સનાતન ધર્મી નું પ્રમાણપત્ર હિન્દુ ને ભાજપ આપે? ભાજપ પહેલા કે સનાતન ધર્મ.પહેલા?ચાર દિવસ થી આવીને ભાજપા ના પટ્ટા પહેરી સત્તા ના જોરે રાજકીય રંગે સ્વ સ્વાર્થે રંગાયેલા સમાજો ને સનાતની પાઠ શીખવવા નીકળ્યા છે?..પ્રત્યેક રાજકીય ચૂંટણી પહેલાં કોઈના કોઈ સનાતની ને ઉભા કરી રોડ શો ની જેમ રાજ્યો ખૂંદવા સરકારી આડકતરી વૈભવી સગવડો ઊભી કરી વિપક્ષો ને સરકારી તાકાત બતાવી આ કયા નકલી આજકાલ ના આવેલા હિન્દુત્વ ના મહોરા સમાજો ઉપર આધિપત્ય જમાવવા નીકળ્યા છે? કે જેના ખુદ સામાજિક ચિત્ર વિચિત્ર ઇતિહાસ રચાયા હોય….
આ કહેવાતા સનાતની રાજકીય ભાજપા ના શાશકો ને સાળા બનેવી નો અહમ ટકાવી રાખવા બહુમતી ના જોરે વર્ષો ની પરંપરા તોડી ધર્મ સ્થાનો ઉપર શાસક સરકાર નો વહીવટ જમાવી બેઠા બાદ શક્તિપીઠ અંબાજી ના પ્રસાદ/ધર્મ સંસ્કૃતિ ની આસ્થા સાથે ચેડાં કરે….અને એક સાચા બ્રહ્મ રાજકીય શાસક પક્ષ વિશ્વ હિન્દુ પરિષદ સહયોગી પાંખ ના વડીલ અશોકભાઈ રાવલ જેવી વ્યક્તિ એ ભાજપ ને માતાજી ના દરબાર માં જઈ પોકાર કરી કહેવું પડે કે “આ તમારા બાપ ની પેઢી નથી” ત્યારે આ ભાજપા ના આકાઓ અને શાસકો ની શાન ઠેકાણે આવે….અને ચીકી/મોહનથાળ વિવાદ બાબતે મોહનથાળ નો પ્રસાદ ચાલુ કરી ઘી ના ઠામ માં ઘી ઠાર્યું..
…આવા આજકાલ ના અધકચરા સમાજિક/રાજકીય પદાધિકારીઓ ની પેઢીઓ ચલાવતા શું સમાજો ને સત્તા ના જોરે સનાતની પાઠ શીખવવા નીકળ્યા છે?
હું પ્રદીપ રાવલ આ પટ્ટા પહેરીને નીકળી પડેલા રાજકીય ફિરંગી જેવાઓ ને ચેતવણી રૂપ જણાવું છું કે સનાતન ધર્મ તમારા પક્ષ ના બાપ ની પેઢી નથી કે તમે વોટ બેન્ક ની ભીખ ખાતર આવા ગતકડાં કરી ને સનાતન હિન્દુ ધર્મ માં માનનાર બિન રાજકીય અને રાજકીય લોકો વચ્ચે મતભેદ કરાવી સમાજિક આંતરિક રાજકીય યુદ્ધ કરો અને કરાવો……ગુજરાત ની જનતા ને ભાજપા શાશન માં આવ્યા બાદ બહુ જુદા જુદા કાંડ બતાવ્યા..લોકો એ જોયા..હાઈકોર્ટ દ્વારા નકલી એન્કાઉન્ટર જેવા શબ્દો વપરાયા..અનેક લોકો હોમાયા..નકલી/અસલી ક્લીન ચિટ/પુરાવાઓ ના શાસક સરકાર માં નાશ,કાયદાકીય લડતો..હાઈકોર્ટ.સુપ્રીમ.. બાદ નિર્દોષ બહાર કાઢીને અનેક લોકો ની યુવાની/સમાજિક જીવન પૂર્ણ થઈ ગયા…અનેક ભ્રષ્ટાચારીઓ . બળાત્કારીઓ,કૌભાંડીઓ ને શાસક સરકાર માં માં કેવીરીતે સાચવી લઈને ડેમેજ કંટ્રોલ ટોળકીઓ કામ કરે છે જેનાથી ગુજરાત ની જનતા અજાણ નથી..શું જનતા એ ભાજપ પાસે વિપક્ષી મોટા ભાગના લોકો ને સહયોગી બનાવી સત્તા ટકાવી રાજ કરવું તેવી અપેક્ષા રાખી હતી?શું ભાજપ નો જન્મ જાત આ menifesto હતો..?
