કોંગ્રેસ ની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી માં ઘટસ્ફોટ થયો કે ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ એ 35 ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકિટો વેચી મારી…. કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય તેવા બેહાલ જોવા મળે છે. કોંગ્રેસમાં સતત તૂટ ફૂટ ને જાણે સિઝન હોય અને રાજકીય વ્યવસાય બની ગયો હોય તેમ પક્ષ પલટુ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી છેલ્લા 25 વર્ષમાં ભાજપમાં ગયેલા જોવા મળે.
ગુજરાત કોંગ્રેસની નેતાગીરી વિધાનસભાના ઉમેદવારોની યાદી તૈયાર કરીને દિલ્હી મોકલી આપે અને દિલ્હીથી નક્કી થયેલા નામો પણ ગુજરાતની નેતાગીરીમાં આવે અને ત્યારબાદ કમિટીના નેતાઓ અને ઉમેદવારો વચ્ચે ખરીદ વેચાણ જોવા મળે અને અંતે ટિકિટો વેચવામાં આવે અને જાણે કે આ ખાઈ બદેલા કોંગ્રેસના નેતાઓને શરમ લાજ ઈજ્જત જેવું કંઈ હોય જ નહીં તે રીતે ટિકિટો વેચીને ચૂંટણી લડાવી મોટાભાગના ઉમેદવારો હારે અને પછી પસ્તાવો વ્યક્ત કરે તેવો માહોલ કોંગ્રેસનો ગુજરાતમાં જોવા મળ્યો છે અને જેનો ભરપૂર લાભ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન લઈ રહ્યા છે. ગુજરાતની 182 સીટોમાંથી લગભગ 100 સીટ ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ હતું જે આજે 17 સીટ પર અટકી ગયેલ છે.પરંતુ કોંગ્રેસના શિષ્ટાચાર ,સંસ્કાર, ભાન ભુલેલા નેતાઓ શરમ લાજ અને ઈજ્જત નેવે મૂકીને ટિકિટોના ખરીદ વેચાણ નો વ્યવસાય કરીને તેમને ચૂંટણી લડવામાં રસ નથી પણ લોકોને લડાવી પોતાનો ધંધો કરવામાં રસ છે. આમ ગુજરાત કોંગ્રેસને મૃત પાયે કરવામાં છેલ્લા 25 વર્ષના ગુજરાત કોંગ્રેસમાં રહેલા ઉચ્ચ નેતાઓ નો સિંહ ફાળો જોઈ શકાય છે.જેઓ એ પક્ષ ને મહત્વ આપવાની જગ્યાએ પોતાની વ્યક્તિગત કારકિર્દી અને સત્તા ની આડસ માં ઉભા કરેલા તેમના વ્યવસાય ટકાવી રાખવામાં રા હોય છે. આવી પરિસ્થિતિના લીધે કોઈ સજ્જન લડાયક કોંગ્રેસી લોકો આગળ આવીને કોંગ્રેસમાં કામ કરતા નથી કેમકે કોંગ્રેસમાં જુદા જુદા ફાંટાઓ પડી ગયા છે અને આ ફાંટાઓના નેતાઓ તેમના પોઠિયાના આધારે કોંગ્રેસમાં ધંધો કરીને કોઈને ટકવા દેતા નથી. ભરતસિંહ સોલંકી જેમની તો સામાજિક લીલાઓ પણ ચોરે અને ચૌટે જોવા મળે પણ તેઓ પણ આજે પણ કોઈપણ શરમ લાજ ઈજ્જત જેવું જાણે કંઈ છે જ નહીં તે રીતે બફાટ કરે અને તેમની પોઠીયા ગીરી કરતા લોકો આગળ પાછળ તેમની ફરે અને વગર સત્તાએ પણ જાણે સત્તામાં હોય તેવો દેખાવ કરતા અને પ્રેસમાં બક્વાસ કરતા જોવા મળે….જેના બીભત્સ વિડિયો મહિલા સાથે વાયરલ થાય પણ કોઈ જાણે ઈજ્જત જેવું કાઈ છે જ નહિ તેમ આજે પણ રાજકારણ રમી રહ્યા છે.
આવી જ રીતે જગદીશ ઠાકોર જેવો પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે તેમજ સિદ્ધાર્થભાઈ પટેલ કે જેઓ પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર અને કોંગ્રેસના સ્વમાની, મૃદુશીલ નેતાની છાપ ધરાવે છે.શૈલેષ પરમાર પણ વંશીય રાજકીય નેતા ની વ્યક્તિગત સર્વ પક્ષીય પરિવારોમાં અલગ છાપ ધરાવે છે. જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેઓ પણ તેમની લોબીથી ધારાસભ્ય પદ આજે જાળવી રાખ્યું છે અને તેઓ પણ સર્વ પક્ષીય સંબંધો ના માહિર છે. જ્યારે પરેશ ધાનાણી યુવા નેતાએ પણ કોંગ્રેસમાં એક અલગ પોતાની આભાઓ ઊભી કરી છે તેમ છતાં પણ આ બધાની વચ્ચે પણ કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ વચ્ચે ખરીદ વેચાણ થાય તે ખૂબ જ ખરાબ ઘટના કહી શકાય.અને આ લોકો પણ આ પરિસ્થિતિ જાણતા હોવા છતાં કાઈ કરી શકતા નથી તે બહુચર્ચિત સવાલ છે.કેટલાક ન્યાય તંત્ર સાથે સંકળાયેલ ધારાશાસ્ત્રીઓ જાણે કોંગ્રેસ ના નેતાઓ તેમના વર્ષોથી ક્લાયન્ટ,અસીલ તરીકે ના સંબંધ માં પોઠિયા ગિરિ ના એવા દવા પેચ રમી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથતા હોય કે જેમના વાંશનના ઠેકાણા ના હોય કે કુદરતે હિસાબ કરી નાખ્યાં હોય….તોયે કટકી લેવાના દાવ ભૂલે નહીં…અને દુભાષિયા સર્વ પક્ષીય બની ને બેઠા હોય…
કોંગ્રેસમાં ગૂજરાત ના મહાનગરના કેટલાક નેતાઓ તો 25 30 વર્ષથી એવા પ્રદેશઅને સ્થાનિક નેતાગીરીમાં પોતાની પોઠિયા ટીમ ઊભી કરીને એવા લટકતા જોવા મળે કે જેઓ ક્યારેય ગામના સરપંચ નથી બન્યા કોર્પોરેટર નથી બન્યા. ધારાસભ્ય અને સંસદની વાત તો બહુ દૂરની રહી પરંતુ તમે તેમના દેખાવો અને તેમને ડિબેટમાં જુઓ તો જાણે કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી કક્ષાની નેતાગીરી કરતા હોય તેવા સતત અસફળ રહેલા નેતાઓનો દબદબો જોવા મળે જેવોવાર તહેવારે ચોરે અને ચૌટે સ્વ ખર્ચે પોતાના સ્ટેચ્યુ જેવા અત્યાધુનિક હિર્ડિંગ જોવા મળે અને પત્રકારોની પ્રેસ કરીને બફાટ કરતાં તમને સાંભળવા મળે આવા નેતાઓ ક્યારેય સફળ થયા નથી અને થઈ શકે એવું દૂર સુધી ક્યાંય લાગતું નથી . બસ દિલ્હીથી આવતી ઉચ્ચ નેતાગીરીઓની આગળ પાછળ ભરીને એમની દલાલી અને ખરીદ વેચાણમાં તેમને રસ હોય છે તે સિવાય તેમને કોંગ્રેસ આગળ આવે તેમાં રસ હોતો નથી.અને વાહ વાહી સિવાય આવા લોકો કાઈ ઉકાળી શક્તા હોય તેવું વર્ષોમાં ક્યાંય જોયું નથી..જ્યારે કેટલાક ને તો શહેર.જિલ્લા ના પ્રમુખ વહીવટ સિવાય કોઈ રસ નથી કે જાણે ચૂંટણી ની સીઝન માં વર્ષો ચાલે તેટલું ઘર ભેગા કરી લેવાનું હોય..
દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ એ પણ વિડિયો ઓડિયો સાથે પાર્ટીમાં જાણ કરી હતી કે મારી પાસે એક કરોડ રૂપિયા ઉચ્ચ નેતાગીરી તરફથી માગવામાં આવ્યા છે તેમ છતાં પણ પક્ષમાં કોઈપણ એક્શન લેવાયા નહીં અને અંતે તેઓએ કોંગ્રેસ માંથી હટી જવાનું બહાનું કાઢી ભાજપનો ખેસ પહેરવાનો પસંદ કર્યું.
બનાસકાંઠાના 7 ટર્મથી ચૂંટણી લડેલા એવા ગોવાભાઇ રબારી પણ હવે કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે કેમકે ગઈ ચૂંટણીમાં તેમના પુત્ર પણ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા હતા માટે તેઓ પણ તેમના પરિવારનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવે ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે.
ગુજરાતની રાજગાદીમાં સૌથી વધારે ચર્ચા પદ રહેલા સ્વર્ગસ્થ અહેમદ પટેલ કે જેઓ દિલ્હીની રાજગાદીના પારિવારિક રાજકીય સલાહકાર અને સાંસદ રહી ચૂક્યા છે અને ભાજપ ના ઉચ્ચ નેતાગીરીના લોકો સાથે સતત સંપર્કમાં રહીને રાજકીય દલાલીન માં વર્ષોથી વિવાદાસ્પદ બનેલા છે તેમના પુત્ર ફેજલ પણ હમણાં હમણાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળી ચૂક્યા છે અને તેઓ પણ ભાજપનો ખેસ પહેરીને કોઈ ઉચ્ચ પદ ઉપર ગોઠવાઈ જાય અને મુસ્લિમ મતોના રાજકારણની લાલચ ભાજપને બતાવે તો નવાઈ રહી નથી.
ગુજરાતના રાજકારણમાં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા તેમજ ભાજપના એક સમયના સાંસદ રહી ચૂકેલા અને ભાજપ કોંગ્રેસ ના બળવા ખોર કહી શકાય તેવા બહુચર્ચિત ખુલ્લે હામ બોલવા ટેવાયેલ શંકરસિંહ વાઘેલા જી પણ કોંગ્રેસ/ભાજપ બાદ બાકી હતું તો એનસીપીમાં પણ આટો મારી આવેલા એવા શ્રી શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસના 14 ધારાસભ્યો નો થાળ ભાજપને નાટકીય રીતે અંદરથી પધરાવીને બધા જ સોગઠા રમીને ભાજપને સત્તા અપાવવામાં ભરપુર મદદ કરી હતી કે જેઓ પહેલેથી જ ભાજપનું મૂળ હતા અને રહ્યા અને હજુ પણ સતત વિવાદાસ્પદ રાજકીય રીતના નિવેદનો કરતા જ રહ્યા છે તેઓ પણ કોંગ્રેસને સુધારવા અંદર પ્રવેશ કર્યો પરંતુ તેનો પણ ફાયદો ભાજપને કરી આપીને અત્યારે બધા જ પક્ષોમાંથી બાજુમાં બેસીને નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રાજકીય સોગઠાની કરી રહ્યા છે.પોતાની પાર્ટી બનાવવા મા પણ તેઓ અસફળ રહ્યા અને તેમના વંશજ ની કારકિર્દી પણ નાતે અટકી ગઈ…પરંતુ એક સમય ના તેમના સર્વે સર્વા તેવા સી.જે ચાવડા (પૂર્વ સરકારી અધિકારી) બાપુ સાથે ગમાં અણગમા માં અથે રહી રાજકીય શાસક સરકાર સાથેના અને પાર્ટી ના લોકો સાથે ના દાવપેચ રમવામાં સમયે રંગ બતાવતા તેમનું ધારાસભ્ય પદ ટકાવી રાખવામાં સફળ રહ્યા છે કે જેમના ચૂંટણી પ્રચાર માં શંકરસિંહ વાઘેલા સ્ટેજ ઉપર આવી પ્રચાર કરેલો…કે જેઓ એક સમયે સામ સામી હરીફાઈ માં આવી ગયેલા..
ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની અંદર ક્ષત્રિય લોબીનો પહેલેથી જ સફળ અને અસફળ દબદબો રહ્યો છે જેના કારણે પ્રજાને તેમના કાવા દાવાઓ અનેક રજ્કિય નિષ્ફળતા દાવ પેચ જોતા હવે કોંગ્રેસમાં રસ હોય તેવું દેખાતું નથી કે કોઈ આજકાલ કોંગ્રેસની ઉપર ભરોસો મૂકે એવી કોઈ પ્રવૃત્તિઓ પણ જોવા મળતી નથી.કે એવા કોઈ નેતા વજનદાર રહ્યા નથી કે જેની પડખે ઊભા રહેવાથી કોઈ રાજકીય ફાયદો થાય..
કોંગ્રેસના આ 35 ઉમેદવારો પોતાના નેતાઓને પૈસા આપીને ટિકિટ ખરીદીને લઢી અને હારીને ઘેર બેઠા છે અને હવે બળાપો કાઢે છે…શું કોંગ્રેસ ની નેતાગીરી આવા ખરીદ વેચાણ સાથે સંકળાયેલ નેતાઓ ઉપર કોઈ એક્શન લેશે કે ઘી ના ઠામ માં ઘી ઠારી દેશે..
વર્ષોથી છાપેલા કાટલાં સમાન વિવાદાસ્પદ કોંગ્રેસ ના ગણ્યા ગાંઠ્યા રાજકીય વેશભૂષા માં છાસવારે જોવા મળતા બનાવટી જેવા અસફળ નેતાઓ થી જનતા ને ઊબ આવી ગઈ હોય તેવું લાગે છે છતાં પણ વારે ઘડીએ કોઈ કોઈ બહાને રાજ્યપાલ ને આવેદન પત્ર આપવા જઈ ફોટો શેષન કરી મીડિયામાં સતત ચમકતા રહેવાના તેમના અભરખા ભૂલતા નથી.
જોકે કોંગ્રેસ ના મોટા ભાગના પૂર્વ સાંસદ.ધારાસભ્યો અને પ્રદેશ ની નેતાગીરીમાં રહી ચુકેલ ભાજપ નોં ખેસ ધારણ કરી ચૂક્યા છે..જેમાંના મોટા ભાગના ઘેર નિવૃત્તિ માં બેસીને “કોંગ્રેસ માં હવે કાઈ રહ્યું નથી”અમે તો બહુ પ્રયત્નો કર્યા પણ દિલ્હી વાળા માનતા નહોતા એટલે અંતે અમે પક્ષ બદલ્યો..જેવા બફાટ કરતા જોવા મળે..હકીકત માં તો તેમનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા શેષ જીવન માં પણ તેઓ ભજાપ્ માં જોડાઈ ગયા છે અને મોદીજી સાથે ફોટા પડાવી ડ્રોઈંગ રૂમ માં શોભા વધારવા મહેમાનો ને બોલાવી બતાવી સમય પસાર કરી રહ્યા છે..
આવી કોંગ્રેસ ની નબળી રાજકીય પરિસ્થિતિ નો સંપૂર્ણ લાભ ભાજપ સંગઠન ના લોકો ઉઠાવી બાકી રહી ગયેલ લોકો ને ભાજપ નોંખેસ પહેરાવી સી.આર પાટીલ ની ગુડ બુક માં નામ નોંધાવી.તેમને ખુશ કરી પોતાની રાજકીય મેલી મુરાદ પૂરી કરી રહેલ પણ જોવા મળે છે….
કેટલાક કોંગ્રેસ ના સતત 25 થી 30 વરસ ના નિષ્ફળ નેતાઓ ધારાસભ્ય બનવા અથાગ પ્રયત્નો લાખો.કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોવા છતાં પોતાના દૂધ માં અને દહીં માં બંને બાજુ રાખવાના ખરાબ સ્વભાવ ના કારણે કાઈ ઉકાળી શક્યા નથી જેથી કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી આંકડાઓ ની માયાજાળ બતાવી ટીવી માધ્યમો માં ડીબેટ માં બફાટ કરતા જોવા મળે છે..કેમકે હવે તે સિવાય તેમની પાસે પોતાનું રજકીય અસ્તિત્વ ટકાવી રાખવા બીજો કોઈ રસ્તો નથી અને વંશીય મિલકતો ના ભાવો વધવાથી આર્થિકતાં માં કાઈ દસ પેઢી સુધી ખૂટે નહિ તેવી ગોઠવણી કરીને બેઠા હોય છે એટલે પૈસે ટકે કોઈ વાંધો આવે તેમ નથી એટલે હવે તેઓ સિનિયર સિટીઝન શિપ તરફ આગળ વધી રહ્યા છે…..કેટલાક તો સહકાર ના ક્ષેત્ર મા જોડાઈ સર્વ પક્ષીય લોકો સાથે સમય પસાર કરી સહકાર ક્ષેત્ર મા ટકી ને કોંગ્રેસ શબદ ભૂલી ગયા છે અને તેમનું અસ્તિત્વ ટકાવી બેઠા છે. કે જેઓ ચૂંટણી ટાણે તો સફેદ વસ્ત્ર માં કોંગ્રેસ ના મંડપ માં કોંગ્રેસી કહેડવવા જોવા મળે છે…અને ચૂંટણી ના પરિણામો પણ તેઓ જ જાણે આપવાના હોય તેવો બફાટ કરે છે..
હવે સાંસદ ની ચૂંટણી માં કોંગ્રેસ ને ફાળે કોઈ સીટ આવે તેવું હાલ ની રાજકીય સમીક્ષા માં ક્યાંય દેખાતું નથી જેથી ભાજપ કોંગ્રેસ ની વિચારધારા વાળા બાકી બચેલા લોકોના વોટ મળી રહે તે હેતુથી સિનિયર કોંગ્રેસ ના લોકો અને તેમના પરિવાર ના વંશજો ને ભાજપ માં જોડવા પ્રયત્ન કરી રહ્યું છે…સમાજિક જ્ઞાતિ પ્રમાણે ના નેતાઓ ને આકર્ષવા અને ભાજપ માં સતત પરિવર્તન ચૂંટણીઓ માં પણ બતાવી ભાજપ નવી પેઢી ને આકર્ષી રહ્યું છે અને. મોદીજી ની વિકાસ ગાથાઓ નો પ્રચાર કરી કરાવી લોકપ્રિયતા કેમ વધે તેવા આધુનિક રાજકીય પ્રયત્નો મતી રહ્યું છે..
આવા સંજોગોમાં કોંગ્રેસ તેની છાપ સતત બગડતી જતી હોય તેવું સામે જોવા છતાં કોઈ નક્કર સુધારા તરફ ગુજરાત કોંગ્રેસ આગળ વધતું હોય તેવું ક્યાંય દેખાતું નથી..આ બાબતે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ નેતાગીરી ને પણ મળતા પ્રશ્નો પૂછતા હજુ પણ તેમના અહમ ની રાજનીતિ ના તેઓ દરશન મીડિયા ને પણ કરાવી રહ્યા છે.હકીકત માં તેમના વ્યક્તિગત રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ મીડિયા ના પ્રશ્નો ના પણ સ્વ ને ધ્યાનમાં રાખી જવાબો આપે છે કે વિરોધ પક્ષ ને છાજે તેવા પ્રશ્નો પણ હોતા નથી કે કોઈ પ્રજા ના હિત માં હોય કે સરકાર ને તેનો આયનો બતાવવા જેવા પણ હોતા નથી….જેના કારણે આમ આદમી પાર્ટી ગુજરાત માં 40 લાખ વોટ બનાવી પાંચ ધારાસભ્યો સાથે ગુજરાત વિધાનસભા માં પ્રવેશ કરી ગુજરાત ની વોટ બેંક ના સભ્ય થકી રાષ્ટ્રીય પાર્ટી તરીકે આગળ વધી રહી છે…
કર્ણાટક ના પરિણામો માં ભાજપ ને ધોબી પછાડ આપ્યાં બાદ શું ગુજરાત માં આમૂલ પરિવર્તન માટે ગુજરાત કોંગ્રેસ સજ્જ થશે કે ફરી પાછા ટિકિટો ની પાંચ વર્ષે ખરીદ વેચાણ જેવા વ્યવસાય કરી panach વરસ જીવાય તેટલો ધંધો કરી લેશે તે આવનારો સમય બતાવશે…
એક હિ આગ..” જન ફરિયાદ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક…તંત્રી : પ્રદીપ રાવલ
નોધ : કોઈપણ રાગદ્વેષ વિના અહી સમાચારો ,ફોટા પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે .તેમ છતાં કોઈ વાંધા જનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરવા થી ખરાઈ કરીને તંત્રી દ્વારા તેવા સમાચાર.ફોટા અહીથી દૂર કરી શકાશે જેની પ્રજાજન.રાજકીય પાર્ટી તેમજ સરકાર ના લાગતા વળગતા વિભાગો નોધ લઈ શકે છે..તંત્રી