*રૂપાણી સરકાર ગોદી મીડિયા ની સર્જક છે…લાભુભાઈ કાત્રોડીયા.*
=====================
*મુખ્ય મંત્રી ની વાહ વાહી નું પેમેન્ટ કલેકટર ચૂકવે તો ભ્રષ્ટાચાર વધે કે ઘટે..?*
>>>>>>>>>>>>>>>>>>>>>>>
*પત્રકાર એકતા સંગઠન રૂપાણી પ્રેરિત ભ્રષ્ટાચાર ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે…*
“”””””””””””””””””””‘”””””””””””””””””””””””
*”ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તૈલી..”* દિલ્હીમાં કરવામાં આવતી વચનો ની લ્હાણી… આપણા મુખ્ય મંત્રી અને નેતાઓ દિલ્હી જીતવા નીકળ્યા છે..પહેલા ગુજરાત ની પ્રજાના, ખેડૂતોના, બેરોજગારો ના દિલ તો જીતો..!!!
*આં ગુજરાતી ગેંગ દિલ્હી ની પ્રજાને “ઉલ્લુ બનાવિંગ” કરવા ગઈ છે,પણ તેને ક્યાં ખબર છે, આં તો દિલ વાલો ની દિલ્હી છે..દેશની પ્રજાનો નિચોડ,એટલે કે ચુનંદા લોકો દેશભર માથી દિલ્હીમાં વસ્યા છે..એ ચુનંદા લોકો છે ભોટ નથી..!!!*
રાજકોટ મુખ્યમંત્રી એ ૨૬ મી જાન્યુઆરી નું ધ્વજ વંદન કર્યું..તેની બહોળી પ્રસિદ્ધિ..વારે વારે પ્રસિદ્ધિ ના સોદા પ્રેસ મીડિયા ના ભક્તો સાથે કર્યા ના પુરાવા સોશ્યલ મીડિયામાં ચડ્યા છે…ખૂબ નિંદનીય અને રૂપાણી સરકાર માટે શરમ જનક બાબત છે…
*દેશ ના તમામ રાજ્યો ની સરખામણી માં પત્રકારો ની સૌથી ખરાબ હાલત રૂપાણી રાજ મા થઈ છે..સરકારી જાહેરાત એ દરેક પત્રકાર ની જીવાદોરી હતી..ચીમન ભાઈ પટેલ ની સરકાર મા વર્ષેં ૧૫ જાહેરાતો આપવામાં આવતી નાના અખબારો ને…પત્રકાર કોલોની માટે ટોકન દરે જમીન કે પ્લોટ આપવામાં આવતા..વર્ષે એક પ્રવાસ સરકારી ખર્ચે કરાવવામાં આવતો..*
રૂપાણી રાજમાં જાહેરાતો નાના પત્રકારો ને વર્ષે માત્ર પાંચ મળે છે..બાકીની કોઈ સુવિધા નથી મળતી..કાર્ડ કઢાવવામાં પણ પત્રકારો ઉપર દાવ લેવાઈ રહ્યા છે..માહિતી ખાતું સીધું રૂપાણી પાસે હોય,છતાં પત્રકારો ઉપર અનેક પ્રકારની શંકાઓ..કુશંકાઓ,અધિકારીઓ ની મનમાની,પત્રકારો પાસેથી પણ કટકી બટકી ના વ્યવહારો શરૂ થયા છે.બીજી બાજુ સરકારી કાર્યક્રમો માટે ખૂબ પ્રસિદ્ધિ કે ભૂલો ઢાંકવા ની માનસિકતા એ ૫૦૦૦૦/- ના ચેક ખાનગીમાં આપવામાં આવે,એટલેકે પત્રકારોમાં પેદા કરે છે વિખવાદ,અને નાના મોટા ના ભેદભાવ ઉભા કરી ગોદી મીડિયા નું સર્જન કર્યું છે..
*સરકાર ના વખાણ કરે તેને ખાનગીમાં મદદ કરવામાં આવે છે,અને સત્ય પ્રગટ કરે તેના ઉપર દાવ લેવાય છે..જિલ્લા નાં કે રાજ્યના અધિકારીઓ આવા ચેક આપી ચૂકવણા કરતા હોય,તો ભ્રષ્ટાચાર સરકાર પ્રેરિત છે..રૂપાણી સરકાર ની કૃપાએ ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે..*
ગુજરાત ભ્રષ્ટાચાર નંબર -૩ નહિ ભ્રષ્ટાચાર નંબર -૧ છે તે કહેવું બિલકુલ અતિશયોક્તિ નથી..રાજ્યના નાના અને સત્ય ઉજાગર કરનારા પત્રકારો સંગઠિત થઈ રહ્યા છે..ચેનલ કે છાપા ના માલિક થી ખાનગી મા થતાં વ્યવહારો ઘણું કહી જાય છે…માલિક સામે ચાકર ને રોકડીયો બનાવવાનું પાપ રૂપાણી ના ઇશારે થઈ રહ્યું છે..