.કાયદા ના ખભે 27 વરસ ના શાશન ને જનતા જોઈ રહી છે….
ગુજરાત ના મોદીજી,શાહ અને કેન્દ્ર માં સત્તા અને ગુજરાત ને કઈક ફાયદો થશે તેવી આશાએ આપેલા સહાનુભૂતિ ની વોટ બેંક નો ભાજપા ના શાસકો એ દૂર ઉપયોગ કરવો ના જોઈએ..
કોઈપણ ક્ષેત્ર ના તટસ્થ,બુદ્ધિજીવી લોકો ઉપર સંગઠન અને સરકાર માં બેઠેલા અધકચરા જ્ઞાન વાળા દુરુપયોગ કરીને જે રીતે અન્યાય કરી રહ્યા છે તે ગુજરાત ની બુદ્ધિજીવી જનતા ની જાણ બહાર નથી…..રાજકીય અને સમાજિક પેઢીઓ બનાવી..આકાઓ ને ખુશ કરી મનમાની કરી સરકાર/સંગઠન/મીડિયા ઉપર આંતરીક પક્કડ જમાવી સત્તા ના જોરે લોકશાહી માં સરમુખત્યાર શાહી નું જે રૂપ બતાવવા નીકળ્યા છો તે ભાજપ નો અસલી નકાબ હવે છતો થતો જાય છે..
કાયદા નો ઉપયોગ કરી સત્તા ના જોરે લોકો ઉપર કેસ કરાવી અંદર કરાવવાની આ રમતો હવે ખુલ્લી પડી ગઈ છે…
ભારત દેશ માં તમામ રાજ્યો ના ધર્મ સ્થાનો, જુદા જુદા ધર્મ ના અનેક ધર્મ ગુરુઓ.સાધુ
સંતો.મહાત્માઓ અને બિન રાજકીય અનેક સમાજ ના બુદ્ધિજીવી સંગઠનો દ્વારા સનાતન ધર્મ ની રક્ષાઓ હજારો વર્ષો થી થઈ રહી છે….તે ધર્મ સ્થાનો ને રાજકીય અખાડા બનાવી પર્યટન સ્થળો વિકસાવી,બનાવી આંતર રાજકીય મહાનુભાવો ને યાત્રાઓ કરાવી.ખુશ કરવા ધર્મ ની મર્યાદા શાસક પક્ષ ઓળંગી રહ્યું છે જે નકલી પ્રસિદ્ધિ થી જનતા જાણે છે….
જેણે સત્તા મેળવવા સનાતનીધર્મગુરુઓ ને ગરજે ગધેડા ને બાપ/ગુરુ બનાવ્યા બાદ જેલવાસ કરાવ્યા.જેઓ પાછળ થી બળાત્કારી નીકળ્યા..જેના અસંખ્ય આશ્રમો અને અનુયાયીઓ છે કે જેની સાથે ભાજપ ના આકાઓ ઘૂંટણિયે પડતાં.ગુણગાન ગાતા વિડિયો આજે પણ લોકો જોઈ રહ્યા છે….શી ખાતરી કે હજુ આ ભાજપ જુદા જુદા ધર્મ ગુરુઓ ને સનાતન ધર્મ પ્રચાર માં વોટ બેન્ક ખાતર નવી નવી ચૂંટણીઓ આવતા..આંતર રાજ્યો મા ફેરવી લોકો ની આસ્થા સાથે ભવિષ્ય મા ચેંડા નહિ થાય..અને એમના પણ આશારામ જેવા હાલ નહિ થાય તેની શું ભાજપ ગેરંટી આપે?
બાબા બગેશ્વર સનાતની યુવા સંત ની લોકપ્રિયતા નો પોઝિટિવ ઉપયોગ સનાતન ધર્મ રક્ષા માટે કરી શકાય…પરંતુ તેમની ઉપર જનતા માંથી કોઈ આક્ષેપ હોય..ચેલેન્જ હોય અને સ્થાનિક બિન રાજકીય સંગઠનો અંધ શ્રધ્ધા બાબતે જનતા અને આયોજકો ને ચેતવવા કોઈ વાત કરતા હોય તો તેને શાસક સરકારે/આયોજકો એ નજર અંદાજ ના કરાય ….અને મીડિયા માં શાસક સરકાર ના ભાગ બની ચૂકેલા સમાજિક નેતાઓ સંગઠન ચલાવી રહેલા લોકોએ બુદ્ધિજીવી ભણેલા ગણેલા અંધશ્રદ્ધા નિવારણ નું કાયદાકીય પાલન સાથે સંગઠન ચલાવનાર ને કોઈ શાબ્દિક ધમકી આપી તેમને ડરાવવા ની કોશિશ પણ ના કરવી જોઈએ…કેમકે તેઓ કાયદા ના જાણકાર…કાયદામાં રહીને સંગઠન ચલાવી અંધ શ્રધ્ધા ના કાર્યક્રમો યોજીને અનેક સમાજો ને પરિણામ આપી ચૂક્યા હોય છે….
જેથી ભાજપ ના શાસકો ને હજુ વિનંતી કે કોઈપણ અતિશયોક્તિ સત્તા ના જોરે કરીને આખા પક્ષ ને અને સમાજો ને કોઈ ગંભીર પરિણામ તમારા અહમ ના અખતરા ખાતર ભોગવવું ના પડે તેની તકેદારી રાખે….
.સર્વ સમાજો સમસ્ત ના નામે અનેક રાજકીય/સમાજિક રાજકીય ઓઠા હેઠળ પેઢી ખોલી ને પ્રાયવેટ કંપની ની જેમ વહીવટ કરી શકે છે…..જેનાથી બિન રાજકીય સમાજિક સંગઠનો ને કોઈ ફરક પડતો નથી…..જિલ્લે જિલ્લે સમસ્ત ના નામે રાજકીય અને બિન રાજકીય સમાજ સંગઠનો ચાલી રહ્યા છે…કોણ કેવી રીતે તેનો શું ઉપયોગ ચોક્કસ ટોળકી ઓ ઊભી કરી વહીવટ કરે છે તે આખો સમાજ જાણે છે…ખેર….જગ્યા ત્યાંથી સવાર……
અનેક ધર્મ ગુરુઓ દેશ ની જનતા એ જોયા છે..પણ ભાજપ ના શાશન માં જે રીતે સનાતની હિન્દુ ના ઓઠા હેઠળ જે રીતે ઉપયોગ કરવામાં આવે છે તે સંપૂર્ણ યોગ્ય ના કહી શકાય..
..(સર્વ સમાજ હિત ખાતર લોક જાગૃતિ ના ભાગ રૂપે મીડિયા કર્મી તરીકે મારા વ્યક્તિગત વિચારો ઉપર મુજબ અનુભવે રજૂ કર્યા છે.)
ગુજરાત બ્રહ્મ સમાજ મીડિયા સેવક..
પ્રદીપ રાવલ.તંત્રી: જન ફરિયાદ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક… ગાંધીનગર
નોધ: જન ફરિયાદ ન્યુસ પોર્ટલ અને જન ફરિયાદ ન્યુઝ ચેનલમાં કોઈપણ જાતના રાગદ્વેષ વિના સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રીશ્રીનું ધ્યાન દોરીને સમાચારોની ખરાઈ કરીને તેવા સમાચારો તંત્રી શ્રી દૂર કરી શકશે. તંત્રી : પ્રદીપ રાવલ