[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય પદાધિકારિ શ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટીની બેઠક માં ઉપસ્થિત રહેલ કોર કમિટીના સભ્યશ્રીઓ👇
આજરોજ મળતી માહિતી મુજબ ગાંધીનગર કમલમ પ્રદેશ ભાજપ મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કોર કમિટીની બેઠક મળી ગઈ જેમાં અધ્યક્ષ સ્થાને ક્રેન્દ્રીય ગૃહ તેમજ સહકાર અધિકારીતાના મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સીએમ ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તેમજ કોર કમિટીના મુખ્ય મેમ્બરો પ્રદેશ ઉપાધ્યક્ષ મહામંત્રી સાંસદો અને ડેલીગેટ વીડિયોમાં હાજર રહેલા જોવા મળ્યા હતા.
મીડિયાના એક અભ્યાસ મુજબ છેલ્લા બે દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતની બે દિવસની મુલાકાત તેમજ વાયુવેગે ચૂંટણી પ્રચાર અને પ્રસિદ્ધિ તેમજ લોકોને વોટ માટે મનાવવા માટેની અનેક પ્રક્રિયાઓ એટલે કે સુરતનો રોડ શો સુરતમાં જાહેર સભા ત્યારબાદ ભાવનગરમાં રોડ શો ભાવનગરમાં જનજાગૃતિને તેમનું વક્તવ્ય તેમજ અમદાવાદમાં મેગા ખેલ ઇવેન્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમજ વંદે માતરમ ટ્રેન ને લીલી જંડી આપીને ગાંધીનગર થી મુંબઈ પ્રસ્થાન અનેકવિધ લોકાર્પણ ખાદ્ય મુહૂર્ત અને ત્યારબાદ બનાસકાંઠા ના લોકોને 7,908 કરોડના લોકાર્પણ વિકાસના કામો અને ગૌ સેવકો ને ભૂતકાળ માં આપેલ વચન મુજબ ૫૦૦ કરોડ ની ફાળવણી પાંજરાપોળ સંગઠનો માં ઉકળતો ચરુ શાંત પાડવા અનેક જાહેરાતો.આમ એકંદરે બાર હજાર કરોડ ના વિકાસ ના કામો ની જાહેરાતો મોદીજી અને અમિત શાહ દ્વારા ગત સપ્તાહ માં કરવામાં આવી.
..અંબાજી ખાતે મા ભગવતીની આરાધના તેમના નવ દિવસના નકોડા ઉપવાસ દરમિયાન તેમણે ગબ્બર ખાતેની મહા આરતીમાં પણ ભાગ લીધો અને મુખ્ય અંબાજી મંદિર ખાતે માતાજીને પણ મતમસ્તકે પૂજા અને આરાધના કરી આ બધા કાર્યક્રમો અંતર્ગત બે દિવસની તેમની યાત્રાની સમીક્ષા કોર બેઠકમાં થઈ હશે. તેમ જ આગામી ચૂંટણી પહેલા 182 વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામો જે કંઈ બાકી હશે અને પ્રજામાં જ્યાં પણ ભાજપ અંગે લોકોનો રોષ હોય તેની સામે સમાધાન પ્રક્રિયા કરવા માટે ભાજપના કાર્યકરોને કેવી રીતે મોકલીને ભાજપની વોટ બેંકમાં વધારો કરવો તેમ જ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સત્તાઓ હોવાથી સંગઠન અને સરકારો વચ્ચે સેતુ બંધ સંકલન અંગે પણ ચર્ચા વિચારણા થઈ હશે.
બે દિવસમાં મોદી સાહેબનો પ્રવાસ તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નો પ્રવાસ અને મહિલા સંમેલન બધું જ એક સાથે ગત સપ્તાહમાં ગુજરાતની જનતામાં વાયુવેગે આવરી લેવાના કાર્યક્રમો એ નજીકની ચૂંટણીનું ભવિષ્ય બતાવી રહ્યા છે. લોક ચર્ચા મુજબ બદલાતી લોકશાહી પ્રણાલી મુજબના શાસનથી જે કંઈ લોકશાહીની નવી વ્યાખ્યા પ્રજા માનસ ઉપર શાસક સરકાર અને શાસક પક્ષ ઠોકી બેસાડવા માંગે છે તેની એક નવીન પ્રકારની અનુભૂતિ જનતા કરી રહી છે તેમજ સાથે સાથે મોંઘવારીનો સામનો પણ જનતા કરી રહી છે..CNG ના ભાવમાં એકાએક ત્રણ રૂપિયા નો કમરતોડ વધારો પણ કરી દેવામાં આવ્યો.. મોંઘવારીનો સામનો પણ પ્રજા આવતા દિવાળીના તહેવારો સામે છે અને જનતામાં આંતરિક જન આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જ્યારે શાસક સરકાર અને શાસક પક્ષ સત્તાના જોરે માત્ર વિભિન્ન ભેજ ભૂસામા પોતાના આધુનિક શાસનની પ્રણાલીકાઓમાં પ્રજાને જોતરવાનો સતત પ્રયત્ન કરી રહી છે.
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક ,, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યુઝ ચેનલ, જન ફરિયાદ ન્યુઝ પોર્ટલ : તંત્રી પ્રદીપ રાવલ ગાંધીનગર