ગુજરાત માં જ્યારથી કેન્દ્રીય અને રાજ્ય નું ભાજપ શાશન છે ત્યારથી અનેક રાજકીય નેતાઓ ના ઓથા હેઠળ ગંભીર ગુનાઓ નું પ્રમાણ વધી ગયું છે.કમલમ ખાતે નવા નિશાળિયા જેવા પડ મળતા છકી ગયેલા પોઠિયા દ્વારા ભ્રષ્ટાચાર ના કામો કોઈના કોઈ નેતા ના ઓઠાર હેઠળ થતાં ની ચર્ચાઓ ઘણા લાંબા સમયથી સંભળાય છે.
ભાજપ પ્રદેશ ના આઇ. ટી સેલ તેમજ સોશિયલ મીડિયા સેલ ના લોકો સીધા આ કબુતરબાજી વાળા તત્વો સાથે સીધા યા આડકતરી રીતે જોડાયેલા હોય તેવી શંકા સેવાઈ છે .સરકારી કામો કરાવવા કમલમ માં બેઠેલા પોઠિયા ના ઉપયોગ કરવા લોકો કમલમ દોડી જાય છે અને બુટલેગર તેમજ તેમના સાગરીતો પણ કમલમ ખાતે ઘણીવાર જોવા મળે છે.આવા પદ લઈને કમલમ માં દલાલી કરવા બેસી ગયેલા અવાર નવર પોતાના ફોટાઓ નેતાઓ.મંત્રીઓ કમલમ મુલાકાતે આવ્યા ત્યારે ફોટાઓ પડાવી સોશિયલ મીડિયામાં ફેરવી બે ચાર ગોદી મીડિયા વાળા યુવાઓ ને લાલચે સાંધી આવી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે.તટસ્થ મીડિયા ને આવા પોઠિયા કમલમ માં કોઈ ભાવ આપતા નથી અને તેમની કમલમ મુલાકાત ઉપર નજર રાખી આંખ આડા કાન કરે છે.
કબૂતર બાજી માં સંડોવાયેલ ભાજપ ના ટોચ ના નેતા હવે હવાતિયાં મારતા નજરે પડે છે.
નકલી વિઝા કાંડ ના કૌભાંડીઓ આવા પ્રદેશ ભાજપ ના નેતાઓ ના સીધા સંપર્ક માં રહે છે કેમકે તેમને કોઈ કાનૂની તકલીફ થાય તો ભૂતકાળ માં બળાત્કારી નેતાઓ જેમ ડેમેજ કંટ્રોલ ટીમ થી છટકી ને ચૂંટણી લડી ને આજે વિધાયક બની ગયા તેમ છટકી શકે.
૨૦૨૪ ની લોકસભા ની ચૂંટણી આવતા કહેવાતા ડ્રેગન હાઉસ અને સરકાર ના સંકલન ની છબી ખરડાય નહિ તે હેતુથી ઘણા સમય થી પૂર્વવ ની જેમ કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત માં ફરી પાછો સ્ટેમ્પ શાશન નો યુગ શરૂ થયો છે..આ કબુતરબાજી અને ભ્રષ્ટાચાર બાબતે નુ મોની ટરિંગ સીધું હવે પીએમઓ હેઠળ તપાસ નોં દોર ચાલી રહ્યો છે.આવી કબૂતર બાજીનમાં રાજકીય કેટલા લોકો સંડોવાયેલા છે અને દેશ વિદેશ માં પ્રદેશ ભાજપ ના નેતા ના ઓથાર હેઠળ કેટલા લોકો શંકા ના દાયરામાં છે તેઓ પકડાય છે તે હવે તપાસ માં મીડિયા રિપોર્ટ બાદ ડીટેઈલ રિપોર્ટ આવે ખબર પડશે..અને નજીક ના ભવિષ્ય માં પ્રદેશ ભાજપ ના આ ઉછળતા સંડોવાયેલ નેતા બાબતે કોઈ ધડાકો પણ થઈ શકે છે.
આ બાબતે પ્રદેશ પ્રમુખ કોઈ પ્રેસ કરી રહ્યા નથી..