*પત્રકાર એકતા સંગઠન રૂપાણી રાજમાં ગોદી મીડિયા ને પ્રોત્સાહિત કરવા અધિકારીઓ ને ભ્રષ્ટાચાર આચરવા મજબૂર કરે છે..તેવા આક્ષેપ સાથે રાજકોટ ની ઘટના ને સખ્ત શબ્દો મા વખોડી કાઢે છે..*
જ્યારે સરકાર પોતે ભ્રષ્ટાચાર ના સહારે ચાલતી હોય,ત્યારે બીજા ઉપર આક્ષેપો કરવાનો કોઈ અધિકાર નથી..રૂપાણી સાહેબ ગુજરાત ના પત્રકારો નું શોષણ બંધ કરી, ખોટી રીતે પરેશાન કરવાનું બંધ કરે..અને પત્રકારો ના પ્રશ્નો વહેલી તકે ઉકેલે,અન્યથા સંગઠિત પત્રકારો પોતાની તાકાત આગામી ચૂંટણી અજમાવશે…
*જે પત્રકારો સરકારી ગુલામ નથી,જે પત્રકારો સરકાર ના તળિયા ચાટતા નથી,તે ખમીર વાળા પત્રકારો છે..નવ નિર્માણ પામતું પત્રકાર એકતા સંગઠન કેડર બેજ સંગઠન બની રહ્યું છે..જેમાં અનેક વરિષ્ઠ વકીલો પણ જોડાઈ રહ્યા છે…મદદ માટે સામે ચાલી આવી રહ્યા છે,એનો મતલબ વકીલો પણ સેવા કરી શકે છે..*
રાજકોટ ની ઘટના ને પત્રકાર જગત સખ્ત શબ્દો મા વખોડી કાઢે છે..ભક્ત મીડિયા પણ પત્રકારોના હિતમાં જાગે,સ્વમાની બને,સરકારી ટુકડો લિમિટેડ માણસો ને રાજી કરે છે,પણ અનલિમિટેડ નાના જરૂરતમંદ પત્રકારો ને અન્યાય કરે છે..મુખ્ય મંત્રી પોતે આં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે..આતો સેમ્પલ છે. “.છીંડીએ ચડયો તે ચોર” બાકી બધાજ અધિકારીઓ આવી ખુશામત ખોરી કરે છે..એટલે તો ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે…
*કોઈ પત્રકાર જાહેરાત માટે માગણી કરે તેવા સમયે પોલીસ કેસ થાય છે,જ્યારે રૂપાણી ના કાર્યક્રમ માટે જાહેરાત ના નામે લાંચ આપવામાં આવે તે બક્ષિસ કહેવાય છે.અધિકારીઓ આકસ્મિક ફંડ ઉભુ કરે છે ઉદ્યોગ ગ્રહો પાસેથી અને તેનો દુરુપયોગ થઈ રહ્યો છે..વિકાસ માટેનું ફંડ વાહ વાહી કરવામાં વપરાય છે.*
દિલ્હીમાં ફેકંફેક કરવાનું બંધ કરો બધુજ મીડિયાના માધ્યમ થી ગુજરાતીઓ સુધી આવે છે..તમે જ્યાં મુખ્યમંત્રી છો,ત્યાં મફત વીજળી કે સસ્તી વીજળી આપવામાં ઘા વાગે છે..અને દિલ્હીમાં મફત વીજળી નાં વાયદા કરો છો..અહી સરકારી સ્કૂલો ને તાળા મારો છો..ને દિલ્હીમાં નવી ૨૦૦ સ્કૂલો ખોલવા વાયદા કરો છો..*શેમ.* *શેમ્..* *શેમ્….*
રાજકોટ કલેક્ટર ની સહી વાળા ચેક.. *શેમ્..* *શેમ્..* *શેમ્…*
લી
*લાભુભાઈ પી. કાત્રોડીયા.*
. પ્રમુખ.
*પત્રકાર એકતા સંગઠન.*
ગુજરાત
_______________________________________
શું આં ભગવા દિલ્હી સ્થિત કહેવાતા હિન્દુત્વ ની સરકાર ના ગુજરાત ના કહેવાતા પોતીકા બંને આકાઓ આં ગુજરાત ના સ્ટેમ્પ સરકાર ના રાજ રંગ ગુજરાત ની જનતા ને બતાવી રહ્યા છે????મોદીજી પણ ગુજરાત ના ૪૭ ઉચ્ચ અધિકારીઓ ને ૧૦ વરસ ના શાશન માં કહ્યાગરા બનાવી દિલ્હી લઇ જઈ તેમને પણ રાજાશાહી ના રંગ બતાવી કામ કઢાવી લીધું અને તેમના અમુક ને તો કાઢી પણ મૂક્યા તો ઘણા નિવૃત્તિ પછી પણ ને વર્ષ ફરી સત્તા ભોગવી મોદીજી ની વાહ વાહ કરવા બેઠા છે…આર.બી.આઇ અને અનેક સલાહકારો કેટલી વાર બદલાઈ ગયા.ત્યાં પણ મોદીજી યુઝ એન્ડ થરો કરી રહ્યા છે … તેમ રૂપાણી પણ જિલ્લા કલેકટર અને બીજા ઉચ્ચ અધિકારીઓ ના ખભે ભાજપ ના ભગવા સરમુખત્યાર રંગા તંગ કાર્યક્રમ જનતા ને બતાવવા ના હવાતિયાં મારી રહ્યા છે. હજુ તો ૨૦૨૨ સુધી ના જાણે કેટલાયે રાજ રંગ ચૂંટણી જીતવા અને આકાઓ ને ખુશ કરવા રમશે તે તો સમય જ બતાવશે.. અને આવા ગોદી મીડિયા ભાજપના કલેકટર ના હાથે ચેક લઈ પ્રસિદ્ધિ કરશે…..પ્રદીપ રાવલ.તંત્રી.જન ફરિયાદ.ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર