NG-281 -31-7-2023 pdf NG-282-1-8-2023 pdf f NG-283-2-8-2023 pdf NG-284-3-8-2023 pdf NG-285-4-8-2023 pdf NG-286-5-8-2023 pdf
******************************************
સમગ્ર ભારતનો હાઈ પ્રોફાઈલ જાણી જોઈને જાણે બનાવ્યો હોય તેવો રાહુલ ગાંધી સામે ગુજરાતના સુરતમાં ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઉર્ફે ભૂતાળ દ્વારા માનહની નો કેસ કરવામાં આવ્યો હતો. કેન્દ્રમાં ભાજપ અને ગુજરાતમાં પણ બહુમત શાસનની ભાજપમાં સત્તાના મદ મા રાચતા ભાજપના નેતાઓ અને કાર્યકરો તેમજ કેન્દ્રીય નેતાઓએ પણ રાહુલ ગાંધી વિશે બોલવામાં કશું બાકી રાખ્યું નહોતું અને જાણે જગ જીત્યો હોય તેમ તેનું સાંસદ પદ છીનવાઈ જાય તેમનો સરકારી બંગલો છીનવાઈ જાય અને સંસદમાં તેમને પ્રવેશ ના મળે તેવી મનની મેલી મુરાદ નક્કી કરેલી ઉપર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપીને પાણી ફેરવી દીધું.
ભારતીય જનતા પાર્ટીના સત્તાના મદમાં રાચતા લોકો માટે આ ભયંકર લપડાક જેવો કિસ્સો બની ગયો અને ભાજપના ડિબેટમાં આવતા લોકો રીતસરના ફરી ગયા અને એવું કહેવા લાગ્યા કે રાહુલ ગાંધી સાંસદમાં હોય કે ના હોય ભાજપને કોઈ ફેર પડતો નથી. આવી બે મોઢાની વાત કરનારા ભાજપના લોકોને ગુજરાતની જનતા આજે ટીવી ઉપર સાંભળીને ઓળખી ગઈ હતી. ભાજપના સંગઠનના ડોક્ટર ઋત્વિજ પટેલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પહેલા જે પ્રતિક્રિયા આપી હતી અને ચુકાદો આવ્યા બાદ જે પ્રતિક્રિયા આપી તેમાં રીતસર ના પોતાના કહ3લા શબ્દો બાબતે ફરી ગયા હતા..
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને વચગાળાના રાહત રૂપી નિર્ણય આપીને સલાહ આપી હતી કે ભાષણ આપતી વખતે આપે ધ્યાન રાખવું જોઈએ અને ભવિષ્યમાં તમે રાખશો તેવી અપેક્ષા છે.
ભાજપના સંગઠનના લોકો એક જ રટણ રટતા હતા કે આ તો વચગાળાના જામીન છે પરંતુ કોંગ્રેસના સિનિયર રાજ્યસભાના મેમ્બર અને ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કાયદાના નિષ્ણાત એવા બાબુભાઈ માંગુકિયાએ ભાજપના નવા નિશાળિયા જેવા ડિબેટમાં આવતા લોકોની સખત ધુલાઈ કરીને કહ્યું હતું કે અમે માત્ર સ્ટે લેવા માટે સુપ્રીમમાં ગયા હતા તે સિવાય અમારો બીજો કોઈ ઈરાદો નહોતો અને રાહુલ ગાંધી હજુ આજે પણ કહે છે કે હું માફી નહીં માંગુ કારણ કે તેમણે જાણી જોઈને કોઈ મોદી સરનેમ ઉપર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે બોલ્યા હોય તેવું ક્યાંય ફલિત થતું નથી અને તે બાબતે સુપ્રીમ કોર્ટે સુરત ની ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટની ટીકા કરીને કહ્યું છે કે આમાં મેક્સિમમ સજા આપવાની ક્યાં જરૂર હતી અને એક વર્ષ અને અમુક મહિનાની પણ આપ સજા આપી શક્યા હોય આમ જજ ને પણ ટકોર કરી છે.