તપાસ ના દોર માં ડીજીપી અશોક ભાટિયા ના હંમેશા નજીક હિતેચ્છુ રહેલા જવાહર દહિયા ને અંતે dysp પ્રમોશન પહેલા સસ્પેન્ડ કરી હાલ સંતોષ માનવામાં મનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે..
હાઇકમાન્ડના deteils રિપોર્ટ થી હાલ માં સંડોવાયેલ કહેવાતા ભાજપ ના ટોચ ના નેતા બેબાકળા બની ગયા હોય તેવું લાગે છે..
મોરબી હોનારત માં પણ મનસુખ પટેલ આગોતરા જામીન માગ્યા છે.
છોટા ઉદેપુર પૂર્વ ભાજપ પ્રમુખ નશા માં મહિલા મંત્રી હાજરીમાં ધૂત હોવા છતાં માત્ર પ્રમુખ પદે થી થોડા સમય માટે હટાવી સંતોષ માન્યો હતો.
ચાલુ મંત્રીઓ ઉપર લંપટ લીલા અંગેના કેસ ચાલુ હોવા છતાં ચૂંટણી હોવાથી તપાસ માં ઢીલો દોર ચલાવી બંન્ને પૂર્વ મંત્રીઓ ને બચાવી લેવામાં આવ્યા ના દાખલા પ્રજા સમક્ષ છે.
દિલ્હી માં ઉચ્ચ નેતાગીરી માં.બેઠેલ ભાજપ ના નેતાઓ ના દલાલો નોનોન આજકાલ રાફડો ફાટયો છે..ચૂંટણીઓ માં રાષ્ટ્રીય નેતાઓ ની ગુજરાત મુલાકાત માં સેલ્ફીઓ પડાવી હવે દિલ્હી જઈ સરકારી દલાલી કરતા નેતાઓ પણ વિપક્ષ અને અન્ય પક્ષો ના શંકાના દાયરામાં આવી ગયા હોવાથી કેન્દ્રીય નેતાગીરી માં પણ ફફડાટ ચાલી રહ્યો છે..
ભાજપ પ્રદેશ ના કેટલાક નેતાઓ અને તેમના પોઠિયા સરકારી કામો માં દલાલી કરતા હોવાથી શાશક મંત્રીઓ અને અધિકારીઓ માં પણ કચવાહટ સાંભળવા મળે છે..કમલમ જાણે મીની સચિવાલય બની ગયું હોય તેવું છેલ્લી બે ટર્મ થી પ્રજામાં ચર્ચાતું જોવાલે છે.
ગૃહ ખાતા માં સરકારી એક પછી એક પ્રજા ને બતાવવાના કડક અમલવારી માં ટ્રાફિક પોલીસ ના ઉઘરાણા સાંજે દરેક ચાર રસ્તે અધિકારીઓ ના વહીવટદાર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી શકાય તેમ જોવા મળે છે..
કરોડો ના બૂટલેગરો ના હપ્તા અને પોલીસ દ્વારા પ્રજામાંથી થતાં ઉઘરાણા નો સમગ્ર ગુજરાત માં મોટામાં મોટો ગેરકાયદેસર એક જાણે ઉદ્યોગ બની ગયો હોય તેવું જોવા મળે છે..રોજે રોજ પોલીસ ના ઓથાળ હેઠળ ગુજરાત ની સરહદો થી મુખ્ય શહેરો માં થઈ ગ્રામ્ય કકશા સુધી દારૂ આવી રહ્યો છે અને ધૂમ વેચાણ ચાલુ છે..માત્ર બતાવવા ખાતર રોજ એક બે જિલ્લા ની દારૂ નીં હેર ફર ના સમાચાર પકડા પકડી કરી સરકારી કામગીરી બતાવવામાં આવે તેવું લોક ચર્ચામાં છે.
ભાજપ નિં પ્રચંડ બહુમતિ થી જાણે ભાજપ ના લોકો ને છૂટો દોર મળી ગયો હોય તેવું ચારે બાજુ જોવા મળે છે.
*********************************
” ચોર કોટવાલને દંડે તેવી ભાજપ પ્રદેશ ની બેઠકોનો દૌર ચાલી જ રહ્યો છે”
પૂર્વ ભાજપ ની શિસ્ત સમિતિના ચેરમેન તરીકે મોહનભાઈ કુંડારીયા પૂર્વ સાંસદ હતા જેમની ઉપર પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ નો અનેક ફરિયાદ નો દોર ચાલી રહ્યો હતો ત્યાં જ તેમને ચેરમેન પદેથી હટાવીને ઠક્કરબાપા નગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયાને મૂકવામાં આવ્યા. આ નવા ચેરમેન ઉપર પણ અનેક પક્ષ વિરોધી પ્રવૃત્તિ ના આક્ષેપો છે જે ભાજપની ઉચ્ચ નેતાગીરી જાણતી હોવા છતાં સંગઠનમાં એક ચર્ચાનો મુદ્દો કાયમી ઉભો રહે તે હેતુથી વલ્લભભાઈને ચેરમેન બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે.
શિસ્ત સમિતિની ચૂંટણી બાદ હમણાં કમલમમાં ત્રણ દિવસ બેઠકો મળી ગઈ જેમાં અનેક ફરિયાદો આવી છે હવે ખુદ ચેરમેન ઉપર જ ફરિયાદ હોય અને પૂર્વ ચેરમેન ઉપર પણ ફરિયાદ હોય તો બીજી ફરિયાદો ની અંદર કોણ કોને ગેરલાયક ઠેરવીને સજા આપશે તે ભાજપનું આ પ્રચંડ બહુમતી બાદનું નાટક પ્રજાએ જોવાનું બાકી રહ્યું.
જોકે સંગઠનની અંદર રહેલા પૂર્વ ધારાસભ્યો અને ચાલુ ધારાસભ્યો માં અંદરો અંદર એવો કલર છે કે ઘી ના ઠામ માં ઘી ઠરી જાય અને હારેલા લોકો ને સંતોષ થાય કે શિસ્ત સમિતિએ કોઈ નિર્ણય લઈને અમને ન્યાય આપ્યો છે તે માટે આખું નાટક પ્રદેશ ભાજપ દ્વારા ભજવવામાં આવશે અને લોકો જોશે પણ ખરા અને આ પ્રચંડ બહુમતી માં આવા રાજકીય નાટકનો સંતોષ પણ ભાજપના હારેલા જીતેલા અને સૌ કાર્યકરો લેશે..
(અત્રે યાદ અપાવવાનું કે કૉંગ્રેસ દ્વારા માટે ૧૭ ધારાસભ્યો જીત હાંસલ કરી હોવા છતાં ૮૮ જેવા કોંગ્રેસ ના નેતાઓને ઘેર ભેગા શિષ્ટ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે અને બીજા ૧૮ લોકો ઉપર આજે પણ કાર્યવાહી ચાલુ છે..)
(શું આ એ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવા આવી પડેલી આ એ ભાજપની સરકાર છે કે જે ભાજપનો જન્મ થયો ત્યારે વિરોધ પક્ષ તરીકે જે કામગીરી થઇ ને પ્રજાને સંતોષ આપવામાં આવતો હતો જે શાશક માં બેઠા પછી પ્રજા ને સંતોષ આપવામાં આવતો નથી.) સત્તામાં બેઠા પછી થૂંકેલું ચાટવા સિવાય શું ભાજપ ના નેતાઓ કાઈ કરતા હોય તેવું ક્યાંય દેખાય છે?
માત્ર બાલિશ અને જૂથ ભાષણો કરીને ડેમેજ કંટ્રોલ ટીમ દ્વારા ભાજપ ના લોકો ના ગુનાઓ છાવરવા શું આવા મોટા કમલમ જેવા મીની સચિવાલય બનાવ્યા છે.?)
એક હી આગ ” જન ફરિયાદ ” ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.
આપની આસપાસ બનતી ઘટનાઓ ને નિર્ભય તટસ્થ મીડિયા માં પ્રસિદ્ધ કરવા આપના ઓડિયો.વિડિયો.સમાચારો.ફોટાઓ અમોને મોકલી આપો.
તંત્રી : પ્રદીપ રાવલ ( ગાંધીનગર)
મોબાઈલ.વોટસ અપ (9824653073)
ઇમેઇલ : prdpraval42@gmail.com