“
l પોલઅંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ નું 50 મુ વહીવટી અધિવેશન યોજાયું”
– ગુજરાત ના લોકપ્રિય શક્તિ પીઠ અંબાજી ધામ મા હાલ માં વિવિધ અધિવેશનો ચાલી રહ્યા છે આજે યાત્રાધામ અંબાજી ખાતે જી એમ ડી સી મેદાન મા ગુજરાત ના આચાર્ય સંઘ નું અધિવેશન યોજાયું હતું આજે સ્વર્ણિમ જયંતી હોઈ અને અધિવેશન ના 50 વર્ષ પૂર્ણ થતા હોઈ અમે કોઈ ફરિયાદ કરતા નથી પણ રજૂઆત કરીયે છીએ તેમ આચાર્ય સંઘ ના પ્રમુખ એ જણાવ્યું હતુ અમે રાજ્ય સરકાર ને રજૂઆત મદદ કરવામાં મદદ કરીયે છીએ આજે ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ની અધ્યક્ષતા મા આ કાર્યક્રમ શરુ થયો હતો ,બહાર થી આવેલી શાળા ની બાળકીઓ દ્વારા તલવાર બાજી નું સુંદર નૃત્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે આખા ગુજરાત ના મોટાભાગ ના આચાર્ય હાજર રહ્યા હતા ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે આવનારા સમય મા વધુ આચાર્ય ની ભરતી કરવામાં આવશે આજે આચાર્ય સંઘ ના પ્રમુખ એ જણાવ્યું હતું કે બાળકો ની હાજરી ઓન સ્ક્રીન થઈ છે તેને અમે આવકારીએ છીએ, શિક્ષકો ની ઘટ ઓછી હસે તો ભરતી કરવામાં આવશે, ગામડા ના શાળા નું બાળકો નું રીજલટ 30 ટકા થી ઓછી થઈ છે તે માટે આપણે મદદ કરીશું જે પી બોલ્યા, વધુ મા કોર્ટ મા પિટિશન કરેલા આચર્ય ને પરત ખેચાતા 1486 આચાર્ય ની ભરતી થઈ, આચાર્ય ગામડા ની શાળા જોઈ ત્યાં હાજર થતાં નથી કારણ કે શાળા બંદ થઈ જાય તેમ તેમનો ડર છે, સરકાર આ બાબત ને પણ ધ્યાને લઇ કોઈ નિર્ણય કરે તેમ રજૂઆત કરી હતી વધુ મા 30 ટકા કરતાં વધુ ઓછું પરિણામ લાવતી શાળા નું 50 ટકા પરિણામ લાવીશું, પણ રૂમ શાળા ના સારા બનાવો તો બાળકો શાળા મા આવી શકે,માસ્ટર ડિગ્રી ના માર્ક વધાર્યા, એડીશન ડિગ્રી ના માર્ક ઘટાડ્યા, જેથી જૂના આચાર્ય ને તકલીફ ના પડે અને 1700 આચાર્ય ની ભરતી પણ આવનારા સમય મા કરવાનું પણ જણાવવામાં આવ્યું છે
ભુપેન્દ્રસિંહ ચુડાસમા ,શિક્ષણ મંત્રી
આજે 50 મુ વાર્ષિક અધિવેશન પૂરું થયું છે આ વખતે આપણે 10 -12 ની પરીક્ષા માં કોઈ ગેર રીતિ ન થાય ,છેલ્લા 5 વર્ષ થી દરેક શાળા માં કેન્દ્રો માં જોડાયેલા આનુસંગિક વિભાગો સાથે મુખ્યમંત્રી સાથે બેઠકો કરી બોર્ડ ની પરીક્ષા મા એક પણ ગેર રીતિ ન થાય તેમ કહ્યું.અહેવાલ લક્ષ્મણ ઠાકોર અંબાજી