કાલે એક વાત જાણીને બધા સનાતનીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. અમને એમ હતું કે BAPS ના આ નીલકંઠ ચરિત્ર, ઘનશ્યામ ચરિત્ર અને સહજાનંદ ચરિત્રમાં લખેલી શાસ્ત્ર વિરુધ્ધની વિકૃત વાતો બહાર લાવીને અમે કાંઈક છૂપું ષડયંત્ર બહાર લાવી રહ્યા છીએ. અને એ બધી ખ્રિસ્તી સ્ટાઇલથી ધર્માંતરણ પ્રેરતી વાતો સ્કૂલ અને કોલેજમાં લાવવાની કોશિશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ તો ત્યાંના વાઇસ ચાન્સેલરે એનો વિરોધ કરી એને ફગાવી દીધી. પણ કાલે ખબર પડી કે એ ચોપડીઓ ખુલ્લેઆમ ગુજરાતની દસ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં આજે પણ ભણાવવામાં આવી રહી છે. અને સનાતની સેવકોએ આ વિશે ગુજરાતના રાજ્યપાલશ્રીને અનેક પત્રો અને ફરિયાદો પણ લખી છે, છતાંય એ સનાતન વિરોધી સાહિત્ય ત્યાં ચાલી જ રહ્યું છે. કમાલ છે!
જ્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે અડધા તો લૂંટાઈ ચૂક્યા છીએ. મુસલમાનોથી ડરાવી ડરાવીને શું ગુજરાતના આ સનાતની સમાજને આ લોકોની ગુલામીમાં સોંપી દેવાનો છે? આ લોકોએ જેવું લખ્યું છે અને બોલ્યું છે એવું બોલવાવાળો તો કોઈ વિદેશી દુશ્મન પણ નથી આવ્યો. અને અત્યારે એ બધું અપમાનજનક લખાણ આપણી યુનિવર્સિટીઓમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યું છે? અમે સ્કૂલ અને કોલેજ પૂરી કરી પણ ક્યારેય રામ, કૃષ્ણ, શિવ કે આદિશંકરાચાર્ય અને વિવેકાનંદના ચરિત્રો ના ભણ્યા, અને તમે સીધો આ ધર્માંતરણનો સામાન સ્કૂલોમાં જવા દિધો? સમાજ આપણને પ્રેમ અને ગર્વથી જુએ અને મજબૂરીથી પીડાતા પીડાતા જુએ એમાં રાત દિવસનો ફર્ક હોય છે. કાંઈક અંતરઆત્મા જેવું બચ્યું હોય તો આ આખી સંડોવણીને અહીંયા જ બ્રેક મારો. નીચે પહેલી કૉમેન્ટમાં એક pdf આપી રહ્યો છું જેમાં આ જે ચરિત્રો ભણાવવામાં આવી રહ્યા છે એના કયા પાને શું છે એની જાણકારી મળશે.
https://www.docdroid.net/lcLykLr/document
*****************************************
અહીં કોઈપણ જાતના રાગદ્વેષ વિના માત્ર જનજાગૃતિના ભાગરૂપે સમાચારો અને ફોટાઓ પ્રાપ્ત થઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને અહીંથી દૂર કરી શકાશે.તંત્રી
*********************************†********