પશુ ચિકત્સા અને પશુપલાન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે તારીખ 21.04.2023 ના રોજ વિધાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક સ્પંદન ના 2023 ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું.આ સંસ્કૃતિક ઉત્સવ મા મુખ્ય મેહમાન તરીકે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ના કુલપતિ શ્રી ડો. એન. એચ. કેલાવાલા હાજર રહ્યાં હતા અને કૉલેજ સમય ના જુની સ્મૃતિ ને યાદ કર્યા હતા અને વિધાર્થીઓ ને વિવિધ વાર્ષિક પ્રવુતિ ભાગ લેનાર ને ઇનામ વિતરણ કર્યા હતા. અન્ય અતિથિ શ્રી તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડો. ઝેડ. પી. પટેલ હાજર રહ્યા હતા. ડો. વી બી ખરાદી આચાર્ય શ્રી વતી વાર્ષિક પ્રવુતિ ની ઝાંખી પ્રસ્તૃત કરી હતી અને પોગ્રામ ને વિધાર્થીઓ માટે ઓપન કર્યો હતો.આ પોગ્રામ મા વિધાર્થીઓ વતી ડાન્સ, ડ્રામા અને એકાંકી અભિનય જેવી વિવિધ પ્રવૃત્તિ પ્રસ્તૃત કરવામાં આવી હતી.આ પોગ્રામ નું આયોજન આચાર્ય શ્રી ડો. વી. બી. ખરાદી ના નેતૃત્વ મા ડો જે. એમ. પટેલ અને ટીમ સહયોગ થી ઉજવણી કરવામા આવી હતી. અંત મા ડો. જે. એમ. પટેલ વતી સ્પંદન 2023 નું આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.