***અઢી લાખ કરોડ ના દેવા વાળી મોદી શાહ કંટ્રોલ થી રૂપાણી થકી ચાલતી સરકાર માં ૨૦૦ કરોડ નું પ્લેન ખરીદી શકાય..૧૫૦૦ કરોડ રિવર ફ્રન્ટ માટે વિશ્વ બેંક ની લોન લઈ શકાય…આટલા દેવા ના વ્યાજ પણ ભાજપ સરકાર ને પોસાય… પોણા બે લાખ હજાર કરોડ આર.બી.આઇ થી ઉછીના પણ લેવાય..સરકારી મંદિરો ના વહીવટ માં મંદિરો ની રકમ ના ઓવર ડ્રાફ્ટ લેવાય…પણ બે ત્રણ હજાર નું શાકભાજી, ફ્રૂટ ઉછીના રૂપિયા લઈને લારીમાં ભરી આખો દિવસ ફરી સાંજે બસો પાંચસો રૂપિયા રળનાર ઉપર જેસીબી ફેરવી દઈ આં વિશ્વ વિખ્યાત દેવળીયા,સત્તા ના જોરે ક્લીન ચીટ વાળા..ખેડૂત.શિક્ષક.ઉદ્યોગો.યુવાવર્ગ નું જીવન દિવસે દિવસે ખલાસ કરનાર.અસહ્ય મોંઘવારી આપી ભય નું શાશન ચલાવનાર શું સિદ્ધ કરવા માગે છે તે સમજાતું નથી..કરોડોના ફૂલેલા કરનાર ભગવા ભાજપ ના..બળાત્કારી,લૂંટ,ચોરી, દ્વિ પત્નીત્વ.અપ પત્નીઓ વાળા..કેટલાયે જેલ મા બંદ…બાદ જામીન ઉપર..આવા ને ભાજપ પાલી શકે..ધારાસભ્યો બીભત્સ ગાળો બોલી.દારૂ પીધેલા ની કબુલાત કરતા વિડિઓ વાયરલ થાય..ક્યાં સુધી આવા રાજકીય પક્ષો વિત બેંક ની ભીખ ખાતર આવા કઠાંગી લોકો ને પ્રજા માં બલ જબરી થી ચલાવી અન્યાય કરશે?
. તેતો ગુજરાત ની જનતા હવે પછીની ચૂંટણીમાં માં જવાબ આપશે…?ધિક્કાર છે આવા સામાજિક.આર્થિક રાજકીય પાપીઓને….ભગવાન માફ ના કરે…
શહેર માં ગરીબ વર્ગ ના લૉકો શાકભાજી ની મુવેબલ લારીઓ લઈને મધ્યમ વર્ગ ના લોકો ને શાકભાજી આપવા ધંધો કરતા હોય અને સાંજે બેચાર કલાક ઊભા રહી આં તેમ ફરી પેટિયું રળતા હોય..શાકમાર્કેટ હોય પણ ગૃહિણીઓ ને ઘર આં ગને શાકભાજી મળી રહે તે હેતુથી ફેરિયા ફરી ફરી ને ધંધો કરતા હોય અને રોજ નું લાવી રોજ ખાતા હોય….તેવામાં છાસવારે રાજકીય કાર્યક્રમો માં રોડ રસ્તા સાફ કરાવવા ગરીબ લોકો ના પેટ ઉપર પાટુ મારવા આં ભાજપ શાશન તેનો પાવરધા બતાવી શું સાબિત કરવા માંગે છે ? જેસીબી મશીન થી શાકભાજી ફ્રૂટ ભરેલી તોડી નાખી ગરીબ ના પેટ ઉપર પાટુ મારવાથી શું થઈ જવાનું…ગુજરાત માં ૨૫ વરસ થી ભાજપ ના શાશન માં અનેક ગેર કાયદેસર કબ્જા વાળી જમીનો ઉપર શોપિંગ.દુકાનો.બંગલા બની ગયા છે.કોર્પોરેશન પાસે ધારાસભ્યો ના બિન અધિકૃત બાંધકામ ની પણ વિગતો છે.