નડિયાદ ખાતે ” માં શક્તિ ગરબા ઉત્સવ ” બેનર હેઠળ ના કાર્યક્રમ મા ઉર્વશી સોલંકી એ નવરાત્રી ne લાંછન લાગે તેવા શબ્દો નો પ્રયોગ સ્વ પ્રસિદ્ધિ માટે કર્યો.છે..જેનાથી નવરાત્રી માતાજી ની આસ્થા માં માનનાર તેમજ અનુષ્ઠાન.ઉપવાસ અને માતાજી ની આરાધના કરનાર માઈ ભક્તો ની લાગણી દુભાઈ છે.જેને સનાતન ધર્મ રક્ષક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ તરીકે હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને હવા કલાકાર ઉપર અને આ કાર્યક્રમના આયોજકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગણી કરી રહ્યો છું.
કથિત ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીએ માતાની આરાધનાના ઉત્સવને લગાવ્યું લાંછન:
– વેલેન્ટાઇનમાં નહીં, નવરાત્રીમાં કરો સેટિંગ
– 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય
કથિત વાઇરલ વીડિયો ગુજરાતના નડિયાદનો હોવાનું કહેવાય છે