ગુજરાતની સુરતની અને ગુજરાત હાઇકોર્ટની સખત ટીકાઓ કરીને ન્યાયતંત્રને પણ હચમચાવી નાખ્યું છે અને કોંગ્રેસના નેતાઓએ તો આક્ષેપો કર્યા કે ઉપર ભાજપ અને અહીંયા રાજ્યમાં પણ ભાજપ હોવાથી ન્યાયતંત્ર ની અંદર થતી જજોની બદલીઓ અને સરકારી વકીલો તે તેની જગ્યાઓ પણ કોણ નક્કી કરે છે તે બધા જ સારી રીતે જાણે છે એમ કરીને શાસક સરકાર ઉપર પોતાનો આક્રોશ ઠાલવી કહ્યું હતું કે સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે સત્તાના જોરે રાહુલ ગાંધી ને કેટલા હેરાન કરવામાં કાઈ બાકી રાખ્યું નથી તેવી ગંદી રાજનીતિના ભાજપે દર્શન કરાવ્યા છે અને સુપ્રીમ કોર્ટની રાહતના સમાચાર આવતા જ સમગ્ર ભારતની અંદર ઘણી બધી જગ્યાએ સાંજે 5:00 વાગે સ્થાનિક કોંગ્રેસના નેતાઓને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપના પ્રવકતા ઓ આજે ટીવીની મોટાભાગની ચેનલોમાં એક જ રટણ કર્યું હતું કે સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે પરંતુ ભાજપ રાજકારણ રમી રહ્યો હોય તે રીતે રાહુલ ગાંધીના મોદી સરનેમ ના પ્રશ્નને આખા ઓબીસી સમાજ સાથે જોડીને ભાજપ વાળા ખુદ જાણે ત્રાગુ કરી રહ્યા હોય અને આખો ઓબીસી સમાજ ને કોંગ્રેસ વિરુદ્ધ ભડકાવી રહ્યો હોય તેવું રટણ કર્યું હતું…હકીકત મા તો ઓબીસી સમાજ નો કોઈ નેતા આ બાબતે આગળ આવી બોલ્યા નથી.. તેવું લોક ચર્ચામાં સાંભળવા મળ્યું..
ગાજ્યા મેઘ વરસે નહીં અને કોંગ્રેસે ભૂટકલા માં bhjaap ઉપર લગાવેલ આક્ષેપો જેવા કે જૂઠું બોલવું જોરથી બોલવું અને નાસી જવું આ ભાજપની ખાસિયતો નું આજે પુનરાવર્તન થયું હોય તેવું જોવા મળ્યું.
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાગીરીના લોકો છાશવારે રાહુલ ગાંધી ઉપર ફિટકાર વરસાવી ને જાણે તેમની ચુકાદા પહેલા જીત થઈ હોય અને તેમની તરફેણ માં જ ચુકાદો આવવાનો હોય તેમ સમજી ગયેલા ભાજપ ના ચર્ચાસ્પદ બનેલા બોલકા નેતાઓ આજે મૌન સેવીને બેઠેલા જણાયા.
મોદીજીએ તેમની છેલ્લી ગુજરાતની મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સમગ્ર નેતાગીરીને પાઠ ભણાવવા એવું કહ્યું હતું અને ગર્ભિત ચીમકી આપી હતી કે સત્તાના મદ મા રાચવું જોઈએ નહીં એમ કરીને ગુજરાતના ભાજપની તમામ નેતાગીરીઓને શરમાવવું પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. ત્યારબાદ કેન્દ્રીય ભાજપની નેતાગીરીમાં ગુજરાતની એક પણ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો નહીં અને એમ કરીને ભાજપની સમગ્ર સંગઠનની નેતાગીરીને પણ મોદીજીએ ચોંકાવી નાખ્યા હતા.અને જાણે ગર્ભિત સબક સિખવી શાન માં સમજી જાવ કહ્યું હતું.
જોકે છેલ્લા ઘણા સમયથી જે રીતના બનાવો ગુજરાતમાં બની રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે તેની ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા છાવરવાના પ્રયત્નો કરીને આરોપીને ફરિયાદી બનાવી અને ફરિયાદીને આરોપી બનાવી દે તેવા ઘણા કિસ્સાઓ બન્યા છે તેમજ પીએમ કાર્યાલય ની ઓળખાણ આપીને પણ સત્તાના મોહમાં રાચતા તેમજ સીએમ કાર્યાલયની પણ અધિકારીની ઓળખાણ આપીને સત્તામાં રાચતા લોકો બહુમુખી પ્રતિભાવો ખુલ્લી પડી ગઈ હતી તેમ છતાં તે તમામ લોકો ઉપર જોઈએ તેવા કોઈપણ એકસનો હજુ સુધી લેવાયા નથી અને સમગ્ર ગુજરાતની અંદર આ બહુમત સરકારની શંકાશીલ કામગીરીની,પોલીસ ની કામગીરીની ચર્ચાઓ લોકોમાં સાંભળવા મળે છે.ખુદ ભાજપના મુખ્યમંત્રી કબુલ કરે કે હા મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે છે અને ૪૫ હજાર કરોડથી વધારે મહેસૂલના કૌભાંડો બહાર આવ્યા અને આઈએએસ પૂર્વ કલેકટર જેવા ને નિશાન બનાવીને પકડીને તેમના દ્વારા અત્યારે જે રીતની શંકાશીલ તપાસ થઈ રહી છે અને ખરેખર ડોસી લોકોને હજુ પણ પકડવામાં આયા નથી કે તેમના ઉપર કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી આ બધી બાબતોથી કદાચ મોદીજી ખૂબ નારાજ હશે કેમકે એવું તો કેવું કેટલું મોટું કૌભાંડ બહાર આવ્યું હશે કે વિજય રૂપાણીની આંખે આખી સરકારને એક જ રાતમાં ઉથલાવીને તમામ નવું મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ મૂકી દેવામાં આવ્યું હતું અને સમગ્ર ભાજપના લોકોને એક આંચકો આપ્યો હતો તેમ જ પ્રજાને પરિવર્તનની કામગીરી બતાવીને ઘીના ઠામમાં ઘી હાર્યું હતું તેનાથી ગુજરાતની જનતા અજાણ નથી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ પૂર્ણેશ મોદી ને પણ મંત્રી પદે થી તત્કાળ હટાવી લેવામાં આવ્યા હતા.(હાલમાં પણ પૂર્વ કલેક્ટર એ.કે. લાંગાં ને સમગ્ર જમીન કૌભાંડ માં આરોપી બનાવી પ્રમાણ સર મિલકત નો કેસ બનાવી એક માત્ર આરોપી તરિકે કસ્ટડી/રિમાન્ડ જેવી કામગીરી બતાવાય છે પરંતુ મુલસન પાંજરા પોળ ની જમીન ને હજુ સુધી શ્રી સરકાર કરવામાં આવી નથી.કે બીજા અમદાવાદ ના દસ જેવા મોટા બિલ્ડરો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી..જે લોકો એ આંખે આખી ફાઈલો તૈયાર કરી સમગ્ર મહેસુલ ની કાર્યવાહી કરી કલેક્ટર સહિમાં મૂકી તેમાંથી હજુ સુધી કોઈ ને પકડી કાર્યવાહી કરવામાં આવી નથી.જે ખરેખર ભૂપેન્દ્ર પટેલ ની સરકાર ની નબળાઈ પુરવાર કરે છે..
તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ અકસ્માત ની અંદર પોલીસની શંકાશીલ કામગીરી અને નવના મોત થયા હોય તેમ જ પોલીસનો પણ મોત થયું હોય તેમ છતાં પણ વીઆઈપી સગવડ આરોપીને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે અને આરોપી ગુનો કર્યા બાદ બંદૂક ની અનીએ તેના પિતા તેને લઈ જાય અને કલાકો પછી હાજર કરાયા અને નાટકીય રીતે કાયદાકિય ઉપયોગ કરીને છાવરવામાં આવતું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.. જે બાબતે ભારતીય જનતા પાર્ટીના કમલમના કોઈ નેતાઓએ કોઈ એવી પ્રતિક્રિયા અપાઈ નથી કે પ્રજા ને કે મૃતક પરિવારો ને સંતોષ થાય..લોકો આજે પણ એમ કહે છે કે આરોપીઓ ટૂંક સમયમાં પૈસા ના જોરે અને સંબંધો ના જોરે છૂટી જશે..
આજે સૌથી વધારે આશ્ચર્યજનક બાબતો એ હતી કે સુપ્રીમ કોર્ટના વચગાળાની રાહત નો ચુકાદો રાહુલ ગાંધીને મળતા ટીવીની તમામ ચેનલોએ ડિબેટ ની અંદર બોલાવેલામાં ભાજપના જુનિયર ટૂંક સમયથી ભાજપમાં ભળેલા લોકો હતા જ્યારે તેમની સામે કોંગ્રેસના સિનિયર અને પીઠ રાજકીય લોકો હતા જેથી લોક ચર્ચામાં સાંભળવા મળ્યું કે આ જુનિયર સિનિયર ઉપરથી જ રાજકીય દાવ પેચ દેખાઈ આવે છે કે કોણ કેવી રાજ રમતો સત્તાના જોરે રમી રહ્યા છે.
