પાલનપુર તાલુકાના બાલારામ રેલ્વે પુલ નીચેથી લાશ મળતા તંત્રમાં દોડધામ ..
બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત
પાલનપુર તાલુકાના બાલારામ વિસ્તારમાં રેલવે પુલ નીચે અજાણ્યા ઇસમની લાશ જોવા મળતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.આથી રેલ્વે ના અધિકારીઓ દ્વારા અમીરગઢ પોલીસ ને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ દોડી આવી હતી અને રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસ પણ દોડી આવી હતી બાલારામ રેલ્વે પુલનું કામ ચાલુ હોવાથી ત્યાં રેલવેના કર્મચારીઓએ અવરજવર રહે છે જેના કારણે કોઇ કર્મચારી દ્વારા અજાણ્યા ઇસમની લાશ જોવા મળતા તે પુલની નીચે ત્યાં એક અંદાજિત ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા ઇસમની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચા મચી જવા પામી હતી આ ઈસમને લાશના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. જોવાનું રહ્યું કે તે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા તે તપાસ દરમિયાન બહાર આવશે તેમજ રેલવે પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરી. આ ઈસમની હત્યા કે આત્મહત્યા કરવામાં આવી છે તેનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી