટે કાઢવામાં આવી મૌન રેલી
કપરાડા : અજીત પટેલ
જમ્મુ – કાશ્મીરમાં CRPFના જવાનો પર આતંકીઓએ કરેલા હુમલામાં શહીદ થયેલા જવાનોની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે કેન્ડલ સળગાવી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જમ્મુ – કાશ્મીરના પુલવામા પાકિસ્તાની આતંકીઓઓએ કરેલા હુમલામાં શહીદ થયેલા દેશના 40 થી વધુ જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિ આપવા કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે કપરાડા એ.પી.એમ.સી. ના પ્રમુખ મુકેશભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયત માજી પ્રમુખ રમેશભાઈ ગાવિત, સામાજિક કાર્યકર મંગુભાઈ ગાવિત આજુબાજુ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો સાથે મુસ્લિમ બિરાદરો ભેગા મળીને દુવા કરી કેન્ડલ સળગાવી બે મિનિટની મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.