આજે તમામ ચેનલો ઉપર ભારતીય જનતા પાર્ટીના કમલમમાં નવા નવા નિમાયેલા પ્રવક્તાઓ માં પક્ષ પલટુ એવા જયરાજસિંહ પરમાર. યજ્ઞેશ દવે. શ્રદ્ધા રાજપૂત જેવા તૈયારી કરીને આવી દીબેટ માં જાણે ગોદી મીડિયા ને પહેલેથી કહી રાખ્યું હોય તેમ વિષય બહાર શાશન ના વખાણ કરતા થાકતાં નહોતા અને એંકર પણ તેમને બોલવા દેતા પૂરો સમય આપતા જણાયા….જ્યારે.કોંગ્રેસ ના સિનિયર એવા લલિત કથાગરા,કાયદા નિષ્ણાત બાબુભાઈ માંગુકિયા જેવા ઍ સખત શબ્દો માં જવાબો આપી ભાજપ પ્રવકરાઓ ની બોલતી બંધ કરી સ્તબ્ધ કરી દીધા હતા.
ભાજપ પાર્ટી ના નવા નિશાળિયા જેવા તૈયારી કરીને જાણે આવ્યા હોય તેમ પોપટ પ્રવક્તા ની જેમ બોલતા રીતસર ના પકડાઈ ગયા હતા…લોકોએ હસી ઉડાવીને કહ્યું કે આ ભાજપિયા રીતસર ના ફરી ગયા…
જયરાજસિંહ પરમાર એ તો એટલે સુધી કીધું કે રાહુલ ગાંધીએ માત્ર પૂર્ણેશ મોદીની માફી માગી લેવાની હતી તો આખો કેસ હાઈ પ્રોફાઈલ બને નહીં પરંતુ તેની સામે કોંગ્રેસ સિનિયર કાયદાકીય નિષ્ણાત એવા બાબુભાઈ માંગુકિયા એ કહ્યું હતું કે રાહુલ ગાંધી પહેલા દિવસથી કહેતા આવ્યા છે કે હું માફી માગવાનો નથી સુપ્રીમ કોર્ટની અંદર પણ જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે પણ રાહુલ ગાંધી એ કીધું કે હું કોઈ પણ સંજોગોમાં માફી માગવાનો નથી કેમકે તેમને વિશ્વાસ હતો કે તેમણે કોઈ ચોક્કસ જ્ઞાતિનું અપમાન કર્યું નથી અને એવું ક્યાંય કાયદાકીય ફલિત પણ થતું નથી. માત્ર કોર્ટોના અને સરકારી વકીલો, સોલ્યુસિટર જનરલના સહારે આ કેસને હાઈ પ્રોફાઈલ એકમાત્ર સત્તાના જોરે બનાવવામાં આવ્યો છે. તેમ છતાં જયરાજસિંહ ડીબેટ માં રટણ ચાલુ રાખ્યું હતું કે તેમણે માફી માગી લેવી જોઈએ, માફી માગી લેવી જોઈએ પરંતુ ખરેખરમાં તો રાહુલ ગાંધીની અને સમગ્ર કોંગ્રેસ પક્ષની સત્યમેવ જયતે ની વાત હકીકતમાં સાચી ઠરી છે,ભાજપ ને સખત કાયદાકીય લપડાક પડી અને આ બાબતે શક્તિસિંહ ગોહિલે તો ત્યાં સુધી કીધું કે સત્યને પરેશાન કરી શકાય પણ પરાજિત કરી શકાતો નથી તે કોંગ્રેસ પક્ષે આ સુપ્રીમ કોર્ટના વચગાળાની રાહત ના ચુકાદા થી સાબિત કરીને બતાવ્યું છે….
આમ આખું કેન્દ્રનું અને રાજ્યનું ભાજપ રાહુલ ગાંધીની પાછળ પડી ગયું પરંતુ અંતે સત્યની ખરેખર જીત થઈ છે અને રાહુલ ગાંધી હવે ટૂંક સમયમાં સંસદમાં જોવા મળશે અને તેમને સરકારી બંગલો પણ પાછો આપવો પડશે અને આમ ભાજપની સખત પીછેહટ બીજી વાર થઈ છે જે પ્રમાણે મધ્યપ્રદેશની અંદર ગાજયા મેઘ વરસ્યા નહિ અને ભાજપની જે દશા થઈ અને જેમ મુક પ્રેક્ષક ભાજપના નેતાઓ બની ગયા હતા તેમ આજે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સમગ્ર કેન્દ્ર અને રાજ્ય નું ભાજપ ની નેતાગીરી પણ સ્તબ્ધ થઈને બેસી ગઈ.છાસવારે ઉછળી પડતા ભાજપ ના નેતાઓ પણ ઘરે ટીવીની સામે બેસી રહ્યા અને ક્યાંય ફરકતા હોવ મળ્યા નહિ કે કોઈ ફોન પણ ઉપાડવાનું ટાળી દીધું…
સંપાદક : પ્રદીપ રાવલ
નોધ : અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો પ્રાપ્ત થાય એટલે પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી તેવા સમાચાર દૂર કરી શકાશે…તંત્રી
***************************************