મોટા માથાઓ ના ગેર કાયદેસર બાંધકામો હજુ એમના એમ છે…અઢી લાખ કરોડ ના દેવા વાળી આં વાઇબ્રન્ટ દિલ્હીના આકાઓનના ઇશારે સ્ટેમ્પ શાશન માં લોકો તમામ રીતે પરેશાન છે.મોંઘવારી.રોજગારી.શિક્ષણ.જગત નો તાત પરેશાન…પહેલા સત્તા લેવા ભય વિના પ્રીત નહિ ખાતર અનેક કાંડ થયાં.હજારો લોકો ભગવા બફાટ ના ઉશ્કેરાટ માં મારી ગયા..નક્કી એન્કાઉન્ટર કરાવી રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પોલીસ અધિકારીઓ ને જેલ મા નાખી ખોફ જમાવ્યો..મીડિયા ઉપર મોટે પાયે દબાણ લાવી સરકારી પ્રવેશબંધી બંધ કરવી સરકારી જાહેરાતો રોકી મૃત પાયે કવિ દીધા…મોદી શાહ અને વિદેશ ના લોકો ને વાઇબ્રન્ટ.મહાત્મા મંદિર છાસવારે અહમ દેખાડા અને વોટબેંકની જાળવી રાખવા તાયફા કરી સરકારી તિજોરી ઉપર ભરણ વધારી રહ્યા છે..અનેક આંદોલન સરકાર સામે ન્યાય મેળવવા ચાલી રહ્યા છે.અનુસૂચિત જાતિ ના સર્ટિફિકેટ ચેરમેન ૧૫૦૦૦ માં વેચાઈ ગયા અને ડેપ્યુટી કલેકટર. ડી વાય એસ પી અને અનેક સરકારી જગ્યાઓ ઉપર આવા નકલી સર્ટિફિકેટ થી આદિવાસી તરીકે નોકરીઓ કરી રહ્યા ના આક્ષેપો આંદોલનકારી ઓ સબુતો સાથે કરી રહ્યા છે .બે મહિનાથી સિક્ષિત એલ.આર. ડી ની વિદ્યાર્થીનીઓ સરકાર સામે આંદોલન ચલાવે છે. ૧૭ જિલ્લાના આદિવાસીઓ ૨૬ તારીખ વિધાન સભા નો ઘેરાવ કરવાની ધમકી આપી ચૂક્યા છે…દિલ્હી ના આકાઓ ની સૂચનાથી હવે ગુજરાત ના બધા શહેર.ગામે ગામ સી એ. એ ના સમર્થન માં તિરંગા રેલીઓ ભગવા ભાજપ ના લોકો ને ભેગા કરી કરાવાઈ રહી છે.ભાજપ શાશન માં સરકારી દેવા વધારી ભાજપ ના ભગવાઓ પોતાના મનસૂબા તમામ સારા ખોટા.બદનામ ખેલો કરી.ક્લીન ચીટ સત્તાના જોરે મેળવી.પુરાવાઓ ના નાશ કરી ન્યાય તંત્ર ને પણ ન્યાય આપવા મજબૂર કરી રહ્યા છે.ગુજરાત ની જનતા બધા જ ખેલ અસહ્ય મોંઘવારી નો સામનો કરતા ચૂપચાપ જોઈ રહી છે.વિરોધ પક્ષ નબળી નેતાગીરી અને ભ્રષ્ટાચાર ના આક્ષેપો વાળા નેતાઓ ના લીધે સંપૂર્ણ વિરોધ કરવામાં નિષ્ફળ છે..આવામાં ગરીબ વધુ ગરીબ બનતો જાય છે અને અમીર વધુ અમીર બનતો જાય છે જ્યારે મધ્યમ વર્ગ સરકાર ની હાજી હા પુરાવી ટકી રહ્યો છે…..આપના અભિપ્રાય અમને મોકલો.જરૂર પ્રસિદ્ધ કરશે…જન ફરિયાદ તટસ્થ અખબારી માધ્યમ છે.જે સરકાર ના ટુકડા ઉપર ચાલતું નથી .અમારો વાચક વર્ગ ઉપર અને વિજ્ઞાપન દાતાઓ ઉપર અમને ૨૪ વર્ષ થી ભરોશો છે… સંપાદક પ્રદીપ રાવલ….